લીંબડીમાં યોજાયેલ ધર્મ સંમેલનમાં સંતોનું આકરૂ વલણ, સ્વામિનારાયણ સંપ્રદાય સામે હાઈકોર્ટમાં કરાશે પિટિશન


  • Published By :
  • Published Date : 2023-09-05 20:30:49

સાળંગપુર હનુમાનજી મંદિર પરીસરમાં આવેલા વિવાદિત ભીંતચિંત્રોને લઈ સુખદ નિવેડો આવી ગયો છે. આજે મંદિર વહીવટી તંત્ર દ્વારા સુર્યોદય પહેલા જ તમામ વિવાદાસ્પદ ભીંતચિંત્રો હટાવી દેવામાં આવ્યા છે. જો કે આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે યોજાયેલ સનાતન હિંદુ ધર્મ સંમેલનમાં હાજર રહેલા સાધુ-સંતો અને ધર્મગુરૂઓએ સ્વામીનારાયણ સંપ્રદાય સામે આકરૂ વલણ અપનાવ્યું છે. આજના ધર્મ સંમેલનમાં રાજ્યભરના સાધુ-સંતોની ઉપસ્થિતિમાં વધુ 8 મુદ્દાઓ અંગે ઠરાવ થયા છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયને કાયદાકીય લડત આપવા અંગેનો ઠરાવ કરાયો છે. આજના ધર્મ સંમેલનમાં સનાતન ધર્મના સાધુ-સંતોએ કાયદાકીય લડત આપવાની રણનીતિ બનાવી છે. સનાતન ધર્મના સંતો મહંતો સ્વામિનારાયણ સંપ્રદાયને કોર્ટમાં ઢસેડી જવા સુધીની તૈયારી કરી રહ્યા છે. આ મામલે તેઓ કોર્ટમાં 187 પુરાવા રજુ પણ કરવાના છે.


હાઈકોર્ટમાં પિટિશન કરાશે

 

લીંબડી ખાતે યોજાયેલ સનાતન હિંદુ ધર્મ સંમેલનમાં સમગ્ર રાજ્યમાંથી આવેલા સાધુ-સંતોની ઉપસ્થિતિમાં વધુ 8 મુદ્દા અંગે ઠરાવ થયા છે. આ સાથે જ સ્વામિનારાયણના સંપ્રદાયના પુસ્તકો નદીમાં પધરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સનાતન ધર્મની આગામી બેઠક હવે જૂનાગઢમાં મળશે. જૂનાગઢમાં મળનારી બેઠકમાં કમિટીનું ગઠન થશે. કમિટીની રચના બાદ હાઈકોર્ટમાં પિટિશન કરાશે, સનાતન ધર્મના સાધુઓ કોર્ટના દ્વાર ખખડાવવા તૈયાર થયા છે.  

 

આ જાણીતા સંતો રહ્યા હાજર


આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલા મનદીપ પાર્ટી પ્લોટમાં સાધુ-સંતો અને મહંતોનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં દિલીપ દાસજી, ઋષિ ભારતી બાપુ, લાલદાસ બાપુ, જ્યોતિર્નાથ બાપુ, ચૈતન્ય શંભુ મહારાજ, પ્રભુદાસજી બાપુ, અવધબિહારી દાસજી, નિશ્ચલદાસજી, ગીતાદીદી, શેરનાથ બાપુ સહિત ગુજરાત અને દેશભરમાંથી મહામંડલેશ્વરો, સાધુ-સંતો હાજર રહ્યા હતા. આજના ધર્મ સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં ફેરફાર કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. 


જ્યોતિર્નાથ મહારાજે શું કહ્યું?


ધર્મ સંમેલનમાં જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું હતું કે, ગઈકાલે જે સમાધાન થયું છે, એ સમાધાન કરનારા લોકો તો આ લડતમાં જ નહોતા, તો સમાધાન કેવી રીતે થયું? એક તખતી હટાવવાથી સમાધાન થતું નથી. તેમણે કહ્યું કે, માત્ર ભીંતચિત્રો નહીં, એમના મગજના ચિત્રો હટાવવાની જરૂર છે. આમણે તો ખાલી ભીંતચિત્રો જ હટાવ્યા છે, પરંતુ હજુ પણ ઘણા મંદિરોમાં અડેધડ લખાણો છાપેલા છે, મૂર્તિઓ બનાવેલી છે. જ્યોતિર્નાથ મહારાજે કહ્યું કે, સમાજમાં વ્યાપારીકરણ અપનાવતા આ સંપ્રદાયને સબક શિખવાડવાનો સમય આવી ગયો છે. અમારી પરંપરાને અસર કરનારાને અમે માફ કરતા નથી. ગુજરાતના મોટાભાગના શહેરોમાં લડાઈ ચાલું જ છે. 


આગામી સંત સંમેલન જૂનાગઢમાં યોજાશે​​​​​​​


આ મહાસંત સંમેલનમાં છેલ્લે એવી જાહેરાત કરવામાં આવી હતી કે, આવનારા 10 દિવસમાં જૂનાગઢ ગીરનાર ખાતે સંત શેરનાથ બાપુના સાનિધ્યમાં ભવ્ય સંત સંમેલન યોજાશે. જેમાં સત્ય સંશોધનના નેજા હેઠળ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવશે. જેમાં દરેક સાધુ સંપ્રદાયનો સમાવેશ કરવામાં આવશે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી