આકરી ગરમી! IPS Hasmukh Patel તેમજ Harsh Sanghviએ કરી ટ્વિટ જે આપણને સાચી પણ લાગશે અને વિચારવા મજબૂર પણ કરશે કે...


  • Published By :
  • Published Date : 2024-05-25 15:51:23

સતત ગરમીનો અહેસાસ આપણે કરી રહ્યા છીએ હમણાં... 47 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું હતું.. અનેક લોકો ગરમીનો ભોગ બની રહ્યા છે.. હીટસ્ટ્રોકના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.. અનેક લોકો યથાશક્તિ બનતી સેવાઓ કરી રહ્યા છે. કોઈ છાશનું વિતરણ કરે છે તો કોઈ ઠંડા પાણીનું વિતરણ કરે છે.. આપણી પાસે તો ગરમીથી બચવા માટે વ્યવસ્થાઓ છે પરંતુ એ લોકોનું પણ વિચારવું જોઈએ જે આટલી ગરમીમાં કામ કરવા માટે બહાર રહે છે.. મહત્વનું છે વધતી ગરમીને લઈ અનેક નેતાઓ દ્વારા ટ્વિટ કરવામાં આવી રહી છે.. મુખ્યમંત્રીએ પણ આને લઈ ટ્વિટ કરી હતી.. 

આપણી આસપાસ રહેતા લોકોનું આપણે વિચારીએ

અનેક લોકો પોતાની શક્તિ પ્રમાણે સમાજને મદદરૂપ થવા માટે આગળ આવ્યા છે. રસ્તા પરથી આપણે જ્યારે જઈએ છીએ ત્યારે અનેક લોકો આપણને પાણી પીવડાવતા, છાશ પીવડાવતા દેખાયા છે.  અનેક લોકો તો સામે ચાલીને લોકોને પાણી પીવા માટે આગ્રહ કરતા હોય છે. નાના માણસો વિશે આપણે વિચારવું જોઈએ જે આખો દિવસ તડકામાં કામ કરતા હોય છે. આવી વાતને લઈ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ટ્વિટ કરવામાં આવી છે. 

આઈપીએસ હસમુખ પટેલ તેમજ હર્ષ સંઘવીએ કરી ટ્વિટ

હર્ષ સંઘવીએ લખ્યું કે ચાલો સાથે મળી ખાતરી કરીએ કે આપડે આપણા ડિલિવરી એજન્ટો (કુરિયર, ટપાલી, કૂડ ડિલીવરી) સોસાયટી, ઓફિસના રક્ષકો, અને આખો દિવસ આ ગરમીમાં સખત મહેનત કરતા લોકોને પાણી આપીએ.. ચાલો, રખડતા પશુ અને પક્ષીઓને પણ ધ્યાનમાં રાખીએ જેમને ગરમીથી કોઈ આશરો નથી. તેમના માટે તમારા ઘરની બહાર પાણીનો બાઉલ રાખવો ઘણો ઉપયોગી થઈ શકે છે.. તે ઉપરાંત આઈપીએસ હસમુખ પટેલ દ્વારા પણ ટ્વિટ કરવામાં આવી છે જેમાં તેમણે વૃક્ષોનું મહત્વ સમજાવ્યું છે.  વૃક્ષોને લઈ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક ટ્વિટ કરી છે. 


પ્રકૃતિનું કરવું જોઈએ જતન! 

મહત્વનું છે કે થોડા સમય પહેલા એવી વાત સામે આવી હતી કે કરોડો વૃક્ષો વાવવા જોઈએ તો આટલી ભયંકર ગરમીથી થોડું રક્ષણ મળી શકે.. વૃક્ષો છે તો જીવન છે તેવી વાતો આપણે કરતા હોઈએ છીએ પરંતુ પ્રકૃતિનું જતન કરવાનું જાણે આપણે ભૂલી ગયા છીએ. કુદરતે આપણને ઘણું બધુ આપ્યું છે પરંતુ વળતરમાં આપણે ઘણું બધું છીનવી લીધું છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી..! જ્યારે મોકો મળે ત્યારે વૃક્ષારોપણ કરવું જોઈએ કારણ કદાચ વધતી ગરમી પાછળ કપાતા વૃક્ષો પણ કારણ હોઈ શકે છે..  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"