અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસનું સલામત શાળા અભિયાન, IPS Safin Hasanએ શાળા સંચાલકોને કહ્યું કે વાહન લઈને શાળાએ આવતા વિદ્યાર્થીઓ....


  • Published By :
  • Published Date : 2024-06-13 11:52:29

શાળામાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે.. શાળામાં આવતા અનેક વિદ્યાર્થીઓ પોતાનું વાહન લઈને શાળામાં આવે છે.. વાહન લઈને શાળામાં આવતા વિદ્યાર્થીઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે છે કે નહીં તેની દરકાર કોઈ શાળા નથી લેતી...! ત્યારે ગઈકાલે વસ્ત્રાલ ખાતે ટ્રાફિક પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ, આરટીઓની ટીમ, ટ્રાફિક ડીસીપી પૂર્વ (સફીન હસન), રોડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા એક મીટિંગનું આયોજન થયું હતું જેમાં સ્કૂલે આવતા બાળકોની સલામતી માટે સ્કૂલ સંચાલકોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની વિસ્તૃત ચર્ચા થઈ હતી..

શું કહ્યું આઈપીએસ સફીન હસને?

આઈપીએસ સફીન હસને શાળાના સંચાલકોને જણાવ્યું કે કોઈ બાળકને 2 માર્ક ઓછા આવે તો તમે પેરેન્ટ મીટિંગ કરો છો. તો સ્કૂલે આવતા બાળકોની સલામતી માટે તે કયા વાહનમાં કેવી રીતે આવે છે તે બાબતનું શા માટે ધ્યાન રાખવામાં નથી આવતું? 2 માર્ક ઓછા આવવાથી બાળકની જિંદગી ખરાબ નહીં થાય. પરંતુ જો હેલ્મેટ પહેર્યા વગર બાળક ટુ વ્હીલર ચલાવશે અને જો અકસ્માત થશે તો તેને અથવા તો સામે વાળાને જિંદગીનું નુકસાન જરૂરથી થશે.. 

માતા પિતા બાળકને વાહન તો આપી દે છે પરંતુ...

મહત્વનું છે કે અનેક બાળકો વાહનો લઈને શાળાએ આવતા હોય છે. ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા.. અનેક વખત જોવામાં આવ્યું છે કે બાળકો રોન્ગ સાઈડ વાહન ચલાવે છે અને તેમાં હેલ્મેટ પણ નથી પહેરતા.. અને ફૂલ સ્પીડમાં વાહન પણ ચલાવે છે.. ના કરે નારાયણ અને કોઈ અકસ્માત થાય તો...અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે માતા પિતા બાળકને વાહન ચલાવા તો આપી દે છે પરંતુ વાહન ચલાવવાની સાચી રીત નથી શીખવાડતા. કાયદાનું પાલન કરવું જોઈએ તે નથી શીખવાડતા.. લાયસન્સ નથી આવતું તો પણ વાહન ચલાવવા આપી દેતા હોય છે.. ઉલ્લેખનિય છે કે બીજી તરફ અનેક એવા વાલીઓ પણ છે જે કાયદાનું પાલન કરવાનું બાળકને કહેતા હોય છે.. જ્યાં સુધી લાયસન્સ નથી આવતું ત્યાં સુધી વાહન નથી આપતા ચલાવવા..   



બાળકો મોટાને જોઈને શીખતા હોય છે.. 

ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ તેવી વાતો આપણે કરતા હોઈએ છીએ.. જ્યારે ટુ વ્હીલર ચલાવીએ ત્યારે હેલ્મેટ પહેરવું જોઈએ, ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરવો જોઈએ વગેરે વગેરે.. કાયદો છે તે બધાને ખબર છે પરંતુ શું આપણે તેનું પાલન કરીએ છીએ ખરા? અનેક લોકો એવા હોય છે જે ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા.. ટુ વ્હીલર હેલ્મેટ પહેર્યા વગર ચલાવે છે...સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે મોટાઓને જોઈને બાળકો શિખતા હોય છે.. મોટા જે પ્રમાણે વરતે છે તે પ્રમાણે બાળકો પર કરે છે.. જો મોટા હેલ્મેટ પહેરતા હશે તો બાળકોને પણ થશે કે હેલ્મેટ પહેરવું જોઈએ. ત્યારે તમારૂં આ મામલે શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..   



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?