એક અનોખું ગામ જે ગુજરાતમાં હોવા છતાં, લોકો મતદાન MPની ચૂંટણીઓમાં કરે છે


  • Published By :
  • Published Date : 2022-11-25 14:44:49

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યમાં તમામ પાર્ટીઓના નેતાઓ અને કાર્યકરો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ ચૂંટણી ઘોંઘાટ વચ્ચે રાજ્યનું એક ગામ એવું પણ છે, જ્યાં કોઈ પ્રચાર અભિયાન, ચૂંટણી બેનરો, ધજા-પતાકા કે નેતાઓની અવર-જવર જોવા મળતી નથી. છોટા ઉદેપુર જિલ્લાનું સાજનપુર ગામ ગુજરાતનું એક અનોખું ગામ છે, આ ગામના લોકો રહે છે તો ગુજરાતમાં પણ મતદાન મધ્યપ્રદેશની ચૂંટણીમાં કરે છે.


ગુજરાતનું ગામ, વહીવટ  MPનો


ભૌગોલિક રીતે ગુજરાતમાં હોવા છતાં સાજનપુર મધ્યપ્રદેશ સાથે જોડાયેલું છે! તેથી, અઢી ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ ગામમાં બધુ સામાન્ય જોવા મળે છે. લગભગ 1,200 લોકોની વસ્તી ધરાવતા સાજનપુરમાં દરેક હૃદય તેના મૂળ રાજ્ય મધ્ય પ્રદેશ માટે ધબકે છે, સાજનપુર એ એક અનોખું ગામ છે જે ભૌગોલિક રીતે ગુજરાતથી ઘેરાયેલું છે, પરંતુ વહીવટી રીતે તે મધ્યપ્રદેશ હેઠળ છે. તેથી, ગુજરાતના રાજકારણીઓ ભાગ્યે જ આ ગામની મુલાકાત લે છે, ચૂંટણી દરમિયાન પણ નહીં.

સાજનપુર મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા હેઠળ આવે છે અને તે મધ્યપ્રદેશની સરહદથી લગભગ 3 કિમી દૂર આવેલું છે. સજનપુરમાં મોટાભાગના સાઈનબોર્ડ હિન્દી ભાષામાં છે. આ ગામના લોકોને મધ્યપ્રદેશ સુધી પહોંચવા માટે ગુજરાતના ગામડાઓમાંથી પસાર થવું પડે છે.


ગામ લોકોને ભાષાની સમસ્યા


સાજનપુરના લોકો ઘરે ગુજરાતી બોલી છે, જ્યારે વહીવટી કામ માટે અમારે હિન્દી પણ શીખવી પડે છે, સાજનપુરના લોકો ગુજરાતના નજીકના ગામો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો ધરાવે છે અને નાગરિકોની ચર્ચા પણ કરે છે. જો કે સાજનપુરના રહેવાસીઓને એમપી સરકાર સામે કોઈ ફરિયાદ નથી અને તેમના મૂળ ગુજરાતથી કપાઈ જવા છતાં તેઓની સારી રીતે દેખભાળ રાખવામાં આવે છે



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.