સરકારે ભાંગરો વાટ્યો! એકમ કસોટીનો જવાબ લખવા વિદ્યાર્થીઓને ઉત્તરવહી જ નથી મોકલી


  • Published By :
  • Published Date : 2023-08-20 19:41:02

વિદ્યાર્થીઓની કસોટી કરતું શિક્ષણ વિભાગ પોતે ફેલ થઇ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે, પણ તેમના આ ફેલ થવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગી રહ્યું છે, ગુજરાત રાજ્યની સરકારી શાળામાં શાળાના ઓરડા, શિક્ષકોની, યુનિફોર્મની કે પાઠ્યપુસ્તકની અછતના સમાચારો બાદ હવે દર અઠવાડિયે લેવાતી એકમ કસોટી નોટબૂકની અછત પડી છે. રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી શાળામા અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું શિક્ષણ સુધરે તેના માટે એકમ કસોટી લેવાનું નક્કી કર્યું છે અને તેના માટેનું ટાઈમ ટેબલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે જો કે, અફસોસની વાત એ છે કે વિદ્યાર્થીઑ એકમ કસોટી આપી શકે તેના માટે જરૂરી બુકલેટ હજુ સુધી સરકાર તરફથી આપવામાં આવેલ નથી. સરકારે દર અઠવાડિયે કસોટી લેવાનો આદેશ તો આપી દીધો પણ વિદ્યાર્થીઓને કસોટીના જવાબ લખવા માટેની નોટબૂક સમયસર આપવાનો આદેશ ક્યારે થશે?


મોટાભાગની શાળાઓને નથી મળી નોટબુક


રાજ્યની તમામ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં એકમ કસોટી લેવાય રહી છે. આ એકમ કસોટી આ વર્ષની ત્રીજી એકમ કસોટી છે. પણ હજુ સુધી એકમ કસોટીના જવાબ લખવા માટેની નોટબુક રાજ્યની મોટાભાગની પ્રાથમિક સ્કૂલોને આપવામાં આવી નથી. હાલ ગુજરાતમાં 97 લાખથી વધારે વિદ્યાર્થીઓ સરકાર સંચાલિત શાળામાં અભ્યાસ લઇ રહ્યા છે. અને સરકારના આદેશ એટલે કે પરિપત્ર મુજબ શિક્ષકો દર શનિવારે કોઈ એક વિષયની કસોટી આપતા હોય છે. નવું શૈક્ષણિક સત્રના પ્રારંભ થયાને બે માસ જેટલો સમય થયો છે. રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોની એકમ કસોટીનું ટાઈમટેબલ તો વર્ષની શરૂઆતમાં જ તમામ સ્કૂલોને આપી દીધું છે. પણ એકમ કસોટીના ઉત્તરો લખવા માટેની નોટબુક હજુ સુધી ગુજરાતની મોટાભાગની સ્કૂલોને મળેલી નથી. અગાઉ દર શનિવારે માત્ર એક જ વિષયની એકમ કસોટી લેવામાં આવતી હતી, પણ ચાલુ વર્ષથી અમુક અમુક દિવસોએ તો એક જ ધોરણમાં એક જ દિવસે બે વિષયની એકમ કસોટી લેવાનું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે.


રફબુકમાં જવાબ લખે છે વિદ્યાર્થીઓ


એકમ કસોટી માટે જરૂરી બુકલેટ સરકાર તરફથી  સરકારી શાળામાં આપવામાં આવતી હોય છે પણ તે  હજુ સુધી શાળાને મળી નથી. હાલમાં ઓનલાઈન પેપર આપવામાં આવે છે ત્યાર પછી શિક્ષકે તેને બોર્ડ ઉપર લખવાનું અને તેમાંથી જોઈને વિદ્યાર્થીઓને તે એકમ કસોટી લખવાની હોય છે, પરંતુ બુકલેટ ન હોવાથી હાલમાં વિદ્યાર્થીઓને રફબુકમાં કે પછી પિન પેઇજમાં એકમ કસોટી લખવી પડે છે તેને સાચાવવા કેમ તે પ્રશ્ન છે. 



નકશા વગર વિદ્યાર્થીઓ સ્થળો કેવી રીતે બતાવે? 


રાજ્યની મોટા ભાગની શાળાઓમાં નોટબૂક નથી પહોંચી તેવી ફરિયાદ છે, અને એકાએક આ રાવ ઉઠવાનું કારણ આજની કસોટી, ધોરણ 6ના સમાજ વિજ્ઞાનના પેપરમાં એક સવાલ પુછાયો, નકશામાં બતાવેલા સ્થળો દર્શાવો, પણ ત્યારે ફક્ત સવાલ હતો નકશો નહિ, એટલે પોતાની બુકમાંથી પન્ના ફાડી લખતા વિદ્યાર્થીઓ અને શિક્ષક બંને મૂંજાયા અને નોટબૂક જલ્દી મોકલવા સરકારને વિનંતી કરી, આ સાથે વધુ એક વિનંતી કે હવે જો સરકાર નોટબૂક મોકલે તો તેમાંથી આગલી 3 કસોટીઓ ન છપાવે તેનું ધ્યાન રાખવું. કારણ કે તે પરીક્ષા તો તેમણે પોતાની નોટબૂકમાંથી કાગળમાં ફાડીને કસોટી આપી દીધી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.