'લપ્પુ સા સચિન હૈં' કહેવું મહિલાને પડ્યું ભારે! સીમાએ આ નિવેદન આપનાર પાડોસની મહિલાને મોકલાવી માનહાનીની નોટીસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-17 11:50:25

પાકિસ્તાનથી પ્રેમી સાથે રહેવા માટે જ્યારથી સીમા હૈદર ભારત આવી છે તેને લઇ કોઈને કોઈ સમાચાર આવતા રહે છે. સીમા હૈદર બાદ તો અનેક આવા કિસ્સાઓ સામે આવ્યા જેમાં સરહદને વટાવી પોતાના પ્રેમીને મળવા પ્રેમીઓ જતા હોય છે. સચિનને લઈ થોડા દિવસ પહેલા એક બહેનનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે કહી રહ્યા હતા કે લપ્પુ સા સચિન હૈં જીંગુર સા લડકા હૈં. આ બહેન તો તમને યાદ હશે ત્યારે હવે આ બેન પર માનહાનીનો કેસ કરવામાં આવ્યો છે. અને આ કેસ સીમા દ્વારા કરવામાં આવ્યો છે.  


સચિનને લઈ મહિલાએ આપેલા નિવેદનને લઈ સીમાએ કરી ફરિયાદ

સીમા હૈદરને લઈ આવતા સમાચારો પર અનેક લોકોનું ધ્યાન જતું હોય છે. તેમની પ્રેમ કહાની વિશે લગભગ જ કોઈ એવું હશે જે નહીં જાણતું હોય. ત્યારે સચિનને લઈ એક મહિલાએ નિવેદન આપ્યું હતું જેમાં તે કહી રહ્યા હતા કે લપ્પુ સા સચિન હૈં જીંગુર સા લડકા હે. ત્યારે આ વાક્ય બોલનાર મહિલા પર સીમા હૈદરે માનહાનિનો કેસ કર્યો છે. આવું બોલનાર મહિલા જે તેમના પડોસમાં રહે છે તેવા મિથિલેશ ભાટી સામે સીમા હૈદરે માનહાનિની નોટિસ મોકલવામાં આવી છે.



પાડોસમાં રહેતા મિથિલેશ ભાટીને આપવામાં આવી માનહાનીની નોટિસ 

સીમા હૈદરના વકીલ એપી સિંહ અને ગ્રેટર નોઈડાના રાબુપુરામાં સચિન મીનાના ઘરની પડોશમાં રહેતા ભાભી મિથિલેશ ભાટી સામસામે આવી ગયા હતા. આ દરમિયાન, એપી સિંહ દ્વારા આ કેસમાં કહેવામાં આવ્યું હતુ કે તેણે મિથિલેશ ભાટી વિરુદ્ધ માનહાનિની નોટિસ મોકલી છે.તો બીજી તરફ મિથિલેશ ભાટીએ સ્પષ્ટતા કરી કે, '''મારો ઈરાદો કોઈનું અપમાન કરવાનો નહોતો. મને ગુસ્સો આવ્યો અને મારા મોઢામાંથી એ શબ્દો નીકળી ગયા. આપણી બોલચાલની વાણીમાં આવી ભાષાનો સામાન્ય રીતે ઉપયોગ થતો આવ્યો છે.


મહિલાના નિવદેન પર બન્યું ગીત!

આ વાત ત્યારે વધારે ચર્ચામાં આવી જ્યારે આ ડાયલોગ પર ગીત બનાવવામાં આવ્યું પ્રખ્યાત સંગીતકાર યશરાજ મુખાતેએ ‘લપ્પુ સચિન’ નામનું ગીત કમ્પોઝ કર્યું છે. તેણે પોતે ગિટાર વગાડતા ગીત ગાયું છે અને તેની વચ્ચે સચિનના પાડોશીનો ડાયલોગ પણ નાખ્યો છે અને પછી સીમા હૈદરે પાડોશી ભાભી સામે માનહાનીના કેસનું વિચાર્યું જોકે હવે સોશ્યલ મીડિયા પર આ એટલુ ટેન્ડ થઈ રહ્યું છે કે તેને રોકવું મુશ્કિલ છે! આ ડાયલોગ પર વિવિધ પ્રકારના મિમ્સ બની રહ્યા છે. 




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .