ભ્રષ્ટાચારનો ભોગ બનતા ખેડૂતોની પીડાને સાંઈરામ દવેએ વર્ણવી! YuvrajSinh Jadejaએ શેર કર્યો વીડિયો, સાંભળો ગીત


  • Published By :
  • Published Date : 2023-08-03 10:02:23

ભારતને કૃષિપ્રધાન દેશ કહેવામાં આવે છે. આપણી અર્થવ્યવસ્થા ખેતર પર આધારિત છે. ખેડૂતો દ્વારા દિવસ રાત કરવામાં આવતી મહેનતને કારણે આપણા સુધી અન્ન પહોંચે છે. ભર તડકો, કડકડતી ઠંડીને ન જોઈ ખેડૂત આપણને અગવડ ન પડે, આપણે ભૂખ્યા પેટે ન સુવુ પડે તે માટે ખેતરમાં તનતોડ મહેનત કરે છે. પરંતુ ઘણી વખત આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ખેડૂતો સુધી પોતાના જ હકના પૈસા નથી મળતા. જે પ્રકારે તે મહેનત કરે છે તે પ્રકારના ભાવ તો ઠીક પરંતુ પોષણસમા ભાવ માટે પણ ખેડૂતોને રઝડવું પડતું હોય છે. ખેડૂતોને પણ ભ્રષ્ટાચારનો ભોગ બનવું પડતું હોય છે. 

યુવરાજસિંહએ શેર કર્યો ખેડૂતોની વ્યથા વર્ણવતો વીડિયો  

ભ્રષ્ટાચારનો વ્યાપ દરેક જગ્યાઓ પર, દરેક વિભાગમાં જોવા મળતો હોય છે. જ્યારે કોઈ સરકારી કામ કરાવવું હોય ત્યારે લોકો પહેલેથી જ તૈયાર હોય છે કે આપણે પૈસા આપીશું ત્યારે જ કામ થશે. અનેક એવા ઉદાહરણો પણ આપણી સામે છે. આપણામાંથી એવા લોકો પણ હશે જેમણે પૈસા આપી પોતાનું કામ કરાવ્યું હશે. ભ્રષ્ટાચારનો ભોગ અનેક લોકો બનતા હોય છે. ખેતરમાં કામ કરતો ખેડૂત પણ ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યો છે. અનેક વખત ખેડૂતો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ તેમના સુધી પહોંચતી નથી, વગેરે વગેરે... ત્યારે યુવરાજસિંહ જાડેજાએ એક ટ્વિટ કરી છે જેમાં હાસ્ચકલાકાર સાંઈરામ દવેનું એક ગીત પોસ્ટ કર્યું છે જેમાં ખેડૂતોની વેદના તેમણે વર્ણવી છે. 


યુવરાજસિંહ અનેક વખત ઉઠાવે છે આવા મુદ્દા

મહત્વનું છે યુવરાજસિંહ જાડેજા દ્વારા અનેક એવા આવા મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવતા હોય તેવો ઘટસ્ફોટ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. સિસ્ટમમાં થતા ભ્રષ્ટાચાર અંગે તેમણે ઘણી વખત વાત કરી હોય છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.