Saudi Arabia : હજ માટે મક્કા ગયેલા અનેક હજ યાત્રીઓના નિપજ્યા મોત, આંકડો 1000ને પાર પહોંચ્યા હોવાની વાતો, જાણો શું હોઈ શકે છે મોતનું કારણ?


  • Published By :
  • Published Date : 2024-06-22 15:28:12

હજ યાત્રા કરવાનું સપનું દરેક મુસલમાનોનું હોય છે. સાઉદી અરેબિયાના મક્કામાં દર વર્ષે હજ યાત્રા કરવા માટે મોટી સંખ્યામાં મુસલમાનો દેશ વિદેશમાંથી જતા હોય છે. ભારતમાંથી પણ  મોટી સંખ્યામાં હજ યાત્રીઓ હજ યાત્રા કરવા માટે ગયા છે. આ વર્ષે હજમાં ગયેલા અનેક લોકો મોતને ભેટ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર અંદાજીત હજાર જેટલા લોકોના મોત હજ યાત્રા દરમિયાન થઈ ગયા છે. એવી માહિતી સામે આવી છે કે ભીષણ ગરમીને કારણે આટલા લોકો મોતને ભેટ્યા છે.



મક્કા જવાની ઈચ્છા દરેક મુસલમાનની હોય છે.

ગરમીનો પારો સતત વધી રહ્યો છે. આપણે ત્યાં તો ભીષણ ગરમીને સહન આપણે કરી રહ્યા છીએ. પરંતુ વિશ્વના અનેક દેશોમાં પણ આ ગરમી જીવલેણ સાબિત થઈ છે. અનેક દેશોમાં તાપમાનનો પારો એટલો બધો વધી ગયો છે કે મોટી સંખ્યામાં લોકો મોતને ભેટે છે. આજે વાત સાઉદી અરેબિયાના મક્કાની વાત કરવી છે જ્યાં મુસ્લિમો હજ કરવા માટે જતા હોય છે. જીવનભર મક્કા જવા માટે લોકો પૈસા ભેગા કરતા હોય છે અને નસીબમાં હોય તો જ મક્કા જવાય તેવું માનવામાં આવે છે.. 

મક્કામાં ગરમીના કારણે યાત્રીઓ બીમાર પડ્યા હતા.


હજાર જેટલા લોકોના મોત થયા હોવાની આશંકા

સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે કોઈ પણ યાત્રા એટલી સરળ નથી હોતી. આ વખતની હજ યાત્રા હજ યાત્રિકો માટે કઠિન સાબિત થઈ રહી છે. યાત્રીઓએ ભીષણ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વર્ષે હજાર જેટલા લોકોના મોત થઈ ગયા છે આ યાત્રા દરમિયાન તેવી માહિતી સામે આવી છે. એવું પણ લાગી રહ્યું છે કે આ મોતનો આંકડો વધી પણ શકે છે. 




અનેક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં... 

મોત થવા પાછળના અનેક કારણો હોઈ શકે છે જેમણે વ્યવસ્થિત વ્યવસ્થા ના હોવી, પાણીની સુવિધા ના હોવી. મોટી સંખ્યામાં લોકોની હાજરી હોવી વગેરે વગેરે.. સોશિયલ મીડિયા પર અનેક તસવીરો, વીડિયો સામે આવ્યા છે જેમાં લોકો રસ્તા પર બેહોશ અથવા તો મૃત્યુ પામેલા દેખાઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર મક્કામાં હજ દરમિયાન 51.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ભીષણ ગરમી લોકોના મોતનું કારણ બન્યું છે. 



ભારતમાંથી પણ અનેક લોકો ગયા છે હજ યાત્રા માટે.. 

એવી માહિતી પણ સામે આવી છે કે હજ યાત્રા કરવા માટે ભારતમાંથી પણ લોકો ગયા હતા. એવી માહિતી સામે આવી છે કે આ વર્ષે હજ કરવા માટે ગયેલા 98 જેટલા ભારતીયોના મોત થઈ ગયા છે. 1,70,000થી વધારે ભારતીયો હજ માટે સાઉદી અરેબિયા ગયા છે. કયા દેશમાંથી હજ યાત્રા માટે કેટલા યાત્રીઓ આવશે તેની સંખ્યા સાઉડી અરેબિયા દ્વારા નક્કી કરવામાં આવે છે. જે સંખ્યા નક્કી કરવામાં તે પ્રમાણે તે દેશથી હજ માટે યાત્રીકો ત્યાં જાય છે. મહત્વનું છે કે હજ યાત્રા દરમિયાન કેટલા લોકોના મોત થયા છે તેનો આંકડો સામે આવ્યો નથી. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.