Jamawat ચેનલ શરૂ કરાઈ તેની પાછળનું કારણ જુઓ, બાળકો ૧૨ કિમી ચાલીને જાય, બીમાર ઝોળીમાં જાય આ આપણી શરમ છે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-24 17:39:18

અમે જ્યારે ગુજરાતની, દેશની, સમાજની વાસ્તવિક્તા દર્શાવીએ છીએ ત્યારે અનેક લોકો કમેન્ટમાં કહેતા હોય છે જમાવટના સમાચાર નેગેટિવ હોય છે. પરંતુ ના, સમાચાર નેગેટિવ નથી હોતા પરંતુ આપણને સાચું સાંભળવાની, જોવાની ટેવ નથી! અનેક એવા વીડિયો અંતરિયાળ વિસ્તારોમાંથી સામે આવતા હોય છે જેમાં રસ્તા ના હોવાને કારણે, પૂરતા સાધનો ના હોવાને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. 

જમાવટ શરૂ કરવાનો આશય હતો કે... 

જમાવટ જ્યારે શરૂ કરાયું ત્યારે કહેવામાં આવ્યું હતું કે જમાવટ લાઈનમાં છેલ્લા ઉભા રહેલા વ્યક્તિનો અવાજ બનશે. જે લોકો પોતાના માટે અવાજ નથી ઉઠાવી શક્તા, જેમની વેદના અસહ્ય છે, પીડાઓ પારાવાર છે પણ તેમ છતાંય તેમનો અવાજ નથી સાંભળવવામાં આવતો અથવા તો તે પોતાના માટે અવાજ નથી ઉપાડી શક્તા તેમના માટે જમાવટ બુલંદીથી અવાજ ઉપાડ્શે.. જે પ્રશ્ન વિધાનસભામાં ગુંજવા જોઈએ, એવા પ્રશ્નો જેનાથી નેતાની ખુરશીઓ હલી જવી જોઈએ, એવા પ્રશ્નો ક્યારેય બુલંદીથી બોલાયા જ નથી. સમસ્યાઓ ખાસી જૂજ છે. 


અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોનો પણ છે અધિકાર!

ગુજરાતને વિકસીત રાજ્ય માનવામાં આવે છે. બીજા શહેરોની સરખામણી નથી કરી રહ્યા પરંતુ ગુજરાતની જ સરખામણી કરી રહ્યા છે. અમદાવાદમાં વિકાસ થાય છે એની ના નહીં પરંતુ અંતરિયાળ વિસ્તારમાં વિકાસ નથી થતો તે પણ બતાવવું જરૂરી છે. શું એ લોકો ગુજરાતના નાગરિકો નથી? શું આ રાજ્યની સંપત્તિ પર, સમૃદ્ધિ પર સામાન્ય માણસોનો અધિકાર નથી? 

ઝોળીમાં ઉપાડી જ્યારે દર્દીને લઈ જવા પડે છે ત્યારે દુભાય છે દિલ 

અનેક એવા વીડિયો અંતરિયાળ વિસ્તારમાંથી સામે આવતા હોય છે જેમાં દર્દીને ઝોળીમાં લઈ જવા પડે છે, અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં વિદ્યાર્થીઓને અનેક કિલોમીટરો સુધી ચાલીને જવું પડે છે શિક્ષા મેળવવા. દર્દીના નામ બદલાય છે, ગામના નામ બદલાય છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં હોય છે. આપણે ત્યાં 108ની સુવિધા છે પરંતુ જ્યારે અંતરિયાળ વિસ્તારમાં 108ની વાત કરીએ છીએ તો એમ્બ્યુલન્સ સુધી પહોંચવા માટે પણ કિલોમીટરની સફર કરવી પડે છે. 


ભણવા જવા માટે વિદ્યાર્થીઓને ચાલવું પડે છે અનેક કિલોમીટર 

આતો થઈ આરોગ્યની વાત પરંતુ ટ્રાન્સ્પોર્ટેશનને લઈ પણ આવી જ પરિસ્થિતિ છે ગામડાઓમાં. એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ભણવા માટે વિદ્યાર્થીઓને 12 કિલોમીટર સુધી ચાલીને જવું પડતું હતું. બસની સુવિધા ના હોવાને કારણે વિદ્યાર્થીઓને ગમે તેવી સિઝન કેમ ન હોય તેમને ચાલીને જવું પડે છે. તડકો હોય કે ઠંડી હોય, અનેક વખત ચપ્પલ વગર વિદ્યાર્થીઓને ચાલવું પડે છે. ચામડી  એટલી બધી જાડી થઈ ગઈ હોય કે તેમને ખબર જ નથી હોતી કે ગરમી કેટલી છે... વિકાસ થઈ રહ્યો છે પરંતુ અંતરિયાળ વિસ્તારમાં એ વિકાસને પહોંચવા માટે વર્ષોના વર્ષો વિતી ગયા છે. જ્યારે બાળકોને આવી પીડામાં જોઈએ છીએ ત્યારે દુખ થાય છે અને એ પીડાને વ્યક્ત કરવા માટે જમાવટની શરૂઆત કરવામાં આવી છે. 


જો આપણે તેમની પીડા નથી સમજી શકતા તો.... 

પરિસ્થિતિ ક્યારે બદલાશે તેની ખબર નથી પરંતુ અપેક્ષા માત્ર એટલી છે કે પરિસ્થિતિનો અહેસાસ તમને પણ કરાવી શકીએ. એટલો ભરોસો રાખજો સરકાર કોની છે, પક્ષ કયો છે તેને છોડીને બાળકોની જગ્યાએ પોતાને રાખીને જોશો ત્યારે સમજાશે કે તે પીડા કેટલી ભયાનક છે. તમારો જન્મ માત્ર અલગ ઘરમાં થયો છે. જો આપણે તેમની પીડાને નથી સમજી શકતા તો વિચારવા જેવી વાત છે.... 



થોડા દિવસ પહેલા પીએમ મોદીએ ત્યાં જનસભાને સંબોધી હતી ત્યારે આજે પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠાના લાખણીમાં જનસભાને સંબોધી હતી. ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોર માટે તેઓ પ્રચાર કરવા ગુજરાત આવ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે પીએમ મોદી પર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા...અનેક મુદ્દાઓને લઈ ભાજપને ઘેરવાની કોશિશ કરી હતી..

અમરેલીની જનતાનો મિજાજ જાણવા માટે અમરેલી લોકસભા બેઠક પહોંચી હતી.. અલગ અલગ મુદ્દાઓ પર અમરેલીની જનતાને સવાલ પૂછવામાં આવ્યો હતો.

અમદાવાદના બોપલ વિસ્તારમાં 80 કરોડના ખર્ચે એએમસી અને AUDA દ્વારા એક બ્રિજ બનાવવામાં આવ્યો જેનું કામ 80 ટકા જેટલું પૂર્ણ પણ થઈ ગયું. તે બાદ ખબર ઇજનેરો અને અધિકારીઓને ખબર પડી કે જ્યાં તેઓ બ્રિજ બનાવી રહ્યા છે ત્યાં તો કોઈ રોડ જ નથી. એટલે કે બ્રિજના બીજા છેડે રસ્તો જ નથી અને બ્રિજ ઉતરતાની સાથે જ ઊંચી દીવાલ આવી જાય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું.