અમદાવાદમાં 30 અને 31 ડિસેમ્બરના રોજ યોજાશે સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ, આ વિદ્વાનો આપશે પ્રવચન


  • Published By :
  • Published Date : 2023-12-28 20:33:49

અમદાવાદમાં આગામી 30 અને 31 ડિસેમ્બરના રોજ સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા નહેરૂ ફાઉન્ડેશન ખાતે યોજાનારા આ બે દિવસના લેટરેચર ફેસ્ટિવલમાં સંસ્કૃત ભાષાના પંડિતો તેમના મનનીય પ્રવચનો આપશે.  સંસ્કૃતવિદ્યા પ્રતિષ્ઠાનમ ચેરિટેબલ ટ્રસ્ટ, એકલવ્ય સંસ્કૃત એકેડેમી અને સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે ભારતમાં માત્ર અમદાવાદમાં જ સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. 


આ વક્તાઓ આપશે પ્રવચન 


 બે દિવસના સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલમાં વિવિધ ક્ષેત્રના વક્તાઓ તેમના વિચારો રજુ કરશે. આ નિષ્ણાતોમાં શિવાનંદ આશ્રમના સ્વામિ પરમાત્માવંદ સરસ્વતી, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિરજા ગુપ્તા, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. ભાગ્યૈશ જહા, સંસ્કૃત સાહિત્ય અકાદમીના મહાપાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ, આયુર્વેદાચાર્ય ડો. ભવદીપ ગણાત્રા, આચાર્ય બાલકૃષ્ણ દવે, નવગુજરાત કોલેજના ટ્રસ્ટી સ્નેહલ શાહ, ડો. કમલેશ ચોક્સી, ડો. અમૃતલાલ ભોગાયતા, ડો. વસંત કુમાર ભટ્ટ, ડો. ચાન્દ કિરણ સલુજા ટ્રસ્ટી સંસ્કૃત સંવર્ધન દિલ્હી, અમી ગણાત્રા વિવિધ વિષયો પર તેમનું પ્રવચન આપશે. તે ઉપરાંત માધવી ઝાલા, ઝંખના શાહ, ચંદન ઠાકોર અને નિરાલી ઠાકોર તેમની નૃત્યનાટિકા રજુ કરી કરશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.