આયુષ્માન ભારત યોજનામાં કૌભાંડ, 10 લાખ લોકોએ એક જ નંબરથી લાખો લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-10 15:25:53

સામાન્ય વર્ગને સીધો લાભ થાય તે માટે અનેક સરકારી યોજનાઓ લોન્ચ કરવામાં આવે છે. ત્યારે આવા હેતુથી શરૂ કરવામાં આવી હતી આયુષ્માન કાર્ડ યોજનામાં ગેરરીતિ થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસો ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા કરવામાં આવ્યો છે. એ રિપોર્ટ મુજબ અંદાજીત 7.5 લાખ લાભાર્થીઓના નંબર સરખા હતા અને તે હતા 9999999999. એક જ નંબર પરથી 7.5 લાભાર્થીઓએ કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવ્યું તે એક પ્રશ્ન હતો.. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ હતો કે આયુષ્માન યોજનામાં મૃત વ્યક્તિઓની પણ સારવાર કરવામાં આવી હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. યોજનાનો દુરૂપયોગ કરવામાં આવ્યો છે.


આયુષ્માન ભારત -  પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત કરાઈ

ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવવી અનેક પરિવારના ગજાની વાત નથી હોતી. કારણ કે એક વાર જો તમે ખાનગી હોસ્પિટલમાં સારવાર ગયા તો ત્યાં તમારૂ બિલ એટલું મોટું બને કે પૈસાની વ્યવસ્થા સાધારણ પરિવાર ક્યાંથી કરે તે એક પ્રશ્ન હોય છે. ત્યારે આયુષ્માન ભારત યોજના ભારતના સામાન્ય પરિવારના કરોડો પરિવારો માટે મદદરૂપ થાય અને તે લોકો પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શકે તે માટે આયુષ્માન ભારત -  પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી. આ એવી યોજના હતી જેમાં લોકો ખાનગી હોસ્પિટલમાં પણ મફત સારવાર કરાવી શકે અને તેનો ખર્ચ સરકાર ઉઠાવે. યોજના સારી હતી પરંતુ ઘણી ખામીઓ સામે આવી. લોકો આ યોજનાનો ખોટો લાભ ઉઠાવવા લાગ્યા.  


કેગના ડેટાએ કર્યો ઘટસ્ફોટ 

આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં લાભાર્થીઓની નોંધણી અને વેરિફિકેશનમાં ભયંકર ગેરરીતિ થઇ રહી છે તેનો ઘટફોટ કેગના રિપોર્ટમાં થયો હતો. એ રિપોર્ટ અનુસાર લગભગ 7.5 લાખ લાભાર્થીઓ એક જ સેલફોન નંબર સાથે લિંક હતા. જેનો નંબર 99999999 હતો. સરળ શબ્દોમાં કહીએ તો આયુષ્માન ભારત યોજનાના લગભગ 7.5 લાખ લાભાર્થીઓ એક જ મોબાઇલ નંબર – 9999999999 સાથે લિંક થયેલા હતા. માત્ર 9ની સિરિઝ નહીં પરંતુ 8ની સિરિઝ એટલે કે  8888888888 મોબાઈલ નંબરથી પણ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું, તે ઉપરાંત 9000000000થી પણ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યા હતા.



એક જ નંબરથી લાખો લાભાર્થીઓ થયા છે લિંક 

સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવેલા આયુષ્માન ભારત-PMJAYની કામગીરી અંગેના તેના ઓડિટ રિપોર્ટમાં CAG એ જણાવ્યું હતું કે આયુષ્માન યોજનાની બેનિફિશિયલ આઇડેન્ટિફિકેશન સિ્સ્ટમમાં કુલ 7,49,820 લાભાર્થીઓ એક જ મોબાઇલ સાથે લિંક થયેલા હતા. 8888888888થી 139300 લાભાર્થીઓ લિંક હતા, જ્યારે  9000000000 નંબર પર 96,046 લાભાર્થી લિંક હતા.  રિપોર્ટ અનુસાર આયુષ્માન યોજના હેઠળ અત્યાર સુધીમાં 7.87 કરોડ લાભાર્થી પરિવાર નોંધાયા છે. 

 

યોજનાની આ છે વાસ્તવિક્તા!

બિઝનેસ ટૂડના અહેવાલ મુજબ ઓડિટમાં એ વસ્તુ પણ સામે આવી કે મૃત વ્યક્તિઓની સારવાર પણ કરવામાં આવી હતી.સ્કીમનો લાભ મૃત વ્યક્તિઓને પણ મળતો હતો. ટીએમએસના રિપોર્ટ પ્રમાણે આયુષ્માન ભારત યોજનાનો લાભ 88 હજાર 760 દર્દી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા. પરંતુ આ જ દર્દીઓથી સંબંધિત 2 લાખ 14 હજાર 923 નવા ક્લેમનું ભૂગદાન કરી દેવામાં આવ્યું. 3 હજાર 903 દાવાઓની બદલીમાં હોસ્પિટલોમાં 6 કરોડ 97 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .