Saudi Arabia : હજ માટે મક્કા ગયેલા અનેક હજ યાત્રીઓના નિપજ્યા મોત, આંકડો 1000ને પાર પહોંચ્યા હોવાની વાતો, જાણો શું હોઈ શકે છે મોતનું કારણ?


  • Published By :
  • Published Date : 2024-06-22 15:28:12

હજ યાત્રા કરવાનું સપનું દરેક મુસલમાનોનું હોય છે. સાઉદી અરેબિયાના મક્કામાં દર વર્ષે હજ યાત્રા કરવા માટે મોટી સંખ્યામાં મુસલમાનો દેશ વિદેશમાંથી જતા હોય છે. ભારતમાંથી પણ  મોટી સંખ્યામાં હજ યાત્રીઓ હજ યાત્રા કરવા માટે ગયા છે. આ વર્ષે હજમાં ગયેલા અનેક લોકો મોતને ભેટ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર અંદાજીત હજાર જેટલા લોકોના મોત હજ યાત્રા દરમિયાન થઈ ગયા છે. એવી માહિતી સામે આવી છે કે ભીષણ ગરમીને કારણે આટલા લોકો મોતને ભેટ્યા છે.



મક્કા જવાની ઈચ્છા દરેક મુસલમાનની હોય છે.

ગરમીનો પારો સતત વધી રહ્યો છે. આપણે ત્યાં તો ભીષણ ગરમીને સહન આપણે કરી રહ્યા છીએ. પરંતુ વિશ્વના અનેક દેશોમાં પણ આ ગરમી જીવલેણ સાબિત થઈ છે. અનેક દેશોમાં તાપમાનનો પારો એટલો બધો વધી ગયો છે કે મોટી સંખ્યામાં લોકો મોતને ભેટે છે. આજે વાત સાઉદી અરેબિયાના મક્કાની વાત કરવી છે જ્યાં મુસ્લિમો હજ કરવા માટે જતા હોય છે. જીવનભર મક્કા જવા માટે લોકો પૈસા ભેગા કરતા હોય છે અને નસીબમાં હોય તો જ મક્કા જવાય તેવું માનવામાં આવે છે.. 

મક્કામાં ગરમીના કારણે યાત્રીઓ બીમાર પડ્યા હતા.


હજાર જેટલા લોકોના મોત થયા હોવાની આશંકા

સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે કોઈ પણ યાત્રા એટલી સરળ નથી હોતી. આ વખતની હજ યાત્રા હજ યાત્રિકો માટે કઠિન સાબિત થઈ રહી છે. યાત્રીઓએ ભીષણ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વર્ષે હજાર જેટલા લોકોના મોત થઈ ગયા છે આ યાત્રા દરમિયાન તેવી માહિતી સામે આવી છે. એવું પણ લાગી રહ્યું છે કે આ મોતનો આંકડો વધી પણ શકે છે. 




અનેક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં... 

મોત થવા પાછળના અનેક કારણો હોઈ શકે છે જેમણે વ્યવસ્થિત વ્યવસ્થા ના હોવી, પાણીની સુવિધા ના હોવી. મોટી સંખ્યામાં લોકોની હાજરી હોવી વગેરે વગેરે.. સોશિયલ મીડિયા પર અનેક તસવીરો, વીડિયો સામે આવ્યા છે જેમાં લોકો રસ્તા પર બેહોશ અથવા તો મૃત્યુ પામેલા દેખાઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર મક્કામાં હજ દરમિયાન 51.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ભીષણ ગરમી લોકોના મોતનું કારણ બન્યું છે. 



ભારતમાંથી પણ અનેક લોકો ગયા છે હજ યાત્રા માટે.. 

એવી માહિતી પણ સામે આવી છે કે હજ યાત્રા કરવા માટે ભારતમાંથી પણ લોકો ગયા હતા. એવી માહિતી સામે આવી છે કે આ વર્ષે હજ કરવા માટે ગયેલા 98 જેટલા ભારતીયોના મોત થઈ ગયા છે. 1,70,000થી વધારે ભારતીયો હજ માટે સાઉદી અરેબિયા ગયા છે. કયા દેશમાંથી હજ યાત્રા માટે કેટલા યાત્રીઓ આવશે તેની સંખ્યા સાઉડી અરેબિયા દ્વારા નક્કી કરવામાં આવે છે. જે સંખ્યા નક્કી કરવામાં તે પ્રમાણે તે દેશથી હજ માટે યાત્રીકો ત્યાં જાય છે. મહત્વનું છે કે હજ યાત્રા દરમિયાન કેટલા લોકોના મોત થયા છે તેનો આંકડો સામે આવ્યો નથી. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી