સાનિયા મિર્ઝાએ શોએબ મલિકને આપ્યા છે 'ખુલા', જાણો 'ખુલા અને 'તલાક' વચ્ચે શું છે તફાવત?


  • Published By :
  • Published Date : 2024-01-21 11:47:36

પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે ફરી લગ્ન કર્યા છે. શોએબે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદને પોતાની નવી લાઈફ પાર્ટનર તરીકે પસંદ કરી છે. શોએબ મલિકે સોશિયલ મીડિયા પર નિકાહની તસવીરો શેર કરી છે. શોએબ-સનાએ એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી સાનિયા મિર્ઝા અને તેના પતિ શોએબ મલિક વચ્ચે છૂટાછેડાને લઈને ઘણી અફવાઓ સામે આવી હતી. હવે શોએબ મલિકના ત્રીજા લગ્નની અફવાઓનો અંત આવ્યો છે. શોએબ મલિકના ત્રીજા લગ્ન પર સાનિયા મિર્ઝાના પિતાની પ્રતિક્રિયા સામે આવી છે. સાનિયાના પિતા ઈમરાન મિર્ઝાએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે તે 'ખુલા' છે. ઈમરાન મિર્ઝાની આ પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે.


'ખુલા' શું છે?


છૂટાછેડા અને ખુલા વચ્ચે બહુ ફરક નથી. જ્યારે કોઈ સ્ત્રી તેમા પતિથી અલગ થવાનો નિર્ણય લે છે ત્યારે તેને ખુલા કહેવામાં આવે છે. જ્યારે આ નિર્ણય પુરુષ તરફથી આવે છે, ત્યારે તેને તલાક કહેવામાં આવે છે. તલાક પછી પણ મહિલા ત્રણ મહિના સુધી તેના પતિના ઘરે રહે છે. કુરાન અને હદીસમાં પણ તેનો ઉલ્લેખ છે. સાનિયાના પિતાના નિવેદનથી સ્પષ્ટ છે કે અલગ થવાનો નિર્ણય સાનિયાએ પોતે લીધો હતો. સાનિયા મિર્ઝા અને શોએબ મલિક છેલ્લા કેટલાક મહિનાઓથી સાથે જોવા મળ્યા ન હતા. આ કારણે તેમના સંબંધો વિશે ઘણી વખત અફવાઓ સામે આવી હતી. શોએબ અને સાનિયાને પાંચ વર્ષનો પુત્ર પણ છે જે સાનિયા સાથે રહે છે. શોએબે તેની નવી પત્ની સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.


શોએબ મલિક અને સાનિયાના લગ્ન 12 એપ્રિલ 2010ના રોજ પરંપરાગત વિધિથી થયા હતા. આ લગ્ન હૈદરાબાદમાં થયા હતા. લગ્નના 8 વર્ષ પછી એટલે કે 2018 માં, તેમના પુત્ર ઇઝાન મિર્ઝા મલિકનો જન્મ થયો હતો. શોએબ હજુ પણ પ્રોફેશનલ ક્રિકેટમાં એક્ટિવ છે, જ્યારે સાનિયાએ ગયા વર્ષે ટેનિસમાંથી નિવૃત્તિ લીધી હતી.સાનિયા મિર્ઝા ગ્રાન્ડ ડબલ્સમાં છ વખત ચેમ્પિયન રહી છે. સાનિયાએ ડબલ્સમાં જીતેલા છ ગ્રાન્ડ સ્લેમ ખિતાબમાં ત્રણ મિક્સ્ડ ડબલ્સ અને એટલી જ સંખ્યામાં મહિલા ડબલ્સ ટાઇટલનો સમાવેશ થાય છે. સાનિયા મિર્ઝાએ 2016 માં ઓસ્ટ્રેલિયન ઓપન મહિલા ડબલ્સ ટાઇટલ જીતીને તેનું છેલ્લું ગ્રાન્ડ સ્લેમ હાંસલ કર્યું હતું.


કોણ છે સના જાવેદ?


શોએબ મલિકની દુલ્હન સના જાવેદની ગણતરી પાકિસ્તાનની જાણીતી અભિનેત્રીઓમાં થાય છે. સના જાવેદે 2012માં સિરિયલ શેહર-એ-જાત દ્વારા સ્ક્રીન ડેબ્યૂ કર્યું હતું. બાદમાં તે ઘણી સિરિયલોમાં જોવા મળી હતી. ટેલિવિઝન સીરીઝ 'ખાની'માં મુખ્ય ભૂમિકા ભજવ્યા બાદ સનાને ઓળખ મળી હતી. સના જાવેદને સામાજિક ડ્રામા રુસવાઈ અને ડંક માટે પ્રશંસા મળી છે. આ સિવાય તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.