આ ચોમાસાની સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની જળ સપાટી 126 મીટરને પાર, ડેમ ઓવરફલો થવાની શક્યતા


  • Published By :
  • Published Date : 2023-07-18 14:58:16

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમની જળ સપાટી આજે 126 મીટરથી ઉપર પહોંચી ગઈ છે. ગઈકાલે સાંજે 5 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 126.09 મીટર નોંધાઈ હતી. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ પાણીની આવક 41,590 ક્યુસેક છે. છેલ્લા 24 કલાકમાં ડેમમાં પાણીની સપાટીમાં 17 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમના ઉપરવાસ માં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી તેમજ નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ થતાં ડેમ ખાતે પાણી ની આવક થતા આજ રોજ બપોરે ત્રણ કલાકે નર્મદા ડેમની જળ સપાટી 126 મીટરને પાર પહોંચી હતી. ભારે વરસાદના કારણે સતત પાણીની આવક થતાં સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. ત્યારે વર્તમાન ચોમાસાની સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમની સપાટી 126 મીટરને પાર થઈ છે.


ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી 


નર્મદા ડેમ આજે રાત્રે 126 મીટર ની સપાટી ઉપર પહોંચવાની શક્યતાઓ વર્તાઈ રહી હતી. નર્મદા ડેમની જળ સપાટી ગઈ કાલે સવારે 6:00 કલાકે 125.65 મીટર ઉપર નોંધાઈ હતી આ સપાટીમાં પ્રતિ કલાકે વધારો નોંધાયો હતો, બપોરના એક કલાકે જળ સપાટી 125.86 મીટર ઉપર પહોંચી હતી તે સમયે નર્મદા ડેમ ખાતે ઉપરવાસમાંથી 76,669 કયુસેક પાણીની આવક નોંધાઈ રહી હતી. જ્યારે કે બપોરે બે કલાકે નર્મદા ડેમની જળ સપાટી 125.89 મીટર ઉપર નોંધાઈ હતી છેલ્લે ત્રણ વાગ્યા સુધીના આંકડા પ્રાપ્ત થતા નર્મદા ડેમની જળ સપાટી 125.90 મીટર ઉપર નોંધાયાના હતા.  


ડેમ ઓવરફલો થવાની શક્યતા


સરદાર સરોવર નર્મદા ડેમની કુલ સપાટી 138.68 મીટર છે. અને ત્યાં સુધી ડેમ ભરાય તે માટે હજી વધુ ભારે વરસાદની જરૂર છે. ડેમ છલકવા માટે હવે લગભગ 10 મીટર પાણી ઓછું છે ત્યારે હજુ ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે ડેમ ચાલુ વર્ષમાં પણ ઓવરફ્લો થશે તેવી શક્યતા છે. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના દિવસે નર્મદા ડેમ ઓવરફલો થયો હતો ત્યારે આ વર્ષે પણ નર્મદા ડેમ ઓવરફ્લો થઈ શકે છે. નર્મદા ડેમમાં હાલ પાણીની આવક  41,590  ક્યુસેક છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.