રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, સિવિલ હોસ્પિટલમાં ઝાડા-ઊલટી, તાવ, શરદી-ઉધરસના દર્દીઓની લાગી લાઈનો


  • Published By :
  • Published Date : 2024-02-06 18:09:27

રાજ્યના હવામાનમાં પલટો આવતા રોગચાળાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. વર્તમાનમાં લોકોને સવારે અને રાત્રે શિયાળો અને દિવસ દરમિયાન ઉનાળા જેવો અનુભવ થાય છે. રાજ્યમાં બેવડી ઋતુની શરૂઆત થઈ ગઈ છે, આ મિશ્ર વાતાવરણને કારણે રોગચાળો સતત વકરી રહ્યો છે. અમદાવાદ અને રાજકોટમાં સિવિલ હોસ્પિટલ તથા પ્રાઈવેટ ક્લિનિકોમાં પણ દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. છેલ્લા થોડા સમયમાં ઝાડા-ઊલટી અને ડેન્ગ્યુનાં કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાતા રાજકોટ સિવિલ સુપ્રિટેન્ડેન્ટએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.


વિવિધ રોગોનાં 1695 કેસ નોંધાયા


રાજકોટમાં છેલ્લા એકાદ સપ્તાહથી સિવિલ હોસ્પિટલ અને મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળે છે. લાંબા સમય બાદ રાજકોટ મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1695 કેસ નોંધાયા છે. જેમાં શરદી-ઉધરસનાં 1263 કેસ, ઝાડા-ઉલટીનાં 256 કેસ, સામાન્ય તાવનાં 173 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાનાં પણ વધુ 1-1 કેસ સામે આવ્યા છે. અન્ય ખાનગી હોસ્પિટલો તેમજ નાના-મોટા ક્લિનિકમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા ઘણી વધુ છે. ત્યારે લોકો સાવચેતી રાખે તે ખાસ જરૂરી છે. જોકે, સિવિલમાં દર્દીઓને જે લાઈન લાગે છે એ જોતા મનપાના ચોપડે નોંધાયેલા કેસથી વિપરિત છે. જેમાં હોસ્પિટલમાં પહોંચતાની સાથે જ દર્દીઓ અને તેના સગાઓની ભીડ જોવા મળી રહી હતી. પાર્કિંગની જગ્યામાં પણ વાહનોને પાર્ક કરવાની જગ્યા ખૂટી હોવાનું જણાયું હતું. બહારની સાઈડમાં આવેલ કેસ બારી તેમજ અંદર આવેલ દવાની તમામ બારીઓ પર દર્દીઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. આ ઉપરાંત સ્ત્રીરોગ વિભાગમાં પણ ખૂબ જ મોટી કતારો જોવા મળી હતી.


ઓપીડી બેઝ રોગચાળો વધ્યો


રોગચાળાની સ્થિતિ અંગે જણાવતા રાજકોટ સિવિલના સુપ્રીન્ટેડન્ટ ડૉ. આર. એસ. ત્રિવેદીએ કહ્યું હતું કે, હાલ મિશ્ર ઋતુ હોવાથી રોગચાળો વધ્યો છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોવાને કારણે આ હોસ્પિટલમાં 11 જિલ્લામાંથી દર્દીઓ આવતા હોવાથી સ્વાભાવિક રીતે દર્દીઓની ભીડ જોવા મળે છે. હાલમાં ઓપીડી બેઝ રોગચાળો વધ્યો છે. જેમાં મોટાભાગના દર્દીઓને જરૂરી રિપોર્ટ બાદ દવા આપવામાં આવતા જ ત્રણ-ચાર દિવસમાં સાજા થઈ જાય છે. દાખલ દર્દીની સંખ્યામાં ખાસ મોટો વધારો થયો નથી.ગત માસની સરખામણીએ આ મહિને ઓપીડી કેસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જેમાં પણ ખાસ કરીને ઝાડા-ઉલટી અને ડેન્ગ્યુનાં દર્દીઓમાં ઘણો મોટો ઉછાળો નોંધાયો છે. આ ઉપરાંત સામાન્ય તાવ તેમજ શરદી-ઉધરસનાં કેસો અને મચ્છરજન્ય મેલેરિયા જેવા રોગના દર્દીઓ પણ સતત સામે આવી રહ્યા છે. જોકે, ચિકનગુનિયાનો કોઈ પણ કેસ સામે આવ્યો ન હોવાનો આશ્ચર્યજનક દાવો તેમણે કર્યો હતો. તેમજ કોઈ પણ પ્રકારની બીમારીનાં લક્ષણો જણાય ત્યારે કોઈ મેડિકલ સ્ટોર્સમાંથી દવા લેવાને બદલે ડોક્ટરની સલાહ લેવા માટે સિવિલ કે અન્ય કોઈ ખાનગી હોસ્પિટલની મુલાકાત લેવા અપીલ કરી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.