સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર પાર્ટી પર અપનાવી રહ્યા છે પ્રેશર ટેક્નિક! રાજીનામું આપ્યા બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું ‘જુના કાર્યકર્તાઓની અવગણના ન કરો’


  • Published By :
  • Published Date : 2024-03-19 12:44:11

સવારથી એક વાતની ચર્ચા થઈ રહી છે કે વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષને તેમણે ઈ-મેલ કર્યો છે પદ છોડવા અંગેની વાત કરી છે. મળતી માહિતી અનુસાર વિધાનસભા અધ્યક્ષે તેમના રાજીનામાનો સ્વીકાર નથી કર્યો. રાજીનામું આપ્યા બાદ કેતન ઈનામદારની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે પોતાની વ્યથા ઠાલવી છે. પોતાની વ્યથા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે બે હાથ જોડીને કહું છું કે, જુના કાર્યકર્તાઓની અવગણના ન થાય. પાર્ટીને મોટી કરો પાર્ટીનો વ્યાપ વધારો એનાથી સમ્મત છું.   

રાજીનામું આપ્યા બાદ ધારાસભ્યએ આપી પ્રતિક્રિયા!

આપણી સમક્ષ અનેક એવા ઉદાહરણો છે જેમાં ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. સામાન્ય રીતે જે ધારાસભ્યોએ પદ છોડ્યું છે તે કોંગ્રેસના હતા અથવા તો આમ આદમી પાર્ટીના હતા. પરંતુ આ વખતે ભાજપના ધારાસભ્યએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે જેને કારણે અનેક તર્ક વિતર્ક ઉભા થાય છે. રાજીનામું આપ્યા બાદ કેતન ઈનામદારની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તે પોતાનો બળાપો ઠાલવી રહ્યા હોય તેવું લાગે છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે  ‘આ રાજીનામું કોઇ પ્રેશર ટેક્નિક કે એવું કાંઇ નથી. કેટલાય વખતથી મને એવુ હતુ કે, પાર્ટી સર્વોચ્ય છે અને પાર્ટી કહે તે પ્રમાણે અમારે કામ કરવું પડે છે. 


દરેક લોકો સત્તા માટે નથી આવતા - કેતન ઈનામદાર 

વધુમાં તેમણે કહ્યું કે પરંતુ જૂના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં ક્યાંક કોઇ કચાશ લાગે છે. મેં ઘણીવાર આ અંગે હળવી રીતે રજૂઆત કરી છે, બધાને આ અંગે જણાવ્યુ છે. નેતાઓ સત્તા માટે જ રાજકારણમાં આવતા હોય છે તેવો એક ભ્રમ લોકોમાં થઇ ગયો છે. દરેક લોકો સત્તા માટે નથી આવતા. 2012માં અપક્ષ તરીકે જીત્યો ત્યારથી આજ સુધી હું મારી સાવલી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરું છુ.’ 



‘જુના કાર્યકર્તાઓની અવગણના ન કરો’

કેતન ઈનામદારે કહ્યુ કે, ‘બે હાથ જોડીને કહું છું કે, જુના કાર્યકર્તાઓની અવગણના ન થાય. પાર્ટીને મોટી કરો પાર્ટીનો વ્યાપ વધારો એનાથી સમ્મત છું. પરિવાર હંમેશા મોટો થવો જોઇએ. હું રાજીનામા પછી પણ ભાજપનો કાર્યકર્તા છુ અને લોકસભાની મારી વડોદરા સીટ રંજનબેન ભટ્ટને સૌથી સારામાં સારી લીડ મળે તે માટે હું તત્પર છું પરંતુ આ રાજીનામું મારા અંતર આત્માનો અવાજ છે.  ‘અંતર આત્માના અવાજમાં એવું છે કે, જાહેર જીવનમાં જ્યારથી આવ્યો છું ત્યારથી લોકોને માનસન્માન આપ્યું છે. આખી જીંદગી લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરીશ. પોતાના માન સન્માનના ભોગે કોઇપણ વસ્તુ મને પોતાને વ્યાજબી લાગતી નથી. ' 



ભાજપમાં હજારોની સંખ્યામાં જોડાય છે કાર્યકર્તાઓ!

મહત્વનું છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપમાં ભરતીમેળો જોવા મળી રહ્યો છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. પ્રતિદિન હજારોની સંખ્યામાં બીજા પક્ષમાંથી કાર્યકરો તેમજ નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આની પહેલા એક પોસ્ટ સામે આવી હતી જેમાં ભાજપના નેતાનો ગુસ્સો ઠલવાઈ રહ્યો હતો.!   

   



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"