Sarangpur : વિવાદીત ભીંતચિત્રો પર કાળો કલર કરનારને લઈ આવ્યા અપડેટ! ફરિયાદીએ કહ્યું


  • Published By :
  • Published Date : 2023-09-04 11:34:18

સાળંગપુર વિવાદ દિવસેને દિવસે વકરતો જઈ રહ્યો છે. હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે રાખવામાં આવેલા ભીંતચિત્રોને કારણે વિવાદ છેડાઈ ગયો છે.  હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનના દાસ બતાવવામાં આવ્યા હોય તેવા ભીંતચિત્રો છે. આ આખો મુદ્દો સામે આવતા હિંદુ સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અનેક કથાકાર, લોકસાહિત્ય કારોએ આ મામલે પ્રતિક્રિયાઓ આપી છે. થોડા દિવસ પહેલા હર્ષદ ગઢવી નામના વ્યક્તિનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે વિવાદીત ભીંતચિત્રો પર કાળો કલર કરી રહ્યો છે. થોડા સમયની અંદર જ હર્ષદ ગઢવીને પોલીસે પકડી પાડ્યો હતો. ત્યારે હવે ફરિયાદ કરનાર સિક્યુરિટી ગાર્ડનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે ફરિયાદને લઈ ખુલાસા કરી રહ્યા છે. 

ફરિયાદીનો વીડિયો સામે આવ્યો છે  

સાળંગપુર મુદ્દાને લઈ અનેક દિવસોથી ચર્ચા ચાલી રહી છે. રોજ નવા નવા અપડેટ સામે આવી રહ્યા છે. ભક્તોની લાગણી દુભાતી હોય તેવી પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો હતો જેમાં વિવાદીત ભીંતચિત્રો પર હર્ષદ ગઢવી નામનો વ્યક્તિ કાળો કલર ફેરવી રહ્યો છે ઉપરાંત મૂર્તિને તોડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ત્યારે જે ફરિયાદીએ આ મામલે ફરિયાદ કરી છે તેમનો વીડિયો સામે આવ્યો છે. 


વીડિયોમાં શું કહી રહ્યા છે ફરિયાદી? 

વીડિયોમાં ફરિયાદીએ કહ્યું કે મારૂં નામ ભુપતભાઈ સાદુળભાઈ ખાંચરે છે. વિડિયોમાં કહ્યું છે કે મને મારી જાણ બહાર આ કેસમાં ફરિયાદી તરીકે નામ આપી દેવાયું છે ઘટના બની તે સમયે મારી ડયુટી હતી બનાવ બન્યાંને થોડીવાર પછી મને ઓફિસમાં બોલાવી પુછેલ કે તમે તૈયાજ હતા ત્યારબાદ ઓફિસમાંએક કાગળ ઉપર સહિ કરાવી હતી સોશીયલ મીડીયાના માધ્યમથી મને ખબર પડી કે મને ફરીયાદી બનાવ્યો છે.


પોલીસ કાફલો કરાયો છે તૈનાત 

મહત્વનું છે કે સાળંગપુર વિવાદને લઈ રોજે નવા નવા અપડેટ આવી રહ્યા છે. કાળા કલરની ઘટના બાદ પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. મોટા પ્રમાણમાં પોલીસને તૈનાત કરી દેવામાં આવ્યા. મહિલા ટીમને પણ ઉતારી દેવામાં આવી છે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.