વડોદરાના સાદરા પોસ્ટ ઓફિસના 32 વર્ષીય પોસ્ટ માસ્તરનું હાર્ટ-એટેકથી મોત, 2 મહિના પહેલા જ થઈ હતી ટ્રાન્સફર


  • Published By :
  • Published Date : 2023-07-25 16:34:58

રાજ્યમાં કોરોના કાળ બાદ હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. દર બે-ત્રણ દિવસે હાર્ટ એટેકથી મોતના સમાચાર આવતા રહે છે, તેમાં પણ હાર્ટ એટેકનો સોથી વધુ ભોગ યુવાનો બની રહ્યા છે. વડોદરા જિલ્લામાં એક યુવાન પોસ્ટ માસ્તરનું  હાર્ટ એટેક મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. વડોદરાના પાદરા તાલુકાની સાદરા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા 32 વર્ષિય દર્શનભાઇ ભીખાભાઇ પટેલ હ્રદયરોગના જીવલેણ હુમલાનો ભોગ બન્યા હતા. દર્શનભાઇ પટેલ મૂળ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના રતનપુર ગામના વતની હતા.  તેઓ વડોદરા શહેરના અટલાદરા પી-401, આરૂણી રેસિડેન્સીમાં પત્ની પુનમબહેન સાથે રહેતા હતા. એક યુવાનનું હાર્ટએટેકથી મોત નીપજતાં તેમના પરિવાર અને પોસ્ટકર્મીઓમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. 


છાતીમાં દુઃખાવો સારવાર માટે ખસેડાયા


દર્શનભાઇ સવારે રાબેતા મુજબ સાદરા પોસ્ટ ઓફિસમાં પહોંચી ગયા હતા. ઓફિસમાં પહોંચ્યાની ગણતરીની મિનિટોમાં તેઓને ગભરામણ શરૂ થઈ હતી. પરસેવે રેબઝેબ થઈ ગયા હતા અને છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો. પોસ્ટ માસ્તર દર્શનભાઇ પટેલની તબિયત બગડતા સાથી કર્મચારીઓ તુરંત જ તેઓને મોભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. પરંતુ, ફરજ ઉપરના તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. 32 વર્ષીય પોસ્ટ માસ્તર દર્શનભાઇ પટેલનું એટેકથી મોત નીપજતાં તાલુકાની પોસ્ટ ઓફિસોમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. આ સાથે સાદરા ગામમાં ચકચાર મચી ગઈ હતી. બીજી બાજુ આ બનાવની જાણ પત્ની પુનમબહેન પટેલ તેમજ અન્ય પરિવારજનોને થતાં તેઓ દોડી આવ્યા હતા.


વતનમાં થશે અગ્નિ સંસ્કાર


દર્શનભાઇ પટેલનું ત્રણ વર્ષ પહેલાં પુનમબહેન સાથે લગ્ન થયું હતું. તેઓ સાદરા પોસ્ટ ઓફિસમાં બે મહિના પહેલા જ ટ્રાન્સફર થઇને આવ્યા હતા. દર્શનભાઇનું એટેકથી મોત નિપજ્યું હોવાની જાણ વડું પોલીસને કરવામાં આવતા પોલીસકર્મી દોડી આવ્યા હતા મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. મોતને ભેટેલા દર્શનભાઇ પટેલના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઇ ગયા બાદ પરિવાર મૃતદેહને અંતિમવિધી માટે વતન લઇ ગયા હતા. સાદરા ગામ સહિત આસપાસના ગામોમાં ગમગીની ફેલાવી દેનાર આ બનાવ અંગે વડું પોલીસે જરૂરી તપાસ બાદ કાર્યવાહી હાથ ધરી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.