કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે..! લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા દાદા દાદી લગ્નગ્રંથીથી જોડાયા


  • Published By :
  • Published Date : 2023-12-18 18:06:47

આજના આધુનિક સમાજમાં અનેક યુગલો લગ્ન કર્યા વગર જ એક સાથે પતિ-પત્નીની જેમ રહે છે, શહેરોમાં તે લિવ-ઈન રિલેશનશિપ કહેવામાં આવે છે. જો કે આ ટ્રેન્ડ શહેરોમાં જ છે તેવું નથી ગુજરાતના ગામડામાં પણ ઘણા લોકો આ રીતે એક સાથે રહી સહજીવન વ્યતીત કરે છે. તાજેતરમાં થયેલા એક ડોશા-ડોશીના લગ્નએ સાબરકાંઠા જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે. આ લગ્નમાં આખા ગામની સાથો-સાથ એ વૃદ્ધ અને વૃદ્ધાની ત્રણ પેઢીઓ પણ ડીજેના તાલે મનમુકીને નાચી હતી. 


લિવ-ઈન રિલેશનશિપનો સંબંધ લગ્નમાં પરિણમ્યો


સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલા એક નાનકડા ગામ એવા નવાગામમાં ગતરોજ એક અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં 75 વર્ષના વર અને 73 વર્ષની કન્યા લગ્નગ્રંથિથી જોડાયા હતા. એટલું જ નહીં તેમના આ લગ્નમાં તેમના દીકરા-દીકરી તો ખરા પણ પૌત્ર અને પૌત્રીઓ પણ તેમની જાનમાં જોડાયા હતા. 75 વર્ષીય નગજીભાઈ મંગળાજી રોજડ અને તેમની 73 વર્ષની પત્ની વેચાતી બહેન અત્યાર સુધી લીવ ઇન રિલેશનશિપમાં જ રહેતા હતા. પરંતુ સમાજના રિવાજો મુજબ વિધિવત રીતે લગ્ન કર્યા ન હોય અને આવા દંપતીમાંથી જ્યારે કોઈ એકનું અવસાન થાય ત્યારે મરણોત્તર વિધિ નથી થઈ શકતી. ઉત્તર ક્રિયા માટે કાયદેસર લગ્ન કરેલા હોવા જોઈએ. ત્યારે અત્યાર સુધી લીવ ઇન રિલેશનમાં રહેલા આ દંપતીએ જીવનની ઢળતી ઉંમરે લગ્ન કરી સમાજના રીતી રિવાજોને જીવંત રાખ્યા હતા. અને જીવનની સંધ્યાએ યોજાયેલા આ દંપતીના લગનમાં આખું ગામ ઉમટ્યુ હતું....ઢોલ નગારા સાથે  મંગળ ગીતો ગવાયા હતા. અને વાજતે ગાજતે સંતાનોએ માતા-પિતાના આ લગનને વધાવ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે પણ સાબરકાંઠા જિલ્લાના ગરાસીયા સમાજમાં આટલી ઉંમરે લગ્ન કરવા એ કોઈ નવાઈની વાત નથી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.