સંઘ સુપ્રીમો Mohan Bhagvatના દરેક વાક્યમાં PM Narendra Modi માટે ટકોર? સાંભળો Manipurને લઈ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-06-11 11:55:09

મણિપુર છેલ્લા એક વર્ષથી ભડકે બળી રહ્યું છે... મણિપુરમાં થતી હિંસાના સમાચાર અનેક વખત સામે આવતા રહે છે.. મણિપુરમાં ભડકેલી હિંસા જલ્દી શાંત થાય તે માટે જે પ્રયાસો થવા જોઈએ તેવા પ્રયાસો કરવામાં નથી આવી રહ્યા તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી..લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કદાચ મણિપુરમાં થયેલી હિંસા મુદ્દો ન હતો તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી .. મણિપુરને લઈ એક શબ્દ પણ નથી ઉચ્ચાર્યો તેવું કહીએ તો પણ તે વધારે નહીં હોય.. મણિપુરને લઈ રાષ્ટ્રીય સ્વયં સેવકના વડા મોહન ભાગવતે નિવેદન આપ્યું છે.. તેમણે કહ્યું કે મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે.

મોહન ભાગવતની સરકારને ટકોર?

રવિવારે નરેન્દ્ર મોદી સહિત 72 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા.. ગઈકાલ સાંજે ખાતાઓની ફાળવણી પણ કરવામાં આવી.. મોદી સરકાર 3.0ની શરૂઆત થઈ ગઈ છે.. અને આ બધા વચ્ચે આરએસએસના વડા મોહન ભાગવતનું નિવેદન સામે આવ્યું છે જેમાં તે જાણે ભાજપની સરકારને ટકોર કરતા હોય તેવું લાગી રહ્યું છે.. અનેક મુદ્દાઓને લઈ તેમણે વાતો કરી હતી અને તેમનું નિવેદન નહીં જાણે સરકારને ટકોર કરવામાં આવી હોય તેવું લાગ્યું.. નાગપુરમાં એક સભાને સંબોધતા મોહન ભાગવતે મણિપુરનો ઉલ્લેખ કર્યો હતો.. 

મણિપુર શાંતિની રાહ જોઈ રહ્યું છે - મોહન ભાગવત

મણિપુરનો ઉલ્લેખ કરતા મોહન ભાગવતે કહ્યું કે મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે. આ પહેલા તે 10 વર્ષ સુધી શાંત હતો. જૂનું ગન કલ્ચર ખતમ થઈ ગયું હોય એવું લાગતું હતું. અને અચાનક ત્યાં સર્જાયેલી વિખવાદની આગ હજુ પણ સળગી રહી છે. આ તરફ કોણ ધ્યાન આપશે? અગ્રતાના ધોરણે તેનો વિચાર કરવો એ આપણી ફરજ છે. તેમણે કહ્યું કે શક્તિની સાથે શીલ સંપન્ન બનો. શીલ પોતાના ધર્મ અને સંસ્કૃતિથી આવે છે.. 



વિપક્ષને લઈ તેમણે કહ્યું કે... 

તેમણે કહ્યું કે, ચૂંટણીમાં સ્પર્ધા હોય છે કારણ કે બે પાર્ટીઓ હોય છે, પરંતુ જુઠ્ઠાણાનો પ્રચાર કરવા માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં દેશ કેવી રીતે ચાલશે? આને કહેવાય વિરોધ…? તેમને વિરોધી ન ગણવા જોઈએ. તે વિપક્ષ છે, પરંતુ તેઓ એક પક્ષને લઈને ચાલી રહ્યા છે, તેમને વિરોધીને બદલે પ્રતિપક્ષ કહેવા જોઈએ. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.