એક અનોખું ગામ જે ગુજરાતમાં હોવા છતાં, લોકો મતદાન MPની ચૂંટણીઓમાં કરે છે


  • Published By :
  • Published Date : 2022-11-25 14:44:49

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યમાં તમામ પાર્ટીઓના નેતાઓ અને કાર્યકરો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ ચૂંટણી ઘોંઘાટ વચ્ચે રાજ્યનું એક ગામ એવું પણ છે, જ્યાં કોઈ પ્રચાર અભિયાન, ચૂંટણી બેનરો, ધજા-પતાકા કે નેતાઓની અવર-જવર જોવા મળતી નથી. છોટા ઉદેપુર જિલ્લાનું સાજનપુર ગામ ગુજરાતનું એક અનોખું ગામ છે, આ ગામના લોકો રહે છે તો ગુજરાતમાં પણ મતદાન મધ્યપ્રદેશની ચૂંટણીમાં કરે છે.


ગુજરાતનું ગામ, વહીવટ  MPનો


ભૌગોલિક રીતે ગુજરાતમાં હોવા છતાં સાજનપુર મધ્યપ્રદેશ સાથે જોડાયેલું છે! તેથી, અઢી ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ ગામમાં બધુ સામાન્ય જોવા મળે છે. લગભગ 1,200 લોકોની વસ્તી ધરાવતા સાજનપુરમાં દરેક હૃદય તેના મૂળ રાજ્ય મધ્ય પ્રદેશ માટે ધબકે છે, સાજનપુર એ એક અનોખું ગામ છે જે ભૌગોલિક રીતે ગુજરાતથી ઘેરાયેલું છે, પરંતુ વહીવટી રીતે તે મધ્યપ્રદેશ હેઠળ છે. તેથી, ગુજરાતના રાજકારણીઓ ભાગ્યે જ આ ગામની મુલાકાત લે છે, ચૂંટણી દરમિયાન પણ નહીં.

સાજનપુર મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા હેઠળ આવે છે અને તે મધ્યપ્રદેશની સરહદથી લગભગ 3 કિમી દૂર આવેલું છે. સજનપુરમાં મોટાભાગના સાઈનબોર્ડ હિન્દી ભાષામાં છે. આ ગામના લોકોને મધ્યપ્રદેશ સુધી પહોંચવા માટે ગુજરાતના ગામડાઓમાંથી પસાર થવું પડે છે.


ગામ લોકોને ભાષાની સમસ્યા


સાજનપુરના લોકો ઘરે ગુજરાતી બોલી છે, જ્યારે વહીવટી કામ માટે અમારે હિન્દી પણ શીખવી પડે છે, સાજનપુરના લોકો ગુજરાતના નજીકના ગામો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો ધરાવે છે અને નાગરિકોની ચર્ચા પણ કરે છે. જો કે સાજનપુરના રહેવાસીઓને એમપી સરકાર સામે કોઈ ફરિયાદ નથી અને તેમના મૂળ ગુજરાતથી કપાઈ જવા છતાં તેઓની સારી રીતે દેખભાળ રાખવામાં આવે છે



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.