સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 130.09 મીટરે પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-07-31 14:40:28

ગુજરાત અને મધ્યપ્રદેશમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે ગુજરાતના સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. આજે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 130 મીટરની સપાટી વટાવી ચુકી છે. જો કે હજુ પણ પાણીની સતત આવક શરૂ છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 130.09 મીટરે પહોંચી છે. સરદાર સરોવરમાં 3220.મિલીયન ક્યુબીક મીટર પાણી સ્ટોરેજ થઈ ચૂક્યું છે. વીજ મથકો સતત ચાલુ રહેતા રોજના એવરેજ 3 થી 4 કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં પણ સતત વધારો થતાં નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવી છે.


ડેમ ઓવરફલો થવાની શક્યતા
 

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થતાં આ વર્ષે પણ ડેમ ઓવરફ્લો થાય તેવી શક્યતા છે. ડેમમાં પાણીની આવકના કારણે નર્મદા ડેમની સપાટી 130.09 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની કૂલ સપાટી 138. 68 મીટર છે. ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઓવરફ્લો થશે તેવી શક્યતા છે. નર્મદા ડેમમાં હાલ પાણીની આવક 54,572 ક્યુસેક છે. આ દરમિયાન નર્મદા ડેમમાં છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 16 સે.મી.નો વધારો થયો છે.સરદાર સરોવર ડેમ સંપૂર્ણપણે જળ થી ભરાવવામાં હજુ 8.65 મીટર બાકી છે.


નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ 


સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થતા નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ નર્મદા ડેમમાં હાલમાં ઉપરવાસમાંથી થઇ રહેલી પાણીની આવકની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને ડેમમાંથી નર્મદા નદીમાં પાણીના છોડાઈ રહેલા જથ્થાની સ્થિતિને જોતા આગમચેતીના પગલાંના ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્રને એલર્ટ રહેવા કહ્યું છે. આ ઉપરાંત નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના મામલતદાર, જિલ્લા પોલીસ સહિત સંબંધકર્તા તમામ વિભાગોને પૂરતી તૈયારી અને એલર્ટ મેસેજથી સાવચેતીના તમામ પગલાંઓ ભરવા સહિતની માહિતી આપી છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .