Jamawat ચેનલ શરૂ કરાઈ તેની પાછળનું કારણ જુઓ, બાળકો ૧૨ કિમી ચાલીને જાય, બીમાર ઝોળીમાં જાય આ આપણી શરમ છે...


  • Published By :
  • Published Date : 2024-02-24 17:39:18

અમે જ્યારે ગુજરાતની, દેશની, સમાજની વાસ્તવિક્તા દર્શાવીએ છીએ ત્યારે અનેક લોકો કમેન્ટમાં કહેતા હોય છે જમાવટના સમાચાર નેગેટિવ હોય છે. પરંતુ ના, સમાચાર નેગેટિવ નથી હોતા પરંતુ આપણને સાચું સાંભળવાની, જોવાની ટેવ નથી! અનેક એવા વીડિયો અંતરિયાળ વિસ્તારોમાંથી સામે આવતા હોય છે જેમાં રસ્તા ના હોવાને કારણે, પૂરતા સાધનો ના હોવાને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. 

જમાવટ શરૂ કરવાનો આશય હતો કે... 

જમાવટ જ્યારે શરૂ કરાયું ત્યારે કહેવામાં આવ્યું હતું કે જમાવટ લાઈનમાં છેલ્લા ઉભા રહેલા વ્યક્તિનો અવાજ બનશે. જે લોકો પોતાના માટે અવાજ નથી ઉઠાવી શક્તા, જેમની વેદના અસહ્ય છે, પીડાઓ પારાવાર છે પણ તેમ છતાંય તેમનો અવાજ નથી સાંભળવવામાં આવતો અથવા તો તે પોતાના માટે અવાજ નથી ઉપાડી શક્તા તેમના માટે જમાવટ બુલંદીથી અવાજ ઉપાડ્શે.. જે પ્રશ્ન વિધાનસભામાં ગુંજવા જોઈએ, એવા પ્રશ્નો જેનાથી નેતાની ખુરશીઓ હલી જવી જોઈએ, એવા પ્રશ્નો ક્યારેય બુલંદીથી બોલાયા જ નથી. સમસ્યાઓ ખાસી જૂજ છે. 


અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોનો પણ છે અધિકાર!

ગુજરાતને વિકસીત રાજ્ય માનવામાં આવે છે. બીજા શહેરોની સરખામણી નથી કરી રહ્યા પરંતુ ગુજરાતની જ સરખામણી કરી રહ્યા છે. અમદાવાદમાં વિકાસ થાય છે એની ના નહીં પરંતુ અંતરિયાળ વિસ્તારમાં વિકાસ નથી થતો તે પણ બતાવવું જરૂરી છે. શું એ લોકો ગુજરાતના નાગરિકો નથી? શું આ રાજ્યની સંપત્તિ પર, સમૃદ્ધિ પર સામાન્ય માણસોનો અધિકાર નથી? 

ઝોળીમાં ઉપાડી જ્યારે દર્દીને લઈ જવા પડે છે ત્યારે દુભાય છે દિલ 

અનેક એવા વીડિયો અંતરિયાળ વિસ્તારમાંથી સામે આવતા હોય છે જેમાં દર્દીને ઝોળીમાં લઈ જવા પડે છે, અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં વિદ્યાર્થીઓને અનેક કિલોમીટરો સુધી ચાલીને જવું પડે છે શિક્ષા મેળવવા. દર્દીના નામ બદલાય છે, ગામના નામ બદલાય છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં હોય છે. આપણે ત્યાં 108ની સુવિધા છે પરંતુ જ્યારે અંતરિયાળ વિસ્તારમાં 108ની વાત કરીએ છીએ તો એમ્બ્યુલન્સ સુધી પહોંચવા માટે પણ કિલોમીટરની સફર કરવી પડે છે. 


ભણવા જવા માટે વિદ્યાર્થીઓને ચાલવું પડે છે અનેક કિલોમીટર 

આતો થઈ આરોગ્યની વાત પરંતુ ટ્રાન્સ્પોર્ટેશનને લઈ પણ આવી જ પરિસ્થિતિ છે ગામડાઓમાં. એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ભણવા માટે વિદ્યાર્થીઓને 12 કિલોમીટર સુધી ચાલીને જવું પડતું હતું. બસની સુવિધા ના હોવાને કારણે વિદ્યાર્થીઓને ગમે તેવી સિઝન કેમ ન હોય તેમને ચાલીને જવું પડે છે. તડકો હોય કે ઠંડી હોય, અનેક વખત ચપ્પલ વગર વિદ્યાર્થીઓને ચાલવું પડે છે. ચામડી  એટલી બધી જાડી થઈ ગઈ હોય કે તેમને ખબર જ નથી હોતી કે ગરમી કેટલી છે... વિકાસ થઈ રહ્યો છે પરંતુ અંતરિયાળ વિસ્તારમાં એ વિકાસને પહોંચવા માટે વર્ષોના વર્ષો વિતી ગયા છે. જ્યારે બાળકોને આવી પીડામાં જોઈએ છીએ ત્યારે દુખ થાય છે અને એ પીડાને વ્યક્ત કરવા માટે જમાવટની શરૂઆત કરવામાં આવી છે. 


જો આપણે તેમની પીડા નથી સમજી શકતા તો.... 

પરિસ્થિતિ ક્યારે બદલાશે તેની ખબર નથી પરંતુ અપેક્ષા માત્ર એટલી છે કે પરિસ્થિતિનો અહેસાસ તમને પણ કરાવી શકીએ. એટલો ભરોસો રાખજો સરકાર કોની છે, પક્ષ કયો છે તેને છોડીને બાળકોની જગ્યાએ પોતાને રાખીને જોશો ત્યારે સમજાશે કે તે પીડા કેટલી ભયાનક છે. તમારો જન્મ માત્ર અલગ ઘરમાં થયો છે. જો આપણે તેમની પીડાને નથી સમજી શકતા તો વિચારવા જેવી વાત છે.... 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.