સરકારે ભાંગરો વાટ્યો! એકમ કસોટીનો જવાબ લખવા વિદ્યાર્થીઓને ઉત્તરવહી જ નથી મોકલી


  • Published By :
  • Published Date : 2023-08-20 19:41:02

વિદ્યાર્થીઓની કસોટી કરતું શિક્ષણ વિભાગ પોતે ફેલ થઇ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે, પણ તેમના આ ફેલ થવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગી રહ્યું છે, ગુજરાત રાજ્યની સરકારી શાળામાં શાળાના ઓરડા, શિક્ષકોની, યુનિફોર્મની કે પાઠ્યપુસ્તકની અછતના સમાચારો બાદ હવે દર અઠવાડિયે લેવાતી એકમ કસોટી નોટબૂકની અછત પડી છે. રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી શાળામા અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું શિક્ષણ સુધરે તેના માટે એકમ કસોટી લેવાનું નક્કી કર્યું છે અને તેના માટેનું ટાઈમ ટેબલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે જો કે, અફસોસની વાત એ છે કે વિદ્યાર્થીઑ એકમ કસોટી આપી શકે તેના માટે જરૂરી બુકલેટ હજુ સુધી સરકાર તરફથી આપવામાં આવેલ નથી. સરકારે દર અઠવાડિયે કસોટી લેવાનો આદેશ તો આપી દીધો પણ વિદ્યાર્થીઓને કસોટીના જવાબ લખવા માટેની નોટબૂક સમયસર આપવાનો આદેશ ક્યારે થશે?


મોટાભાગની શાળાઓને નથી મળી નોટબુક


રાજ્યની તમામ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં એકમ કસોટી લેવાય રહી છે. આ એકમ કસોટી આ વર્ષની ત્રીજી એકમ કસોટી છે. પણ હજુ સુધી એકમ કસોટીના જવાબ લખવા માટેની નોટબુક રાજ્યની મોટાભાગની પ્રાથમિક સ્કૂલોને આપવામાં આવી નથી. હાલ ગુજરાતમાં 97 લાખથી વધારે વિદ્યાર્થીઓ સરકાર સંચાલિત શાળામાં અભ્યાસ લઇ રહ્યા છે. અને સરકારના આદેશ એટલે કે પરિપત્ર મુજબ શિક્ષકો દર શનિવારે કોઈ એક વિષયની કસોટી આપતા હોય છે. નવું શૈક્ષણિક સત્રના પ્રારંભ થયાને બે માસ જેટલો સમય થયો છે. રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોની એકમ કસોટીનું ટાઈમટેબલ તો વર્ષની શરૂઆતમાં જ તમામ સ્કૂલોને આપી દીધું છે. પણ એકમ કસોટીના ઉત્તરો લખવા માટેની નોટબુક હજુ સુધી ગુજરાતની મોટાભાગની સ્કૂલોને મળેલી નથી. અગાઉ દર શનિવારે માત્ર એક જ વિષયની એકમ કસોટી લેવામાં આવતી હતી, પણ ચાલુ વર્ષથી અમુક અમુક દિવસોએ તો એક જ ધોરણમાં એક જ દિવસે બે વિષયની એકમ કસોટી લેવાનું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે.


રફબુકમાં જવાબ લખે છે વિદ્યાર્થીઓ


એકમ કસોટી માટે જરૂરી બુકલેટ સરકાર તરફથી  સરકારી શાળામાં આપવામાં આવતી હોય છે પણ તે  હજુ સુધી શાળાને મળી નથી. હાલમાં ઓનલાઈન પેપર આપવામાં આવે છે ત્યાર પછી શિક્ષકે તેને બોર્ડ ઉપર લખવાનું અને તેમાંથી જોઈને વિદ્યાર્થીઓને તે એકમ કસોટી લખવાની હોય છે, પરંતુ બુકલેટ ન હોવાથી હાલમાં વિદ્યાર્થીઓને રફબુકમાં કે પછી પિન પેઇજમાં એકમ કસોટી લખવી પડે છે તેને સાચાવવા કેમ તે પ્રશ્ન છે. 



નકશા વગર વિદ્યાર્થીઓ સ્થળો કેવી રીતે બતાવે? 


રાજ્યની મોટા ભાગની શાળાઓમાં નોટબૂક નથી પહોંચી તેવી ફરિયાદ છે, અને એકાએક આ રાવ ઉઠવાનું કારણ આજની કસોટી, ધોરણ 6ના સમાજ વિજ્ઞાનના પેપરમાં એક સવાલ પુછાયો, નકશામાં બતાવેલા સ્થળો દર્શાવો, પણ ત્યારે ફક્ત સવાલ હતો નકશો નહિ, એટલે પોતાની બુકમાંથી પન્ના ફાડી લખતા વિદ્યાર્થીઓ અને શિક્ષક બંને મૂંજાયા અને નોટબૂક જલ્દી મોકલવા સરકારને વિનંતી કરી, આ સાથે વધુ એક વિનંતી કે હવે જો સરકાર નોટબૂક મોકલે તો તેમાંથી આગલી 3 કસોટીઓ ન છપાવે તેનું ધ્યાન રાખવું. કારણ કે તે પરીક્ષા તો તેમણે પોતાની નોટબૂકમાંથી કાગળમાં ફાડીને કસોટી આપી દીધી છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.