કચ્છના લખપત તાલુકામાં ચાલી રહ્યું છે રેતી ચોરીનું કૌભાંડ, ફરિયાદી હઠુજી સોઢાને મળી મોતની ધમકી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-31 16:08:05

રાજ્યમાં ખનીજ ચોરી ચિંતાનો વિષય બન્યો છે, ખનીજ માફિયાઓ બેફામપણે નદીના પટમાંથી રેતી ચોરી કરે છે. રાજ્યના ખાણ અને ખનીજ વિભાગ પણ આ મામલે નિષ્ક્રિય રહે છે. કચ્છના લખપત તાલુકાના મુધાન ગામ નજીકની મીઠી નદીમાંથી મોટાપાયે રેતી ચોરીનું કૌંભાંડ ચાલી રહ્યું છે. આ રેતી ચોરીમાં મુધાન ગામના સરપંચ અને ખનીજ ચોર સુરતાજી હમીરજી જાડેજાનો સીધો હાથ હોવાનું સામે આવ્યું છે. આ જ ગામના એક જાગૃત નાગરિક સોઢા હઠુજી સવાઈજીએ આ રેતી ચોરીના સંદર્ભમાં અનેક વખત અવાજ ઉઠાવ્યો છે અને રાજ્યના ખાણ અને ખનીજ વિભાગથી લઈને કચ્છના કલેક્ટર સુધ્ધાને લેખિત અને મૌખિક ફરિયાદ કરી છે. સોઢા હઠુજી સવાઈજીએ ખનીજ ચોરીના મામલે મુધાન ગામના સરપંચ સુરતાજી હમીરજી જાડેજા તથા તેમના પાર્ટનર અને કુરિયાણી ગામના સોઢા ચમન સિંહ દ્વારા થતી રેતી ચોરી અંગે અનેક વખત સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી છે. જો કે હજુ સુધી આ મામલે તે બંને સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો કે હવે આ બંને ખનીજ માફિયાઓએ સોઢા હઠુજી સવાઈજીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. 



ખનીજ માફિયાઓએ શું ધમકી આપી   


મુધાન ગામના સરપંચ અને ખનીજ ચોર સુરતાજી હમીરજી જાડેજાએ ગામના જાગૃત નાગરિક સોઢા હઠુજી સવાઈજીને જાનથી મારી નાખવાની ધમકી આપતા કહ્યું  કે તને મારીને તારી લાશ પણ ગુમ કરી દેવામાં આવશે. તે ઉપરાંત તેમની ઉપર 50 ટન વજનવાળી ગાડી ચડાવી દેવાની પણ ધમકી આપી હતી.  સરપંચ સુરતાજી હમીરજી જાડેજા તથા તેમના પાર્ટનર અને કુરિયાણી ગામના સોઢા ચમન સિંહ સમાંત સિંહ (નિવૃત LCB અધિકારી) છેલ્લા 3 વર્ષથી મીઠી નદીમાંથી મોટાપાયે રેતી ચોરી કરી રહ્યા છે. આ બંને ખનીજ માફિયાઓ રાતના 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી મીઠી નદીમાંથી ખનીજ ચોરી કરે છે. આ બંને લોકો લગભગ 300થી 350 ડંપર જેટલી રેતીનો જથ્થો ચોરી કરી રહ્યા છે. 

મુધાન  ના સરપંચ જાડેજા  સૂરતાજી હમીરજી

ધમકી અંગે ઉચ્ચ સ્તરે કરી જાણ


મુધાન ગામના  જાગૃત નાગરિક સોઢા હઠુજી સવાઈજીને જાનથી મારી નાખવાની ધમકી મળતા આ સંદર્ભે  તેમણે ઉચ્ચ કક્ષાએ પણ જાણ કરી છે. સોઢા હઠુજી સવાઈજીએ પીએમ ઓફિસ દિલ્હી, સી એમ ઓફિસ ગાંધીનગર, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, દયાપર પોલીસ સ્ટેશન, એલસીબી ઓફિસ કચ્છ ભૂજ, કલેક્ટર ઓફિસ નખત્રાણા, ભૂજ, સહિતના ઉચ્ચ અધિકારીઓને તેમના જીવને ખતરો હોવાની લેખિતમાં જાણ કરી છે. મુધાન ગામના સરપંચ સુરતાજી હમીરજી જાડેજા તથા તેમના પાર્ટનર અને કુરિયાણી ગામના સોઢા ચમન સિંહ સમાંત સિંહ તરફથી સોઢા હઠુજી સવાઈજીને સીધો ખતરો હોવાની જાણ કરી છે તેમ છતાં તંત્રએ હજુ આ દિશામાં કોઈ જ કાર્યવાહી કરી નથી.

અરજદાર હઠુજી એસ સોઢા, ગામ. મુધાન



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.