સોશિયલ મીડિયાની લીડિંગ કંપની મેટાના ઇન્ડીયા હેડ માટે સંધ્યા દેવનાથનની કરાઈ પસંદગી


  • Published By :
  • Published Date : 2022-11-18 13:34:32

સમગ્ર વિશ્વમાં ભારતીયો ડંકો વગાડી રહ્યા છે. ભારતીયો વિશ્વ સ્તરે ખૂબ નામના મેળવી રહ્યા છે. ત્યારે વખુ એક ભારતીય મુળની દિકરીએ ભારતનું નામ રોશન કર્યું છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ સંધ્યા દેવનાથનને મેટા ઈન્ડિયા માટે ઉપાધ્યક્ષ તરીકે નિમ્યા છે. સંધ્યા 1 જાન્યુઆરી 2023થી મેટા ઈન્ડિયાના વાઈસ પ્રેસિડન્ટ તરીકે પોતાનો કાર્યભાર સંભાળશે. 

Sandhya Devanathan Became The Meta India Head Know How Her Journey Has Been  In 5 Points | Meta ની ઈન્ડિયા હેડ બની સંધ્યા દેવનાથન, 5 પોઈન્ટમાં જાણો કેવી  રહી છે તેમની સફર

સંધ્યા છે Metaમાં Women@APACના સ્પોન્સર 

2016થી સંધ્યા ફેસબુક સાથે જોડાયેલી છે. નિયુક્તિ થયા બાદ કંપનીના ગેમીંગ ઈંડસ્ટ્રીનો કારોબારને આગળ લઈ જવામાં ઘણી મહેનત કરી હતી. સંધ્યાએ આંધ્ર યુનિવર્સિટીથી પોતાનું એન્જિનિયરીંગ પૂર્ણ કર્યું હતું અને તે બાદ દિલ્હી યુનિવર્સિટીમાંથી એમબીએની શિક્ષા પ્રાપ્ત કરી હતી. સંધ્યાને ટેક્નોલોજીનો સારો અનુભવ છે. ઉપરાંત તેઓ Metaમાં Women@APACના સ્પોન્સર પણ છે. ગ્લોબલ બોર્ડ ઓફ પેપર ફાઈનાન્સિયલ સર્વિસમાં તેમણે સેવા આપી છે.   

ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ સંધ્યા દેવનાથનને ઈન્ડિયા હેડ તરીકે નિયુક્ત  કર્યા - Hum-Dekhenge ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ સંધ્યા દેવનાથનને ...

ભારતમાં અનેક ફિચર્સ સૌથી પહેલા લોન્ચ કરાયા - મેટાના બિઝનેસ ચીફ ઓફિસર 

મેટા ઈન્ડિયા હેટ તરીકે અનેક જીમેદારી નિભાવશે જેમાં બ્રાન્ડસ, એડવર્ટાઈઝર તેમજ બિઝનેસ પાર્ટનર્સ સાથે સંબંધ મજબૂત કરશે. પોતાની કારકિર્દી દરમિયાન સંધ્યાએ અનેક મોટી અને વિદેશી કંપનીઓ સાથે તેમણે કામ કર્યું છે. સંધ્યાની નિયુક્તિ થતા મેટાના ચીફ બિઝનેસ ઓફિસરે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે ભારત ડિજિટલને પ્રોત્સાહન આપવામાં મોખરે છે. મેટાએ ઘણી બધી લેટેસ્ટ ફિચર્સ ભારતમાં સૌ-પ્રથમ લોન્ચ કર્યા છે. જેમાં રીલ્સ અને બિઝનેસ મેસેજીંગનો સમાવેશ થાય છે. Whatsapp પર જીઓ માર્ટ લોન્ચ સૌ પ્રથમ ભારતમાં થયું હતું.               




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.