Sachin Tendulkar બન્યા Deep Fakeનો શિકાર! વાયરલ વીડિયો તેમજ ટેક્નોલોજીને લઈ કહી આ વાત..


  • Published By :
  • Published Date : 2024-01-15 16:28:56

ડીપ ફેકનો શિકાર અનેક સેલિબ્રિટી બન્યા છે. ત્યારે આ વખતે ડીપ ફેકનો શિકાર સચિન તેંડુલકર બન્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સચિન તેંડુલકર એક ગેમિંગ એપને પ્રમોટ કરી રહ્યા છે. અવાજ અને ચહેરો સચિન તેંડુલકરનો છે પરંતુ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તે નથી. તે વીડિયોમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે તેમની દીકરી સારાને એપથી ફાયદો થઈ રહ્યો છે. વીડિયો અંગે ખુલાસો કરતા સચિન તેંડુલકરે કહ્યું આ ફેક વીડિયો છે. સોશિયલ મીડિયા પર આ અંગે વાત કરી છે.

ડીપ ફેકનો શિકાર બન્યા સચિન તેંડુલકર 

ટેકનોલોજી જેમ જેમ આગળ વધે છે તેના ફાયદાઓ તો છે પરંતુ જો ટેક્નોલોજી ખોટા હાથોમાં આવી જાય તો તેના ગેરફાયદા પણ એટલા જ છે. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે કારણ કે થોડા સમયથી ડીપ ફેક વીડિયો મોટી મોટી હસ્તીઓનો બનાવવામાં આવી રહ્યો છે. ક્રિકેટના ભગવાન માનવામાં આવતા સચિન તેંડુલકરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક ગેમિંગ એપને પ્રમોટ કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે  કે ડીપ ફેકનો શિકાર અનેક હસ્તીઓ થઈ છે અને હવે આ લિસ્ટમાં સચિન તેંડુલકરના નામનો પણ સમાવેશ થઈ ગયો છે. 


વીડિયો અંગે સચિન તેંડુલકરે કહી આ વાત 

સોશિયલ મીડિયા પર સચિન તેંડુલકરએ વીડિયો પોસ્ટ કર્યો છે સાથે સાથે તેમણે લખ્યું કે આ વીડિયો ફેક છે. ટેક્નોલોજીનો બેફામ દુરૂપયોગ જોઈને હેરાન છે. વિનંતી કરતા તેમણે કહ્યું કે આ વીડિયો, જાહેરાત અને એપને મોટી સંખ્યામાં જાણ કરવા સૌને વિનંતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફરિયાદો માટે સતર્ક અને પ્રતિભાવશીલ રહેવાની જરૂર છે. મહત્વનું છે કે ડીપ ફેકનો શિકાર આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, કેટરીના કેફ સહિતની અભિનેત્રીઓ બની છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.