જૂનાગઢમાં યોજાયું સંત સંમેલન, સનાતન ધર્મ માટે લડી લેવાનો સાધુ-સંતોએ કર્યો નિર્ધાર


  • Published By :
  • Published Date : 2023-09-21 22:16:45

ગુજરાતમાં સાળંગપુર મંદિર હનુમાનજીના ભીંતચિત્રો હટાવી દેવામાં આવ્યા બાદ પણ સ્વામિનારાયણ અને સનાતન વિવાદ શાંત થવાનો નામ નથી લઈ રહ્યો. આજે જૂનાગઢના ભવનાથ સ્થિત ગૌરક્ષનાથ આશ્રમ ખાતે સાધુ સંતોનું એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સંમેલનમાં ગુજરાતભરમાંથી આવેલા અનેક ખ્યાતનામ સાધુ સંતો  ઉપસ્થિત રહ્યા હતાં. આ સંમેલનમાં સાધુ સંતો દ્વારા 'શ્રી સનાતન ધર્મ સંરક્ષણ મુખ્ય સમિતિ'ની રચના કરવામાં આવી હતી. જેમાં દ્વારકા-શારદાપીઠના શંકરાચાર્ય અધ્યક્ષ બનાવાયા છે. ઉલ્લેખનિય છે કે આજ પ્રકારનું સનાતન ધર્મ સંમેલન થોડા દિવસ પહેલાં સુરેન્દ્રનગરના લીંમડી ખાતે યોજાયું હતું.


200થી વધુ સાધુ-સંતો રહ્યા હાજર


જૂનાગઢના ભવનાથ સ્થિત ગૌરક્ષનાથ આશ્રમમાં યોજાયેલા આ સંમેલનમાં સનાતન ધર્મ માટે આરક્ષણ સમિતિ સહિતની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. સંત સંમેલનમાં ગુજરાતભરમાંથી 200થી વધુ સાધુ-સંતો તેમજ ખોડલધામનું પ્રતિધિ મંડળ ઉપરાંત લોક કલાકાર માયાભાઈ આહીર સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ વિશાળ સંત સંમેલનમાં સનાતન સરક્ષણ સમિતિની રચના કરવામાં આવી છે. જે ખાસ તો ગુજરાતમા એક સાથે તહેવાર ઉજવાય તે પ્રકારના કામ કરશે. આ ઉપરાંત સનાતન ધર્મને લગતી બાબતો પર નિર્ણયો કરશે. આ સમિતિમાં જગદગુરુ શંકરાચાર્ય દ્વારકાધીશ પીઠને અધ્યક્ષ સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત શેરનાથ બાપુ, મુકતાનંદ બાપુ, ઇન્દ્ર ભારતી બાપુ, કરસન દાસ બાપુ, દિલીપદાસ મહારાજ, પિયુસબાવા,વૈષ્ણવ આચાર્ય સહીત 41 નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં તમામ 13 અખાડા સહિતના પ્રતિનિધિઓનો સમાવેશ કરાયો છે.


સંમેલનમાં શું નિર્ણય લેવામાં આવ્યો?


આ સનાતન ધર્મ સંમેલનમાં આવેલા ચૈતન્યશંભુ મહારાજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ''ભારતમાં સનાતન ધર્મને ગાળો દેવાની ફેશન ચાલે છે. ગત પાંચ તારીખે લીંમડી ખાતે સંતોની બેઠક મળી હતી. જેમાં વિવિધ સંમતિઓ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે હવે સાધુ-સંતોના સૂચનો બાદ સમિતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવશે. શ્રી સનાતન ધર્મ સંરક્ષણ મુખ્ય સમિતિમાં રમેશભાઇ ઓઝા, કનકેશ્વરી માતાજી, ચૈતન્ય શંભુ મહારાજ, ભાગવત ઋષિ, નિજાનંદજી મહારાજ, ડોક્ટર ગૌરાંગ, શરદ વ્યાસ, રામચરણ મહારાજ અને યદુનાથજી મહારાજ સહિત 15 કથાકાર અને સંતોની નિમણૂક કરાઇ છે. જોકે, મોરારિ બાપુની પરવાનગી લઇને તેનું નામ પણ ઉમેરવામાં આવશે. આજના આ સંત સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં જે કાંઈ પણ સનાતન ધર્મ વિરુદ્ધ  લખવામાં આવ્યું છે તેને દૂર કરવા માટેના પ્રયાસોની ચર્ચા પણ કરાઈ હતી. આજના આ સંત સંમેલનમાં હાજર તમામ સાધુ સંતોએ એક સનાતન ધર્મની રક્ષા માટે તમામે હવે આગળ આવવું પડશે તેવો પણ એકસૂરમાં નિર્ધાર વ્યક્ત કર્યો હતો.


કમિટીમાં કુલ 10 નામોની જાહેરાત 


આ સનાતન ધર્મ સંમેલનમાં મીડિયા પ્રવક્તા સમિતિ અને કાયદાકીય સમિતિનું પણ ગઠન કરવામાં આવ્યું હતું. આ કમિટીમાં કુલ 10 નામોની જાહેરાત કરાઇ છે. જેમાં અખિલેશદાસજી મહારાજ (દેવનાથ બાપુ-કચ્છ), જ્યોતિર્નાથ મહારાજ (આશુતોષગિરી મહારાજ-ભીમનાથ), ઋષિભારતી બાપુ, વિજયદાસ બાપુ (ડાકોર), જગદેવદાસ બાપુ, હર્ષદભારતી બાપુ અને રોકડિયા બાપુના નામની કરાઇ જાહેરાત કરાઈ છે. જુનાગઢ-સંત સમિતી દ્રારા કાયદા કમિટીની રચના કરાઇ છે. 8 વ્યક્તિઓની નિમણૂક કરાઇ છે. જેમાં વિજય પટેલ, પૂર્વ સાંસદ, આર.આર, ત્રિપાઠી-નિવૃત જજ, દિલીપ ત્રિવેદી, ડોક્ટર વસંત પટેલ, ડોક્ટર વિજય દેસાણી (પૂર્વ ઉપકુલપતિ), ડોક્ટર કૌશિક ચૌધરી, કમલ રાવલ અને ઓમપ્રકાશ સાંખલાની પસંદગી કરવામાં આવી  છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી