અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસનું સલામત શાળા અભિયાન, IPS Safin Hasanએ શાળા સંચાલકોને કહ્યું કે વાહન લઈને શાળાએ આવતા વિદ્યાર્થીઓ....


  • Published By :
  • Published Date : 2024-06-13 11:52:29

શાળામાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે.. શાળામાં આવતા અનેક વિદ્યાર્થીઓ પોતાનું વાહન લઈને શાળામાં આવે છે.. વાહન લઈને શાળામાં આવતા વિદ્યાર્થીઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે છે કે નહીં તેની દરકાર કોઈ શાળા નથી લેતી...! ત્યારે ગઈકાલે વસ્ત્રાલ ખાતે ટ્રાફિક પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ, આરટીઓની ટીમ, ટ્રાફિક ડીસીપી પૂર્વ (સફીન હસન), રોડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા એક મીટિંગનું આયોજન થયું હતું જેમાં સ્કૂલે આવતા બાળકોની સલામતી માટે સ્કૂલ સંચાલકોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની વિસ્તૃત ચર્ચા થઈ હતી..

શું કહ્યું આઈપીએસ સફીન હસને?

આઈપીએસ સફીન હસને શાળાના સંચાલકોને જણાવ્યું કે કોઈ બાળકને 2 માર્ક ઓછા આવે તો તમે પેરેન્ટ મીટિંગ કરો છો. તો સ્કૂલે આવતા બાળકોની સલામતી માટે તે કયા વાહનમાં કેવી રીતે આવે છે તે બાબતનું શા માટે ધ્યાન રાખવામાં નથી આવતું? 2 માર્ક ઓછા આવવાથી બાળકની જિંદગી ખરાબ નહીં થાય. પરંતુ જો હેલ્મેટ પહેર્યા વગર બાળક ટુ વ્હીલર ચલાવશે અને જો અકસ્માત થશે તો તેને અથવા તો સામે વાળાને જિંદગીનું નુકસાન જરૂરથી થશે.. 

માતા પિતા બાળકને વાહન તો આપી દે છે પરંતુ...

મહત્વનું છે કે અનેક બાળકો વાહનો લઈને શાળાએ આવતા હોય છે. ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા.. અનેક વખત જોવામાં આવ્યું છે કે બાળકો રોન્ગ સાઈડ વાહન ચલાવે છે અને તેમાં હેલ્મેટ પણ નથી પહેરતા.. અને ફૂલ સ્પીડમાં વાહન પણ ચલાવે છે.. ના કરે નારાયણ અને કોઈ અકસ્માત થાય તો...અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે માતા પિતા બાળકને વાહન ચલાવા તો આપી દે છે પરંતુ વાહન ચલાવવાની સાચી રીત નથી શીખવાડતા. કાયદાનું પાલન કરવું જોઈએ તે નથી શીખવાડતા.. લાયસન્સ નથી આવતું તો પણ વાહન ચલાવવા આપી દેતા હોય છે.. ઉલ્લેખનિય છે કે બીજી તરફ અનેક એવા વાલીઓ પણ છે જે કાયદાનું પાલન કરવાનું બાળકને કહેતા હોય છે.. જ્યાં સુધી લાયસન્સ નથી આવતું ત્યાં સુધી વાહન નથી આપતા ચલાવવા..   



બાળકો મોટાને જોઈને શીખતા હોય છે.. 

ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ તેવી વાતો આપણે કરતા હોઈએ છીએ.. જ્યારે ટુ વ્હીલર ચલાવીએ ત્યારે હેલ્મેટ પહેરવું જોઈએ, ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરવો જોઈએ વગેરે વગેરે.. કાયદો છે તે બધાને ખબર છે પરંતુ શું આપણે તેનું પાલન કરીએ છીએ ખરા? અનેક લોકો એવા હોય છે જે ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા.. ટુ વ્હીલર હેલ્મેટ પહેર્યા વગર ચલાવે છે...સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે મોટાઓને જોઈને બાળકો શિખતા હોય છે.. મોટા જે પ્રમાણે વરતે છે તે પ્રમાણે બાળકો પર કરે છે.. જો મોટા હેલ્મેટ પહેરતા હશે તો બાળકોને પણ થશે કે હેલ્મેટ પહેરવું જોઈએ. ત્યારે તમારૂં આ મામલે શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..   



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.