અમદાવાદમાં 30 અને 31 ડિસેમ્બરના રોજ યોજાશે સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ, આ વિદ્વાનો આપશે પ્રવચન


  • Published By :
  • Published Date : 2023-12-28 20:33:49

અમદાવાદમાં આગામી 30 અને 31 ડિસેમ્બરના રોજ સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા નહેરૂ ફાઉન્ડેશન ખાતે યોજાનારા આ બે દિવસના લેટરેચર ફેસ્ટિવલમાં સંસ્કૃત ભાષાના પંડિતો તેમના મનનીય પ્રવચનો આપશે.  સંસ્કૃતવિદ્યા પ્રતિષ્ઠાનમ ચેરિટેબલ ટ્રસ્ટ, એકલવ્ય સંસ્કૃત એકેડેમી અને સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે ભારતમાં માત્ર અમદાવાદમાં જ સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. 


આ વક્તાઓ આપશે પ્રવચન 


 બે દિવસના સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલમાં વિવિધ ક્ષેત્રના વક્તાઓ તેમના વિચારો રજુ કરશે. આ નિષ્ણાતોમાં શિવાનંદ આશ્રમના સ્વામિ પરમાત્માવંદ સરસ્વતી, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિરજા ગુપ્તા, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. ભાગ્યૈશ જહા, સંસ્કૃત સાહિત્ય અકાદમીના મહાપાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ, આયુર્વેદાચાર્ય ડો. ભવદીપ ગણાત્રા, આચાર્ય બાલકૃષ્ણ દવે, નવગુજરાત કોલેજના ટ્રસ્ટી સ્નેહલ શાહ, ડો. કમલેશ ચોક્સી, ડો. અમૃતલાલ ભોગાયતા, ડો. વસંત કુમાર ભટ્ટ, ડો. ચાન્દ કિરણ સલુજા ટ્રસ્ટી સંસ્કૃત સંવર્ધન દિલ્હી, અમી ગણાત્રા વિવિધ વિષયો પર તેમનું પ્રવચન આપશે. તે ઉપરાંત માધવી ઝાલા, ઝંખના શાહ, ચંદન ઠાકોર અને નિરાલી ઠાકોર તેમની નૃત્યનાટિકા રજુ કરી કરશે. 



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.