રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની થશે ભરતી, સરકારે HMAT સર્ટિફિકેટની મર્યાદા વધારી


  • Published By :
  • Published Date : 2023-05-10 15:35:14

રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની ભરતી અંગે અનેક વખત રજુઆતો કરવામાં આવ્યા અંતે આ મામલે સરકારે હવે કાર્યવાહી હાથ ધરી છે. આચાર્યોની ભરતીના પ્રશ્ને ગાંધીનગરમાં આજે આચાર્ય પસંદગી સમિતિની મહત્વની બેઠક મળી રહી છે. જેમાં શાળાઓના આચાર્યોની ભરતી અંગે  મહત્વનો નિર્ણય લેવાઇ શકે છે.


સરકારે HMAT સર્ટિફિકેટની મર્યાદા વધારી


આગામી દિવસોમાં ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી જાહેર થવાની શક્યતા છે. સરકાર આચાર્યની ખાલી જગ્યાઓ માટે ભરતી કરાશે. અંદાજે 1 હજાર કરતા વધુ આચાર્યની ભરતી જાહેર થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભરતીની જાહેરાત કરશે. સોમવારે સરકારે HMAT સર્ટિફિકેટની મર્યાદા વધારી દીધી છે. સર્ટીફીકેટની મર્યાદા વધારીને ઓગસ્ટ સુધી કરવામાં આવી છે.


3000થી વધુ આચાર્યોની જગ્યા ખાલી


ગાંધીનગરમાં આજે આચાર્ય પસંદગી સમિતિની બેઠક મળી રહી છે. જેમાં રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભરતી અંગે નિર્ણય લેવાઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાલ 3000થી વધુ આચાર્યોની જગ્યા ખાલી છે. આગામી શનિવાર સુધી આચાર્યની ભરતી માટેની જાહેરાત થઈ શકે છે.


અપ્રિલ મહિનામાં થઈ હતી બેઠક


અત્રે ઉલ્લેખનિય છે કે ગત અપ્રિલ મહિનામાં શિક્ષક સંઘની ગાંધીનગરમાં મહત્વની બેઠક મળી હતી. જેમાં શિક્ષણમંત્રી અને અધિકારીઓની હાજરીમાં પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. શિક્ષકો અને આચાર્યોની ભરતી પ્રક્રિયા, ગ્રાન્ટ, બદલી સહિતના મુદ્દે પણ ચર્ચા થઈ હતી. સરકારી અને ગ્રાન્ટેડ શાળાના પડતર પ્રશ્નોના સમાધાન માટે બેઠક માટે પણ ચર્ચા થઈ હતી. તેમજ વર્ગ સંખ્યા, આચાર્ય ભરતી, શિક્ષકોની ઘટ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે ગ્રાન્ટ આપવા અંગે વિચારવિમર્શ કરાયો હતો. આ બેઠકમાં શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરે તમામ પ્રશ્નોના સત્વરે નિકાલની બાહેંધરી આપી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.