સાનિયા મિર્ઝાએ શોએબ મલિકને આપ્યા છે 'ખુલા', જાણો 'ખુલા અને 'તલાક' વચ્ચે શું છે તફાવત?


  • Published By :
  • Published Date : 2024-01-21 11:47:36

પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે ફરી લગ્ન કર્યા છે. શોએબે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદને પોતાની નવી લાઈફ પાર્ટનર તરીકે પસંદ કરી છે. શોએબ મલિકે સોશિયલ મીડિયા પર નિકાહની તસવીરો શેર કરી છે. શોએબ-સનાએ એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી સાનિયા મિર્ઝા અને તેના પતિ શોએબ મલિક વચ્ચે છૂટાછેડાને લઈને ઘણી અફવાઓ સામે આવી હતી. હવે શોએબ મલિકના ત્રીજા લગ્નની અફવાઓનો અંત આવ્યો છે. શોએબ મલિકના ત્રીજા લગ્ન પર સાનિયા મિર્ઝાના પિતાની પ્રતિક્રિયા સામે આવી છે. સાનિયાના પિતા ઈમરાન મિર્ઝાએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે તે 'ખુલા' છે. ઈમરાન મિર્ઝાની આ પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે.


'ખુલા' શું છે?


છૂટાછેડા અને ખુલા વચ્ચે બહુ ફરક નથી. જ્યારે કોઈ સ્ત્રી તેમા પતિથી અલગ થવાનો નિર્ણય લે છે ત્યારે તેને ખુલા કહેવામાં આવે છે. જ્યારે આ નિર્ણય પુરુષ તરફથી આવે છે, ત્યારે તેને તલાક કહેવામાં આવે છે. તલાક પછી પણ મહિલા ત્રણ મહિના સુધી તેના પતિના ઘરે રહે છે. કુરાન અને હદીસમાં પણ તેનો ઉલ્લેખ છે. સાનિયાના પિતાના નિવેદનથી સ્પષ્ટ છે કે અલગ થવાનો નિર્ણય સાનિયાએ પોતે લીધો હતો. સાનિયા મિર્ઝા અને શોએબ મલિક છેલ્લા કેટલાક મહિનાઓથી સાથે જોવા મળ્યા ન હતા. આ કારણે તેમના સંબંધો વિશે ઘણી વખત અફવાઓ સામે આવી હતી. શોએબ અને સાનિયાને પાંચ વર્ષનો પુત્ર પણ છે જે સાનિયા સાથે રહે છે. શોએબે તેની નવી પત્ની સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.


શોએબ મલિક અને સાનિયાના લગ્ન 12 એપ્રિલ 2010ના રોજ પરંપરાગત વિધિથી થયા હતા. આ લગ્ન હૈદરાબાદમાં થયા હતા. લગ્નના 8 વર્ષ પછી એટલે કે 2018 માં, તેમના પુત્ર ઇઝાન મિર્ઝા મલિકનો જન્મ થયો હતો. શોએબ હજુ પણ પ્રોફેશનલ ક્રિકેટમાં એક્ટિવ છે, જ્યારે સાનિયાએ ગયા વર્ષે ટેનિસમાંથી નિવૃત્તિ લીધી હતી.સાનિયા મિર્ઝા ગ્રાન્ડ ડબલ્સમાં છ વખત ચેમ્પિયન રહી છે. સાનિયાએ ડબલ્સમાં જીતેલા છ ગ્રાન્ડ સ્લેમ ખિતાબમાં ત્રણ મિક્સ્ડ ડબલ્સ અને એટલી જ સંખ્યામાં મહિલા ડબલ્સ ટાઇટલનો સમાવેશ થાય છે. સાનિયા મિર્ઝાએ 2016 માં ઓસ્ટ્રેલિયન ઓપન મહિલા ડબલ્સ ટાઇટલ જીતીને તેનું છેલ્લું ગ્રાન્ડ સ્લેમ હાંસલ કર્યું હતું.


કોણ છે સના જાવેદ?


શોએબ મલિકની દુલ્હન સના જાવેદની ગણતરી પાકિસ્તાનની જાણીતી અભિનેત્રીઓમાં થાય છે. સના જાવેદે 2012માં સિરિયલ શેહર-એ-જાત દ્વારા સ્ક્રીન ડેબ્યૂ કર્યું હતું. બાદમાં તે ઘણી સિરિયલોમાં જોવા મળી હતી. ટેલિવિઝન સીરીઝ 'ખાની'માં મુખ્ય ભૂમિકા ભજવ્યા બાદ સનાને ઓળખ મળી હતી. સના જાવેદને સામાજિક ડ્રામા રુસવાઈ અને ડંક માટે પ્રશંસા મળી છે. આ સિવાય તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.