સ્કૂલ સંચાલકોએ ફીના સ્લેબમાં 5 હજાર રૂપિયાનો સરકાર પાસે વધારો માંગ્યો, વાલી મંડળે કર્યો ઉગ્ર વિરોધ


  • Published By :
  • Published Date : 2023-01-13 19:31:53

ગુજરાતમાં ખાનગી શાળા સંચાલકો અવારનવાર ફી વધારો કરતા રહે છે. શાળા સંચાલકો તોતિંગ ઉઘરાવી વાલીઓ પાસેથી રીતસર લૂંટ ચલાવે છે. હવે ફરી શાળા સંચાલકોએ ફી વધારવા માટે રાજ્ય સરકાર માંગ કરી છે.  જો કે શાળા સંચાલકોની આ માંગનો ગુજરાત વાલી મંડળે જોરદાર વિરોધ કર્યો છે. શાળા સંચાલકોએ તેમની માંગણીને લઈ રાજ્યપાલ ઉપરાંત મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે. 


5 હજારના ફી વધારાની માંગ


શાળા સંચાલક મહામંડળે ફિ વધારાને લઈ સીએમ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને લખ્યો છે. જેમાં ફી રેગ્યુલેટરી કમિટીએ નક્કી કરેલા ફીના સ્લેબમાં સ્કૂલના સંચાલકોએ 5000 વધારો માંગ્યો છે. સ્લેબ મુજબની ફી 2017થી લેવાઈ રહી છે ત્યારે આ બેઝિક ફી સ્લેબમાં વધારો કરવાની શાળા સંચાલક મહામંડળે માગ કરી છે.શાળા સંચાલકોએ ફીના વધારવા માટેનું મુખ્ય કારણ મોંઘવારી બતાવ્યું છે. વર્ષ 2017માં ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરવામાં આવી હતી. ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા ખાનગી સ્કૂલોની ફી માટેનો સ્લેબ નક્કી કરવામાં આવ્યો હતો. એટલે 15000, 25,000 અને 30,000 રૂપિયા સુધીનો સ્લેબ નક્કી કરાયો હતો


વાલી મંડળે કર્યો વિરોધ


શાળા સંચાલક મંડળની માગનો વાલી મંડળે એક શૂરમાં વિરોધ કર્યો છે. વાલી મંડળે જણાવ્યું કે, ફીના મુદ્દાને લઈને સુપ્રીમ કોર્ટમાં પીટીશન ચાલી રહી છે, જેનો હજુ સુધી ચુકાદો આવ્યો નથી. જેથી કોઈ નિર્ણય લેવામાં ના આવે. જો સરકાર શાળા સંચાલક મંડળની માગ સ્વીકારે તો કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ ગણાશે. તેમણે જણાવ્યું કે, 25 ટકા ફી માફીનો લાભ પણ ઘણી શાળાઓને હજુ સુધી આપ્યો નથી તેમણે જણાવ્યું કે, આવી શાળાઓ માટે એક કમિટી બનાવીને ફી માફી થવી જોઈએ. વાલી મંડળે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી નિર્ણય લેવો અયોગ્ય છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.