સાળંગપુર હનુમાનજી મંદિર ટ્રસ્ટનો વિવાદાસ્પદ નિર્ણય, કષ્ટભંજન દેવ મંદિરના પરિસરમાં મીડિયાને 'નો એન્ટ્રી'


  • Published By :
  • Published Date : 2023-09-01 16:12:09

સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યા છે, હિંદુ ધર્મના સાધુ સંતો. ધર્મગુરૂઓ અને મહંતો ઉપરાંત કથાકારો અને લોક સાહિત્યકારોએ પણ આ મામલે તેમનો આક્રોશ વ્યક્ત કર્યો છે. સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી સંચાલિત સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરના પરિસરમાં આવેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની સૌથી ઊંચી અને વિશાળ પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મમાં જે ભીંતચિત્ર કંડારવામાં આવ્યા છે તે બાબતે વિવાદ પેદા થયો છે. આ શિલ્પચિત્રોમાં હનુમાનજી સ્વામિનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવું દેખાય છે. એક શિલ્પચિત્રમાં હનુમાનજી સ્વામિનારાયણના ચરણમાં બેઠા હોય તેવું દેખાય છે. પ્રતિમાની નીચે લગાવેલી આ નાના-નાના શિલ્પચિત્રોમાં હનુમાનજીને ભગવાન સ્વામિનારાયણના સેવક અને પ્રણામ કરતા દર્શાવવામાં આવ્યા છે. આ શિલ્પચિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થતા દેકારો મચી ગયો છે. જો કે હવે આ મામલે મંદિર વહીવટી તંત્રએ મીડિયાની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે.


શા માટે મીડિયાને પણ નો એન્ટ્રી?


સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદ મીડિયામાં સતત દર્શાવવામાં આવતા મીડિયાને મંદિર પરિસરમાં જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મંદિર પરીસરમાં વીડિયો કે બાઈટ નહીં કરવા મંદિર પ્રસાસન દ્રારા મીડિયાને મનાઈ ફરમાવવામાં આવતા મીડિયા કર્મીઓમાં હાલ ભારે રોષની લાગણી ફેલાઈ છે.

  

વિવાદમાં નૌતમ સ્વામીએ પણ ઝંપલાવ્યું 


સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદમાં વડતાલના સંત નૌતમ સ્વામીએ પણ ઝંપલાવ્યું છે. ખંભાતમાં સત્સંગ મહાસંમેલનમાં વડતાલના સંત નૌતમ સ્વામીએ પણ કડક નિવેદન આપ્યું છે. વડતાલ સંસ્થા દ્વારા સાળંગપુરમાં હનુમાનજી મહારાજને પ્રતિષ્ઠિત કરવામા આવ્યા છે. ત્યાં હનુમાનજીની મોટી મૂર્તિ સ્થાપવામાં આવી છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, સ્વામિનારાયણ ભગવાન છે અને તેમનાં કુળદેવ પણ હનુમાનજી મહારાજ છે આ સિવાય જણાવતા કહ્યુ હતું કે ભગવાનનાં જેટલા પણ અવતારો થયા ભગવાન શ્રી રામચંદ્રજી, શ્રી કૃષ્ણનારાયણ, સ્વામીનારાયણ ભગવાન છે. સ્વામીનારાયણ ભગવાનની પણ શ્રીહનુમાનજી મહારાજે અનેકવાર સેવા કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ તેનાથી ભરેલો છે. કોઇને વ્યક્તિગત નાના મોટા પ્રશ્નો હોય તો તે યોગ્ય ફોરમ પર જાય. કેટલાક લોકો આના સંદર્ભમાં કોર્ટમાં ગયા છે. ત્યાં યોગ્ય જવાબ આપવો પડશે. સામાન્ય નાના મોટા માણસોને સંપ્રદાયના કોઇને વ્યક્તિએ જરૂર નથી.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી