Sardar Sarovar Damની વધી જળસાપાટી, Gujaratમાં વરસી રહેલા વરસાદને કારણે ડેમમાં થઈ પાણીની આવક, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-09 15:51:51

રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમયના વિરામ બાદ વરસેલા વરસાદને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ભારે વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 151 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. આટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. નર્મદા નદીની જળસપાટી 134.12 મીટરે પહોંચી છે. 138 મીટર નર્મદા ડેમની મહત્તમ સપાટી છે. 


નર્મદા ડેમની જળસપાટીમાં થયો વધારો 

દેશના અનેક રાજ્યોમાં વરસાદની સિસ્ટમ ફરી સક્રિય થઈ છે. ગુજરાત તેમજ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદ ફરી એક વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વરસી રહેલા વરસાદને કારણે નર્મદા ડેમની જળસપાટી સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સરદાર સરોવર ડેમ સરોવરની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમની જળસપાટીમાં વધારો થયો છે. 


4338.20 mcm હાલ પાણીનો જથ્થો છે    

ગુજરાતમાં ફરી શરૂ થયેલા વરસાદને કારણે ડેમોમાં પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાં થતા વરસાદને કારણે ડેમો પાણીથી છલકાઈ રહ્યા છે. નર્મદા ડેમની વાત કરીએ તો 24 કલાકમાં 12 સેમીનો વધારો નોંધાયો છે. આ સાથે હાલ નર્મદા ડેમમાં 4338.20 mcm પાણીનો જથ્થો છે. મહત્તમ સપાટી પર પહોંચવા માટે માત્ર 4.56 મીટર જ બાકી છે.   


સપ્ટેમ્બર મહિનામાં મેહુલો થયો મહેરબાન 

ગુજરાતના બીજા ડેમોની વાત કરીએ તો ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક થઈ છે. ડેમની સપાટી 340 ફૂટ છે જ્યારે હાલની સપાટી 334.78 ફૂટ પર પહોંચી ગઈ છે. ડેમમાં 15200 થી વધારે ક્યુસેક પાણીની આવક થઈ છે. મહત્વનું છે કે વરસાદ પડવાને કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ વરસ્યો ન હતો જેને કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા હતા. જગતનો તાત ચિંતિત બન્યો હતો. ત્યારે સપ્ટેમ્બર મહિનામાં મેહુલો મહેરબાન થતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.