ટીચીંગ સ્ટાફના અભાવે અમદાવાદની આ કોલેજે બોર્ડ લગાવી કર્યું સૂચન "બાળકોનું સારું ભવિષ્ય ઇચ્છતા હોવ તો અન્ય કોલેજમાં એડમિશન લઇ લો"


  • Published By :
  • Published Date : 2023-07-07 15:57:11

ગુજરાતમાં શિક્ષણનું સ્તર ચિંતાજનક રીતે કથળી રહ્યું છે, સમૃધ્ધ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ જ નહીં પણ ઉચ્ચ શિક્ષણની હાલત પણ સારી નથી. ગુણવત્તાસભર શિક્ષણની ગુલબાંગો ફેંકતી રાજ્ય સરકાર ગ્રાન્ટેડ શાળા અને કોલેજોને પુરતી ગ્રાન્ટ પણ મળતી નથી. આજ કારણે અમદાવાદ શહેર ઉપરાંત અન્ય શહેરોની કોલેજોમાં પૂરતો નોન ટીચિગ સ્ટાફ તથા પ્રોફેસર પણ નથી અને કોલેજ પાસે ગ્રાન્ટ નો અભાવ હોવાથી મૂળભુત જરૂરીયાતો પણ પુરી શકતી નથી.


સાબરમતી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજે લગાવ્યું બોર્ડ


અમદાવાદના સાબરમતી વિસ્તાર આવેલી સાબરમતી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સ્ટાફની અછતના કારણે એડમિશનમાંથી પીછેહઠ કરી છે. કોલેજે સરકાર અને યુનિવર્સિટી પાસે સ્ટાફની અવારનવાર માંગણી કરી છે પરંતુ, સ્ટાફની અછત પૂરવામાં આવતી નથી. કોલેજ પાસે અત્યારે નોન ટીચિંગમાં ક્લાર્ક અને પટાવાળા જ છે. બે વ્યક્તિઓ દ્વારા કોલેજ કેવી રીતે ચલાવી શકાય. આ ઉપરાંત અમારા કોલેજના પ્રિન્સિપલ પણ નથી. આ જ કારણે મજબૂર થઈ કોલેજના દરવાજા પર બોર્ડ લગાવવામાં આવ્યું છે. જેના પર લખ્યું છે કે "બાળકોનું સારું ભવિષ્ય ઇચ્છતા હોવ તો અન્ય કોલેજમાં એડમીશન લઇ લો".

Image

વિદ્યાર્થીઓને ભણાવનાર કોઈ નથી


સાબરમતી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેનેજમેન્ટ દ્વારા સ્ટાફની ઘટ અને જર્જરીત કોલેજ ને લઈને PM પોર્ટલ પર ફરિયાદ કરવામાં આવી છે. PMOથી ચીફ સેક્રેટરી ને આ મામલે કાર્યવાહી કરવા જણાવાયું છે તેમ છતાં કોઈ પગલાં લેવાયા નથી. જો કે તેમ છતાં કોલેજ દ્વારા સ્ટાફ વગરની જર્જરિત કોલેજમાં યુનિવર્સિટી દ્વારા આ વર્ષે પણ 150 થી વધુ વિદ્યાર્થીઓનેએડમિશન ફાળવવામાં આવ્યા છે. ગ્રાન્ટ-ઇન કોલેજ હોવાથી કોલેજ વધુ ફી પણ લઈ શકતી નથી, પ્રોફેસરના અભાવે એક જ ક્લાસમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે.


કોલેજ બંધ કરવાની અરજી પેન્ડિંગ


સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની કથળતી આર્થિક સ્થિતિ બાદ મેનેજમેન્ટ કોલેજ બંધ કરવાની અરજી કરી છે. મેનેજમેન્ટ સામેથી આ અરજી સરકાર સમક્ષ કરી છે. આ કોલેજોની આર્થિક સ્થિતિ કથળી છે. માંડ 40-50 હજારની ગ્રાંટની સામે લાખોનો ખર્ચ થતા 50 વર્ષથી પણ જુની કોલેજોએ બંધ કરવા અરજી કરી છે. સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ડિરેક્ટર અમિત ઊપાધ્યાએ જણાવ્યું કે કોલેજ પાસે 8 વર્ષથી ક્લેરિકલ અને સ્વીપરનો નિયમિત સ્ટાફ નથી. ઓફિસમાં ઓનલાઇન તેમજ અંગ્રેજીમાં કામ કરી શકે તેવો કોઈ સ્ટાફ નથી. 6-7 માણસો ઓફિસમાં નથી, પટાવાળા નથી, સ્વીપર નથી અને વોચમેન પણ નથી. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.