સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 130.09 મીટરે પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-07-31 14:40:28

ગુજરાત અને મધ્યપ્રદેશમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે ગુજરાતના સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. આજે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 130 મીટરની સપાટી વટાવી ચુકી છે. જો કે હજુ પણ પાણીની સતત આવક શરૂ છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 130.09 મીટરે પહોંચી છે. સરદાર સરોવરમાં 3220.મિલીયન ક્યુબીક મીટર પાણી સ્ટોરેજ થઈ ચૂક્યું છે. વીજ મથકો સતત ચાલુ રહેતા રોજના એવરેજ 3 થી 4 કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં પણ સતત વધારો થતાં નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવી છે.


ડેમ ઓવરફલો થવાની શક્યતા
 

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થતાં આ વર્ષે પણ ડેમ ઓવરફ્લો થાય તેવી શક્યતા છે. ડેમમાં પાણીની આવકના કારણે નર્મદા ડેમની સપાટી 130.09 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની કૂલ સપાટી 138. 68 મીટર છે. ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઓવરફ્લો થશે તેવી શક્યતા છે. નર્મદા ડેમમાં હાલ પાણીની આવક 54,572 ક્યુસેક છે. આ દરમિયાન નર્મદા ડેમમાં છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 16 સે.મી.નો વધારો થયો છે.સરદાર સરોવર ડેમ સંપૂર્ણપણે જળ થી ભરાવવામાં હજુ 8.65 મીટર બાકી છે.


નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ 


સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થતા નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ નર્મદા ડેમમાં હાલમાં ઉપરવાસમાંથી થઇ રહેલી પાણીની આવકની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને ડેમમાંથી નર્મદા નદીમાં પાણીના છોડાઈ રહેલા જથ્થાની સ્થિતિને જોતા આગમચેતીના પગલાંના ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્રને એલર્ટ રહેવા કહ્યું છે. આ ઉપરાંત નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના મામલતદાર, જિલ્લા પોલીસ સહિત સંબંધકર્તા તમામ વિભાગોને પૂરતી તૈયારી અને એલર્ટ મેસેજથી સાવચેતીના તમામ પગલાંઓ ભરવા સહિતની માહિતી આપી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.