સ્કૂલ સંચાલકોએ ફીના સ્લેબમાં 5 હજાર રૂપિયાનો સરકાર પાસે વધારો માંગ્યો, વાલી મંડળે કર્યો ઉગ્ર વિરોધ


  • Published By :
  • Published Date : 2023-01-13 19:31:53

ગુજરાતમાં ખાનગી શાળા સંચાલકો અવારનવાર ફી વધારો કરતા રહે છે. શાળા સંચાલકો તોતિંગ ઉઘરાવી વાલીઓ પાસેથી રીતસર લૂંટ ચલાવે છે. હવે ફરી શાળા સંચાલકોએ ફી વધારવા માટે રાજ્ય સરકાર માંગ કરી છે.  જો કે શાળા સંચાલકોની આ માંગનો ગુજરાત વાલી મંડળે જોરદાર વિરોધ કર્યો છે. શાળા સંચાલકોએ તેમની માંગણીને લઈ રાજ્યપાલ ઉપરાંત મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે. 


5 હજારના ફી વધારાની માંગ


શાળા સંચાલક મહામંડળે ફિ વધારાને લઈ સીએમ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને લખ્યો છે. જેમાં ફી રેગ્યુલેટરી કમિટીએ નક્કી કરેલા ફીના સ્લેબમાં સ્કૂલના સંચાલકોએ 5000 વધારો માંગ્યો છે. સ્લેબ મુજબની ફી 2017થી લેવાઈ રહી છે ત્યારે આ બેઝિક ફી સ્લેબમાં વધારો કરવાની શાળા સંચાલક મહામંડળે માગ કરી છે.શાળા સંચાલકોએ ફીના વધારવા માટેનું મુખ્ય કારણ મોંઘવારી બતાવ્યું છે. વર્ષ 2017માં ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરવામાં આવી હતી. ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા ખાનગી સ્કૂલોની ફી માટેનો સ્લેબ નક્કી કરવામાં આવ્યો હતો. એટલે 15000, 25,000 અને 30,000 રૂપિયા સુધીનો સ્લેબ નક્કી કરાયો હતો


વાલી મંડળે કર્યો વિરોધ


શાળા સંચાલક મંડળની માગનો વાલી મંડળે એક શૂરમાં વિરોધ કર્યો છે. વાલી મંડળે જણાવ્યું કે, ફીના મુદ્દાને લઈને સુપ્રીમ કોર્ટમાં પીટીશન ચાલી રહી છે, જેનો હજુ સુધી ચુકાદો આવ્યો નથી. જેથી કોઈ નિર્ણય લેવામાં ના આવે. જો સરકાર શાળા સંચાલક મંડળની માગ સ્વીકારે તો કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ ગણાશે. તેમણે જણાવ્યું કે, 25 ટકા ફી માફીનો લાભ પણ ઘણી શાળાઓને હજુ સુધી આપ્યો નથી તેમણે જણાવ્યું કે, આવી શાળાઓ માટે એક કમિટી બનાવીને ફી માફી થવી જોઈએ. વાલી મંડળે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી નિર્ણય લેવો અયોગ્ય છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.