સોશિયલ મીડિયાની લીડિંગ કંપની મેટાના ઇન્ડીયા હેડ માટે સંધ્યા દેવનાથનની કરાઈ પસંદગી


  • Published By :
  • Published Date : 2022-11-18 13:34:32

સમગ્ર વિશ્વમાં ભારતીયો ડંકો વગાડી રહ્યા છે. ભારતીયો વિશ્વ સ્તરે ખૂબ નામના મેળવી રહ્યા છે. ત્યારે વખુ એક ભારતીય મુળની દિકરીએ ભારતનું નામ રોશન કર્યું છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ સંધ્યા દેવનાથનને મેટા ઈન્ડિયા માટે ઉપાધ્યક્ષ તરીકે નિમ્યા છે. સંધ્યા 1 જાન્યુઆરી 2023થી મેટા ઈન્ડિયાના વાઈસ પ્રેસિડન્ટ તરીકે પોતાનો કાર્યભાર સંભાળશે. 

Sandhya Devanathan Became The Meta India Head Know How Her Journey Has Been  In 5 Points | Meta ની ઈન્ડિયા હેડ બની સંધ્યા દેવનાથન, 5 પોઈન્ટમાં જાણો કેવી  રહી છે તેમની સફર

સંધ્યા છે Metaમાં Women@APACના સ્પોન્સર 

2016થી સંધ્યા ફેસબુક સાથે જોડાયેલી છે. નિયુક્તિ થયા બાદ કંપનીના ગેમીંગ ઈંડસ્ટ્રીનો કારોબારને આગળ લઈ જવામાં ઘણી મહેનત કરી હતી. સંધ્યાએ આંધ્ર યુનિવર્સિટીથી પોતાનું એન્જિનિયરીંગ પૂર્ણ કર્યું હતું અને તે બાદ દિલ્હી યુનિવર્સિટીમાંથી એમબીએની શિક્ષા પ્રાપ્ત કરી હતી. સંધ્યાને ટેક્નોલોજીનો સારો અનુભવ છે. ઉપરાંત તેઓ Metaમાં Women@APACના સ્પોન્સર પણ છે. ગ્લોબલ બોર્ડ ઓફ પેપર ફાઈનાન્સિયલ સર્વિસમાં તેમણે સેવા આપી છે.   

ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ સંધ્યા દેવનાથનને ઈન્ડિયા હેડ તરીકે નિયુક્ત  કર્યા - Hum-Dekhenge ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ સંધ્યા દેવનાથનને ...

ભારતમાં અનેક ફિચર્સ સૌથી પહેલા લોન્ચ કરાયા - મેટાના બિઝનેસ ચીફ ઓફિસર 

મેટા ઈન્ડિયા હેટ તરીકે અનેક જીમેદારી નિભાવશે જેમાં બ્રાન્ડસ, એડવર્ટાઈઝર તેમજ બિઝનેસ પાર્ટનર્સ સાથે સંબંધ મજબૂત કરશે. પોતાની કારકિર્દી દરમિયાન સંધ્યાએ અનેક મોટી અને વિદેશી કંપનીઓ સાથે તેમણે કામ કર્યું છે. સંધ્યાની નિયુક્તિ થતા મેટાના ચીફ બિઝનેસ ઓફિસરે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે ભારત ડિજિટલને પ્રોત્સાહન આપવામાં મોખરે છે. મેટાએ ઘણી બધી લેટેસ્ટ ફિચર્સ ભારતમાં સૌ-પ્રથમ લોન્ચ કર્યા છે. જેમાં રીલ્સ અને બિઝનેસ મેસેજીંગનો સમાવેશ થાય છે. Whatsapp પર જીઓ માર્ટ લોન્ચ સૌ પ્રથમ ભારતમાં થયું હતું.               




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.