UttarPradeshના Hathrasમાં સત્સંગમાં નાસભાગ, બહાર નીકળવાની લોકોને એટલી બધી ઉતાવળ હતી કે...!


  • Published By :
  • Published Date : 2024-07-02 18:33:16

ઉત્તરપ્રદેશના હાથરસમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે... ભોલેબાબાના સત્સંગમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર હતા..મળતી માહિતી અનુસાર સત્સંગ દરમિયાન નાસભાગ મચી જેમાં 27 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે 100 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોની સંખ્યામાં વધારો પણ થઈ શકે છે. એ પ્રમાણે માહિતી સામે આવી છે તે અનુસાર સત્સંગ કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને તેના સમાપન દરમિયાન નાસભાગ થઈ.. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે...

27 જેટલા લોકોના મોત થયા જ્યારે અનેક લોકો ઘાયલ થયા..

દુર્ઘટના ક્યારે પણ અને કોઈની સાથે પણ સર્જાઈ શકે છે તે વાત આપણે કહેતા હોઈએ છીએ.. ત્યારે ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાથી એક ખુબજ દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. એટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે કે 27 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે 100 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. બહાર નીકળવાની કોશિશમાં લોકો એક બીજાને ધક્કા મારવા લાગ્યા અને આ દુર્ઘટના સર્જાઈ... જે લોકો મૃત્યુ પામ્યા છે તેમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે.. મૃતકોની સંખ્યા હજી વધી પણ શકે છે તેવું લાગી રહ્યું છે..



રાષ્ટ્રપતિ તેમજ મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો 

એ પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે સત્સંગ પૂર્ણ થયા બાદ લોકોને બહાર નીકળવાની ઉતાવળ હતી.. મોટી સંખ્યામાં લોકો હાજર હતા, એટલે લોકોએ બહાર નીકળવા માટે ધક્કામુકી થઈ ગઈ.. બહાર નીકળવાની ઉતાવળમાં અફરાતફરી મચી ગઈ.. ધક્કા મુક્કી એ હદે વધી ગઈ કે લોકો નીચે પડી ગયા હતા તેમના પરથી લોકો જવા લાગ્યા! ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે વિચલીત કરી દે તેવા છે.. આ ઘટના સામે આવતા સ્થાનિક પ્રશાસન ત્યાં પહોંચી ગયું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મુખ્મયંત્રી યોગી આદિત્યનાથ, રાષ્ટ્રપતિ દ્વારા આ ઘટનાને લઈ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.   



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.