અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસનું સલામત શાળા અભિયાન, IPS Safin Hasanએ શાળા સંચાલકોને કહ્યું કે વાહન લઈને શાળાએ આવતા વિદ્યાર્થીઓ....


  • Published By :
  • Published Date : 2024-06-13 11:52:29

શાળામાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે.. શાળામાં આવતા અનેક વિદ્યાર્થીઓ પોતાનું વાહન લઈને શાળામાં આવે છે.. વાહન લઈને શાળામાં આવતા વિદ્યાર્થીઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે છે કે નહીં તેની દરકાર કોઈ શાળા નથી લેતી...! ત્યારે ગઈકાલે વસ્ત્રાલ ખાતે ટ્રાફિક પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ, આરટીઓની ટીમ, ટ્રાફિક ડીસીપી પૂર્વ (સફીન હસન), રોડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા એક મીટિંગનું આયોજન થયું હતું જેમાં સ્કૂલે આવતા બાળકોની સલામતી માટે સ્કૂલ સંચાલકોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની વિસ્તૃત ચર્ચા થઈ હતી..

શું કહ્યું આઈપીએસ સફીન હસને?

આઈપીએસ સફીન હસને શાળાના સંચાલકોને જણાવ્યું કે કોઈ બાળકને 2 માર્ક ઓછા આવે તો તમે પેરેન્ટ મીટિંગ કરો છો. તો સ્કૂલે આવતા બાળકોની સલામતી માટે તે કયા વાહનમાં કેવી રીતે આવે છે તે બાબતનું શા માટે ધ્યાન રાખવામાં નથી આવતું? 2 માર્ક ઓછા આવવાથી બાળકની જિંદગી ખરાબ નહીં થાય. પરંતુ જો હેલ્મેટ પહેર્યા વગર બાળક ટુ વ્હીલર ચલાવશે અને જો અકસ્માત થશે તો તેને અથવા તો સામે વાળાને જિંદગીનું નુકસાન જરૂરથી થશે.. 

માતા પિતા બાળકને વાહન તો આપી દે છે પરંતુ...

મહત્વનું છે કે અનેક બાળકો વાહનો લઈને શાળાએ આવતા હોય છે. ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા.. અનેક વખત જોવામાં આવ્યું છે કે બાળકો રોન્ગ સાઈડ વાહન ચલાવે છે અને તેમાં હેલ્મેટ પણ નથી પહેરતા.. અને ફૂલ સ્પીડમાં વાહન પણ ચલાવે છે.. ના કરે નારાયણ અને કોઈ અકસ્માત થાય તો...અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે માતા પિતા બાળકને વાહન ચલાવા તો આપી દે છે પરંતુ વાહન ચલાવવાની સાચી રીત નથી શીખવાડતા. કાયદાનું પાલન કરવું જોઈએ તે નથી શીખવાડતા.. લાયસન્સ નથી આવતું તો પણ વાહન ચલાવવા આપી દેતા હોય છે.. ઉલ્લેખનિય છે કે બીજી તરફ અનેક એવા વાલીઓ પણ છે જે કાયદાનું પાલન કરવાનું બાળકને કહેતા હોય છે.. જ્યાં સુધી લાયસન્સ નથી આવતું ત્યાં સુધી વાહન નથી આપતા ચલાવવા..   



બાળકો મોટાને જોઈને શીખતા હોય છે.. 

ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ તેવી વાતો આપણે કરતા હોઈએ છીએ.. જ્યારે ટુ વ્હીલર ચલાવીએ ત્યારે હેલ્મેટ પહેરવું જોઈએ, ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરવો જોઈએ વગેરે વગેરે.. કાયદો છે તે બધાને ખબર છે પરંતુ શું આપણે તેનું પાલન કરીએ છીએ ખરા? અનેક લોકો એવા હોય છે જે ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા.. ટુ વ્હીલર હેલ્મેટ પહેર્યા વગર ચલાવે છે...સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે મોટાઓને જોઈને બાળકો શિખતા હોય છે.. મોટા જે પ્રમાણે વરતે છે તે પ્રમાણે બાળકો પર કરે છે.. જો મોટા હેલ્મેટ પહેરતા હશે તો બાળકોને પણ થશે કે હેલ્મેટ પહેરવું જોઈએ. ત્યારે તમારૂં આ મામલે શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.