Adani મામલે SEBIએ પાઠવી Hindenburg Researchને નોટિસ, તો જવાબમાં Hindenburgએ કર્યો નવો ધડાકો! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-07-02 16:17:57

અદાણીનું નામ આપણે સાંભળીએ ત્યારે અમેરિકન શોર્ટ સેલર ફર્મ Hindenburgનો રિપોર્ટ આપણને યાદ આવે.. જ્યારે તે રિપોર્ટ આવ્યો હતો તે બાદ સંસદમાં પણ આ મુદ્દો ઘણો ઉછળ્યો હતો.. ભારે વિવાદ પણ થયો હતો. Hindenburg દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે અદાણી ગ્રૂપના શેર્સમાં ગેરરીતિ કરવામાં આવે છે.. તે બાદ માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા hindenburgને શો કેઝ નોટિસ પાઠવવામાં આવી હતી. 

46 પાનાની હિંડનબર્ગને આપવામાં આવી સેબી દ્વારા નોટિસ

Hindenburgને પાઠવવામાં આવેલી શો કેઝ નોટિસને કહ્યું છે કે 27 જૂને તેમને સેબીએ શો કેઝ નોટિસ મોકલી. જેમાં અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારનો આરોપ ખોટો છે અને ભ્રામક છે તેવું કહેવામાં આવ્યું.. સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું કે હિંડનબર્ગનો રિપોર્ટે ભારતીય નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. 46 પાનાની નોટીસ સેબીએ મોકલી હતી.. સેબીની નોટિસના જવાબમાં હિંડનબર્ગે સેબી પર આરોપ લગાવ્યો છે. હિંડનબર્ગ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે તે અડાણી ગ્રુપને બચાવવાની કોશિશ કરે છે.



નોટિસના જવાબમાં હિંડનબર્ગે આ બેન્કના નામનો કર્યો ઉલ્લેખ!

હિંડનબર્ગ દ્વારા આપવામાં આવેલા જવાબમાં દેશની એક ટોચની ખાનગી બેન્કની સંડોવણી હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો. જે બેન્કની સંડોવણી હોવાની વાત કરવામાં આવી તે છે કોટક બેંક. હિંડનબર્ગ દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો છે કે ભારતની માર્કેટ રેગ્યુલેટર આ કેસની તપાસમાં કોટક બેન્કનું નામ શોધવામાં કેમ નિષ્ફળ રહી.. કોટક બેન્કનું નામ સામે આવતા કોટક બેંક દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી હોય તેવી માહિતી હાલ સામે આવી નથી. મહત્વનું છે કે 2023માં હિંડનબર્ગ દ્વારા અડાણીને લઈ રિપોર્ટ આપવામાં આવ્યો હતો.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.