વડોદરાના સાદરા પોસ્ટ ઓફિસના 32 વર્ષીય પોસ્ટ માસ્તરનું હાર્ટ-એટેકથી મોત, 2 મહિના પહેલા જ થઈ હતી ટ્રાન્સફર


  • Published By :
  • Published Date : 2023-07-25 16:34:58

રાજ્યમાં કોરોના કાળ બાદ હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. દર બે-ત્રણ દિવસે હાર્ટ એટેકથી મોતના સમાચાર આવતા રહે છે, તેમાં પણ હાર્ટ એટેકનો સોથી વધુ ભોગ યુવાનો બની રહ્યા છે. વડોદરા જિલ્લામાં એક યુવાન પોસ્ટ માસ્તરનું  હાર્ટ એટેક મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. વડોદરાના પાદરા તાલુકાની સાદરા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા 32 વર્ષિય દર્શનભાઇ ભીખાભાઇ પટેલ હ્રદયરોગના જીવલેણ હુમલાનો ભોગ બન્યા હતા. દર્શનભાઇ પટેલ મૂળ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના રતનપુર ગામના વતની હતા.  તેઓ વડોદરા શહેરના અટલાદરા પી-401, આરૂણી રેસિડેન્સીમાં પત્ની પુનમબહેન સાથે રહેતા હતા. એક યુવાનનું હાર્ટએટેકથી મોત નીપજતાં તેમના પરિવાર અને પોસ્ટકર્મીઓમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. 


છાતીમાં દુઃખાવો સારવાર માટે ખસેડાયા


દર્શનભાઇ સવારે રાબેતા મુજબ સાદરા પોસ્ટ ઓફિસમાં પહોંચી ગયા હતા. ઓફિસમાં પહોંચ્યાની ગણતરીની મિનિટોમાં તેઓને ગભરામણ શરૂ થઈ હતી. પરસેવે રેબઝેબ થઈ ગયા હતા અને છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો. પોસ્ટ માસ્તર દર્શનભાઇ પટેલની તબિયત બગડતા સાથી કર્મચારીઓ તુરંત જ તેઓને મોભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. પરંતુ, ફરજ ઉપરના તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. 32 વર્ષીય પોસ્ટ માસ્તર દર્શનભાઇ પટેલનું એટેકથી મોત નીપજતાં તાલુકાની પોસ્ટ ઓફિસોમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. આ સાથે સાદરા ગામમાં ચકચાર મચી ગઈ હતી. બીજી બાજુ આ બનાવની જાણ પત્ની પુનમબહેન પટેલ તેમજ અન્ય પરિવારજનોને થતાં તેઓ દોડી આવ્યા હતા.


વતનમાં થશે અગ્નિ સંસ્કાર


દર્શનભાઇ પટેલનું ત્રણ વર્ષ પહેલાં પુનમબહેન સાથે લગ્ન થયું હતું. તેઓ સાદરા પોસ્ટ ઓફિસમાં બે મહિના પહેલા જ ટ્રાન્સફર થઇને આવ્યા હતા. દર્શનભાઇનું એટેકથી મોત નિપજ્યું હોવાની જાણ વડું પોલીસને કરવામાં આવતા પોલીસકર્મી દોડી આવ્યા હતા મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. મોતને ભેટેલા દર્શનભાઇ પટેલના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઇ ગયા બાદ પરિવાર મૃતદેહને અંતિમવિધી માટે વતન લઇ ગયા હતા. સાદરા ગામ સહિત આસપાસના ગામોમાં ગમગીની ફેલાવી દેનાર આ બનાવ અંગે વડું પોલીસે જરૂરી તપાસ બાદ કાર્યવાહી હાથ ધરી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.