Sachin Tendulkar બન્યા Deep Fakeનો શિકાર! વાયરલ વીડિયો તેમજ ટેક્નોલોજીને લઈ કહી આ વાત..


  • Published By :
  • Published Date : 2024-01-15 16:28:56

ડીપ ફેકનો શિકાર અનેક સેલિબ્રિટી બન્યા છે. ત્યારે આ વખતે ડીપ ફેકનો શિકાર સચિન તેંડુલકર બન્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સચિન તેંડુલકર એક ગેમિંગ એપને પ્રમોટ કરી રહ્યા છે. અવાજ અને ચહેરો સચિન તેંડુલકરનો છે પરંતુ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તે નથી. તે વીડિયોમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે તેમની દીકરી સારાને એપથી ફાયદો થઈ રહ્યો છે. વીડિયો અંગે ખુલાસો કરતા સચિન તેંડુલકરે કહ્યું આ ફેક વીડિયો છે. સોશિયલ મીડિયા પર આ અંગે વાત કરી છે.

ડીપ ફેકનો શિકાર બન્યા સચિન તેંડુલકર 

ટેકનોલોજી જેમ જેમ આગળ વધે છે તેના ફાયદાઓ તો છે પરંતુ જો ટેક્નોલોજી ખોટા હાથોમાં આવી જાય તો તેના ગેરફાયદા પણ એટલા જ છે. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે કારણ કે થોડા સમયથી ડીપ ફેક વીડિયો મોટી મોટી હસ્તીઓનો બનાવવામાં આવી રહ્યો છે. ક્રિકેટના ભગવાન માનવામાં આવતા સચિન તેંડુલકરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક ગેમિંગ એપને પ્રમોટ કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે  કે ડીપ ફેકનો શિકાર અનેક હસ્તીઓ થઈ છે અને હવે આ લિસ્ટમાં સચિન તેંડુલકરના નામનો પણ સમાવેશ થઈ ગયો છે. 


વીડિયો અંગે સચિન તેંડુલકરે કહી આ વાત 

સોશિયલ મીડિયા પર સચિન તેંડુલકરએ વીડિયો પોસ્ટ કર્યો છે સાથે સાથે તેમણે લખ્યું કે આ વીડિયો ફેક છે. ટેક્નોલોજીનો બેફામ દુરૂપયોગ જોઈને હેરાન છે. વિનંતી કરતા તેમણે કહ્યું કે આ વીડિયો, જાહેરાત અને એપને મોટી સંખ્યામાં જાણ કરવા સૌને વિનંતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફરિયાદો માટે સતર્ક અને પ્રતિભાવશીલ રહેવાની જરૂર છે. મહત્વનું છે કે ડીપ ફેકનો શિકાર આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, કેટરીના કેફ સહિતની અભિનેત્રીઓ બની છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે