સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પાછું ખેંચ્યું રાજીનામું, સી.આર.પાટીલ સાથેની બેઠક બાદ બદલ્યો નિર્ણય, શું ધારાસભ્યે ખાલી ખાલી રાજીનામું આપ્યું હતું?


  • Published By :
  • Published Date : 2024-03-19 17:26:12

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. વિધાનસભા અધ્યક્ષને રાજીનામું ઈમેલ કરી દીધું હતું. સવારથી આ વાતને લઈ ચર્ચા થઈ રહી હતી કે. જ્યારથી આ સમાચાર સામે  આવ્યા ત્યારથી લાગી રહ્યું હતું કે વધારે મામલો ઉગ્ર બનશે તેની પહેલા શાંત કરવામાં આવી જશે. ધારાસભ્યને સમજાવવામાં આવ્યા. સી.આર.પાટીલના નિવાસસ્થાન પર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક બાદ કેતન ઈનામદારે પોતાનું રાજીનામું પાછું ખેચીં લીધું છે. તેમની જે વેદના હતી તે તેમણે હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરી. બેઠક બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. 

મધરાત્રે ધારાસભ્યએ આપી દીધું હતું રાજીનામું 

લોકસભા ચૂંટણી પહેલા અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે ઉપરાંત પક્ષપલટો પણ કરી લીધો છે. ત્યારે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે મધરાત્રે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને મેલ કર્યું હતું. સવારે જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમણે પોતાના અંતરાત્માનો અવાજ સાંભળી આ નિર્ણય લીધો છે. ઉપરાંત તે રાજીનામું પરત નહીં ખેંચે તેવું લાગતું હતું. 


આની પહેલા પણ તે આપી ચૂક્યા છે રાજીનામું 

આ પહેલી વખત નથી જ્યારે તેમણે રાજીનામું આપ્યું હોય આની પહેલા પણ તેમણે રાજીનામું આપી દીધું છે. 2020માં પણ તેમણે રાજીનામું આપી દીધું હતું. જમાવટની ટીમે જ્યારે કેતન ઈનામદારને રાજીનામા અંગે પૂછ્યું ત્યારે એવું લાગતું હતું કે, તેમની વાતો પરથી એવું લાગતું હતું કે તે રાજીનામું પરત નહીં લે. વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપવું એ નાની વાત નથી. રાજીનામા પર સી.આર.પાટીલની તેમજ રંજન ભટ્ટની પ્રક્રિયા પણ સામે  આવી હતી. 


બેઠક બાદ બદલાઈ ગયા બોલ!

સવારે ધારાસભ્ય રાજીનામાને લઈ મક્કમ હતા પરંતુ બપોર સુધીમાં તેમની મક્કમતા ખતમ થઈ ગઈ! સી.આર.પાટીલના ઘરે બેઠકનું આયોજન થયું અને તે બાદ મામલો શાંત થઈ ગયો અને સાવલીના ધારાસભ્યે રાજીનામું પરત લઈ લીધું. બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને આ અંગેની જાહેરાત કરવામાં આવી. તેમણે કહ્યું કે મારું રાજીનામું મારા અંતર આત્માના અવાજને માન આપીને હતું. પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારી મંત્રી સાથે ચર્ચા બાદ મને સંતોષ છે અને રાજીનામું પરત લઉં છું. મને સંતોષ થાય તે રીતે તેમણે મારી વાતનું નિરાકરણ લાવ્યું છે.

અંતરાત્માનો અવાજ સાંભળી ધારાસભ્યએ આપ્યું હતું રાજીનામું

વધુમાં તેમણે કહ્યું કે ગઇકાલે રાત્રે દોઢ વાગ્યે મેં વિધાનસભા અધ્યક્ષને રાજીનામું ઇમેલ દ્વારા આપ્યું હતું. મેં લખ્યું હતું કે, મારા અંતર આત્માના અવાજને માન આપીને રાજીનામું આપું છું. રાજીનામાની જાણ થતાં આગેવાનો દ્વારા પૂછવામાં આવ્યું કે શું વાત છે? મેં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને હર્ષ સંઘવી સાથે બેસીને ચર્ચા કરી. મેં મારી વેદના તેમને કહી. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તમને અને પ્રત્યેક કાર્યકરને સંતોષ થાય તેવું જ સરકાર અને સંગઠન દ્વારા કરવામાં આવશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.