જુઓ હવે આ વખતે કેજરીવાલે આંદોલનકારીઓ માટે શું કહ્યું ???


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-29 15:04:52


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને હવે કેજરીવાલ દરેક વોટ બેંકને અકર્ષવાની કોશિશ કરે છે ત્યારે આ વખતે નવસારીમાં એક જાહેરાત કરી કે  તમામ આંદોલનકારીઓના કેસ પાછા ખેંચવામાં આવશે.


ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન આંદોલનકારીઓના કેસોનો  મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે ત્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં હતા ત્યારે આ મુદ્દો સતત ઉઠાવી રહ્યા હતા. ભાજપમાં ભળતા આ મુદ્દે ચૂપ થઈ ચૂક્યા છે. ત્યારે હવે આ મુદ્દે કેજરીવાલે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, શું માત્ર કેજરીવાલને ગાળો આપવાથી ગુજરાતની જનતાને ફાયદો થશે? તમામ આંદોલનકારીઓ, પછી તે પાટીદાર આંદોલનના હોય, ખેડૂતોના આંદોલનના હોય, દલિત આંદોલન હોય કે અન્ય કોઈ આંદોલન હોય, તમામ આંદોલનકારીઓના કેસ પાછા ખેંચવામાં આવશે.


વધુમાં અરવિંદ કેજરીવાલએ કહ્યું કે હું એવું નથી કહેતો કે ગણેશજી અને લક્ષ્મીજીની તસવીરો લગાવવાથી બધું થઈ જશે. મેં એવું કહ્યું છે કે દેશને ચલાવવા માટે દરેક ક્ષેત્રમાં સારી નીતિની જરૂર છે, સારી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે, સખત મહેનતની જરૂર છે. પરંતુ આ બધી બાબતો ભગવાનના આશીર્વાદ વિના સફળ થશે નહીં. આપણે ઘરે પણ ભગવાનની પૂજા કરીએ છીએ, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે પૂજા કરીને સુઈ જઈએ છીએ. આપણે ઓફિસે જઈએ છીએ, આપણે કામ કરીએ છીએ, આપણે સખત મહેનત કરીએ છીએ, આપણે શ્રમ કરીએ છીએ, પરંતુ શ્રમ ત્યારે જ ફળે છે જ્યારે ભગવાનના આશીર્વાદ આપણી સાથે હોય. તેવી જ રીતે જો આપણે આપણી નોટો પર ગણેશજી અને લક્ષ્મીજીની તસવીરો લગાવીએ તો ભગવાનની કૃપા પ્રાપ્ત થશે અને દેશની પ્રગતિ થશે.



એક તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું તો બીજી તરફ ઝાડને કાપવામાં આવી રહ્યા છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.. પ્રદૂષણ ઘટે તે માટે વધારેમાં વધારે વૃક્ષો વાવા જોઈએ તેવી વાતો સાંભળી હશે

દેશમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. પાંચમા તબક્કા અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો મતદાનનો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ કરતો એક યુવાન પોતાના સોશિયલ મીડિયા પર તે વીડિયો મૂકે છે અને બતાવે છે કઈ રીતે એ 8 વારએ મતદાન કરે છે..

ગુજરાત જાણે અગનભઠ્ઠામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. ગરમીનું તાપમાન પ્રતિદિન વધી રહ્યું છે જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. ગરમી ક્યારે ઓછી થાય તેની રાહ જોઈ રહ્યા છે. અનેક જિલ્લાઓ માટે ઓરન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાત એટીએસ દ્વારા ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે.. અમદાવાદ એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન અને આઈએસઆઈએસ સાથે જોડાયેલા આતંકીઓને ઝડપી પાડ્યા છે.