સંયુક્ત કિસાન મોરચાએ સરકારનો પ્રસ્તાવ ફગાવ્યો કહ્યું, 'MSP ગેરંટીથી ઓછું કઈ મંજુર નથી'


  • Published By :
  • Published Date : 2024-02-19 18:28:03

સંયુક્ત કિસાન મોરચાએ કેન્દ્ર સરકારના MSPના પ્રસ્તાવને ફગાવી દીધો છે. કેન્દ્ર સરકારે MSP પર પાંચ વર્ષના કરારનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે મીડિયા રિપોર્ટના આધારે તેમને ખબર પડી છે કે કેન્દ્ર સરકાર A2+FL+50%ના આધારે MSP પર વટહુકમ લાવવાની યોજના બનાવી રહી છે. ખેડૂતોના સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે C2+50% થી નીચેની કોઈપણ વસ્તુ સ્વીકારવામાં આવશે નહીં.


કેન્દ્ર સરકારની શું છે દરખાસ્ત?


કેન્દ્ર સરકારના નિવેદન અનુસાર, મકાઈ, કપાસ, તુવેર, મસૂર અને અડદ સહિતના પાંચ પાકની ખરીદી માટે ખેડૂતોને પાંચ વર્ષના કરારની દરખાસ્ત કરવામાં આવી છે. જો કે, કિસાન મોરચાએ સ્પષ્ટતા કરી છે કે તેઓ માત્ર C2+50% ફોર્મ્યુલાના આધારે MSPની ગેરંટી ઇચ્છે છે. કિસાન મોરચાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભાજપે પોતે 2014ની લોકસભા ચૂંટણીમાં પોતાના મેનિફેસ્ટોમાં આ વચન આપ્યું હતું.


સ્વામિનાથન આયોગનું શું છે સુચન


કિસાન મોર્ચાએ કહ્યું હતું કે સ્વામિનાથન આયોગે વર્ષ 2006માં તેના રિપોર્ટમાં કેન્દ્ર સરકારને C2+50% ના આધાર પર MSP (ટેકાના ભાવ) આપવાનું સુચન કર્યું હતું. નિવેદનમાં કહ્યું છે કે આ જ આધાર પર તમામ કૃષિ પાક પર ટેકાના ભાવની ગેરંટી ખેડૂતો ઈચ્છે છે. તેના દ્વારા ખેડૂતો તેમની કૃષિ પેદાશો ફિક્સ ભાવ પર વેચી શકશે અને તેમને નુકસાન ઉઠાવવું પડશે નહીં. મોર્ચાએ કહ્યું છે કે જો મોદી સરકાર બિજેપીએ આપેલા ચૂંટણી વચનોને પુરા કરી શકતી નથી તો પ્રધાન મંત્રી મોદી ઈમાનદારીપૂર્વર જનતાને બતાવે. 


કેન્દ્રીય મંત્રી MSP પર નથી કરતા સ્પષ્ટતા


સંયુક્ત કિસાન મોરચાનું કહેવું છે કે કેન્દ્રીય મંત્રી આ સ્પષ્ટતા કરવા તૈયાર નથી કે તેમના દ્વારા રજુ કરવામા આવેલા MSP પ્રસ્તાવ A2+FL+50% પર આધારીત છે કે C2+50% પર. આ મુદ્દે કોઈ પારદર્શિતા નથી, જ્યારે આ મુદ્દે ચાર વખત ચર્ચા થઈ ચુકી છે. આ દિલ્હીની સરહદે 2020-21ના ઐતિહાસિક કિસાન આંદોલનના દરમિયાન SKM દ્વારા સ્થાપિત લોકતાંત્રિક સંસ્કૃતિની વિરૂધ્ધની બાબત છે.  



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .