સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર પાર્ટી પર અપનાવી રહ્યા છે પ્રેશર ટેક્નિક! રાજીનામું આપ્યા બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું ‘જુના કાર્યકર્તાઓની અવગણના ન કરો’


  • Published By :
  • Published Date : 2024-03-19 12:44:11

સવારથી એક વાતની ચર્ચા થઈ રહી છે કે વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષને તેમણે ઈ-મેલ કર્યો છે પદ છોડવા અંગેની વાત કરી છે. મળતી માહિતી અનુસાર વિધાનસભા અધ્યક્ષે તેમના રાજીનામાનો સ્વીકાર નથી કર્યો. રાજીનામું આપ્યા બાદ કેતન ઈનામદારની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે પોતાની વ્યથા ઠાલવી છે. પોતાની વ્યથા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે બે હાથ જોડીને કહું છું કે, જુના કાર્યકર્તાઓની અવગણના ન થાય. પાર્ટીને મોટી કરો પાર્ટીનો વ્યાપ વધારો એનાથી સમ્મત છું.   

રાજીનામું આપ્યા બાદ ધારાસભ્યએ આપી પ્રતિક્રિયા!

આપણી સમક્ષ અનેક એવા ઉદાહરણો છે જેમાં ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. સામાન્ય રીતે જે ધારાસભ્યોએ પદ છોડ્યું છે તે કોંગ્રેસના હતા અથવા તો આમ આદમી પાર્ટીના હતા. પરંતુ આ વખતે ભાજપના ધારાસભ્યએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે જેને કારણે અનેક તર્ક વિતર્ક ઉભા થાય છે. રાજીનામું આપ્યા બાદ કેતન ઈનામદારની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તે પોતાનો બળાપો ઠાલવી રહ્યા હોય તેવું લાગે છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે  ‘આ રાજીનામું કોઇ પ્રેશર ટેક્નિક કે એવું કાંઇ નથી. કેટલાય વખતથી મને એવુ હતુ કે, પાર્ટી સર્વોચ્ય છે અને પાર્ટી કહે તે પ્રમાણે અમારે કામ કરવું પડે છે. 


દરેક લોકો સત્તા માટે નથી આવતા - કેતન ઈનામદાર 

વધુમાં તેમણે કહ્યું કે પરંતુ જૂના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં ક્યાંક કોઇ કચાશ લાગે છે. મેં ઘણીવાર આ અંગે હળવી રીતે રજૂઆત કરી છે, બધાને આ અંગે જણાવ્યુ છે. નેતાઓ સત્તા માટે જ રાજકારણમાં આવતા હોય છે તેવો એક ભ્રમ લોકોમાં થઇ ગયો છે. દરેક લોકો સત્તા માટે નથી આવતા. 2012માં અપક્ષ તરીકે જીત્યો ત્યારથી આજ સુધી હું મારી સાવલી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરું છુ.’ 



‘જુના કાર્યકર્તાઓની અવગણના ન કરો’

કેતન ઈનામદારે કહ્યુ કે, ‘બે હાથ જોડીને કહું છું કે, જુના કાર્યકર્તાઓની અવગણના ન થાય. પાર્ટીને મોટી કરો પાર્ટીનો વ્યાપ વધારો એનાથી સમ્મત છું. પરિવાર હંમેશા મોટો થવો જોઇએ. હું રાજીનામા પછી પણ ભાજપનો કાર્યકર્તા છુ અને લોકસભાની મારી વડોદરા સીટ રંજનબેન ભટ્ટને સૌથી સારામાં સારી લીડ મળે તે માટે હું તત્પર છું પરંતુ આ રાજીનામું મારા અંતર આત્માનો અવાજ છે.  ‘અંતર આત્માના અવાજમાં એવું છે કે, જાહેર જીવનમાં જ્યારથી આવ્યો છું ત્યારથી લોકોને માનસન્માન આપ્યું છે. આખી જીંદગી લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરીશ. પોતાના માન સન્માનના ભોગે કોઇપણ વસ્તુ મને પોતાને વ્યાજબી લાગતી નથી. ' 



ભાજપમાં હજારોની સંખ્યામાં જોડાય છે કાર્યકર્તાઓ!

મહત્વનું છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપમાં ભરતીમેળો જોવા મળી રહ્યો છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. પ્રતિદિન હજારોની સંખ્યામાં બીજા પક્ષમાંથી કાર્યકરો તેમજ નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આની પહેલા એક પોસ્ટ સામે આવી હતી જેમાં ભાજપના નેતાનો ગુસ્સો ઠલવાઈ રહ્યો હતો.!   

   



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે