Sardar Sarovar Damની વધી જળસાપાટી, Gujaratમાં વરસી રહેલા વરસાદને કારણે ડેમમાં થઈ પાણીની આવક, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-09 15:51:51

રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમયના વિરામ બાદ વરસેલા વરસાદને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ભારે વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 151 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. આટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. નર્મદા નદીની જળસપાટી 134.12 મીટરે પહોંચી છે. 138 મીટર નર્મદા ડેમની મહત્તમ સપાટી છે. 


નર્મદા ડેમની જળસપાટીમાં થયો વધારો 

દેશના અનેક રાજ્યોમાં વરસાદની સિસ્ટમ ફરી સક્રિય થઈ છે. ગુજરાત તેમજ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદ ફરી એક વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વરસી રહેલા વરસાદને કારણે નર્મદા ડેમની જળસપાટી સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સરદાર સરોવર ડેમ સરોવરની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમની જળસપાટીમાં વધારો થયો છે. 


4338.20 mcm હાલ પાણીનો જથ્થો છે    

ગુજરાતમાં ફરી શરૂ થયેલા વરસાદને કારણે ડેમોમાં પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાં થતા વરસાદને કારણે ડેમો પાણીથી છલકાઈ રહ્યા છે. નર્મદા ડેમની વાત કરીએ તો 24 કલાકમાં 12 સેમીનો વધારો નોંધાયો છે. આ સાથે હાલ નર્મદા ડેમમાં 4338.20 mcm પાણીનો જથ્થો છે. મહત્તમ સપાટી પર પહોંચવા માટે માત્ર 4.56 મીટર જ બાકી છે.   


સપ્ટેમ્બર મહિનામાં મેહુલો થયો મહેરબાન 

ગુજરાતના બીજા ડેમોની વાત કરીએ તો ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક થઈ છે. ડેમની સપાટી 340 ફૂટ છે જ્યારે હાલની સપાટી 334.78 ફૂટ પર પહોંચી ગઈ છે. ડેમમાં 15200 થી વધારે ક્યુસેક પાણીની આવક થઈ છે. મહત્વનું છે કે વરસાદ પડવાને કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ વરસ્યો ન હતો જેને કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા હતા. જગતનો તાત ચિંતિત બન્યો હતો. ત્યારે સપ્ટેમ્બર મહિનામાં મેહુલો મહેરબાન થતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.