Sarangpur : વિવાદીત ભીંતચિત્રો પર કાળો કલર કરનારને લઈ આવ્યા અપડેટ! ફરિયાદીએ કહ્યું


  • Published By :
  • Published Date : 2023-09-04 11:34:18

સાળંગપુર વિવાદ દિવસેને દિવસે વકરતો જઈ રહ્યો છે. હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે રાખવામાં આવેલા ભીંતચિત્રોને કારણે વિવાદ છેડાઈ ગયો છે.  હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનના દાસ બતાવવામાં આવ્યા હોય તેવા ભીંતચિત્રો છે. આ આખો મુદ્દો સામે આવતા હિંદુ સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અનેક કથાકાર, લોકસાહિત્ય કારોએ આ મામલે પ્રતિક્રિયાઓ આપી છે. થોડા દિવસ પહેલા હર્ષદ ગઢવી નામના વ્યક્તિનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે વિવાદીત ભીંતચિત્રો પર કાળો કલર કરી રહ્યો છે. થોડા સમયની અંદર જ હર્ષદ ગઢવીને પોલીસે પકડી પાડ્યો હતો. ત્યારે હવે ફરિયાદ કરનાર સિક્યુરિટી ગાર્ડનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે ફરિયાદને લઈ ખુલાસા કરી રહ્યા છે. 

ફરિયાદીનો વીડિયો સામે આવ્યો છે  

સાળંગપુર મુદ્દાને લઈ અનેક દિવસોથી ચર્ચા ચાલી રહી છે. રોજ નવા નવા અપડેટ સામે આવી રહ્યા છે. ભક્તોની લાગણી દુભાતી હોય તેવી પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો હતો જેમાં વિવાદીત ભીંતચિત્રો પર હર્ષદ ગઢવી નામનો વ્યક્તિ કાળો કલર ફેરવી રહ્યો છે ઉપરાંત મૂર્તિને તોડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ત્યારે જે ફરિયાદીએ આ મામલે ફરિયાદ કરી છે તેમનો વીડિયો સામે આવ્યો છે. 


વીડિયોમાં શું કહી રહ્યા છે ફરિયાદી? 

વીડિયોમાં ફરિયાદીએ કહ્યું કે મારૂં નામ ભુપતભાઈ સાદુળભાઈ ખાંચરે છે. વિડિયોમાં કહ્યું છે કે મને મારી જાણ બહાર આ કેસમાં ફરિયાદી તરીકે નામ આપી દેવાયું છે ઘટના બની તે સમયે મારી ડયુટી હતી બનાવ બન્યાંને થોડીવાર પછી મને ઓફિસમાં બોલાવી પુછેલ કે તમે તૈયાજ હતા ત્યારબાદ ઓફિસમાંએક કાગળ ઉપર સહિ કરાવી હતી સોશીયલ મીડીયાના માધ્યમથી મને ખબર પડી કે મને ફરીયાદી બનાવ્યો છે.


પોલીસ કાફલો કરાયો છે તૈનાત 

મહત્વનું છે કે સાળંગપુર વિવાદને લઈ રોજે નવા નવા અપડેટ આવી રહ્યા છે. કાળા કલરની ઘટના બાદ પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. મોટા પ્રમાણમાં પોલીસને તૈનાત કરી દેવામાં આવ્યા. મહિલા ટીમને પણ ઉતારી દેવામાં આવી છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી