સમઢીયાળા‌ ડબલ મર્ડર કેસમાં SITને મળી મોટી સફળતા, 5 આરોપીઓ ઝડપાયા, FSLની પણ મદદ લેવાશે


  • Published By :
  • Published Date : 2023-07-16 17:30:40

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે જમીન વિવાદમાં જુથ અથડામણમાં એક જ પરિવારના બે લોકોની હત્યા કરી નાખવામાં આવી હતી. જમીન વિવાદમાં થયેલા ડબલ મર્ડર કેસની તપાસમાં  સીટની રચના કરવામાં આવી હતી. રાજકોટ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) દ્વારા ચુડા તાલુકાના સમઢીયાળા‌ ગામે થયેલ ડબલ મર્ડરના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. હત્યા નીપજાવનાર આરોપીઓ પૈકી 5 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેસમાં મજબુત પુરાવા એકઠા કરવા સ્પેશિયલ FSLની ટીમની મદદ લેવામાં આવશે.


આ 5 આરોપીઓની ધરપકડ


જામનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલુના અધ્યક્ષસ્થાન હેઠળની સીટની ટીમ દ્વારા હાલ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અમરાભાઈ હરસુરભાઈ ખાચર,  જીલુભાઈ ઉર્ફે ઘુધાભાઈ  અમરાભાઈ ખાચર, મંગળુભાઈ અમરાભાઈ ખાચર, ભીખુભાઈ ભોજભાઈ ખાચર અને રણજીતભાઇ ઉર્ફે ભાણભાઈ વેળાભાઇ ભાંભળાને ઝડપી લઇ વધુ પુછપરછ હાથ ધરી છે. આ ચકચારી ડબલ મર્ડરમાં મૃતક બન્ને આધેડની લાશ અંદાજે 40 કલાક બાદ સ્વીકારવામાં આવી હતી અને આ બનાવના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા હતાં ત્યારે આ મામલે સીટ દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.


FSLની સ્પેશિયલ ટીમની મદદ કેમ લેવાઈ?


સમઢીયાળા ડબલ મર્ડર કેસમાં આરોપીને કડક સજા થાય તે માટે મજબુત પુરાવાઓ એકઠા કરવા FSLની સ્પેશિયલ ટીમની મદદ લેવામાં આવશે. તેમજ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ નિમણૂંક કરવામાં આવશે. આ ડબલ મર્ડરમાં પોલીસ ફરીયાદમાં 10થી વધુ અજાણ્યા માણસોનો પણ ઉલ્લેખ છે. ત્યારે તે અજાણ્યા આરોપીઓ કોણ છે તેની ઓળખ મેળવવા સીટની ટીમ દ્વારા હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને રિમાન્ડમાં પૂછપરછ બાદ જે અન્ય આરોપીના નામ ખુલશે તે તેમને ઝડપી લેવા માટે પણ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ઝડપથી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરાશે.


સમગ્ર મામલો શું છે?

 

હાલ અમદાવાદ ખાતે રહેતા અને મૂળ ચુડા તાલુકાના સમઢિયાળા ગામના પરમાર પરિવાર પોતાના ગામ સમઢિયાળા આવ્યો હતો અને સમઢિયાળાથી કોરડા તરફ જતા રસ્તા પર આવેલ વડીલોપાર્જીત વાડીમાં ગયા હતા. તે દરમિયાન અંદાજે 20 જેટલા શખ્શોએ જમીન બાબતનું મનદુઃખ રાખી ધારિયા અને લાકડીઓ વડે એક સંપ થઈ હુમલો કર્યો હતો. જેમાં એક જ પરિવારના મનોજભાઈ પ્રેમજીભાઈ પરમાર, આલજીભાઇ પ્રેમજીભાઈ પરમાર, દલાભાઈ પ્રેમજીભાઈ પરમાર, કાંતાબેન આલજીભાઈ પરમાર અને નંદિનીબેન મનોજભાઈ પરમાર સહિત 5 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા  ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી ત્રણ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે સગાભાઈઓ આલજીભાઈ પરમાર અને મનોજભાઈ પરમારનું મોત નિપજતા જૂથ અથડામણનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ બનાવની જાણ ચુડા પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. 


બે PSIને સસ્પેન્ડ કરાયા હતા


સુરેન્દ્રનગરમાં ચુડા તાલુકામાં આવેલા સમઢીયાળા ખાતે જમીનના ડખામાં જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં બે સગા ભાઈઓના મોત નિપજ્યા છે. જેને લઈને મામલો વધુ તંગ બન્યો હતો. આ મામલામાં રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે તાત્કાલીક બેઠક કરી સમીક્ષા બાદ પગલા લીધા હતા. જેમાં કેસની તપાસ માટે SITની રચના કરી હતી અને સ્પેશ્યલ વકીલની નિમણૂક કરી હતી. ઉપરાંત ફરજ પર બેદરકારી દાખવનારા ચુડા તત્કાલીન PSI જે બી મીઠાપરા અને હાલના મહિલા PSI  ટી જે ગોહિલને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યો હતો.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.