રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, સિવિલ હોસ્પિટલમાં ઝાડા-ઊલટી, તાવ, શરદી-ઉધરસના દર્દીઓની લાગી લાઈનો


  • Published By :
  • Published Date : 2024-02-06 18:09:27

રાજ્યના હવામાનમાં પલટો આવતા રોગચાળાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. વર્તમાનમાં લોકોને સવારે અને રાત્રે શિયાળો અને દિવસ દરમિયાન ઉનાળા જેવો અનુભવ થાય છે. રાજ્યમાં બેવડી ઋતુની શરૂઆત થઈ ગઈ છે, આ મિશ્ર વાતાવરણને કારણે રોગચાળો સતત વકરી રહ્યો છે. અમદાવાદ અને રાજકોટમાં સિવિલ હોસ્પિટલ તથા પ્રાઈવેટ ક્લિનિકોમાં પણ દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. છેલ્લા થોડા સમયમાં ઝાડા-ઊલટી અને ડેન્ગ્યુનાં કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાતા રાજકોટ સિવિલ સુપ્રિટેન્ડેન્ટએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.


વિવિધ રોગોનાં 1695 કેસ નોંધાયા


રાજકોટમાં છેલ્લા એકાદ સપ્તાહથી સિવિલ હોસ્પિટલ અને મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળે છે. લાંબા સમય બાદ રાજકોટ મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1695 કેસ નોંધાયા છે. જેમાં શરદી-ઉધરસનાં 1263 કેસ, ઝાડા-ઉલટીનાં 256 કેસ, સામાન્ય તાવનાં 173 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાનાં પણ વધુ 1-1 કેસ સામે આવ્યા છે. અન્ય ખાનગી હોસ્પિટલો તેમજ નાના-મોટા ક્લિનિકમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા ઘણી વધુ છે. ત્યારે લોકો સાવચેતી રાખે તે ખાસ જરૂરી છે. જોકે, સિવિલમાં દર્દીઓને જે લાઈન લાગે છે એ જોતા મનપાના ચોપડે નોંધાયેલા કેસથી વિપરિત છે. જેમાં હોસ્પિટલમાં પહોંચતાની સાથે જ દર્દીઓ અને તેના સગાઓની ભીડ જોવા મળી રહી હતી. પાર્કિંગની જગ્યામાં પણ વાહનોને પાર્ક કરવાની જગ્યા ખૂટી હોવાનું જણાયું હતું. બહારની સાઈડમાં આવેલ કેસ બારી તેમજ અંદર આવેલ દવાની તમામ બારીઓ પર દર્દીઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. આ ઉપરાંત સ્ત્રીરોગ વિભાગમાં પણ ખૂબ જ મોટી કતારો જોવા મળી હતી.


ઓપીડી બેઝ રોગચાળો વધ્યો


રોગચાળાની સ્થિતિ અંગે જણાવતા રાજકોટ સિવિલના સુપ્રીન્ટેડન્ટ ડૉ. આર. એસ. ત્રિવેદીએ કહ્યું હતું કે, હાલ મિશ્ર ઋતુ હોવાથી રોગચાળો વધ્યો છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોવાને કારણે આ હોસ્પિટલમાં 11 જિલ્લામાંથી દર્દીઓ આવતા હોવાથી સ્વાભાવિક રીતે દર્દીઓની ભીડ જોવા મળે છે. હાલમાં ઓપીડી બેઝ રોગચાળો વધ્યો છે. જેમાં મોટાભાગના દર્દીઓને જરૂરી રિપોર્ટ બાદ દવા આપવામાં આવતા જ ત્રણ-ચાર દિવસમાં સાજા થઈ જાય છે. દાખલ દર્દીની સંખ્યામાં ખાસ મોટો વધારો થયો નથી.ગત માસની સરખામણીએ આ મહિને ઓપીડી કેસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જેમાં પણ ખાસ કરીને ઝાડા-ઉલટી અને ડેન્ગ્યુનાં દર્દીઓમાં ઘણો મોટો ઉછાળો નોંધાયો છે. આ ઉપરાંત સામાન્ય તાવ તેમજ શરદી-ઉધરસનાં કેસો અને મચ્છરજન્ય મેલેરિયા જેવા રોગના દર્દીઓ પણ સતત સામે આવી રહ્યા છે. જોકે, ચિકનગુનિયાનો કોઈ પણ કેસ સામે આવ્યો ન હોવાનો આશ્ચર્યજનક દાવો તેમણે કર્યો હતો. તેમજ કોઈ પણ પ્રકારની બીમારીનાં લક્ષણો જણાય ત્યારે કોઈ મેડિકલ સ્ટોર્સમાંથી દવા લેવાને બદલે ડોક્ટરની સલાહ લેવા માટે સિવિલ કે અન્ય કોઈ ખાનગી હોસ્પિટલની મુલાકાત લેવા અપીલ કરી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.