સાનિયા મિર્ઝાએ શોએબ મલિકને આપ્યા છે 'ખુલા', જાણો 'ખુલા અને 'તલાક' વચ્ચે શું છે તફાવત?


  • Published By :
  • Published Date : 2024-01-21 11:47:36

પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે ફરી લગ્ન કર્યા છે. શોએબે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદને પોતાની નવી લાઈફ પાર્ટનર તરીકે પસંદ કરી છે. શોએબ મલિકે સોશિયલ મીડિયા પર નિકાહની તસવીરો શેર કરી છે. શોએબ-સનાએ એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી સાનિયા મિર્ઝા અને તેના પતિ શોએબ મલિક વચ્ચે છૂટાછેડાને લઈને ઘણી અફવાઓ સામે આવી હતી. હવે શોએબ મલિકના ત્રીજા લગ્નની અફવાઓનો અંત આવ્યો છે. શોએબ મલિકના ત્રીજા લગ્ન પર સાનિયા મિર્ઝાના પિતાની પ્રતિક્રિયા સામે આવી છે. સાનિયાના પિતા ઈમરાન મિર્ઝાએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે તે 'ખુલા' છે. ઈમરાન મિર્ઝાની આ પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે.


'ખુલા' શું છે?


છૂટાછેડા અને ખુલા વચ્ચે બહુ ફરક નથી. જ્યારે કોઈ સ્ત્રી તેમા પતિથી અલગ થવાનો નિર્ણય લે છે ત્યારે તેને ખુલા કહેવામાં આવે છે. જ્યારે આ નિર્ણય પુરુષ તરફથી આવે છે, ત્યારે તેને તલાક કહેવામાં આવે છે. તલાક પછી પણ મહિલા ત્રણ મહિના સુધી તેના પતિના ઘરે રહે છે. કુરાન અને હદીસમાં પણ તેનો ઉલ્લેખ છે. સાનિયાના પિતાના નિવેદનથી સ્પષ્ટ છે કે અલગ થવાનો નિર્ણય સાનિયાએ પોતે લીધો હતો. સાનિયા મિર્ઝા અને શોએબ મલિક છેલ્લા કેટલાક મહિનાઓથી સાથે જોવા મળ્યા ન હતા. આ કારણે તેમના સંબંધો વિશે ઘણી વખત અફવાઓ સામે આવી હતી. શોએબ અને સાનિયાને પાંચ વર્ષનો પુત્ર પણ છે જે સાનિયા સાથે રહે છે. શોએબે તેની નવી પત્ની સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.


શોએબ મલિક અને સાનિયાના લગ્ન 12 એપ્રિલ 2010ના રોજ પરંપરાગત વિધિથી થયા હતા. આ લગ્ન હૈદરાબાદમાં થયા હતા. લગ્નના 8 વર્ષ પછી એટલે કે 2018 માં, તેમના પુત્ર ઇઝાન મિર્ઝા મલિકનો જન્મ થયો હતો. શોએબ હજુ પણ પ્રોફેશનલ ક્રિકેટમાં એક્ટિવ છે, જ્યારે સાનિયાએ ગયા વર્ષે ટેનિસમાંથી નિવૃત્તિ લીધી હતી.સાનિયા મિર્ઝા ગ્રાન્ડ ડબલ્સમાં છ વખત ચેમ્પિયન રહી છે. સાનિયાએ ડબલ્સમાં જીતેલા છ ગ્રાન્ડ સ્લેમ ખિતાબમાં ત્રણ મિક્સ્ડ ડબલ્સ અને એટલી જ સંખ્યામાં મહિલા ડબલ્સ ટાઇટલનો સમાવેશ થાય છે. સાનિયા મિર્ઝાએ 2016 માં ઓસ્ટ્રેલિયન ઓપન મહિલા ડબલ્સ ટાઇટલ જીતીને તેનું છેલ્લું ગ્રાન્ડ સ્લેમ હાંસલ કર્યું હતું.


કોણ છે સના જાવેદ?


શોએબ મલિકની દુલ્હન સના જાવેદની ગણતરી પાકિસ્તાનની જાણીતી અભિનેત્રીઓમાં થાય છે. સના જાવેદે 2012માં સિરિયલ શેહર-એ-જાત દ્વારા સ્ક્રીન ડેબ્યૂ કર્યું હતું. બાદમાં તે ઘણી સિરિયલોમાં જોવા મળી હતી. ટેલિવિઝન સીરીઝ 'ખાની'માં મુખ્ય ભૂમિકા ભજવ્યા બાદ સનાને ઓળખ મળી હતી. સના જાવેદને સામાજિક ડ્રામા રુસવાઈ અને ડંક માટે પ્રશંસા મળી છે. આ સિવાય તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.