Adani મામલે SEBIએ પાઠવી Hindenburg Researchને નોટિસ, તો જવાબમાં Hindenburgએ કર્યો નવો ધડાકો! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-07-02 16:17:57

અદાણીનું નામ આપણે સાંભળીએ ત્યારે અમેરિકન શોર્ટ સેલર ફર્મ Hindenburgનો રિપોર્ટ આપણને યાદ આવે.. જ્યારે તે રિપોર્ટ આવ્યો હતો તે બાદ સંસદમાં પણ આ મુદ્દો ઘણો ઉછળ્યો હતો.. ભારે વિવાદ પણ થયો હતો. Hindenburg દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે અદાણી ગ્રૂપના શેર્સમાં ગેરરીતિ કરવામાં આવે છે.. તે બાદ માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા hindenburgને શો કેઝ નોટિસ પાઠવવામાં આવી હતી. 

46 પાનાની હિંડનબર્ગને આપવામાં આવી સેબી દ્વારા નોટિસ

Hindenburgને પાઠવવામાં આવેલી શો કેઝ નોટિસને કહ્યું છે કે 27 જૂને તેમને સેબીએ શો કેઝ નોટિસ મોકલી. જેમાં અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારનો આરોપ ખોટો છે અને ભ્રામક છે તેવું કહેવામાં આવ્યું.. સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું કે હિંડનબર્ગનો રિપોર્ટે ભારતીય નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. 46 પાનાની નોટીસ સેબીએ મોકલી હતી.. સેબીની નોટિસના જવાબમાં હિંડનબર્ગે સેબી પર આરોપ લગાવ્યો છે. હિંડનબર્ગ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે તે અડાણી ગ્રુપને બચાવવાની કોશિશ કરે છે.



નોટિસના જવાબમાં હિંડનબર્ગે આ બેન્કના નામનો કર્યો ઉલ્લેખ!

હિંડનબર્ગ દ્વારા આપવામાં આવેલા જવાબમાં દેશની એક ટોચની ખાનગી બેન્કની સંડોવણી હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો. જે બેન્કની સંડોવણી હોવાની વાત કરવામાં આવી તે છે કોટક બેંક. હિંડનબર્ગ દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો છે કે ભારતની માર્કેટ રેગ્યુલેટર આ કેસની તપાસમાં કોટક બેન્કનું નામ શોધવામાં કેમ નિષ્ફળ રહી.. કોટક બેન્કનું નામ સામે આવતા કોટક બેંક દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી હોય તેવી માહિતી હાલ સામે આવી નથી. મહત્વનું છે કે 2023માં હિંડનબર્ગ દ્વારા અડાણીને લઈ રિપોર્ટ આપવામાં આવ્યો હતો.   



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.