સાળંગપુર હનુમાનજી મંદિરના વિવાદ મામલે લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને દેવરાજ ગઢવીએ પણ ઝંપલાવ્યું, જાણો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-08-31 22:16:12

રાજ્યના પ્રખ્યાત યાત્રાધામ સાળંગપુર હનુમાન મંદિરમાં આવેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની વિશાળ પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મમાં જે ભીંતચિત્રો કંડારવામાં આવ્યા છે તેના કારણે ભારે વિવાદ સર્જાયો છે. આ શિલ્પચિત્રોમાં હનુમાન સ્વામીનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવું દેખાય છે. એક શિલ્પચિત્રમાં હનુમાન સ્વામીનારાયણના ચરણમાં બેઠા છે તો અન્ય એક શિલ્પચિત્રમાં હનુમાનને સ્વામીનારાયણને ફળાહાર આપતા બતાવવામાં આવ્યા છે. હનુમાનના આ પ્રકારનાં શિલ્પચિત્રોના કારણે  હિંદુ ધર્મના સાધુ-સંતોએ આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. હવે આ મામલે  જાણીતા લોક સાહિત્ય કલાકારોએ પણ ઝંપલાવ્યું છે. લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને દેવરાજ ગઢવીએ પણ વીડિયોના માધ્યમથી તેમનો વિરોધ વ્યક્ત કર્યો છે.


શું કહ્યું રાજભા ગઢવીએ?


 લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ પણ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, હું પણ કાર્યક્રમમાં ઘણું બધું કહેતો આવું છું.  કેટલાક લોકોએ આપણા સનાતન ધર્મ પર ધૂળ ઉડાડવાની કોશિશ કરી છે.  આખી દુનિયામાં ઘણા બધા મહાન સંતો થઈ ગયા તેમને પણ વંદન છે.  કહેવાનો અર્થએ છે કે હવે આપણે જાગવું પડશે. ભીંતચિત્રોને હટાવવા પડશે માત્ર ભીંત ચિત્રો હટાવવાથી કંઈ થવાનું નથી. હનુમાનજી શિવનું જ એક રૂપ છે. ધર્મ માટે આપણે ક્યાંય નહી કરીએ. આપણને કોઈ નહી બચાવી શકે. આપણા છોકરા મોજ કરે, વેબ સીરીઝો જોવે, ડ્રગ્સ લે, અને બીજા બધા ધર્મને મજબૂત બનાવતા જાય છે.


હનુમાનજી રામ ભગવાન સિવાય કોઈનાં દાસ નહીં- દેવરાજ ગઢવી


સાળંગપુર વિવાદને લઈ લોકસાહિત્યકાર દેવરાજ ગઢવીએ પણ નિવેદન આપ્યું છે કે, "સ્વામીનારાયણ સંપ્રદાયનાં અનેક વિવાદો સામે આવ્યા છે. આ લોકોને આવા વિવાદ કરવામાં શું આનંદ આવે છે?  હનુમાનજી રામ ભગવાન સિવાય કોઈનાં દાસ ન હોઈ શકે.  લોકોનાં દુઃખ હરનારને તમે દાસ બતાવો તે યોગ્ય નથી. સ્વામીનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા તમામને મારી અપીલ છે કે, તમામ લોકોએ સૌથી પહેલા આપણે હિન્દુ થાવું પડશે. અહીંયાથી પાછું વળવું પડશે નહીતર બજારમાં પણ નહી નીકળી શકો"




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી