Pakistanથી આવેલી Seema Haiderને મળી આ પાર્ટીમાંથી જોડાવાની ઓફર! સીમાએ સ્વીકારી પણ લીધી ઓફર!


  • Published By :
  • Published Date : 2023-08-04 14:27:52

પોતાના પ્રેમીને પાકિસ્તાનથી ભારત મળવા આવેલી સીમા હૈદર હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. આ મામલે કોઈને કોઈ અપડેટ સામે આવતી હોય છે અને તે સમાચારોની હેડલાઈન્સ બનતી હોય છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે સીમા ફિલ્મ અભિનેત્રી બનવાની છે. આ સમાચાર તમે સાંભળ્યા જ હશે, પરંતુ હવે આ મામલે નવી માહિતી સામે આવી છે જેમાં રાજકારણમાં સીમા એન્ટ્રી કરી શકે છે એટલું જ નહીં પરંતુ તે ચૂંટણી પણ લડી શકે છે. જે પાર્ટીએ સીમાને આવી ઓફર કરી છે તે પાર્ટી છે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા. એવી પણ માહિતી સામે આવી હતી છે કે સીમાએ આ ઓફરનો સ્વીકાર કરી લીધો છે.


સીમા હૈદર બનવાની હતી અભિનેત્રી!

સીમા હૈદર જ્યારથી પાકિસ્તાન છોડી ભારત આવી છે અને એ વાત જ્યારથી સામે આવી છે ત્યારથી તેની ચર્ચા દરેક જગ્યાઓ પર થઈ રહી છે. સીમા હૈદરને લઈ રોજે નવી નવી વાતો સામે આવી રહી છે. જેને સાંભળી કદાચ આપણને આશ્ચર્ય પણ થાય. થોડા સમય પહેલા એવી વાત સામે આવી હતી કે સીમા અભિનેત્રી બની શકે છે. ફિલ્મમાં તે દેખાઈ શકે છે. પરંતુ હવે જે વાત સામે આવી છે તે સાંભળીને તમે દંગ રહી જશો. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સીમા હૈદર રાજકીય પાર્ટીને જોઈન કરી શકે છે અને તે ચૂંટણી પણ લડી શકે છે. 


આ રાજકીય પાર્ટીમાં જોડાશે સીમા હૈદર!

સીમાને રાજકીય પાર્ટી તરફથી પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ પણ મળ્યું છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાએ તેને પોતાની પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું છે અને સીમાએ તે આમંત્રણનો સ્વીકાર પણ કરી લીધો છે. એટલું જ નહીં જે માહિતી સામે આવી રહી છે કે પાર્ટીની મહિલા પાંખની અધ્યક્ષ તેને બનાવવામાં આવી શકે છે. એવું પણ સામે આવ્યું છે કે પાર્ટીની પ્રવક્તાની ઓફર પણ સીમાને મળી શકે છે. સીમાને સુરક્ષા એજન્સી તરફથી ક્લિન ચીટ મળે તેની જ રાહ જોવાઈ રહી છે.    




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.