એક અનોખું ગામ જે ગુજરાતમાં હોવા છતાં, લોકો મતદાન MPની ચૂંટણીઓમાં કરે છે


  • Published By :
  • Published Date : 2022-11-25 14:44:49

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યમાં તમામ પાર્ટીઓના નેતાઓ અને કાર્યકરો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ ચૂંટણી ઘોંઘાટ વચ્ચે રાજ્યનું એક ગામ એવું પણ છે, જ્યાં કોઈ પ્રચાર અભિયાન, ચૂંટણી બેનરો, ધજા-પતાકા કે નેતાઓની અવર-જવર જોવા મળતી નથી. છોટા ઉદેપુર જિલ્લાનું સાજનપુર ગામ ગુજરાતનું એક અનોખું ગામ છે, આ ગામના લોકો રહે છે તો ગુજરાતમાં પણ મતદાન મધ્યપ્રદેશની ચૂંટણીમાં કરે છે.


ગુજરાતનું ગામ, વહીવટ  MPનો


ભૌગોલિક રીતે ગુજરાતમાં હોવા છતાં સાજનપુર મધ્યપ્રદેશ સાથે જોડાયેલું છે! તેથી, અઢી ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ ગામમાં બધુ સામાન્ય જોવા મળે છે. લગભગ 1,200 લોકોની વસ્તી ધરાવતા સાજનપુરમાં દરેક હૃદય તેના મૂળ રાજ્ય મધ્ય પ્રદેશ માટે ધબકે છે, સાજનપુર એ એક અનોખું ગામ છે જે ભૌગોલિક રીતે ગુજરાતથી ઘેરાયેલું છે, પરંતુ વહીવટી રીતે તે મધ્યપ્રદેશ હેઠળ છે. તેથી, ગુજરાતના રાજકારણીઓ ભાગ્યે જ આ ગામની મુલાકાત લે છે, ચૂંટણી દરમિયાન પણ નહીં.

સાજનપુર મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા હેઠળ આવે છે અને તે મધ્યપ્રદેશની સરહદથી લગભગ 3 કિમી દૂર આવેલું છે. સજનપુરમાં મોટાભાગના સાઈનબોર્ડ હિન્દી ભાષામાં છે. આ ગામના લોકોને મધ્યપ્રદેશ સુધી પહોંચવા માટે ગુજરાતના ગામડાઓમાંથી પસાર થવું પડે છે.


ગામ લોકોને ભાષાની સમસ્યા


સાજનપુરના લોકો ઘરે ગુજરાતી બોલી છે, જ્યારે વહીવટી કામ માટે અમારે હિન્દી પણ શીખવી પડે છે, સાજનપુરના લોકો ગુજરાતના નજીકના ગામો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો ધરાવે છે અને નાગરિકોની ચર્ચા પણ કરે છે. જો કે સાજનપુરના રહેવાસીઓને એમપી સરકાર સામે કોઈ ફરિયાદ નથી અને તેમના મૂળ ગુજરાતથી કપાઈ જવા છતાં તેઓની સારી રીતે દેખભાળ રાખવામાં આવે છે



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.