Sardar Sarovar Damની વધી જળસાપાટી, Gujaratમાં વરસી રહેલા વરસાદને કારણે ડેમમાં થઈ પાણીની આવક, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-09 15:51:51

રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમયના વિરામ બાદ વરસેલા વરસાદને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ભારે વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 151 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. આટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. નર્મદા નદીની જળસપાટી 134.12 મીટરે પહોંચી છે. 138 મીટર નર્મદા ડેમની મહત્તમ સપાટી છે. 


નર્મદા ડેમની જળસપાટીમાં થયો વધારો 

દેશના અનેક રાજ્યોમાં વરસાદની સિસ્ટમ ફરી સક્રિય થઈ છે. ગુજરાત તેમજ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદ ફરી એક વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વરસી રહેલા વરસાદને કારણે નર્મદા ડેમની જળસપાટી સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સરદાર સરોવર ડેમ સરોવરની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમની જળસપાટીમાં વધારો થયો છે. 


4338.20 mcm હાલ પાણીનો જથ્થો છે    

ગુજરાતમાં ફરી શરૂ થયેલા વરસાદને કારણે ડેમોમાં પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાં થતા વરસાદને કારણે ડેમો પાણીથી છલકાઈ રહ્યા છે. નર્મદા ડેમની વાત કરીએ તો 24 કલાકમાં 12 સેમીનો વધારો નોંધાયો છે. આ સાથે હાલ નર્મદા ડેમમાં 4338.20 mcm પાણીનો જથ્થો છે. મહત્તમ સપાટી પર પહોંચવા માટે માત્ર 4.56 મીટર જ બાકી છે.   


સપ્ટેમ્બર મહિનામાં મેહુલો થયો મહેરબાન 

ગુજરાતના બીજા ડેમોની વાત કરીએ તો ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક થઈ છે. ડેમની સપાટી 340 ફૂટ છે જ્યારે હાલની સપાટી 334.78 ફૂટ પર પહોંચી ગઈ છે. ડેમમાં 15200 થી વધારે ક્યુસેક પાણીની આવક થઈ છે. મહત્વનું છે કે વરસાદ પડવાને કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ વરસ્યો ન હતો જેને કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા હતા. જગતનો તાત ચિંતિત બન્યો હતો. ત્યારે સપ્ટેમ્બર મહિનામાં મેહુલો મહેરબાન થતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી