કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે..! લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા દાદા દાદી લગ્નગ્રંથીથી જોડાયા


  • Published By :
  • Published Date : 2023-12-18 18:06:47

આજના આધુનિક સમાજમાં અનેક યુગલો લગ્ન કર્યા વગર જ એક સાથે પતિ-પત્નીની જેમ રહે છે, શહેરોમાં તે લિવ-ઈન રિલેશનશિપ કહેવામાં આવે છે. જો કે આ ટ્રેન્ડ શહેરોમાં જ છે તેવું નથી ગુજરાતના ગામડામાં પણ ઘણા લોકો આ રીતે એક સાથે રહી સહજીવન વ્યતીત કરે છે. તાજેતરમાં થયેલા એક ડોશા-ડોશીના લગ્નએ સાબરકાંઠા જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે. આ લગ્નમાં આખા ગામની સાથો-સાથ એ વૃદ્ધ અને વૃદ્ધાની ત્રણ પેઢીઓ પણ ડીજેના તાલે મનમુકીને નાચી હતી. 


લિવ-ઈન રિલેશનશિપનો સંબંધ લગ્નમાં પરિણમ્યો


સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલા એક નાનકડા ગામ એવા નવાગામમાં ગતરોજ એક અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં 75 વર્ષના વર અને 73 વર્ષની કન્યા લગ્નગ્રંથિથી જોડાયા હતા. એટલું જ નહીં તેમના આ લગ્નમાં તેમના દીકરા-દીકરી તો ખરા પણ પૌત્ર અને પૌત્રીઓ પણ તેમની જાનમાં જોડાયા હતા. 75 વર્ષીય નગજીભાઈ મંગળાજી રોજડ અને તેમની 73 વર્ષની પત્ની વેચાતી બહેન અત્યાર સુધી લીવ ઇન રિલેશનશિપમાં જ રહેતા હતા. પરંતુ સમાજના રિવાજો મુજબ વિધિવત રીતે લગ્ન કર્યા ન હોય અને આવા દંપતીમાંથી જ્યારે કોઈ એકનું અવસાન થાય ત્યારે મરણોત્તર વિધિ નથી થઈ શકતી. ઉત્તર ક્રિયા માટે કાયદેસર લગ્ન કરેલા હોવા જોઈએ. ત્યારે અત્યાર સુધી લીવ ઇન રિલેશનમાં રહેલા આ દંપતીએ જીવનની ઢળતી ઉંમરે લગ્ન કરી સમાજના રીતી રિવાજોને જીવંત રાખ્યા હતા. અને જીવનની સંધ્યાએ યોજાયેલા આ દંપતીના લગનમાં આખું ગામ ઉમટ્યુ હતું....ઢોલ નગારા સાથે  મંગળ ગીતો ગવાયા હતા. અને વાજતે ગાજતે સંતાનોએ માતા-પિતાના આ લગનને વધાવ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે પણ સાબરકાંઠા જિલ્લાના ગરાસીયા સમાજમાં આટલી ઉંમરે લગ્ન કરવા એ કોઈ નવાઈની વાત નથી. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .