અમદાવાદમાં 30 અને 31 ડિસેમ્બરના રોજ યોજાશે સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ, આ વિદ્વાનો આપશે પ્રવચન


  • Published By :
  • Published Date : 2023-12-28 20:33:49

અમદાવાદમાં આગામી 30 અને 31 ડિસેમ્બરના રોજ સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા નહેરૂ ફાઉન્ડેશન ખાતે યોજાનારા આ બે દિવસના લેટરેચર ફેસ્ટિવલમાં સંસ્કૃત ભાષાના પંડિતો તેમના મનનીય પ્રવચનો આપશે.  સંસ્કૃતવિદ્યા પ્રતિષ્ઠાનમ ચેરિટેબલ ટ્રસ્ટ, એકલવ્ય સંસ્કૃત એકેડેમી અને સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે ભારતમાં માત્ર અમદાવાદમાં જ સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. 


આ વક્તાઓ આપશે પ્રવચન 


 બે દિવસના સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલમાં વિવિધ ક્ષેત્રના વક્તાઓ તેમના વિચારો રજુ કરશે. આ નિષ્ણાતોમાં શિવાનંદ આશ્રમના સ્વામિ પરમાત્માવંદ સરસ્વતી, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિરજા ગુપ્તા, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. ભાગ્યૈશ જહા, સંસ્કૃત સાહિત્ય અકાદમીના મહાપાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ, આયુર્વેદાચાર્ય ડો. ભવદીપ ગણાત્રા, આચાર્ય બાલકૃષ્ણ દવે, નવગુજરાત કોલેજના ટ્રસ્ટી સ્નેહલ શાહ, ડો. કમલેશ ચોક્સી, ડો. અમૃતલાલ ભોગાયતા, ડો. વસંત કુમાર ભટ્ટ, ડો. ચાન્દ કિરણ સલુજા ટ્રસ્ટી સંસ્કૃત સંવર્ધન દિલ્હી, અમી ગણાત્રા વિવિધ વિષયો પર તેમનું પ્રવચન આપશે. તે ઉપરાંત માધવી ઝાલા, ઝંખના શાહ, ચંદન ઠાકોર અને નિરાલી ઠાકોર તેમની નૃત્યનાટિકા રજુ કરી કરશે. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.