'લપ્પુ સા સચિન હૈં' કહેવું મહિલાને પડ્યું ભારે! સીમાએ આ નિવેદન આપનાર પાડોસની મહિલાને મોકલાવી માનહાનીની નોટીસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-17 11:50:25

પાકિસ્તાનથી પ્રેમી સાથે રહેવા માટે જ્યારથી સીમા હૈદર ભારત આવી છે તેને લઇ કોઈને કોઈ સમાચાર આવતા રહે છે. સીમા હૈદર બાદ તો અનેક આવા કિસ્સાઓ સામે આવ્યા જેમાં સરહદને વટાવી પોતાના પ્રેમીને મળવા પ્રેમીઓ જતા હોય છે. સચિનને લઈ થોડા દિવસ પહેલા એક બહેનનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે કહી રહ્યા હતા કે લપ્પુ સા સચિન હૈં જીંગુર સા લડકા હૈં. આ બહેન તો તમને યાદ હશે ત્યારે હવે આ બેન પર માનહાનીનો કેસ કરવામાં આવ્યો છે. અને આ કેસ સીમા દ્વારા કરવામાં આવ્યો છે.  


સચિનને લઈ મહિલાએ આપેલા નિવેદનને લઈ સીમાએ કરી ફરિયાદ

સીમા હૈદરને લઈ આવતા સમાચારો પર અનેક લોકોનું ધ્યાન જતું હોય છે. તેમની પ્રેમ કહાની વિશે લગભગ જ કોઈ એવું હશે જે નહીં જાણતું હોય. ત્યારે સચિનને લઈ એક મહિલાએ નિવેદન આપ્યું હતું જેમાં તે કહી રહ્યા હતા કે લપ્પુ સા સચિન હૈં જીંગુર સા લડકા હે. ત્યારે આ વાક્ય બોલનાર મહિલા પર સીમા હૈદરે માનહાનિનો કેસ કર્યો છે. આવું બોલનાર મહિલા જે તેમના પડોસમાં રહે છે તેવા મિથિલેશ ભાટી સામે સીમા હૈદરે માનહાનિની નોટિસ મોકલવામાં આવી છે.



પાડોસમાં રહેતા મિથિલેશ ભાટીને આપવામાં આવી માનહાનીની નોટિસ 

સીમા હૈદરના વકીલ એપી સિંહ અને ગ્રેટર નોઈડાના રાબુપુરામાં સચિન મીનાના ઘરની પડોશમાં રહેતા ભાભી મિથિલેશ ભાટી સામસામે આવી ગયા હતા. આ દરમિયાન, એપી સિંહ દ્વારા આ કેસમાં કહેવામાં આવ્યું હતુ કે તેણે મિથિલેશ ભાટી વિરુદ્ધ માનહાનિની નોટિસ મોકલી છે.તો બીજી તરફ મિથિલેશ ભાટીએ સ્પષ્ટતા કરી કે, '''મારો ઈરાદો કોઈનું અપમાન કરવાનો નહોતો. મને ગુસ્સો આવ્યો અને મારા મોઢામાંથી એ શબ્દો નીકળી ગયા. આપણી બોલચાલની વાણીમાં આવી ભાષાનો સામાન્ય રીતે ઉપયોગ થતો આવ્યો છે.


મહિલાના નિવદેન પર બન્યું ગીત!

આ વાત ત્યારે વધારે ચર્ચામાં આવી જ્યારે આ ડાયલોગ પર ગીત બનાવવામાં આવ્યું પ્રખ્યાત સંગીતકાર યશરાજ મુખાતેએ ‘લપ્પુ સચિન’ નામનું ગીત કમ્પોઝ કર્યું છે. તેણે પોતે ગિટાર વગાડતા ગીત ગાયું છે અને તેની વચ્ચે સચિનના પાડોશીનો ડાયલોગ પણ નાખ્યો છે અને પછી સીમા હૈદરે પાડોશી ભાભી સામે માનહાનીના કેસનું વિચાર્યું જોકે હવે સોશ્યલ મીડિયા પર આ એટલુ ટેન્ડ થઈ રહ્યું છે કે તેને રોકવું મુશ્કિલ છે! આ ડાયલોગ પર વિવિધ પ્રકારના મિમ્સ બની રહ્યા છે. 




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.