આકરી ગરમી! IPS Hasmukh Patel તેમજ Harsh Sanghviએ કરી ટ્વિટ જે આપણને સાચી પણ લાગશે અને વિચારવા મજબૂર પણ કરશે કે...


  • Published By :
  • Published Date : 2024-05-25 15:51:23

સતત ગરમીનો અહેસાસ આપણે કરી રહ્યા છીએ હમણાં... 47 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું હતું.. અનેક લોકો ગરમીનો ભોગ બની રહ્યા છે.. હીટસ્ટ્રોકના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.. અનેક લોકો યથાશક્તિ બનતી સેવાઓ કરી રહ્યા છે. કોઈ છાશનું વિતરણ કરે છે તો કોઈ ઠંડા પાણીનું વિતરણ કરે છે.. આપણી પાસે તો ગરમીથી બચવા માટે વ્યવસ્થાઓ છે પરંતુ એ લોકોનું પણ વિચારવું જોઈએ જે આટલી ગરમીમાં કામ કરવા માટે બહાર રહે છે.. મહત્વનું છે વધતી ગરમીને લઈ અનેક નેતાઓ દ્વારા ટ્વિટ કરવામાં આવી રહી છે.. મુખ્યમંત્રીએ પણ આને લઈ ટ્વિટ કરી હતી.. 

આપણી આસપાસ રહેતા લોકોનું આપણે વિચારીએ

અનેક લોકો પોતાની શક્તિ પ્રમાણે સમાજને મદદરૂપ થવા માટે આગળ આવ્યા છે. રસ્તા પરથી આપણે જ્યારે જઈએ છીએ ત્યારે અનેક લોકો આપણને પાણી પીવડાવતા, છાશ પીવડાવતા દેખાયા છે.  અનેક લોકો તો સામે ચાલીને લોકોને પાણી પીવા માટે આગ્રહ કરતા હોય છે. નાના માણસો વિશે આપણે વિચારવું જોઈએ જે આખો દિવસ તડકામાં કામ કરતા હોય છે. આવી વાતને લઈ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ટ્વિટ કરવામાં આવી છે. 

આઈપીએસ હસમુખ પટેલ તેમજ હર્ષ સંઘવીએ કરી ટ્વિટ

હર્ષ સંઘવીએ લખ્યું કે ચાલો સાથે મળી ખાતરી કરીએ કે આપડે આપણા ડિલિવરી એજન્ટો (કુરિયર, ટપાલી, કૂડ ડિલીવરી) સોસાયટી, ઓફિસના રક્ષકો, અને આખો દિવસ આ ગરમીમાં સખત મહેનત કરતા લોકોને પાણી આપીએ.. ચાલો, રખડતા પશુ અને પક્ષીઓને પણ ધ્યાનમાં રાખીએ જેમને ગરમીથી કોઈ આશરો નથી. તેમના માટે તમારા ઘરની બહાર પાણીનો બાઉલ રાખવો ઘણો ઉપયોગી થઈ શકે છે.. તે ઉપરાંત આઈપીએસ હસમુખ પટેલ દ્વારા પણ ટ્વિટ કરવામાં આવી છે જેમાં તેમણે વૃક્ષોનું મહત્વ સમજાવ્યું છે.  વૃક્ષોને લઈ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક ટ્વિટ કરી છે. 


પ્રકૃતિનું કરવું જોઈએ જતન! 

મહત્વનું છે કે થોડા સમય પહેલા એવી વાત સામે આવી હતી કે કરોડો વૃક્ષો વાવવા જોઈએ તો આટલી ભયંકર ગરમીથી થોડું રક્ષણ મળી શકે.. વૃક્ષો છે તો જીવન છે તેવી વાતો આપણે કરતા હોઈએ છીએ પરંતુ પ્રકૃતિનું જતન કરવાનું જાણે આપણે ભૂલી ગયા છીએ. કુદરતે આપણને ઘણું બધુ આપ્યું છે પરંતુ વળતરમાં આપણે ઘણું બધું છીનવી લીધું છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી..! જ્યારે મોકો મળે ત્યારે વૃક્ષારોપણ કરવું જોઈએ કારણ કદાચ વધતી ગરમી પાછળ કપાતા વૃક્ષો પણ કારણ હોઈ શકે છે..  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે