અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસનું સલામત શાળા અભિયાન, IPS Safin Hasanએ શાળા સંચાલકોને કહ્યું કે વાહન લઈને શાળાએ આવતા વિદ્યાર્થીઓ....


  • Published By :
  • Published Date : 2024-06-13 11:52:29

શાળામાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે.. શાળામાં આવતા અનેક વિદ્યાર્થીઓ પોતાનું વાહન લઈને શાળામાં આવે છે.. વાહન લઈને શાળામાં આવતા વિદ્યાર્થીઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે છે કે નહીં તેની દરકાર કોઈ શાળા નથી લેતી...! ત્યારે ગઈકાલે વસ્ત્રાલ ખાતે ટ્રાફિક પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ, આરટીઓની ટીમ, ટ્રાફિક ડીસીપી પૂર્વ (સફીન હસન), રોડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા એક મીટિંગનું આયોજન થયું હતું જેમાં સ્કૂલે આવતા બાળકોની સલામતી માટે સ્કૂલ સંચાલકોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની વિસ્તૃત ચર્ચા થઈ હતી..

શું કહ્યું આઈપીએસ સફીન હસને?

આઈપીએસ સફીન હસને શાળાના સંચાલકોને જણાવ્યું કે કોઈ બાળકને 2 માર્ક ઓછા આવે તો તમે પેરેન્ટ મીટિંગ કરો છો. તો સ્કૂલે આવતા બાળકોની સલામતી માટે તે કયા વાહનમાં કેવી રીતે આવે છે તે બાબતનું શા માટે ધ્યાન રાખવામાં નથી આવતું? 2 માર્ક ઓછા આવવાથી બાળકની જિંદગી ખરાબ નહીં થાય. પરંતુ જો હેલ્મેટ પહેર્યા વગર બાળક ટુ વ્હીલર ચલાવશે અને જો અકસ્માત થશે તો તેને અથવા તો સામે વાળાને જિંદગીનું નુકસાન જરૂરથી થશે.. 

માતા પિતા બાળકને વાહન તો આપી દે છે પરંતુ...

મહત્વનું છે કે અનેક બાળકો વાહનો લઈને શાળાએ આવતા હોય છે. ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા.. અનેક વખત જોવામાં આવ્યું છે કે બાળકો રોન્ગ સાઈડ વાહન ચલાવે છે અને તેમાં હેલ્મેટ પણ નથી પહેરતા.. અને ફૂલ સ્પીડમાં વાહન પણ ચલાવે છે.. ના કરે નારાયણ અને કોઈ અકસ્માત થાય તો...અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે માતા પિતા બાળકને વાહન ચલાવા તો આપી દે છે પરંતુ વાહન ચલાવવાની સાચી રીત નથી શીખવાડતા. કાયદાનું પાલન કરવું જોઈએ તે નથી શીખવાડતા.. લાયસન્સ નથી આવતું તો પણ વાહન ચલાવવા આપી દેતા હોય છે.. ઉલ્લેખનિય છે કે બીજી તરફ અનેક એવા વાલીઓ પણ છે જે કાયદાનું પાલન કરવાનું બાળકને કહેતા હોય છે.. જ્યાં સુધી લાયસન્સ નથી આવતું ત્યાં સુધી વાહન નથી આપતા ચલાવવા..   



બાળકો મોટાને જોઈને શીખતા હોય છે.. 

ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ તેવી વાતો આપણે કરતા હોઈએ છીએ.. જ્યારે ટુ વ્હીલર ચલાવીએ ત્યારે હેલ્મેટ પહેરવું જોઈએ, ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરવો જોઈએ વગેરે વગેરે.. કાયદો છે તે બધાને ખબર છે પરંતુ શું આપણે તેનું પાલન કરીએ છીએ ખરા? અનેક લોકો એવા હોય છે જે ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા.. ટુ વ્હીલર હેલ્મેટ પહેર્યા વગર ચલાવે છે...સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે મોટાઓને જોઈને બાળકો શિખતા હોય છે.. મોટા જે પ્રમાણે વરતે છે તે પ્રમાણે બાળકો પર કરે છે.. જો મોટા હેલ્મેટ પહેરતા હશે તો બાળકોને પણ થશે કે હેલ્મેટ પહેરવું જોઈએ. ત્યારે તમારૂં આ મામલે શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..   



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.