એક અનોખું ગામ જે ગુજરાતમાં હોવા છતાં, લોકો મતદાન MPની ચૂંટણીઓમાં કરે છે


  • Published By :
  • Published Date : 2022-11-25 14:44:49

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યમાં તમામ પાર્ટીઓના નેતાઓ અને કાર્યકરો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ ચૂંટણી ઘોંઘાટ વચ્ચે રાજ્યનું એક ગામ એવું પણ છે, જ્યાં કોઈ પ્રચાર અભિયાન, ચૂંટણી બેનરો, ધજા-પતાકા કે નેતાઓની અવર-જવર જોવા મળતી નથી. છોટા ઉદેપુર જિલ્લાનું સાજનપુર ગામ ગુજરાતનું એક અનોખું ગામ છે, આ ગામના લોકો રહે છે તો ગુજરાતમાં પણ મતદાન મધ્યપ્રદેશની ચૂંટણીમાં કરે છે.


ગુજરાતનું ગામ, વહીવટ  MPનો


ભૌગોલિક રીતે ગુજરાતમાં હોવા છતાં સાજનપુર મધ્યપ્રદેશ સાથે જોડાયેલું છે! તેથી, અઢી ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ ગામમાં બધુ સામાન્ય જોવા મળે છે. લગભગ 1,200 લોકોની વસ્તી ધરાવતા સાજનપુરમાં દરેક હૃદય તેના મૂળ રાજ્ય મધ્ય પ્રદેશ માટે ધબકે છે, સાજનપુર એ એક અનોખું ગામ છે જે ભૌગોલિક રીતે ગુજરાતથી ઘેરાયેલું છે, પરંતુ વહીવટી રીતે તે મધ્યપ્રદેશ હેઠળ છે. તેથી, ગુજરાતના રાજકારણીઓ ભાગ્યે જ આ ગામની મુલાકાત લે છે, ચૂંટણી દરમિયાન પણ નહીં.

સાજનપુર મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા હેઠળ આવે છે અને તે મધ્યપ્રદેશની સરહદથી લગભગ 3 કિમી દૂર આવેલું છે. સજનપુરમાં મોટાભાગના સાઈનબોર્ડ હિન્દી ભાષામાં છે. આ ગામના લોકોને મધ્યપ્રદેશ સુધી પહોંચવા માટે ગુજરાતના ગામડાઓમાંથી પસાર થવું પડે છે.


ગામ લોકોને ભાષાની સમસ્યા


સાજનપુરના લોકો ઘરે ગુજરાતી બોલી છે, જ્યારે વહીવટી કામ માટે અમારે હિન્દી પણ શીખવી પડે છે, સાજનપુરના લોકો ગુજરાતના નજીકના ગામો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો ધરાવે છે અને નાગરિકોની ચર્ચા પણ કરે છે. જો કે સાજનપુરના રહેવાસીઓને એમપી સરકાર સામે કોઈ ફરિયાદ નથી અને તેમના મૂળ ગુજરાતથી કપાઈ જવા છતાં તેઓની સારી રીતે દેખભાળ રાખવામાં આવે છે



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.