ગૌણ સેવા પસંદગી મંડળે જૂનિયર-સિનિયર ક્લાર્કની પરીક્ષા રાખી મોકૂફ, નવી તારીખોનું જલ્દી કરાશે એલાન, જાણો શા માટે લેવાયો આ નિર્ણય?


  • Published By :
  • Published Date : 2024-04-19 15:16:21

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા વહીવટી કારણોસર મોકૂફ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવાાં આવશે. આ માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગીના સચિવ હસમુખ પટેલ દ્વારા આપવામાં આવી છે... લોકસભા ચૂંટણીને કારણે આ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે તેવું લાગી રહ્યું છે. 

GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ

આ તારીખોએ થનારી પરીક્ષા રખાઈ સ્થગિત 

જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે... ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી આ પરીક્ષા લોકસભા ચૂંટણીને કારણે મોકૂફ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે..  ત્યારે વહીવટી કારણોસર આ તારીખે આવતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે આ પરીક્ષાનું આયોજન 20-21-27-28 એપ્રિલ અને 4-5  મેના રોજ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ હવે આ તારીખો પર પરીક્ષા નહીં લેવાય. 


ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ થશે જાહેર  

20-21-27-28 એપ્રિલ અને 4-5  મેના રોજ તો પરીક્ષાનું આયોજન કરાયું હતું સાથે સાથે 8 તેમજ 9 તારીખે પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 અને 9 તારીખે રખાયેલી પરીક્ષાના આયોજનમાં ફેરફાર નથી કરાયો. 8 અને 9 મેના રોજ યોજાનારી પરીક્ષા યથાવત રહેશે બાકીની પરીક્ષા માટે નવી તારીખો ટૂંક સમયમાં જાહેર થશે.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.