અંબાજી મંદિરમાં VIP દર્શન જેવા ફેક ન્યૂઝ મુદ્દે નિવેદન આપતી AAP સાળંગપુર હનુમાનજી વિવાદ મુદ્દે ચુપ કેમ?


  • Published By :
  • Published Date : 2023-09-01 19:17:43

ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અને  શક્તિપીઠ અંબાજીમાં હજારો શ્રધ્ધાળુંઓ મા અંબાના ચરણોમાં શીશ નમાવવા આવે છે. જો કે ગુજરાતના આ સુપ્રસિદ્ધિ યાત્રાધામમાં પણ VIP દર્શનનો મામલો ચર્ચામાં આવ્યો છે. ડાકોરની જેમ યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ VIP દર્શનની પ્રથા શરૂ થતાં હોબાળો થયો હતો. આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી કરસન બાપુ ભાદરકાએ એક વીડિયોના માધ્યમથી આ મહત્વપૂર્ણ મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે, અંબાજીમાં માતાજીના દર્શન કરવા માટે વીઆઈપી કલ્ચર શરૂ કરવામાં આવ્યું છે. જે અનુસાર 5000 રૂપિયાની ચુકવણી કરીને ગર્ભ ગૃહમાં જઈને  VIP દર્શન કરી શકાશે. મંદિરમાં સમાનતા હંમેશા ટોચ પર હોય છે, ત્યાં કોઈ ગરીબ અને તવંગર હોતો નથી. મંદિર એક શ્રદ્ધાનું કેન્દ્ર છે, ધંધાનું યુનિટ નથી. જો કે હવે આ મુદ્દે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સિદ્ધિ વર્માએ ખુલાશો કર્યો છે તેમણે જણાવ્યું હતું કે, આ બે-ત્રણ દિવસથી અંબાજી મંદિરમાં VIP દર્શન માટે દાન સ્વરૂપે પૈસા સ્વીકારતા હોય એવી વાત જે છે એ મીડિયા સર્કલમાં ચાલી રહી છે, પરંતું મંદિર તંત્ર તરીકે અમે સંપૂર્ણ રીતે આનું ખંડન કરીએ છીએ. મંદિરમાં બધાને લોકતાંત્રિક રીતે દર્શન કરવાનો સમાન અવસર મળે છે. આજ સુધી કોઈપણ નીતિ નિયમમાં કોઈ પણ ચાર્જ લઈને અહીંયા દર્શનની વ્યવસ્થાઓ ઊભી કરવામાં નથી આવી.


શું કહ્યું હતું AAP પ્રદેશ મંત્રી કરસન બાપુએ?


આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી કરસન બાપુ ભાદરકાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે, અંબાજીમાં માતાજીના દર્શન કરવા માટે વીઆઈપી કલ્ચર શરૂ કરવામાં આવ્યું છે. જે અનુસાર 5000 રૂપિયાની ચુકવણી કરીને ગર્ભ ગૃહમાં જઈને વીઆઈપી દર્શન કરી શકાશે. મંદિરમાં સમાનતા હંમેશા ટોચ પર હોય છે, ત્યાં કોઈ ગરીબ અને તવંગર હોતો નથી. મંદિર એક શ્રદ્ધાનું કેન્દ્ર છે, ધંધાનું યુનિટ નથી. અંબાજી મંદિરની સમિતિના આ નિર્ણયનો આમ આદમી પાર્ટી વિરોધ કરે છે. અને વિનંતી કરીએ છીએ કે આ નિર્ણયને પાછો ખેંચવામાં આવે. તમારા નિર્ણયના કારણે દર્શનાર્થીઓને દ્વેષની લાગણી મંદિરની અંદર અનુભવવી પડે છે, જે બિલકુલ ન ચાલી શકે. તાલુકે તાલુકે અને જિલ્લે જિલ્લે અમારે આવેદનપત્ર આપવા પડે એ સનાતન માટે યોગ્ય નથી અને આવા આવેદનપત્ર તમારા નિર્ણયની વિરુદ્ધ આપવા પડે એના માટે અમને મજબૂર ન કરો.


આમ આદમી પાર્ટી સાળંગપુર મુદ્દે ચુપ કેમ?


આજે સમગ્ર રાજ્યમાં સાળંગપુર હનુમાનજી મંદિરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. રાજ્યના તમામ મોટા ધર્મગુરૂઓ, સાધુ-સંતો અને મહંતો આ મામલે આકરા શબ્દોમાં વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. હવે જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી કરસન બાપુ ભાદરકાએ અંબાજીમાં માતાજીના દર્શન કરવા માટે વીઆઈપી કલ્ચર શરૂ કરવા અંગે તથા  VIP દર્શન મુદ્દે વીડિયોના માધ્યમથી વિરોધ વ્યક્ત કર્યો છે. જો કે આમ આદમી પાર્ટી સાળંગપુર મુદ્દે છેલ્લા ઘણા સમયથી ચુપ કેમ છે. કરસન બાપુ જ નહીં AAPના અન્ય કોઈ નેતાએ આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી અને એકદમ ચુપકીદી સાધી છે. અંબાજી મંદિરમાં VIP દર્શન જેટલો જ મહત્વનો મુદ્દો સાળંગપુરમાં હનુમાનજી મંદિરનો વિવાદ પણ છે. જો કે આમ આદમી પાર્ટીના નેતાઓના ડબલ સ્ટાન્ડર્ડ કેમ છે તે સમજી શકાતું નથી.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .