સમઢીયાળા‌ ડબલ મર્ડર કેસમાં SITને મળી મોટી સફળતા, 5 આરોપીઓ ઝડપાયા, FSLની પણ મદદ લેવાશે


  • Published By :
  • Published Date : 2023-07-16 17:30:40

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે જમીન વિવાદમાં જુથ અથડામણમાં એક જ પરિવારના બે લોકોની હત્યા કરી નાખવામાં આવી હતી. જમીન વિવાદમાં થયેલા ડબલ મર્ડર કેસની તપાસમાં  સીટની રચના કરવામાં આવી હતી. રાજકોટ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) દ્વારા ચુડા તાલુકાના સમઢીયાળા‌ ગામે થયેલ ડબલ મર્ડરના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. હત્યા નીપજાવનાર આરોપીઓ પૈકી 5 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેસમાં મજબુત પુરાવા એકઠા કરવા સ્પેશિયલ FSLની ટીમની મદદ લેવામાં આવશે.


આ 5 આરોપીઓની ધરપકડ


જામનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલુના અધ્યક્ષસ્થાન હેઠળની સીટની ટીમ દ્વારા હાલ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અમરાભાઈ હરસુરભાઈ ખાચર,  જીલુભાઈ ઉર્ફે ઘુધાભાઈ  અમરાભાઈ ખાચર, મંગળુભાઈ અમરાભાઈ ખાચર, ભીખુભાઈ ભોજભાઈ ખાચર અને રણજીતભાઇ ઉર્ફે ભાણભાઈ વેળાભાઇ ભાંભળાને ઝડપી લઇ વધુ પુછપરછ હાથ ધરી છે. આ ચકચારી ડબલ મર્ડરમાં મૃતક બન્ને આધેડની લાશ અંદાજે 40 કલાક બાદ સ્વીકારવામાં આવી હતી અને આ બનાવના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા હતાં ત્યારે આ મામલે સીટ દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.


FSLની સ્પેશિયલ ટીમની મદદ કેમ લેવાઈ?


સમઢીયાળા ડબલ મર્ડર કેસમાં આરોપીને કડક સજા થાય તે માટે મજબુત પુરાવાઓ એકઠા કરવા FSLની સ્પેશિયલ ટીમની મદદ લેવામાં આવશે. તેમજ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ નિમણૂંક કરવામાં આવશે. આ ડબલ મર્ડરમાં પોલીસ ફરીયાદમાં 10થી વધુ અજાણ્યા માણસોનો પણ ઉલ્લેખ છે. ત્યારે તે અજાણ્યા આરોપીઓ કોણ છે તેની ઓળખ મેળવવા સીટની ટીમ દ્વારા હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને રિમાન્ડમાં પૂછપરછ બાદ જે અન્ય આરોપીના નામ ખુલશે તે તેમને ઝડપી લેવા માટે પણ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ઝડપથી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરાશે.


સમગ્ર મામલો શું છે?

 

હાલ અમદાવાદ ખાતે રહેતા અને મૂળ ચુડા તાલુકાના સમઢિયાળા ગામના પરમાર પરિવાર પોતાના ગામ સમઢિયાળા આવ્યો હતો અને સમઢિયાળાથી કોરડા તરફ જતા રસ્તા પર આવેલ વડીલોપાર્જીત વાડીમાં ગયા હતા. તે દરમિયાન અંદાજે 20 જેટલા શખ્શોએ જમીન બાબતનું મનદુઃખ રાખી ધારિયા અને લાકડીઓ વડે એક સંપ થઈ હુમલો કર્યો હતો. જેમાં એક જ પરિવારના મનોજભાઈ પ્રેમજીભાઈ પરમાર, આલજીભાઇ પ્રેમજીભાઈ પરમાર, દલાભાઈ પ્રેમજીભાઈ પરમાર, કાંતાબેન આલજીભાઈ પરમાર અને નંદિનીબેન મનોજભાઈ પરમાર સહિત 5 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા  ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી ત્રણ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે સગાભાઈઓ આલજીભાઈ પરમાર અને મનોજભાઈ પરમારનું મોત નિપજતા જૂથ અથડામણનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ બનાવની જાણ ચુડા પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. 


બે PSIને સસ્પેન્ડ કરાયા હતા


સુરેન્દ્રનગરમાં ચુડા તાલુકામાં આવેલા સમઢીયાળા ખાતે જમીનના ડખામાં જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં બે સગા ભાઈઓના મોત નિપજ્યા છે. જેને લઈને મામલો વધુ તંગ બન્યો હતો. આ મામલામાં રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે તાત્કાલીક બેઠક કરી સમીક્ષા બાદ પગલા લીધા હતા. જેમાં કેસની તપાસ માટે SITની રચના કરી હતી અને સ્પેશ્યલ વકીલની નિમણૂક કરી હતી. ઉપરાંત ફરજ પર બેદરકારી દાખવનારા ચુડા તત્કાલીન PSI જે બી મીઠાપરા અને હાલના મહિલા PSI  ટી જે ગોહિલને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યો હતો.



ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાત સરકારમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુલાકાતના આ ફોટોસ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યાં છે. આપને જણાવી દયિકે , બગદાણાની બબાલના કારણે , કોળી સમાજમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું.