સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર પાર્ટી પર અપનાવી રહ્યા છે પ્રેશર ટેક્નિક! રાજીનામું આપ્યા બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું ‘જુના કાર્યકર્તાઓની અવગણના ન કરો’


  • Published By :
  • Published Date : 2024-03-19 12:44:11

સવારથી એક વાતની ચર્ચા થઈ રહી છે કે વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષને તેમણે ઈ-મેલ કર્યો છે પદ છોડવા અંગેની વાત કરી છે. મળતી માહિતી અનુસાર વિધાનસભા અધ્યક્ષે તેમના રાજીનામાનો સ્વીકાર નથી કર્યો. રાજીનામું આપ્યા બાદ કેતન ઈનામદારની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે પોતાની વ્યથા ઠાલવી છે. પોતાની વ્યથા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે બે હાથ જોડીને કહું છું કે, જુના કાર્યકર્તાઓની અવગણના ન થાય. પાર્ટીને મોટી કરો પાર્ટીનો વ્યાપ વધારો એનાથી સમ્મત છું.   

રાજીનામું આપ્યા બાદ ધારાસભ્યએ આપી પ્રતિક્રિયા!

આપણી સમક્ષ અનેક એવા ઉદાહરણો છે જેમાં ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. સામાન્ય રીતે જે ધારાસભ્યોએ પદ છોડ્યું છે તે કોંગ્રેસના હતા અથવા તો આમ આદમી પાર્ટીના હતા. પરંતુ આ વખતે ભાજપના ધારાસભ્યએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે જેને કારણે અનેક તર્ક વિતર્ક ઉભા થાય છે. રાજીનામું આપ્યા બાદ કેતન ઈનામદારની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તે પોતાનો બળાપો ઠાલવી રહ્યા હોય તેવું લાગે છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે  ‘આ રાજીનામું કોઇ પ્રેશર ટેક્નિક કે એવું કાંઇ નથી. કેટલાય વખતથી મને એવુ હતુ કે, પાર્ટી સર્વોચ્ય છે અને પાર્ટી કહે તે પ્રમાણે અમારે કામ કરવું પડે છે. 


દરેક લોકો સત્તા માટે નથી આવતા - કેતન ઈનામદાર 

વધુમાં તેમણે કહ્યું કે પરંતુ જૂના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં ક્યાંક કોઇ કચાશ લાગે છે. મેં ઘણીવાર આ અંગે હળવી રીતે રજૂઆત કરી છે, બધાને આ અંગે જણાવ્યુ છે. નેતાઓ સત્તા માટે જ રાજકારણમાં આવતા હોય છે તેવો એક ભ્રમ લોકોમાં થઇ ગયો છે. દરેક લોકો સત્તા માટે નથી આવતા. 2012માં અપક્ષ તરીકે જીત્યો ત્યારથી આજ સુધી હું મારી સાવલી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરું છુ.’ 



‘જુના કાર્યકર્તાઓની અવગણના ન કરો’

કેતન ઈનામદારે કહ્યુ કે, ‘બે હાથ જોડીને કહું છું કે, જુના કાર્યકર્તાઓની અવગણના ન થાય. પાર્ટીને મોટી કરો પાર્ટીનો વ્યાપ વધારો એનાથી સમ્મત છું. પરિવાર હંમેશા મોટો થવો જોઇએ. હું રાજીનામા પછી પણ ભાજપનો કાર્યકર્તા છુ અને લોકસભાની મારી વડોદરા સીટ રંજનબેન ભટ્ટને સૌથી સારામાં સારી લીડ મળે તે માટે હું તત્પર છું પરંતુ આ રાજીનામું મારા અંતર આત્માનો અવાજ છે.  ‘અંતર આત્માના અવાજમાં એવું છે કે, જાહેર જીવનમાં જ્યારથી આવ્યો છું ત્યારથી લોકોને માનસન્માન આપ્યું છે. આખી જીંદગી લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરીશ. પોતાના માન સન્માનના ભોગે કોઇપણ વસ્તુ મને પોતાને વ્યાજબી લાગતી નથી. ' 



ભાજપમાં હજારોની સંખ્યામાં જોડાય છે કાર્યકર્તાઓ!

મહત્વનું છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપમાં ભરતીમેળો જોવા મળી રહ્યો છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. પ્રતિદિન હજારોની સંખ્યામાં બીજા પક્ષમાંથી કાર્યકરો તેમજ નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આની પહેલા એક પોસ્ટ સામે આવી હતી જેમાં ભાજપના નેતાનો ગુસ્સો ઠલવાઈ રહ્યો હતો.!   

   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.