Pakistanથી આવેલી Seema Haiderને મળી આ પાર્ટીમાંથી જોડાવાની ઓફર! સીમાએ સ્વીકારી પણ લીધી ઓફર!


  • Published By :
  • Published Date : 2023-08-04 14:27:52

પોતાના પ્રેમીને પાકિસ્તાનથી ભારત મળવા આવેલી સીમા હૈદર હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. આ મામલે કોઈને કોઈ અપડેટ સામે આવતી હોય છે અને તે સમાચારોની હેડલાઈન્સ બનતી હોય છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે સીમા ફિલ્મ અભિનેત્રી બનવાની છે. આ સમાચાર તમે સાંભળ્યા જ હશે, પરંતુ હવે આ મામલે નવી માહિતી સામે આવી છે જેમાં રાજકારણમાં સીમા એન્ટ્રી કરી શકે છે એટલું જ નહીં પરંતુ તે ચૂંટણી પણ લડી શકે છે. જે પાર્ટીએ સીમાને આવી ઓફર કરી છે તે પાર્ટી છે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા. એવી પણ માહિતી સામે આવી હતી છે કે સીમાએ આ ઓફરનો સ્વીકાર કરી લીધો છે.


સીમા હૈદર બનવાની હતી અભિનેત્રી!

સીમા હૈદર જ્યારથી પાકિસ્તાન છોડી ભારત આવી છે અને એ વાત જ્યારથી સામે આવી છે ત્યારથી તેની ચર્ચા દરેક જગ્યાઓ પર થઈ રહી છે. સીમા હૈદરને લઈ રોજે નવી નવી વાતો સામે આવી રહી છે. જેને સાંભળી કદાચ આપણને આશ્ચર્ય પણ થાય. થોડા સમય પહેલા એવી વાત સામે આવી હતી કે સીમા અભિનેત્રી બની શકે છે. ફિલ્મમાં તે દેખાઈ શકે છે. પરંતુ હવે જે વાત સામે આવી છે તે સાંભળીને તમે દંગ રહી જશો. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સીમા હૈદર રાજકીય પાર્ટીને જોઈન કરી શકે છે અને તે ચૂંટણી પણ લડી શકે છે. 


આ રાજકીય પાર્ટીમાં જોડાશે સીમા હૈદર!

સીમાને રાજકીય પાર્ટી તરફથી પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ પણ મળ્યું છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાએ તેને પોતાની પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું છે અને સીમાએ તે આમંત્રણનો સ્વીકાર પણ કરી લીધો છે. એટલું જ નહીં જે માહિતી સામે આવી રહી છે કે પાર્ટીની મહિલા પાંખની અધ્યક્ષ તેને બનાવવામાં આવી શકે છે. એવું પણ સામે આવ્યું છે કે પાર્ટીની પ્રવક્તાની ઓફર પણ સીમાને મળી શકે છે. સીમાને સુરક્ષા એજન્સી તરફથી ક્લિન ચીટ મળે તેની જ રાહ જોવાઈ રહી છે.    




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .