નર્મદા ડેમ તેની 138.68 મીટરની પુર્ણ સપાટીને પાર, 23 દરવાજા ખોલાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 17:28:48


ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન મેઘમહેર થઈ છે. રાજ્યના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદ થતાં મોટા ભાગના ડેમો ઓવરફ્લો થયા છે તો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની સપાટી 138.40 મીટર પર પહોંચી જતાં ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જેના પગલે કાંઠાવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.


ડેમમાંથી  2 લાખ કયુસેક કરતાં વધારે પાણી છોડવામાં આવ્યું 


રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી હાલ 138.40 મીટર પર પહોંચી ગઈ છે. જળ સપાટી સતત વધતા નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલાં 2 લાખ કયુસેક કરતાં વધારે પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ પાસે નર્મદાની સપાટી 19.68 ફુટ સુધી પહોંચી હતી. ડેમમાંથી છોડવામાં આવતો પાણીનો જથ્થો ઘટાડવામાં આવતાં જળની સપાટી 19.68 ફુટ પર પહોંચી છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધી હોવાથી ડેમમાંથી છોડવામાં આવતું પાણી વધારવામાં આવે તેવી સંભાવના છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 2.46 લાખ કયુસેક પાણી આવી રહયું છે જેની સામે પાણીની જાવક 1.20 લાખ કયુસેક છે. નર્મદા ડેમ તેની 138.68 મીટરની પુર્ણ સપાટીને પાર કરી ગયો છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજયમાં ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો અને હળવો વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે.



ભાજપનો આંતરિક કકડાટ સતત વધી રહ્યો છે ચૂંટણી પહેલા અને બાદમાં સતત પાર્ટીના નેતાઓ નારાજ થઈ રહ્યા છે. અમરેલી ભાજપમાં નારણ કાછડિયા હાલ નારાજ છે અને તેમની નારાજગી છે ઉમેદવાર ભરત સૂતરિયાથી.. હવે નારણભાઈના થેંક્યું વાળા નિવેદન પણ ભરત ભાઈએ સીધો જવાબ આપ્યો છે.

ગેનીબેન ઠાકોર અનેક વખત પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી એક વખત તેમણે નિવેદન આપ્યું છે જેમાં તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઠાકોર સમાજના સમૂહ લગ્ન દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ વિવાદ છેડાઈ ગયો હતો.. અનેક વખત પરષોત્તમ રૂપાલાએ માફી પણ માગી.. આ બધા વચ્ચે નીતિન પટેલે ક્ષત્રિય સમાજના આંદોલનનો તેમજ પરષોત્તમ રૂપાલાનો ઉલ્લેખ કર્યો હતો..

પીએમ મોદી આવતી કાલે ઉમેદવારી ફોર્મ ભરશે વારાણસી લોકસભા બેઠક પરથી... વારાણસી બેઠકથી છેલ્લી બે ટર્મથી પીએમ મોદી ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે આ વખતે પણ આ બેઠક પરથી તે ચૂંટણી લડવાના છે..ઉમેદવારી ફોર્મ ભરવા જતી પહેલા આજે પીએમ મોદી ભવ્ય રોડ શો કરવાના છે...