Adani મામલે SEBIએ પાઠવી Hindenburg Researchને નોટિસ, તો જવાબમાં Hindenburgએ કર્યો નવો ધડાકો! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-07-02 16:17:57

અદાણીનું નામ આપણે સાંભળીએ ત્યારે અમેરિકન શોર્ટ સેલર ફર્મ Hindenburgનો રિપોર્ટ આપણને યાદ આવે.. જ્યારે તે રિપોર્ટ આવ્યો હતો તે બાદ સંસદમાં પણ આ મુદ્દો ઘણો ઉછળ્યો હતો.. ભારે વિવાદ પણ થયો હતો. Hindenburg દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે અદાણી ગ્રૂપના શેર્સમાં ગેરરીતિ કરવામાં આવે છે.. તે બાદ માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા hindenburgને શો કેઝ નોટિસ પાઠવવામાં આવી હતી. 

46 પાનાની હિંડનબર્ગને આપવામાં આવી સેબી દ્વારા નોટિસ

Hindenburgને પાઠવવામાં આવેલી શો કેઝ નોટિસને કહ્યું છે કે 27 જૂને તેમને સેબીએ શો કેઝ નોટિસ મોકલી. જેમાં અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારનો આરોપ ખોટો છે અને ભ્રામક છે તેવું કહેવામાં આવ્યું.. સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું કે હિંડનબર્ગનો રિપોર્ટે ભારતીય નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. 46 પાનાની નોટીસ સેબીએ મોકલી હતી.. સેબીની નોટિસના જવાબમાં હિંડનબર્ગે સેબી પર આરોપ લગાવ્યો છે. હિંડનબર્ગ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે તે અડાણી ગ્રુપને બચાવવાની કોશિશ કરે છે.



નોટિસના જવાબમાં હિંડનબર્ગે આ બેન્કના નામનો કર્યો ઉલ્લેખ!

હિંડનબર્ગ દ્વારા આપવામાં આવેલા જવાબમાં દેશની એક ટોચની ખાનગી બેન્કની સંડોવણી હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો. જે બેન્કની સંડોવણી હોવાની વાત કરવામાં આવી તે છે કોટક બેંક. હિંડનબર્ગ દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો છે કે ભારતની માર્કેટ રેગ્યુલેટર આ કેસની તપાસમાં કોટક બેન્કનું નામ શોધવામાં કેમ નિષ્ફળ રહી.. કોટક બેન્કનું નામ સામે આવતા કોટક બેંક દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી હોય તેવી માહિતી હાલ સામે આવી નથી. મહત્વનું છે કે 2023માં હિંડનબર્ગ દ્વારા અડાણીને લઈ રિપોર્ટ આપવામાં આવ્યો હતો.   



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."