Pakistanથી આવેલી Seema Haiderને મળી આ પાર્ટીમાંથી જોડાવાની ઓફર! સીમાએ સ્વીકારી પણ લીધી ઓફર!


  • Published By :
  • Published Date : 2023-08-04 14:27:52

પોતાના પ્રેમીને પાકિસ્તાનથી ભારત મળવા આવેલી સીમા હૈદર હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. આ મામલે કોઈને કોઈ અપડેટ સામે આવતી હોય છે અને તે સમાચારોની હેડલાઈન્સ બનતી હોય છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે સીમા ફિલ્મ અભિનેત્રી બનવાની છે. આ સમાચાર તમે સાંભળ્યા જ હશે, પરંતુ હવે આ મામલે નવી માહિતી સામે આવી છે જેમાં રાજકારણમાં સીમા એન્ટ્રી કરી શકે છે એટલું જ નહીં પરંતુ તે ચૂંટણી પણ લડી શકે છે. જે પાર્ટીએ સીમાને આવી ઓફર કરી છે તે પાર્ટી છે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા. એવી પણ માહિતી સામે આવી હતી છે કે સીમાએ આ ઓફરનો સ્વીકાર કરી લીધો છે.


સીમા હૈદર બનવાની હતી અભિનેત્રી!

સીમા હૈદર જ્યારથી પાકિસ્તાન છોડી ભારત આવી છે અને એ વાત જ્યારથી સામે આવી છે ત્યારથી તેની ચર્ચા દરેક જગ્યાઓ પર થઈ રહી છે. સીમા હૈદરને લઈ રોજે નવી નવી વાતો સામે આવી રહી છે. જેને સાંભળી કદાચ આપણને આશ્ચર્ય પણ થાય. થોડા સમય પહેલા એવી વાત સામે આવી હતી કે સીમા અભિનેત્રી બની શકે છે. ફિલ્મમાં તે દેખાઈ શકે છે. પરંતુ હવે જે વાત સામે આવી છે તે સાંભળીને તમે દંગ રહી જશો. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સીમા હૈદર રાજકીય પાર્ટીને જોઈન કરી શકે છે અને તે ચૂંટણી પણ લડી શકે છે. 


આ રાજકીય પાર્ટીમાં જોડાશે સીમા હૈદર!

સીમાને રાજકીય પાર્ટી તરફથી પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ પણ મળ્યું છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાએ તેને પોતાની પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું છે અને સીમાએ તે આમંત્રણનો સ્વીકાર પણ કરી લીધો છે. એટલું જ નહીં જે માહિતી સામે આવી રહી છે કે પાર્ટીની મહિલા પાંખની અધ્યક્ષ તેને બનાવવામાં આવી શકે છે. એવું પણ સામે આવ્યું છે કે પાર્ટીની પ્રવક્તાની ઓફર પણ સીમાને મળી શકે છે. સીમાને સુરક્ષા એજન્સી તરફથી ક્લિન ચીટ મળે તેની જ રાહ જોવાઈ રહી છે.    




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.