ગૌણ સેવા પસંદગી મંડળે જૂનિયર-સિનિયર ક્લાર્કની પરીક્ષા રાખી મોકૂફ, નવી તારીખોનું જલ્દી કરાશે એલાન, જાણો શા માટે લેવાયો આ નિર્ણય?


  • Published By :
  • Published Date : 2024-04-19 15:16:21

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા વહીવટી કારણોસર મોકૂફ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવાાં આવશે. આ માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગીના સચિવ હસમુખ પટેલ દ્વારા આપવામાં આવી છે... લોકસભા ચૂંટણીને કારણે આ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે તેવું લાગી રહ્યું છે. 

GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ

આ તારીખોએ થનારી પરીક્ષા રખાઈ સ્થગિત 

જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે... ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી આ પરીક્ષા લોકસભા ચૂંટણીને કારણે મોકૂફ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે..  ત્યારે વહીવટી કારણોસર આ તારીખે આવતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે આ પરીક્ષાનું આયોજન 20-21-27-28 એપ્રિલ અને 4-5  મેના રોજ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ હવે આ તારીખો પર પરીક્ષા નહીં લેવાય. 


ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ થશે જાહેર  

20-21-27-28 એપ્રિલ અને 4-5  મેના રોજ તો પરીક્ષાનું આયોજન કરાયું હતું સાથે સાથે 8 તેમજ 9 તારીખે પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 અને 9 તારીખે રખાયેલી પરીક્ષાના આયોજનમાં ફેરફાર નથી કરાયો. 8 અને 9 મેના રોજ યોજાનારી પરીક્ષા યથાવત રહેશે બાકીની પરીક્ષા માટે નવી તારીખો ટૂંક સમયમાં જાહેર થશે.    



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."