Saudi Arabia : હજ માટે મક્કા ગયેલા અનેક હજ યાત્રીઓના નિપજ્યા મોત, આંકડો 1000ને પાર પહોંચ્યા હોવાની વાતો, જાણો શું હોઈ શકે છે મોતનું કારણ?


  • Published By :
  • Published Date : 2024-06-22 15:28:12

હજ યાત્રા કરવાનું સપનું દરેક મુસલમાનોનું હોય છે. સાઉદી અરેબિયાના મક્કામાં દર વર્ષે હજ યાત્રા કરવા માટે મોટી સંખ્યામાં મુસલમાનો દેશ વિદેશમાંથી જતા હોય છે. ભારતમાંથી પણ  મોટી સંખ્યામાં હજ યાત્રીઓ હજ યાત્રા કરવા માટે ગયા છે. આ વર્ષે હજમાં ગયેલા અનેક લોકો મોતને ભેટ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર અંદાજીત હજાર જેટલા લોકોના મોત હજ યાત્રા દરમિયાન થઈ ગયા છે. એવી માહિતી સામે આવી છે કે ભીષણ ગરમીને કારણે આટલા લોકો મોતને ભેટ્યા છે.



મક્કા જવાની ઈચ્છા દરેક મુસલમાનની હોય છે.

ગરમીનો પારો સતત વધી રહ્યો છે. આપણે ત્યાં તો ભીષણ ગરમીને સહન આપણે કરી રહ્યા છીએ. પરંતુ વિશ્વના અનેક દેશોમાં પણ આ ગરમી જીવલેણ સાબિત થઈ છે. અનેક દેશોમાં તાપમાનનો પારો એટલો બધો વધી ગયો છે કે મોટી સંખ્યામાં લોકો મોતને ભેટે છે. આજે વાત સાઉદી અરેબિયાના મક્કાની વાત કરવી છે જ્યાં મુસ્લિમો હજ કરવા માટે જતા હોય છે. જીવનભર મક્કા જવા માટે લોકો પૈસા ભેગા કરતા હોય છે અને નસીબમાં હોય તો જ મક્કા જવાય તેવું માનવામાં આવે છે.. 

મક્કામાં ગરમીના કારણે યાત્રીઓ બીમાર પડ્યા હતા.


હજાર જેટલા લોકોના મોત થયા હોવાની આશંકા

સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે કોઈ પણ યાત્રા એટલી સરળ નથી હોતી. આ વખતની હજ યાત્રા હજ યાત્રિકો માટે કઠિન સાબિત થઈ રહી છે. યાત્રીઓએ ભીષણ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વર્ષે હજાર જેટલા લોકોના મોત થઈ ગયા છે આ યાત્રા દરમિયાન તેવી માહિતી સામે આવી છે. એવું પણ લાગી રહ્યું છે કે આ મોતનો આંકડો વધી પણ શકે છે. 




અનેક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં... 

મોત થવા પાછળના અનેક કારણો હોઈ શકે છે જેમણે વ્યવસ્થિત વ્યવસ્થા ના હોવી, પાણીની સુવિધા ના હોવી. મોટી સંખ્યામાં લોકોની હાજરી હોવી વગેરે વગેરે.. સોશિયલ મીડિયા પર અનેક તસવીરો, વીડિયો સામે આવ્યા છે જેમાં લોકો રસ્તા પર બેહોશ અથવા તો મૃત્યુ પામેલા દેખાઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર મક્કામાં હજ દરમિયાન 51.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ભીષણ ગરમી લોકોના મોતનું કારણ બન્યું છે. 



ભારતમાંથી પણ અનેક લોકો ગયા છે હજ યાત્રા માટે.. 

એવી માહિતી પણ સામે આવી છે કે હજ યાત્રા કરવા માટે ભારતમાંથી પણ લોકો ગયા હતા. એવી માહિતી સામે આવી છે કે આ વર્ષે હજ કરવા માટે ગયેલા 98 જેટલા ભારતીયોના મોત થઈ ગયા છે. 1,70,000થી વધારે ભારતીયો હજ માટે સાઉદી અરેબિયા ગયા છે. કયા દેશમાંથી હજ યાત્રા માટે કેટલા યાત્રીઓ આવશે તેની સંખ્યા સાઉડી અરેબિયા દ્વારા નક્કી કરવામાં આવે છે. જે સંખ્યા નક્કી કરવામાં તે પ્રમાણે તે દેશથી હજ માટે યાત્રીકો ત્યાં જાય છે. મહત્વનું છે કે હજ યાત્રા દરમિયાન કેટલા લોકોના મોત થયા છે તેનો આંકડો સામે આવ્યો નથી. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.