સ્કૂલ સંચાલકોએ ફીના સ્લેબમાં 5 હજાર રૂપિયાનો સરકાર પાસે વધારો માંગ્યો, વાલી મંડળે કર્યો ઉગ્ર વિરોધ


  • Published By :
  • Published Date : 2023-01-13 19:31:53

ગુજરાતમાં ખાનગી શાળા સંચાલકો અવારનવાર ફી વધારો કરતા રહે છે. શાળા સંચાલકો તોતિંગ ઉઘરાવી વાલીઓ પાસેથી રીતસર લૂંટ ચલાવે છે. હવે ફરી શાળા સંચાલકોએ ફી વધારવા માટે રાજ્ય સરકાર માંગ કરી છે.  જો કે શાળા સંચાલકોની આ માંગનો ગુજરાત વાલી મંડળે જોરદાર વિરોધ કર્યો છે. શાળા સંચાલકોએ તેમની માંગણીને લઈ રાજ્યપાલ ઉપરાંત મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે. 


5 હજારના ફી વધારાની માંગ


શાળા સંચાલક મહામંડળે ફિ વધારાને લઈ સીએમ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને લખ્યો છે. જેમાં ફી રેગ્યુલેટરી કમિટીએ નક્કી કરેલા ફીના સ્લેબમાં સ્કૂલના સંચાલકોએ 5000 વધારો માંગ્યો છે. સ્લેબ મુજબની ફી 2017થી લેવાઈ રહી છે ત્યારે આ બેઝિક ફી સ્લેબમાં વધારો કરવાની શાળા સંચાલક મહામંડળે માગ કરી છે.શાળા સંચાલકોએ ફીના વધારવા માટેનું મુખ્ય કારણ મોંઘવારી બતાવ્યું છે. વર્ષ 2017માં ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરવામાં આવી હતી. ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા ખાનગી સ્કૂલોની ફી માટેનો સ્લેબ નક્કી કરવામાં આવ્યો હતો. એટલે 15000, 25,000 અને 30,000 રૂપિયા સુધીનો સ્લેબ નક્કી કરાયો હતો


વાલી મંડળે કર્યો વિરોધ


શાળા સંચાલક મંડળની માગનો વાલી મંડળે એક શૂરમાં વિરોધ કર્યો છે. વાલી મંડળે જણાવ્યું કે, ફીના મુદ્દાને લઈને સુપ્રીમ કોર્ટમાં પીટીશન ચાલી રહી છે, જેનો હજુ સુધી ચુકાદો આવ્યો નથી. જેથી કોઈ નિર્ણય લેવામાં ના આવે. જો સરકાર શાળા સંચાલક મંડળની માગ સ્વીકારે તો કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ ગણાશે. તેમણે જણાવ્યું કે, 25 ટકા ફી માફીનો લાભ પણ ઘણી શાળાઓને હજુ સુધી આપ્યો નથી તેમણે જણાવ્યું કે, આવી શાળાઓ માટે એક કમિટી બનાવીને ફી માફી થવી જોઈએ. વાલી મંડળે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી નિર્ણય લેવો અયોગ્ય છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.