સાળંગપુર હનુમાનજી મંદિરના વિવાદ મામલે લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને દેવરાજ ગઢવીએ પણ ઝંપલાવ્યું, જાણો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-08-31 22:16:12

રાજ્યના પ્રખ્યાત યાત્રાધામ સાળંગપુર હનુમાન મંદિરમાં આવેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની વિશાળ પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મમાં જે ભીંતચિત્રો કંડારવામાં આવ્યા છે તેના કારણે ભારે વિવાદ સર્જાયો છે. આ શિલ્પચિત્રોમાં હનુમાન સ્વામીનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવું દેખાય છે. એક શિલ્પચિત્રમાં હનુમાન સ્વામીનારાયણના ચરણમાં બેઠા છે તો અન્ય એક શિલ્પચિત્રમાં હનુમાનને સ્વામીનારાયણને ફળાહાર આપતા બતાવવામાં આવ્યા છે. હનુમાનના આ પ્રકારનાં શિલ્પચિત્રોના કારણે  હિંદુ ધર્મના સાધુ-સંતોએ આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. હવે આ મામલે  જાણીતા લોક સાહિત્ય કલાકારોએ પણ ઝંપલાવ્યું છે. લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને દેવરાજ ગઢવીએ પણ વીડિયોના માધ્યમથી તેમનો વિરોધ વ્યક્ત કર્યો છે.


શું કહ્યું રાજભા ગઢવીએ?


 લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ પણ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, હું પણ કાર્યક્રમમાં ઘણું બધું કહેતો આવું છું.  કેટલાક લોકોએ આપણા સનાતન ધર્મ પર ધૂળ ઉડાડવાની કોશિશ કરી છે.  આખી દુનિયામાં ઘણા બધા મહાન સંતો થઈ ગયા તેમને પણ વંદન છે.  કહેવાનો અર્થએ છે કે હવે આપણે જાગવું પડશે. ભીંતચિત્રોને હટાવવા પડશે માત્ર ભીંત ચિત્રો હટાવવાથી કંઈ થવાનું નથી. હનુમાનજી શિવનું જ એક રૂપ છે. ધર્મ માટે આપણે ક્યાંય નહી કરીએ. આપણને કોઈ નહી બચાવી શકે. આપણા છોકરા મોજ કરે, વેબ સીરીઝો જોવે, ડ્રગ્સ લે, અને બીજા બધા ધર્મને મજબૂત બનાવતા જાય છે.


હનુમાનજી રામ ભગવાન સિવાય કોઈનાં દાસ નહીં- દેવરાજ ગઢવી


સાળંગપુર વિવાદને લઈ લોકસાહિત્યકાર દેવરાજ ગઢવીએ પણ નિવેદન આપ્યું છે કે, "સ્વામીનારાયણ સંપ્રદાયનાં અનેક વિવાદો સામે આવ્યા છે. આ લોકોને આવા વિવાદ કરવામાં શું આનંદ આવે છે?  હનુમાનજી રામ ભગવાન સિવાય કોઈનાં દાસ ન હોઈ શકે.  લોકોનાં દુઃખ હરનારને તમે દાસ બતાવો તે યોગ્ય નથી. સ્વામીનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા તમામને મારી અપીલ છે કે, તમામ લોકોએ સૌથી પહેલા આપણે હિન્દુ થાવું પડશે. અહીંયાથી પાછું વળવું પડશે નહીતર બજારમાં પણ નહી નીકળી શકો"




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.