સોશિયલ મીડિયાની લીડિંગ કંપની મેટાના ઇન્ડીયા હેડ માટે સંધ્યા દેવનાથનની કરાઈ પસંદગી


  • Published By :
  • Published Date : 2022-11-18 13:34:32

સમગ્ર વિશ્વમાં ભારતીયો ડંકો વગાડી રહ્યા છે. ભારતીયો વિશ્વ સ્તરે ખૂબ નામના મેળવી રહ્યા છે. ત્યારે વખુ એક ભારતીય મુળની દિકરીએ ભારતનું નામ રોશન કર્યું છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ સંધ્યા દેવનાથનને મેટા ઈન્ડિયા માટે ઉપાધ્યક્ષ તરીકે નિમ્યા છે. સંધ્યા 1 જાન્યુઆરી 2023થી મેટા ઈન્ડિયાના વાઈસ પ્રેસિડન્ટ તરીકે પોતાનો કાર્યભાર સંભાળશે. 

Sandhya Devanathan Became The Meta India Head Know How Her Journey Has Been  In 5 Points | Meta ની ઈન્ડિયા હેડ બની સંધ્યા દેવનાથન, 5 પોઈન્ટમાં જાણો કેવી  રહી છે તેમની સફર

સંધ્યા છે Metaમાં Women@APACના સ્પોન્સર 

2016થી સંધ્યા ફેસબુક સાથે જોડાયેલી છે. નિયુક્તિ થયા બાદ કંપનીના ગેમીંગ ઈંડસ્ટ્રીનો કારોબારને આગળ લઈ જવામાં ઘણી મહેનત કરી હતી. સંધ્યાએ આંધ્ર યુનિવર્સિટીથી પોતાનું એન્જિનિયરીંગ પૂર્ણ કર્યું હતું અને તે બાદ દિલ્હી યુનિવર્સિટીમાંથી એમબીએની શિક્ષા પ્રાપ્ત કરી હતી. સંધ્યાને ટેક્નોલોજીનો સારો અનુભવ છે. ઉપરાંત તેઓ Metaમાં Women@APACના સ્પોન્સર પણ છે. ગ્લોબલ બોર્ડ ઓફ પેપર ફાઈનાન્સિયલ સર્વિસમાં તેમણે સેવા આપી છે.   

ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ સંધ્યા દેવનાથનને ઈન્ડિયા હેડ તરીકે નિયુક્ત  કર્યા - Hum-Dekhenge ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ સંધ્યા દેવનાથનને ...

ભારતમાં અનેક ફિચર્સ સૌથી પહેલા લોન્ચ કરાયા - મેટાના બિઝનેસ ચીફ ઓફિસર 

મેટા ઈન્ડિયા હેટ તરીકે અનેક જીમેદારી નિભાવશે જેમાં બ્રાન્ડસ, એડવર્ટાઈઝર તેમજ બિઝનેસ પાર્ટનર્સ સાથે સંબંધ મજબૂત કરશે. પોતાની કારકિર્દી દરમિયાન સંધ્યાએ અનેક મોટી અને વિદેશી કંપનીઓ સાથે તેમણે કામ કર્યું છે. સંધ્યાની નિયુક્તિ થતા મેટાના ચીફ બિઝનેસ ઓફિસરે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે ભારત ડિજિટલને પ્રોત્સાહન આપવામાં મોખરે છે. મેટાએ ઘણી બધી લેટેસ્ટ ફિચર્સ ભારતમાં સૌ-પ્રથમ લોન્ચ કર્યા છે. જેમાં રીલ્સ અને બિઝનેસ મેસેજીંગનો સમાવેશ થાય છે. Whatsapp પર જીઓ માર્ટ લોન્ચ સૌ પ્રથમ ભારતમાં થયું હતું.               




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .