મહારાષ્ટ્રના સતારામાં કોમી આગ ભડકી, પથ્થરમારો અને આગજની બાદ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા ઠપ


  • Published By :
  • Published Date : 2023-09-11 14:25:42

મહારાષ્ટ્રમાં ફરી એક વખત કોમી તોફાનોની ફાટી નિકળ્યા છે, રાજ્યના સતારા જિલ્લામાં બે સમુદાય વચ્ચે તંગદીલી સર્જાઈ છે. જિલ્લામાં ઠેર ઠેર પથ્થરમારો અને આગજનીની ઘટનાઓ બનતા પોલીસકર્મીઓ ખડકી દેવામાં આવ્યા છે. સતારા જિલ્લામાં રમખાણોના ડર વચ્ચે પોલીસ પહોંચી અને બળજબરીથી લોકોને રસ્તા પરથી હટાવ્યામાં આવ્યા હતા. મામલાની શંકાસ્પદને ધ્યાનમાં લઈને સરકારે ઈન્ટરનેટ સુવિધા બંધ કરવાનો હુકમ જારી કર્યો છે. એક ધાર્મિક સ્થળ પર પથ્થરમારાથી આ કોમી આગને પલીતો ચાંપવામાં આવ્યો હતો. કાયદો અને સુરક્ષા જળવાઈ રહે તે માટે દરેક સ્થળે સુરક્ષા દળો ખડકી દેવામાં આવે છે.  


સોશિયલ મીડિયા પોસ્ટથી કોમી આગ ભડકી


આ સમગ્ર મામલાની શરૂઆત 15 ઓગસ્ટથી સતારામાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ની પોસ્ટ સતત શેર કરવામાં આવી રહી હતી. જેના કારણે ખટાવ તાલુકાના પોસ સાવલીમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. અહીં કેટલાક તોફાનીઓએ મહાપુરુષો વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ પણ કરી છે. જેના કારણે રવિવારે રાત્રે મામલો વણસ્યો ​​હતો અને બંને પક્ષો સામસામે આવી ગયા હતા. બે સમુદાયો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે એક મંદિર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ધાર્મિક સ્થળ પર પથ્થરમારો થતાં મામલો વધી ગયો હતો. આ ઘટના દરમિયાન ઘણી જગ્યાએ બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો હતો. તોફાની કરતા લોકોએ અનેક જગ્યાએ પણ આગ ચાંપી હતી. જ્યારે પોલીસને આ અંગેની માહિતી મળી તો તેમણે બંને પક્ષોને અલગ કરવા માટે બળપ્રયોગ કર્યો. હાલ પરિસ્થિતિ વણસતી જોઈને પોલીસે સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ સુવિધા સંપૂર્ણપણે બંધ કરી દીધી છે.


જિલ્લામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી


સતારામાં ફાટી નિકળેલા આ ભયાનક કોમી રમખાણોમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જ્યારે રમખાણો ફાટી નીકળ્યા ત્યારે પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને પોલીસ ફોર્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને પોલીસે બળપ્રયોગ કર્યો અને તોફાની તત્વોને ઘટના સ્થળેથી ભગાડી દીધી છે. જિલ્લામાં હાલ સ્થિતિ હજુ પણ ભારેલા અગ્નિ જેવી છે. 


પોલીસે લોકોને કરી શાંતિની અપીલ  


સતારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીનું નિરિક્ષણ કરવા માટે પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ તોફાનગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા છે. સતારા જિલ્લા વહીવટીતંત્રે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર લોકોને શાંતિની અપીલ કરતી એક પોસ્ટ કરી છે. સતારા જિલ્લા કલેક્ટર જીતેન્દ્ર ડુડી અને પોલીસ અધિક્ષક સમીર શેખે કરેલી અપીલ મુજબ, “સતારા જિલ્લામાં તંગદીલીની પૃષ્ઠભૂમિ પર, જિલ્લા વહીવટીતંત્ર સતારા જિલ્લાના નાગરિકોને કોઈપણ અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી રહ્યું છે. લોકોએ સોશિયલ મીડિયા પર એવી કોઈ પણ સામગ્રી પોસ્ટ કરવાનું ટાળવું જોઈએ જે સંભવિત રીતે સાંપ્રદાયિક વિખવાદ પેદા કરી શકે અને કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડી શકે છે".



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.