કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે..! લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા દાદા દાદી લગ્નગ્રંથીથી જોડાયા


  • Published By :
  • Published Date : 2023-12-18 18:06:47

આજના આધુનિક સમાજમાં અનેક યુગલો લગ્ન કર્યા વગર જ એક સાથે પતિ-પત્નીની જેમ રહે છે, શહેરોમાં તે લિવ-ઈન રિલેશનશિપ કહેવામાં આવે છે. જો કે આ ટ્રેન્ડ શહેરોમાં જ છે તેવું નથી ગુજરાતના ગામડામાં પણ ઘણા લોકો આ રીતે એક સાથે રહી સહજીવન વ્યતીત કરે છે. તાજેતરમાં થયેલા એક ડોશા-ડોશીના લગ્નએ સાબરકાંઠા જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે. આ લગ્નમાં આખા ગામની સાથો-સાથ એ વૃદ્ધ અને વૃદ્ધાની ત્રણ પેઢીઓ પણ ડીજેના તાલે મનમુકીને નાચી હતી. 


લિવ-ઈન રિલેશનશિપનો સંબંધ લગ્નમાં પરિણમ્યો


સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલા એક નાનકડા ગામ એવા નવાગામમાં ગતરોજ એક અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં 75 વર્ષના વર અને 73 વર્ષની કન્યા લગ્નગ્રંથિથી જોડાયા હતા. એટલું જ નહીં તેમના આ લગ્નમાં તેમના દીકરા-દીકરી તો ખરા પણ પૌત્ર અને પૌત્રીઓ પણ તેમની જાનમાં જોડાયા હતા. 75 વર્ષીય નગજીભાઈ મંગળાજી રોજડ અને તેમની 73 વર્ષની પત્ની વેચાતી બહેન અત્યાર સુધી લીવ ઇન રિલેશનશિપમાં જ રહેતા હતા. પરંતુ સમાજના રિવાજો મુજબ વિધિવત રીતે લગ્ન કર્યા ન હોય અને આવા દંપતીમાંથી જ્યારે કોઈ એકનું અવસાન થાય ત્યારે મરણોત્તર વિધિ નથી થઈ શકતી. ઉત્તર ક્રિયા માટે કાયદેસર લગ્ન કરેલા હોવા જોઈએ. ત્યારે અત્યાર સુધી લીવ ઇન રિલેશનમાં રહેલા આ દંપતીએ જીવનની ઢળતી ઉંમરે લગ્ન કરી સમાજના રીતી રિવાજોને જીવંત રાખ્યા હતા. અને જીવનની સંધ્યાએ યોજાયેલા આ દંપતીના લગનમાં આખું ગામ ઉમટ્યુ હતું....ઢોલ નગારા સાથે  મંગળ ગીતો ગવાયા હતા. અને વાજતે ગાજતે સંતાનોએ માતા-પિતાના આ લગનને વધાવ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે પણ સાબરકાંઠા જિલ્લાના ગરાસીયા સમાજમાં આટલી ઉંમરે લગ્ન કરવા એ કોઈ નવાઈની વાત નથી. 



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'