ગૌણ સેવા પસંદગી મંડળે જૂનિયર-સિનિયર ક્લાર્કની પરીક્ષા રાખી મોકૂફ, નવી તારીખોનું જલ્દી કરાશે એલાન, જાણો શા માટે લેવાયો આ નિર્ણય?


  • Published By :
  • Published Date : 2024-04-19 15:16:21

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા વહીવટી કારણોસર મોકૂફ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવાાં આવશે. આ માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગીના સચિવ હસમુખ પટેલ દ્વારા આપવામાં આવી છે... લોકસભા ચૂંટણીને કારણે આ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે તેવું લાગી રહ્યું છે. 

GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ

આ તારીખોએ થનારી પરીક્ષા રખાઈ સ્થગિત 

જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે... ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી આ પરીક્ષા લોકસભા ચૂંટણીને કારણે મોકૂફ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે..  ત્યારે વહીવટી કારણોસર આ તારીખે આવતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે આ પરીક્ષાનું આયોજન 20-21-27-28 એપ્રિલ અને 4-5  મેના રોજ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ હવે આ તારીખો પર પરીક્ષા નહીં લેવાય. 


ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ થશે જાહેર  

20-21-27-28 એપ્રિલ અને 4-5  મેના રોજ તો પરીક્ષાનું આયોજન કરાયું હતું સાથે સાથે 8 તેમજ 9 તારીખે પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 અને 9 તારીખે રખાયેલી પરીક્ષાના આયોજનમાં ફેરફાર નથી કરાયો. 8 અને 9 મેના રોજ યોજાનારી પરીક્ષા યથાવત રહેશે બાકીની પરીક્ષા માટે નવી તારીખો ટૂંક સમયમાં જાહેર થશે.    



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.