સ્કૂલ સંચાલકોએ ફીના સ્લેબમાં 5 હજાર રૂપિયાનો સરકાર પાસે વધારો માંગ્યો, વાલી મંડળે કર્યો ઉગ્ર વિરોધ


  • Published By :
  • Published Date : 2023-01-13 19:31:53

ગુજરાતમાં ખાનગી શાળા સંચાલકો અવારનવાર ફી વધારો કરતા રહે છે. શાળા સંચાલકો તોતિંગ ઉઘરાવી વાલીઓ પાસેથી રીતસર લૂંટ ચલાવે છે. હવે ફરી શાળા સંચાલકોએ ફી વધારવા માટે રાજ્ય સરકાર માંગ કરી છે.  જો કે શાળા સંચાલકોની આ માંગનો ગુજરાત વાલી મંડળે જોરદાર વિરોધ કર્યો છે. શાળા સંચાલકોએ તેમની માંગણીને લઈ રાજ્યપાલ ઉપરાંત મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે. 


5 હજારના ફી વધારાની માંગ


શાળા સંચાલક મહામંડળે ફિ વધારાને લઈ સીએમ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને લખ્યો છે. જેમાં ફી રેગ્યુલેટરી કમિટીએ નક્કી કરેલા ફીના સ્લેબમાં સ્કૂલના સંચાલકોએ 5000 વધારો માંગ્યો છે. સ્લેબ મુજબની ફી 2017થી લેવાઈ રહી છે ત્યારે આ બેઝિક ફી સ્લેબમાં વધારો કરવાની શાળા સંચાલક મહામંડળે માગ કરી છે.શાળા સંચાલકોએ ફીના વધારવા માટેનું મુખ્ય કારણ મોંઘવારી બતાવ્યું છે. વર્ષ 2017માં ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરવામાં આવી હતી. ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા ખાનગી સ્કૂલોની ફી માટેનો સ્લેબ નક્કી કરવામાં આવ્યો હતો. એટલે 15000, 25,000 અને 30,000 રૂપિયા સુધીનો સ્લેબ નક્કી કરાયો હતો


વાલી મંડળે કર્યો વિરોધ


શાળા સંચાલક મંડળની માગનો વાલી મંડળે એક શૂરમાં વિરોધ કર્યો છે. વાલી મંડળે જણાવ્યું કે, ફીના મુદ્દાને લઈને સુપ્રીમ કોર્ટમાં પીટીશન ચાલી રહી છે, જેનો હજુ સુધી ચુકાદો આવ્યો નથી. જેથી કોઈ નિર્ણય લેવામાં ના આવે. જો સરકાર શાળા સંચાલક મંડળની માગ સ્વીકારે તો કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ ગણાશે. તેમણે જણાવ્યું કે, 25 ટકા ફી માફીનો લાભ પણ ઘણી શાળાઓને હજુ સુધી આપ્યો નથી તેમણે જણાવ્યું કે, આવી શાળાઓ માટે એક કમિટી બનાવીને ફી માફી થવી જોઈએ. વાલી મંડળે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી નિર્ણય લેવો અયોગ્ય છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.