ભ્રષ્ટાચારનો ભોગ બનતા ખેડૂતોની પીડાને સાંઈરામ દવેએ વર્ણવી! YuvrajSinh Jadejaએ શેર કર્યો વીડિયો, સાંભળો ગીત


  • Published By :
  • Published Date : 2023-08-03 10:02:23

ભારતને કૃષિપ્રધાન દેશ કહેવામાં આવે છે. આપણી અર્થવ્યવસ્થા ખેતર પર આધારિત છે. ખેડૂતો દ્વારા દિવસ રાત કરવામાં આવતી મહેનતને કારણે આપણા સુધી અન્ન પહોંચે છે. ભર તડકો, કડકડતી ઠંડીને ન જોઈ ખેડૂત આપણને અગવડ ન પડે, આપણે ભૂખ્યા પેટે ન સુવુ પડે તે માટે ખેતરમાં તનતોડ મહેનત કરે છે. પરંતુ ઘણી વખત આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ખેડૂતો સુધી પોતાના જ હકના પૈસા નથી મળતા. જે પ્રકારે તે મહેનત કરે છે તે પ્રકારના ભાવ તો ઠીક પરંતુ પોષણસમા ભાવ માટે પણ ખેડૂતોને રઝડવું પડતું હોય છે. ખેડૂતોને પણ ભ્રષ્ટાચારનો ભોગ બનવું પડતું હોય છે. 

યુવરાજસિંહએ શેર કર્યો ખેડૂતોની વ્યથા વર્ણવતો વીડિયો  

ભ્રષ્ટાચારનો વ્યાપ દરેક જગ્યાઓ પર, દરેક વિભાગમાં જોવા મળતો હોય છે. જ્યારે કોઈ સરકારી કામ કરાવવું હોય ત્યારે લોકો પહેલેથી જ તૈયાર હોય છે કે આપણે પૈસા આપીશું ત્યારે જ કામ થશે. અનેક એવા ઉદાહરણો પણ આપણી સામે છે. આપણામાંથી એવા લોકો પણ હશે જેમણે પૈસા આપી પોતાનું કામ કરાવ્યું હશે. ભ્રષ્ટાચારનો ભોગ અનેક લોકો બનતા હોય છે. ખેતરમાં કામ કરતો ખેડૂત પણ ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યો છે. અનેક વખત ખેડૂતો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ તેમના સુધી પહોંચતી નથી, વગેરે વગેરે... ત્યારે યુવરાજસિંહ જાડેજાએ એક ટ્વિટ કરી છે જેમાં હાસ્ચકલાકાર સાંઈરામ દવેનું એક ગીત પોસ્ટ કર્યું છે જેમાં ખેડૂતોની વેદના તેમણે વર્ણવી છે. 


યુવરાજસિંહ અનેક વખત ઉઠાવે છે આવા મુદ્દા

મહત્વનું છે યુવરાજસિંહ જાડેજા દ્વારા અનેક એવા આવા મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવતા હોય તેવો ઘટસ્ફોટ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. સિસ્ટમમાં થતા ભ્રષ્ટાચાર અંગે તેમણે ઘણી વખત વાત કરી હોય છે.    



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી