ટીચીંગ સ્ટાફના અભાવે અમદાવાદની આ કોલેજે બોર્ડ લગાવી કર્યું સૂચન "બાળકોનું સારું ભવિષ્ય ઇચ્છતા હોવ તો અન્ય કોલેજમાં એડમિશન લઇ લો"


  • Published By :
  • Published Date : 2023-07-07 15:57:11

ગુજરાતમાં શિક્ષણનું સ્તર ચિંતાજનક રીતે કથળી રહ્યું છે, સમૃધ્ધ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ જ નહીં પણ ઉચ્ચ શિક્ષણની હાલત પણ સારી નથી. ગુણવત્તાસભર શિક્ષણની ગુલબાંગો ફેંકતી રાજ્ય સરકાર ગ્રાન્ટેડ શાળા અને કોલેજોને પુરતી ગ્રાન્ટ પણ મળતી નથી. આજ કારણે અમદાવાદ શહેર ઉપરાંત અન્ય શહેરોની કોલેજોમાં પૂરતો નોન ટીચિગ સ્ટાફ તથા પ્રોફેસર પણ નથી અને કોલેજ પાસે ગ્રાન્ટ નો અભાવ હોવાથી મૂળભુત જરૂરીયાતો પણ પુરી શકતી નથી.


સાબરમતી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજે લગાવ્યું બોર્ડ


અમદાવાદના સાબરમતી વિસ્તાર આવેલી સાબરમતી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સ્ટાફની અછતના કારણે એડમિશનમાંથી પીછેહઠ કરી છે. કોલેજે સરકાર અને યુનિવર્સિટી પાસે સ્ટાફની અવારનવાર માંગણી કરી છે પરંતુ, સ્ટાફની અછત પૂરવામાં આવતી નથી. કોલેજ પાસે અત્યારે નોન ટીચિંગમાં ક્લાર્ક અને પટાવાળા જ છે. બે વ્યક્તિઓ દ્વારા કોલેજ કેવી રીતે ચલાવી શકાય. આ ઉપરાંત અમારા કોલેજના પ્રિન્સિપલ પણ નથી. આ જ કારણે મજબૂર થઈ કોલેજના દરવાજા પર બોર્ડ લગાવવામાં આવ્યું છે. જેના પર લખ્યું છે કે "બાળકોનું સારું ભવિષ્ય ઇચ્છતા હોવ તો અન્ય કોલેજમાં એડમીશન લઇ લો".

Image

વિદ્યાર્થીઓને ભણાવનાર કોઈ નથી


સાબરમતી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેનેજમેન્ટ દ્વારા સ્ટાફની ઘટ અને જર્જરીત કોલેજ ને લઈને PM પોર્ટલ પર ફરિયાદ કરવામાં આવી છે. PMOથી ચીફ સેક્રેટરી ને આ મામલે કાર્યવાહી કરવા જણાવાયું છે તેમ છતાં કોઈ પગલાં લેવાયા નથી. જો કે તેમ છતાં કોલેજ દ્વારા સ્ટાફ વગરની જર્જરિત કોલેજમાં યુનિવર્સિટી દ્વારા આ વર્ષે પણ 150 થી વધુ વિદ્યાર્થીઓનેએડમિશન ફાળવવામાં આવ્યા છે. ગ્રાન્ટ-ઇન કોલેજ હોવાથી કોલેજ વધુ ફી પણ લઈ શકતી નથી, પ્રોફેસરના અભાવે એક જ ક્લાસમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે.


કોલેજ બંધ કરવાની અરજી પેન્ડિંગ


સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની કથળતી આર્થિક સ્થિતિ બાદ મેનેજમેન્ટ કોલેજ બંધ કરવાની અરજી કરી છે. મેનેજમેન્ટ સામેથી આ અરજી સરકાર સમક્ષ કરી છે. આ કોલેજોની આર્થિક સ્થિતિ કથળી છે. માંડ 40-50 હજારની ગ્રાંટની સામે લાખોનો ખર્ચ થતા 50 વર્ષથી પણ જુની કોલેજોએ બંધ કરવા અરજી કરી છે. સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ડિરેક્ટર અમિત ઊપાધ્યાએ જણાવ્યું કે કોલેજ પાસે 8 વર્ષથી ક્લેરિકલ અને સ્વીપરનો નિયમિત સ્ટાફ નથી. ઓફિસમાં ઓનલાઇન તેમજ અંગ્રેજીમાં કામ કરી શકે તેવો કોઈ સ્ટાફ નથી. 6-7 માણસો ઓફિસમાં નથી, પટાવાળા નથી, સ્વીપર નથી અને વોચમેન પણ નથી. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.