સરકારે ભાંગરો વાટ્યો! એકમ કસોટીનો જવાબ લખવા વિદ્યાર્થીઓને ઉત્તરવહી જ નથી મોકલી


  • Published By :
  • Published Date : 2023-08-20 19:41:02

વિદ્યાર્થીઓની કસોટી કરતું શિક્ષણ વિભાગ પોતે ફેલ થઇ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે, પણ તેમના આ ફેલ થવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગી રહ્યું છે, ગુજરાત રાજ્યની સરકારી શાળામાં શાળાના ઓરડા, શિક્ષકોની, યુનિફોર્મની કે પાઠ્યપુસ્તકની અછતના સમાચારો બાદ હવે દર અઠવાડિયે લેવાતી એકમ કસોટી નોટબૂકની અછત પડી છે. રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી શાળામા અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું શિક્ષણ સુધરે તેના માટે એકમ કસોટી લેવાનું નક્કી કર્યું છે અને તેના માટેનું ટાઈમ ટેબલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે જો કે, અફસોસની વાત એ છે કે વિદ્યાર્થીઑ એકમ કસોટી આપી શકે તેના માટે જરૂરી બુકલેટ હજુ સુધી સરકાર તરફથી આપવામાં આવેલ નથી. સરકારે દર અઠવાડિયે કસોટી લેવાનો આદેશ તો આપી દીધો પણ વિદ્યાર્થીઓને કસોટીના જવાબ લખવા માટેની નોટબૂક સમયસર આપવાનો આદેશ ક્યારે થશે?


મોટાભાગની શાળાઓને નથી મળી નોટબુક


રાજ્યની તમામ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં એકમ કસોટી લેવાય રહી છે. આ એકમ કસોટી આ વર્ષની ત્રીજી એકમ કસોટી છે. પણ હજુ સુધી એકમ કસોટીના જવાબ લખવા માટેની નોટબુક રાજ્યની મોટાભાગની પ્રાથમિક સ્કૂલોને આપવામાં આવી નથી. હાલ ગુજરાતમાં 97 લાખથી વધારે વિદ્યાર્થીઓ સરકાર સંચાલિત શાળામાં અભ્યાસ લઇ રહ્યા છે. અને સરકારના આદેશ એટલે કે પરિપત્ર મુજબ શિક્ષકો દર શનિવારે કોઈ એક વિષયની કસોટી આપતા હોય છે. નવું શૈક્ષણિક સત્રના પ્રારંભ થયાને બે માસ જેટલો સમય થયો છે. રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોની એકમ કસોટીનું ટાઈમટેબલ તો વર્ષની શરૂઆતમાં જ તમામ સ્કૂલોને આપી દીધું છે. પણ એકમ કસોટીના ઉત્તરો લખવા માટેની નોટબુક હજુ સુધી ગુજરાતની મોટાભાગની સ્કૂલોને મળેલી નથી. અગાઉ દર શનિવારે માત્ર એક જ વિષયની એકમ કસોટી લેવામાં આવતી હતી, પણ ચાલુ વર્ષથી અમુક અમુક દિવસોએ તો એક જ ધોરણમાં એક જ દિવસે બે વિષયની એકમ કસોટી લેવાનું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે.


રફબુકમાં જવાબ લખે છે વિદ્યાર્થીઓ


એકમ કસોટી માટે જરૂરી બુકલેટ સરકાર તરફથી  સરકારી શાળામાં આપવામાં આવતી હોય છે પણ તે  હજુ સુધી શાળાને મળી નથી. હાલમાં ઓનલાઈન પેપર આપવામાં આવે છે ત્યાર પછી શિક્ષકે તેને બોર્ડ ઉપર લખવાનું અને તેમાંથી જોઈને વિદ્યાર્થીઓને તે એકમ કસોટી લખવાની હોય છે, પરંતુ બુકલેટ ન હોવાથી હાલમાં વિદ્યાર્થીઓને રફબુકમાં કે પછી પિન પેઇજમાં એકમ કસોટી લખવી પડે છે તેને સાચાવવા કેમ તે પ્રશ્ન છે. 



નકશા વગર વિદ્યાર્થીઓ સ્થળો કેવી રીતે બતાવે? 


રાજ્યની મોટા ભાગની શાળાઓમાં નોટબૂક નથી પહોંચી તેવી ફરિયાદ છે, અને એકાએક આ રાવ ઉઠવાનું કારણ આજની કસોટી, ધોરણ 6ના સમાજ વિજ્ઞાનના પેપરમાં એક સવાલ પુછાયો, નકશામાં બતાવેલા સ્થળો દર્શાવો, પણ ત્યારે ફક્ત સવાલ હતો નકશો નહિ, એટલે પોતાની બુકમાંથી પન્ના ફાડી લખતા વિદ્યાર્થીઓ અને શિક્ષક બંને મૂંજાયા અને નોટબૂક જલ્દી મોકલવા સરકારને વિનંતી કરી, આ સાથે વધુ એક વિનંતી કે હવે જો સરકાર નોટબૂક મોકલે તો તેમાંથી આગલી 3 કસોટીઓ ન છપાવે તેનું ધ્યાન રાખવું. કારણ કે તે પરીક્ષા તો તેમણે પોતાની નોટબૂકમાંથી કાગળમાં ફાડીને કસોટી આપી દીધી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.