આયુષ્માન ભારત યોજનામાં કૌભાંડ, 10 લાખ લોકોએ એક જ નંબરથી લાખો લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-10 15:25:53

સામાન્ય વર્ગને સીધો લાભ થાય તે માટે અનેક સરકારી યોજનાઓ લોન્ચ કરવામાં આવે છે. ત્યારે આવા હેતુથી શરૂ કરવામાં આવી હતી આયુષ્માન કાર્ડ યોજનામાં ગેરરીતિ થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસો ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા કરવામાં આવ્યો છે. એ રિપોર્ટ મુજબ અંદાજીત 7.5 લાખ લાભાર્થીઓના નંબર સરખા હતા અને તે હતા 9999999999. એક જ નંબર પરથી 7.5 લાભાર્થીઓએ કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવ્યું તે એક પ્રશ્ન હતો.. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ હતો કે આયુષ્માન યોજનામાં મૃત વ્યક્તિઓની પણ સારવાર કરવામાં આવી હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. યોજનાનો દુરૂપયોગ કરવામાં આવ્યો છે.


આયુષ્માન ભારત -  પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત કરાઈ

ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવવી અનેક પરિવારના ગજાની વાત નથી હોતી. કારણ કે એક વાર જો તમે ખાનગી હોસ્પિટલમાં સારવાર ગયા તો ત્યાં તમારૂ બિલ એટલું મોટું બને કે પૈસાની વ્યવસ્થા સાધારણ પરિવાર ક્યાંથી કરે તે એક પ્રશ્ન હોય છે. ત્યારે આયુષ્માન ભારત યોજના ભારતના સામાન્ય પરિવારના કરોડો પરિવારો માટે મદદરૂપ થાય અને તે લોકો પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શકે તે માટે આયુષ્માન ભારત -  પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી. આ એવી યોજના હતી જેમાં લોકો ખાનગી હોસ્પિટલમાં પણ મફત સારવાર કરાવી શકે અને તેનો ખર્ચ સરકાર ઉઠાવે. યોજના સારી હતી પરંતુ ઘણી ખામીઓ સામે આવી. લોકો આ યોજનાનો ખોટો લાભ ઉઠાવવા લાગ્યા.  


કેગના ડેટાએ કર્યો ઘટસ્ફોટ 

આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં લાભાર્થીઓની નોંધણી અને વેરિફિકેશનમાં ભયંકર ગેરરીતિ થઇ રહી છે તેનો ઘટફોટ કેગના રિપોર્ટમાં થયો હતો. એ રિપોર્ટ અનુસાર લગભગ 7.5 લાખ લાભાર્થીઓ એક જ સેલફોન નંબર સાથે લિંક હતા. જેનો નંબર 99999999 હતો. સરળ શબ્દોમાં કહીએ તો આયુષ્માન ભારત યોજનાના લગભગ 7.5 લાખ લાભાર્થીઓ એક જ મોબાઇલ નંબર – 9999999999 સાથે લિંક થયેલા હતા. માત્ર 9ની સિરિઝ નહીં પરંતુ 8ની સિરિઝ એટલે કે  8888888888 મોબાઈલ નંબરથી પણ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું, તે ઉપરાંત 9000000000થી પણ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યા હતા.



એક જ નંબરથી લાખો લાભાર્થીઓ થયા છે લિંક 

સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવેલા આયુષ્માન ભારત-PMJAYની કામગીરી અંગેના તેના ઓડિટ રિપોર્ટમાં CAG એ જણાવ્યું હતું કે આયુષ્માન યોજનાની બેનિફિશિયલ આઇડેન્ટિફિકેશન સિ્સ્ટમમાં કુલ 7,49,820 લાભાર્થીઓ એક જ મોબાઇલ સાથે લિંક થયેલા હતા. 8888888888થી 139300 લાભાર્થીઓ લિંક હતા, જ્યારે  9000000000 નંબર પર 96,046 લાભાર્થી લિંક હતા.  રિપોર્ટ અનુસાર આયુષ્માન યોજના હેઠળ અત્યાર સુધીમાં 7.87 કરોડ લાભાર્થી પરિવાર નોંધાયા છે. 

 

યોજનાની આ છે વાસ્તવિક્તા!

બિઝનેસ ટૂડના અહેવાલ મુજબ ઓડિટમાં એ વસ્તુ પણ સામે આવી કે મૃત વ્યક્તિઓની સારવાર પણ કરવામાં આવી હતી.સ્કીમનો લાભ મૃત વ્યક્તિઓને પણ મળતો હતો. ટીએમએસના રિપોર્ટ પ્રમાણે આયુષ્માન ભારત યોજનાનો લાભ 88 હજાર 760 દર્દી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા. પરંતુ આ જ દર્દીઓથી સંબંધિત 2 લાખ 14 હજાર 923 નવા ક્લેમનું ભૂગદાન કરી દેવામાં આવ્યું. 3 હજાર 903 દાવાઓની બદલીમાં હોસ્પિટલોમાં 6 કરોડ 97 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. 



સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.