નર્મદા ડેમ તેની 138.68 મીટરની પુર્ણ સપાટીને પાર, 23 દરવાજા ખોલાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 17:28:48


ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન મેઘમહેર થઈ છે. રાજ્યના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદ થતાં મોટા ભાગના ડેમો ઓવરફ્લો થયા છે તો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની સપાટી 138.40 મીટર પર પહોંચી જતાં ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જેના પગલે કાંઠાવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.


ડેમમાંથી  2 લાખ કયુસેક કરતાં વધારે પાણી છોડવામાં આવ્યું 


રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી હાલ 138.40 મીટર પર પહોંચી ગઈ છે. જળ સપાટી સતત વધતા નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલાં 2 લાખ કયુસેક કરતાં વધારે પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ પાસે નર્મદાની સપાટી 19.68 ફુટ સુધી પહોંચી હતી. ડેમમાંથી છોડવામાં આવતો પાણીનો જથ્થો ઘટાડવામાં આવતાં જળની સપાટી 19.68 ફુટ પર પહોંચી છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધી હોવાથી ડેમમાંથી છોડવામાં આવતું પાણી વધારવામાં આવે તેવી સંભાવના છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 2.46 લાખ કયુસેક પાણી આવી રહયું છે જેની સામે પાણીની જાવક 1.20 લાખ કયુસેક છે. નર્મદા ડેમ તેની 138.68 મીટરની પુર્ણ સપાટીને પાર કરી ગયો છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજયમાં ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો અને હળવો વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે