UttarPradeshના Hathrasમાં સત્સંગમાં નાસભાગ, બહાર નીકળવાની લોકોને એટલી બધી ઉતાવળ હતી કે...!


  • Published By :
  • Published Date : 2024-07-02 18:33:16

ઉત્તરપ્રદેશના હાથરસમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે... ભોલેબાબાના સત્સંગમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર હતા..મળતી માહિતી અનુસાર સત્સંગ દરમિયાન નાસભાગ મચી જેમાં 27 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે 100 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોની સંખ્યામાં વધારો પણ થઈ શકે છે. એ પ્રમાણે માહિતી સામે આવી છે તે અનુસાર સત્સંગ કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને તેના સમાપન દરમિયાન નાસભાગ થઈ.. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે...

27 જેટલા લોકોના મોત થયા જ્યારે અનેક લોકો ઘાયલ થયા..

દુર્ઘટના ક્યારે પણ અને કોઈની સાથે પણ સર્જાઈ શકે છે તે વાત આપણે કહેતા હોઈએ છીએ.. ત્યારે ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાથી એક ખુબજ દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. એટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે કે 27 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે 100 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. બહાર નીકળવાની કોશિશમાં લોકો એક બીજાને ધક્કા મારવા લાગ્યા અને આ દુર્ઘટના સર્જાઈ... જે લોકો મૃત્યુ પામ્યા છે તેમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે.. મૃતકોની સંખ્યા હજી વધી પણ શકે છે તેવું લાગી રહ્યું છે..



રાષ્ટ્રપતિ તેમજ મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો 

એ પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે સત્સંગ પૂર્ણ થયા બાદ લોકોને બહાર નીકળવાની ઉતાવળ હતી.. મોટી સંખ્યામાં લોકો હાજર હતા, એટલે લોકોએ બહાર નીકળવા માટે ધક્કામુકી થઈ ગઈ.. બહાર નીકળવાની ઉતાવળમાં અફરાતફરી મચી ગઈ.. ધક્કા મુક્કી એ હદે વધી ગઈ કે લોકો નીચે પડી ગયા હતા તેમના પરથી લોકો જવા લાગ્યા! ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે વિચલીત કરી દે તેવા છે.. આ ઘટના સામે આવતા સ્થાનિક પ્રશાસન ત્યાં પહોંચી ગયું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મુખ્મયંત્રી યોગી આદિત્યનાથ, રાષ્ટ્રપતિ દ્વારા આ ઘટનાને લઈ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.   



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.