સંયુક્ત કિસાન મોરચાએ સરકારનો પ્રસ્તાવ ફગાવ્યો કહ્યું, 'MSP ગેરંટીથી ઓછું કઈ મંજુર નથી'


  • Published By :
  • Published Date : 2024-02-19 18:28:03

સંયુક્ત કિસાન મોરચાએ કેન્દ્ર સરકારના MSPના પ્રસ્તાવને ફગાવી દીધો છે. કેન્દ્ર સરકારે MSP પર પાંચ વર્ષના કરારનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે મીડિયા રિપોર્ટના આધારે તેમને ખબર પડી છે કે કેન્દ્ર સરકાર A2+FL+50%ના આધારે MSP પર વટહુકમ લાવવાની યોજના બનાવી રહી છે. ખેડૂતોના સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે C2+50% થી નીચેની કોઈપણ વસ્તુ સ્વીકારવામાં આવશે નહીં.


કેન્દ્ર સરકારની શું છે દરખાસ્ત?


કેન્દ્ર સરકારના નિવેદન અનુસાર, મકાઈ, કપાસ, તુવેર, મસૂર અને અડદ સહિતના પાંચ પાકની ખરીદી માટે ખેડૂતોને પાંચ વર્ષના કરારની દરખાસ્ત કરવામાં આવી છે. જો કે, કિસાન મોરચાએ સ્પષ્ટતા કરી છે કે તેઓ માત્ર C2+50% ફોર્મ્યુલાના આધારે MSPની ગેરંટી ઇચ્છે છે. કિસાન મોરચાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભાજપે પોતે 2014ની લોકસભા ચૂંટણીમાં પોતાના મેનિફેસ્ટોમાં આ વચન આપ્યું હતું.


સ્વામિનાથન આયોગનું શું છે સુચન


કિસાન મોર્ચાએ કહ્યું હતું કે સ્વામિનાથન આયોગે વર્ષ 2006માં તેના રિપોર્ટમાં કેન્દ્ર સરકારને C2+50% ના આધાર પર MSP (ટેકાના ભાવ) આપવાનું સુચન કર્યું હતું. નિવેદનમાં કહ્યું છે કે આ જ આધાર પર તમામ કૃષિ પાક પર ટેકાના ભાવની ગેરંટી ખેડૂતો ઈચ્છે છે. તેના દ્વારા ખેડૂતો તેમની કૃષિ પેદાશો ફિક્સ ભાવ પર વેચી શકશે અને તેમને નુકસાન ઉઠાવવું પડશે નહીં. મોર્ચાએ કહ્યું છે કે જો મોદી સરકાર બિજેપીએ આપેલા ચૂંટણી વચનોને પુરા કરી શકતી નથી તો પ્રધાન મંત્રી મોદી ઈમાનદારીપૂર્વર જનતાને બતાવે. 


કેન્દ્રીય મંત્રી MSP પર નથી કરતા સ્પષ્ટતા


સંયુક્ત કિસાન મોરચાનું કહેવું છે કે કેન્દ્રીય મંત્રી આ સ્પષ્ટતા કરવા તૈયાર નથી કે તેમના દ્વારા રજુ કરવામા આવેલા MSP પ્રસ્તાવ A2+FL+50% પર આધારીત છે કે C2+50% પર. આ મુદ્દે કોઈ પારદર્શિતા નથી, જ્યારે આ મુદ્દે ચાર વખત ચર્ચા થઈ ચુકી છે. આ દિલ્હીની સરહદે 2020-21ના ઐતિહાસિક કિસાન આંદોલનના દરમિયાન SKM દ્વારા સ્થાપિત લોકતાંત્રિક સંસ્કૃતિની વિરૂધ્ધની બાબત છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.