Sarangpur : વિવાદીત ભીંતચિત્રો પર કાળો કલર કરનારને લઈ આવ્યા અપડેટ! ફરિયાદીએ કહ્યું


  • Published By :
  • Published Date : 2023-09-04 11:34:18

સાળંગપુર વિવાદ દિવસેને દિવસે વકરતો જઈ રહ્યો છે. હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે રાખવામાં આવેલા ભીંતચિત્રોને કારણે વિવાદ છેડાઈ ગયો છે.  હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનના દાસ બતાવવામાં આવ્યા હોય તેવા ભીંતચિત્રો છે. આ આખો મુદ્દો સામે આવતા હિંદુ સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અનેક કથાકાર, લોકસાહિત્ય કારોએ આ મામલે પ્રતિક્રિયાઓ આપી છે. થોડા દિવસ પહેલા હર્ષદ ગઢવી નામના વ્યક્તિનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે વિવાદીત ભીંતચિત્રો પર કાળો કલર કરી રહ્યો છે. થોડા સમયની અંદર જ હર્ષદ ગઢવીને પોલીસે પકડી પાડ્યો હતો. ત્યારે હવે ફરિયાદ કરનાર સિક્યુરિટી ગાર્ડનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે ફરિયાદને લઈ ખુલાસા કરી રહ્યા છે. 

ફરિયાદીનો વીડિયો સામે આવ્યો છે  

સાળંગપુર મુદ્દાને લઈ અનેક દિવસોથી ચર્ચા ચાલી રહી છે. રોજ નવા નવા અપડેટ સામે આવી રહ્યા છે. ભક્તોની લાગણી દુભાતી હોય તેવી પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો હતો જેમાં વિવાદીત ભીંતચિત્રો પર હર્ષદ ગઢવી નામનો વ્યક્તિ કાળો કલર ફેરવી રહ્યો છે ઉપરાંત મૂર્તિને તોડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ત્યારે જે ફરિયાદીએ આ મામલે ફરિયાદ કરી છે તેમનો વીડિયો સામે આવ્યો છે. 


વીડિયોમાં શું કહી રહ્યા છે ફરિયાદી? 

વીડિયોમાં ફરિયાદીએ કહ્યું કે મારૂં નામ ભુપતભાઈ સાદુળભાઈ ખાંચરે છે. વિડિયોમાં કહ્યું છે કે મને મારી જાણ બહાર આ કેસમાં ફરિયાદી તરીકે નામ આપી દેવાયું છે ઘટના બની તે સમયે મારી ડયુટી હતી બનાવ બન્યાંને થોડીવાર પછી મને ઓફિસમાં બોલાવી પુછેલ કે તમે તૈયાજ હતા ત્યારબાદ ઓફિસમાંએક કાગળ ઉપર સહિ કરાવી હતી સોશીયલ મીડીયાના માધ્યમથી મને ખબર પડી કે મને ફરીયાદી બનાવ્યો છે.


પોલીસ કાફલો કરાયો છે તૈનાત 

મહત્વનું છે કે સાળંગપુર વિવાદને લઈ રોજે નવા નવા અપડેટ આવી રહ્યા છે. કાળા કલરની ઘટના બાદ પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. મોટા પ્રમાણમાં પોલીસને તૈનાત કરી દેવામાં આવ્યા. મહિલા ટીમને પણ ઉતારી દેવામાં આવી છે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.