Jamawat ચેનલ શરૂ કરાઈ તેની પાછળનું કારણ જુઓ, બાળકો ૧૨ કિમી ચાલીને જાય, બીમાર ઝોળીમાં જાય આ આપણી શરમ છે...


  • Published By :
  • Published Date : 2024-02-24 17:39:18

અમે જ્યારે ગુજરાતની, દેશની, સમાજની વાસ્તવિક્તા દર્શાવીએ છીએ ત્યારે અનેક લોકો કમેન્ટમાં કહેતા હોય છે જમાવટના સમાચાર નેગેટિવ હોય છે. પરંતુ ના, સમાચાર નેગેટિવ નથી હોતા પરંતુ આપણને સાચું સાંભળવાની, જોવાની ટેવ નથી! અનેક એવા વીડિયો અંતરિયાળ વિસ્તારોમાંથી સામે આવતા હોય છે જેમાં રસ્તા ના હોવાને કારણે, પૂરતા સાધનો ના હોવાને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. 

જમાવટ શરૂ કરવાનો આશય હતો કે... 

જમાવટ જ્યારે શરૂ કરાયું ત્યારે કહેવામાં આવ્યું હતું કે જમાવટ લાઈનમાં છેલ્લા ઉભા રહેલા વ્યક્તિનો અવાજ બનશે. જે લોકો પોતાના માટે અવાજ નથી ઉઠાવી શક્તા, જેમની વેદના અસહ્ય છે, પીડાઓ પારાવાર છે પણ તેમ છતાંય તેમનો અવાજ નથી સાંભળવવામાં આવતો અથવા તો તે પોતાના માટે અવાજ નથી ઉપાડી શક્તા તેમના માટે જમાવટ બુલંદીથી અવાજ ઉપાડ્શે.. જે પ્રશ્ન વિધાનસભામાં ગુંજવા જોઈએ, એવા પ્રશ્નો જેનાથી નેતાની ખુરશીઓ હલી જવી જોઈએ, એવા પ્રશ્નો ક્યારેય બુલંદીથી બોલાયા જ નથી. સમસ્યાઓ ખાસી જૂજ છે. 


અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોનો પણ છે અધિકાર!

ગુજરાતને વિકસીત રાજ્ય માનવામાં આવે છે. બીજા શહેરોની સરખામણી નથી કરી રહ્યા પરંતુ ગુજરાતની જ સરખામણી કરી રહ્યા છે. અમદાવાદમાં વિકાસ થાય છે એની ના નહીં પરંતુ અંતરિયાળ વિસ્તારમાં વિકાસ નથી થતો તે પણ બતાવવું જરૂરી છે. શું એ લોકો ગુજરાતના નાગરિકો નથી? શું આ રાજ્યની સંપત્તિ પર, સમૃદ્ધિ પર સામાન્ય માણસોનો અધિકાર નથી? 

ઝોળીમાં ઉપાડી જ્યારે દર્દીને લઈ જવા પડે છે ત્યારે દુભાય છે દિલ 

અનેક એવા વીડિયો અંતરિયાળ વિસ્તારમાંથી સામે આવતા હોય છે જેમાં દર્દીને ઝોળીમાં લઈ જવા પડે છે, અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં વિદ્યાર્થીઓને અનેક કિલોમીટરો સુધી ચાલીને જવું પડે છે શિક્ષા મેળવવા. દર્દીના નામ બદલાય છે, ગામના નામ બદલાય છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં હોય છે. આપણે ત્યાં 108ની સુવિધા છે પરંતુ જ્યારે અંતરિયાળ વિસ્તારમાં 108ની વાત કરીએ છીએ તો એમ્બ્યુલન્સ સુધી પહોંચવા માટે પણ કિલોમીટરની સફર કરવી પડે છે. 


ભણવા જવા માટે વિદ્યાર્થીઓને ચાલવું પડે છે અનેક કિલોમીટર 

આતો થઈ આરોગ્યની વાત પરંતુ ટ્રાન્સ્પોર્ટેશનને લઈ પણ આવી જ પરિસ્થિતિ છે ગામડાઓમાં. એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ભણવા માટે વિદ્યાર્થીઓને 12 કિલોમીટર સુધી ચાલીને જવું પડતું હતું. બસની સુવિધા ના હોવાને કારણે વિદ્યાર્થીઓને ગમે તેવી સિઝન કેમ ન હોય તેમને ચાલીને જવું પડે છે. તડકો હોય કે ઠંડી હોય, અનેક વખત ચપ્પલ વગર વિદ્યાર્થીઓને ચાલવું પડે છે. ચામડી  એટલી બધી જાડી થઈ ગઈ હોય કે તેમને ખબર જ નથી હોતી કે ગરમી કેટલી છે... વિકાસ થઈ રહ્યો છે પરંતુ અંતરિયાળ વિસ્તારમાં એ વિકાસને પહોંચવા માટે વર્ષોના વર્ષો વિતી ગયા છે. જ્યારે બાળકોને આવી પીડામાં જોઈએ છીએ ત્યારે દુખ થાય છે અને એ પીડાને વ્યક્ત કરવા માટે જમાવટની શરૂઆત કરવામાં આવી છે. 


જો આપણે તેમની પીડા નથી સમજી શકતા તો.... 

પરિસ્થિતિ ક્યારે બદલાશે તેની ખબર નથી પરંતુ અપેક્ષા માત્ર એટલી છે કે પરિસ્થિતિનો અહેસાસ તમને પણ કરાવી શકીએ. એટલો ભરોસો રાખજો સરકાર કોની છે, પક્ષ કયો છે તેને છોડીને બાળકોની જગ્યાએ પોતાને રાખીને જોશો ત્યારે સમજાશે કે તે પીડા કેટલી ભયાનક છે. તમારો જન્મ માત્ર અલગ ઘરમાં થયો છે. જો આપણે તેમની પીડાને નથી સમજી શકતા તો વિચારવા જેવી વાત છે.... 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.