સંઘ સુપ્રીમો Mohan Bhagvatના દરેક વાક્યમાં PM Narendra Modi માટે ટકોર? સાંભળો Manipurને લઈ શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-11 11:55:09

મણિપુર છેલ્લા એક વર્ષથી ભડકે બળી રહ્યું છે... મણિપુરમાં થતી હિંસાના સમાચાર અનેક વખત સામે આવતા રહે છે.. મણિપુરમાં ભડકેલી હિંસા જલ્દી શાંત થાય તે માટે જે પ્રયાસો થવા જોઈએ તેવા પ્રયાસો કરવામાં નથી આવી રહ્યા તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી..લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કદાચ મણિપુરમાં થયેલી હિંસા મુદ્દો ન હતો તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી .. મણિપુરને લઈ એક શબ્દ પણ નથી ઉચ્ચાર્યો તેવું કહીએ તો પણ તે વધારે નહીં હોય.. મણિપુરને લઈ રાષ્ટ્રીય સ્વયં સેવકના વડા મોહન ભાગવતે નિવેદન આપ્યું છે.. તેમણે કહ્યું કે મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે.

મોહન ભાગવતની સરકારને ટકોર?

રવિવારે નરેન્દ્ર મોદી સહિત 72 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા.. ગઈકાલ સાંજે ખાતાઓની ફાળવણી પણ કરવામાં આવી.. મોદી સરકાર 3.0ની શરૂઆત થઈ ગઈ છે.. અને આ બધા વચ્ચે આરએસએસના વડા મોહન ભાગવતનું નિવેદન સામે આવ્યું છે જેમાં તે જાણે ભાજપની સરકારને ટકોર કરતા હોય તેવું લાગી રહ્યું છે.. અનેક મુદ્દાઓને લઈ તેમણે વાતો કરી હતી અને તેમનું નિવેદન નહીં જાણે સરકારને ટકોર કરવામાં આવી હોય તેવું લાગ્યું.. નાગપુરમાં એક સભાને સંબોધતા મોહન ભાગવતે મણિપુરનો ઉલ્લેખ કર્યો હતો.. 

મણિપુર શાંતિની રાહ જોઈ રહ્યું છે - મોહન ભાગવત

મણિપુરનો ઉલ્લેખ કરતા મોહન ભાગવતે કહ્યું કે મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે. આ પહેલા તે 10 વર્ષ સુધી શાંત હતો. જૂનું ગન કલ્ચર ખતમ થઈ ગયું હોય એવું લાગતું હતું. અને અચાનક ત્યાં સર્જાયેલી વિખવાદની આગ હજુ પણ સળગી રહી છે. આ તરફ કોણ ધ્યાન આપશે? અગ્રતાના ધોરણે તેનો વિચાર કરવો એ આપણી ફરજ છે. તેમણે કહ્યું કે શક્તિની સાથે શીલ સંપન્ન બનો. શીલ પોતાના ધર્મ અને સંસ્કૃતિથી આવે છે.. 



વિપક્ષને લઈ તેમણે કહ્યું કે... 

તેમણે કહ્યું કે, ચૂંટણીમાં સ્પર્ધા હોય છે કારણ કે બે પાર્ટીઓ હોય છે, પરંતુ જુઠ્ઠાણાનો પ્રચાર કરવા માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં દેશ કેવી રીતે ચાલશે? આને કહેવાય વિરોધ…? તેમને વિરોધી ન ગણવા જોઈએ. તે વિપક્ષ છે, પરંતુ તેઓ એક પક્ષને લઈને ચાલી રહ્યા છે, તેમને વિરોધીને બદલે પ્રતિપક્ષ કહેવા જોઈએ. 



આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....