કચ્છના લખપત તાલુકામાં ચાલી રહ્યું છે રેતી ચોરીનું કૌભાંડ, ફરિયાદી હઠુજી સોઢાને મળી મોતની ધમકી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-31 16:08:05

રાજ્યમાં ખનીજ ચોરી ચિંતાનો વિષય બન્યો છે, ખનીજ માફિયાઓ બેફામપણે નદીના પટમાંથી રેતી ચોરી કરે છે. રાજ્યના ખાણ અને ખનીજ વિભાગ પણ આ મામલે નિષ્ક્રિય રહે છે. કચ્છના લખપત તાલુકાના મુધાન ગામ નજીકની મીઠી નદીમાંથી મોટાપાયે રેતી ચોરીનું કૌંભાંડ ચાલી રહ્યું છે. આ રેતી ચોરીમાં મુધાન ગામના સરપંચ અને ખનીજ ચોર સુરતાજી હમીરજી જાડેજાનો સીધો હાથ હોવાનું સામે આવ્યું છે. આ જ ગામના એક જાગૃત નાગરિક સોઢા હઠુજી સવાઈજીએ આ રેતી ચોરીના સંદર્ભમાં અનેક વખત અવાજ ઉઠાવ્યો છે અને રાજ્યના ખાણ અને ખનીજ વિભાગથી લઈને કચ્છના કલેક્ટર સુધ્ધાને લેખિત અને મૌખિક ફરિયાદ કરી છે. સોઢા હઠુજી સવાઈજીએ ખનીજ ચોરીના મામલે મુધાન ગામના સરપંચ સુરતાજી હમીરજી જાડેજા તથા તેમના પાર્ટનર અને કુરિયાણી ગામના સોઢા ચમન સિંહ દ્વારા થતી રેતી ચોરી અંગે અનેક વખત સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી છે. જો કે હજુ સુધી આ મામલે તે બંને સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો કે હવે આ બંને ખનીજ માફિયાઓએ સોઢા હઠુજી સવાઈજીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. 



ખનીજ માફિયાઓએ શું ધમકી આપી   


મુધાન ગામના સરપંચ અને ખનીજ ચોર સુરતાજી હમીરજી જાડેજાએ ગામના જાગૃત નાગરિક સોઢા હઠુજી સવાઈજીને જાનથી મારી નાખવાની ધમકી આપતા કહ્યું  કે તને મારીને તારી લાશ પણ ગુમ કરી દેવામાં આવશે. તે ઉપરાંત તેમની ઉપર 50 ટન વજનવાળી ગાડી ચડાવી દેવાની પણ ધમકી આપી હતી.  સરપંચ સુરતાજી હમીરજી જાડેજા તથા તેમના પાર્ટનર અને કુરિયાણી ગામના સોઢા ચમન સિંહ સમાંત સિંહ (નિવૃત LCB અધિકારી) છેલ્લા 3 વર્ષથી મીઠી નદીમાંથી મોટાપાયે રેતી ચોરી કરી રહ્યા છે. આ બંને ખનીજ માફિયાઓ રાતના 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી મીઠી નદીમાંથી ખનીજ ચોરી કરે છે. આ બંને લોકો લગભગ 300થી 350 ડંપર જેટલી રેતીનો જથ્થો ચોરી કરી રહ્યા છે. 

મુધાન  ના સરપંચ જાડેજા  સૂરતાજી હમીરજી

ધમકી અંગે ઉચ્ચ સ્તરે કરી જાણ


મુધાન ગામના  જાગૃત નાગરિક સોઢા હઠુજી સવાઈજીને જાનથી મારી નાખવાની ધમકી મળતા આ સંદર્ભે  તેમણે ઉચ્ચ કક્ષાએ પણ જાણ કરી છે. સોઢા હઠુજી સવાઈજીએ પીએમ ઓફિસ દિલ્હી, સી એમ ઓફિસ ગાંધીનગર, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, દયાપર પોલીસ સ્ટેશન, એલસીબી ઓફિસ કચ્છ ભૂજ, કલેક્ટર ઓફિસ નખત્રાણા, ભૂજ, સહિતના ઉચ્ચ અધિકારીઓને તેમના જીવને ખતરો હોવાની લેખિતમાં જાણ કરી છે. મુધાન ગામના સરપંચ સુરતાજી હમીરજી જાડેજા તથા તેમના પાર્ટનર અને કુરિયાણી ગામના સોઢા ચમન સિંહ સમાંત સિંહ તરફથી સોઢા હઠુજી સવાઈજીને સીધો ખતરો હોવાની જાણ કરી છે તેમ છતાં તંત્રએ હજુ આ દિશામાં કોઈ જ કાર્યવાહી કરી નથી.

અરજદાર હઠુજી એસ સોઢા, ગામ. મુધાન



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.