અંબાજી મંદિરમાં VIP દર્શન જેવા ફેક ન્યૂઝ મુદ્દે નિવેદન આપતી AAP સાળંગપુર હનુમાનજી વિવાદ મુદ્દે ચુપ કેમ?


  • Published By :
  • Published Date : 2023-09-01 19:17:43

ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અને  શક્તિપીઠ અંબાજીમાં હજારો શ્રધ્ધાળુંઓ મા અંબાના ચરણોમાં શીશ નમાવવા આવે છે. જો કે ગુજરાતના આ સુપ્રસિદ્ધિ યાત્રાધામમાં પણ VIP દર્શનનો મામલો ચર્ચામાં આવ્યો છે. ડાકોરની જેમ યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ VIP દર્શનની પ્રથા શરૂ થતાં હોબાળો થયો હતો. આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી કરસન બાપુ ભાદરકાએ એક વીડિયોના માધ્યમથી આ મહત્વપૂર્ણ મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે, અંબાજીમાં માતાજીના દર્શન કરવા માટે વીઆઈપી કલ્ચર શરૂ કરવામાં આવ્યું છે. જે અનુસાર 5000 રૂપિયાની ચુકવણી કરીને ગર્ભ ગૃહમાં જઈને  VIP દર્શન કરી શકાશે. મંદિરમાં સમાનતા હંમેશા ટોચ પર હોય છે, ત્યાં કોઈ ગરીબ અને તવંગર હોતો નથી. મંદિર એક શ્રદ્ધાનું કેન્દ્ર છે, ધંધાનું યુનિટ નથી. જો કે હવે આ મુદ્દે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સિદ્ધિ વર્માએ ખુલાશો કર્યો છે તેમણે જણાવ્યું હતું કે, આ બે-ત્રણ દિવસથી અંબાજી મંદિરમાં VIP દર્શન માટે દાન સ્વરૂપે પૈસા સ્વીકારતા હોય એવી વાત જે છે એ મીડિયા સર્કલમાં ચાલી રહી છે, પરંતું મંદિર તંત્ર તરીકે અમે સંપૂર્ણ રીતે આનું ખંડન કરીએ છીએ. મંદિરમાં બધાને લોકતાંત્રિક રીતે દર્શન કરવાનો સમાન અવસર મળે છે. આજ સુધી કોઈપણ નીતિ નિયમમાં કોઈ પણ ચાર્જ લઈને અહીંયા દર્શનની વ્યવસ્થાઓ ઊભી કરવામાં નથી આવી.


શું કહ્યું હતું AAP પ્રદેશ મંત્રી કરસન બાપુએ?


આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી કરસન બાપુ ભાદરકાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે, અંબાજીમાં માતાજીના દર્શન કરવા માટે વીઆઈપી કલ્ચર શરૂ કરવામાં આવ્યું છે. જે અનુસાર 5000 રૂપિયાની ચુકવણી કરીને ગર્ભ ગૃહમાં જઈને વીઆઈપી દર્શન કરી શકાશે. મંદિરમાં સમાનતા હંમેશા ટોચ પર હોય છે, ત્યાં કોઈ ગરીબ અને તવંગર હોતો નથી. મંદિર એક શ્રદ્ધાનું કેન્દ્ર છે, ધંધાનું યુનિટ નથી. અંબાજી મંદિરની સમિતિના આ નિર્ણયનો આમ આદમી પાર્ટી વિરોધ કરે છે. અને વિનંતી કરીએ છીએ કે આ નિર્ણયને પાછો ખેંચવામાં આવે. તમારા નિર્ણયના કારણે દર્શનાર્થીઓને દ્વેષની લાગણી મંદિરની અંદર અનુભવવી પડે છે, જે બિલકુલ ન ચાલી શકે. તાલુકે તાલુકે અને જિલ્લે જિલ્લે અમારે આવેદનપત્ર આપવા પડે એ સનાતન માટે યોગ્ય નથી અને આવા આવેદનપત્ર તમારા નિર્ણયની વિરુદ્ધ આપવા પડે એના માટે અમને મજબૂર ન કરો.


આમ આદમી પાર્ટી સાળંગપુર મુદ્દે ચુપ કેમ?


આજે સમગ્ર રાજ્યમાં સાળંગપુર હનુમાનજી મંદિરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. રાજ્યના તમામ મોટા ધર્મગુરૂઓ, સાધુ-સંતો અને મહંતો આ મામલે આકરા શબ્દોમાં વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. હવે જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી કરસન બાપુ ભાદરકાએ અંબાજીમાં માતાજીના દર્શન કરવા માટે વીઆઈપી કલ્ચર શરૂ કરવા અંગે તથા  VIP દર્શન મુદ્દે વીડિયોના માધ્યમથી વિરોધ વ્યક્ત કર્યો છે. જો કે આમ આદમી પાર્ટી સાળંગપુર મુદ્દે છેલ્લા ઘણા સમયથી ચુપ કેમ છે. કરસન બાપુ જ નહીં AAPના અન્ય કોઈ નેતાએ આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી અને એકદમ ચુપકીદી સાધી છે. અંબાજી મંદિરમાં VIP દર્શન જેટલો જ મહત્વનો મુદ્દો સાળંગપુરમાં હનુમાનજી મંદિરનો વિવાદ પણ છે. જો કે આમ આદમી પાર્ટીના નેતાઓના ડબલ સ્ટાન્ડર્ડ કેમ છે તે સમજી શકાતું નથી.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.