સમઢીયાળા‌ ડબલ મર્ડર કેસમાં SITને મળી મોટી સફળતા, 5 આરોપીઓ ઝડપાયા, FSLની પણ મદદ લેવાશે


  • Published By :
  • Published Date : 2023-07-16 17:30:40

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે જમીન વિવાદમાં જુથ અથડામણમાં એક જ પરિવારના બે લોકોની હત્યા કરી નાખવામાં આવી હતી. જમીન વિવાદમાં થયેલા ડબલ મર્ડર કેસની તપાસમાં  સીટની રચના કરવામાં આવી હતી. રાજકોટ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) દ્વારા ચુડા તાલુકાના સમઢીયાળા‌ ગામે થયેલ ડબલ મર્ડરના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. હત્યા નીપજાવનાર આરોપીઓ પૈકી 5 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેસમાં મજબુત પુરાવા એકઠા કરવા સ્પેશિયલ FSLની ટીમની મદદ લેવામાં આવશે.


આ 5 આરોપીઓની ધરપકડ


જામનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલુના અધ્યક્ષસ્થાન હેઠળની સીટની ટીમ દ્વારા હાલ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અમરાભાઈ હરસુરભાઈ ખાચર,  જીલુભાઈ ઉર્ફે ઘુધાભાઈ  અમરાભાઈ ખાચર, મંગળુભાઈ અમરાભાઈ ખાચર, ભીખુભાઈ ભોજભાઈ ખાચર અને રણજીતભાઇ ઉર્ફે ભાણભાઈ વેળાભાઇ ભાંભળાને ઝડપી લઇ વધુ પુછપરછ હાથ ધરી છે. આ ચકચારી ડબલ મર્ડરમાં મૃતક બન્ને આધેડની લાશ અંદાજે 40 કલાક બાદ સ્વીકારવામાં આવી હતી અને આ બનાવના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા હતાં ત્યારે આ મામલે સીટ દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.


FSLની સ્પેશિયલ ટીમની મદદ કેમ લેવાઈ?


સમઢીયાળા ડબલ મર્ડર કેસમાં આરોપીને કડક સજા થાય તે માટે મજબુત પુરાવાઓ એકઠા કરવા FSLની સ્પેશિયલ ટીમની મદદ લેવામાં આવશે. તેમજ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ નિમણૂંક કરવામાં આવશે. આ ડબલ મર્ડરમાં પોલીસ ફરીયાદમાં 10થી વધુ અજાણ્યા માણસોનો પણ ઉલ્લેખ છે. ત્યારે તે અજાણ્યા આરોપીઓ કોણ છે તેની ઓળખ મેળવવા સીટની ટીમ દ્વારા હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને રિમાન્ડમાં પૂછપરછ બાદ જે અન્ય આરોપીના નામ ખુલશે તે તેમને ઝડપી લેવા માટે પણ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ઝડપથી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરાશે.


સમગ્ર મામલો શું છે?

 

હાલ અમદાવાદ ખાતે રહેતા અને મૂળ ચુડા તાલુકાના સમઢિયાળા ગામના પરમાર પરિવાર પોતાના ગામ સમઢિયાળા આવ્યો હતો અને સમઢિયાળાથી કોરડા તરફ જતા રસ્તા પર આવેલ વડીલોપાર્જીત વાડીમાં ગયા હતા. તે દરમિયાન અંદાજે 20 જેટલા શખ્શોએ જમીન બાબતનું મનદુઃખ રાખી ધારિયા અને લાકડીઓ વડે એક સંપ થઈ હુમલો કર્યો હતો. જેમાં એક જ પરિવારના મનોજભાઈ પ્રેમજીભાઈ પરમાર, આલજીભાઇ પ્રેમજીભાઈ પરમાર, દલાભાઈ પ્રેમજીભાઈ પરમાર, કાંતાબેન આલજીભાઈ પરમાર અને નંદિનીબેન મનોજભાઈ પરમાર સહિત 5 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા  ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી ત્રણ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે સગાભાઈઓ આલજીભાઈ પરમાર અને મનોજભાઈ પરમારનું મોત નિપજતા જૂથ અથડામણનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ બનાવની જાણ ચુડા પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. 


બે PSIને સસ્પેન્ડ કરાયા હતા


સુરેન્દ્રનગરમાં ચુડા તાલુકામાં આવેલા સમઢીયાળા ખાતે જમીનના ડખામાં જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં બે સગા ભાઈઓના મોત નિપજ્યા છે. જેને લઈને મામલો વધુ તંગ બન્યો હતો. આ મામલામાં રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે તાત્કાલીક બેઠક કરી સમીક્ષા બાદ પગલા લીધા હતા. જેમાં કેસની તપાસ માટે SITની રચના કરી હતી અને સ્પેશ્યલ વકીલની નિમણૂક કરી હતી. ઉપરાંત ફરજ પર બેદરકારી દાખવનારા ચુડા તત્કાલીન PSI જે બી મીઠાપરા અને હાલના મહિલા PSI  ટી જે ગોહિલને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યો હતો.



એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.