'લપ્પુ સા સચિન હૈં' કહેવું મહિલાને પડ્યું ભારે! સીમાએ આ નિવેદન આપનાર પાડોસની મહિલાને મોકલાવી માનહાનીની નોટીસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-17 11:50:25

પાકિસ્તાનથી પ્રેમી સાથે રહેવા માટે જ્યારથી સીમા હૈદર ભારત આવી છે તેને લઇ કોઈને કોઈ સમાચાર આવતા રહે છે. સીમા હૈદર બાદ તો અનેક આવા કિસ્સાઓ સામે આવ્યા જેમાં સરહદને વટાવી પોતાના પ્રેમીને મળવા પ્રેમીઓ જતા હોય છે. સચિનને લઈ થોડા દિવસ પહેલા એક બહેનનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે કહી રહ્યા હતા કે લપ્પુ સા સચિન હૈં જીંગુર સા લડકા હૈં. આ બહેન તો તમને યાદ હશે ત્યારે હવે આ બેન પર માનહાનીનો કેસ કરવામાં આવ્યો છે. અને આ કેસ સીમા દ્વારા કરવામાં આવ્યો છે.  


સચિનને લઈ મહિલાએ આપેલા નિવેદનને લઈ સીમાએ કરી ફરિયાદ

સીમા હૈદરને લઈ આવતા સમાચારો પર અનેક લોકોનું ધ્યાન જતું હોય છે. તેમની પ્રેમ કહાની વિશે લગભગ જ કોઈ એવું હશે જે નહીં જાણતું હોય. ત્યારે સચિનને લઈ એક મહિલાએ નિવેદન આપ્યું હતું જેમાં તે કહી રહ્યા હતા કે લપ્પુ સા સચિન હૈં જીંગુર સા લડકા હે. ત્યારે આ વાક્ય બોલનાર મહિલા પર સીમા હૈદરે માનહાનિનો કેસ કર્યો છે. આવું બોલનાર મહિલા જે તેમના પડોસમાં રહે છે તેવા મિથિલેશ ભાટી સામે સીમા હૈદરે માનહાનિની નોટિસ મોકલવામાં આવી છે.



પાડોસમાં રહેતા મિથિલેશ ભાટીને આપવામાં આવી માનહાનીની નોટિસ 

સીમા હૈદરના વકીલ એપી સિંહ અને ગ્રેટર નોઈડાના રાબુપુરામાં સચિન મીનાના ઘરની પડોશમાં રહેતા ભાભી મિથિલેશ ભાટી સામસામે આવી ગયા હતા. આ દરમિયાન, એપી સિંહ દ્વારા આ કેસમાં કહેવામાં આવ્યું હતુ કે તેણે મિથિલેશ ભાટી વિરુદ્ધ માનહાનિની નોટિસ મોકલી છે.તો બીજી તરફ મિથિલેશ ભાટીએ સ્પષ્ટતા કરી કે, '''મારો ઈરાદો કોઈનું અપમાન કરવાનો નહોતો. મને ગુસ્સો આવ્યો અને મારા મોઢામાંથી એ શબ્દો નીકળી ગયા. આપણી બોલચાલની વાણીમાં આવી ભાષાનો સામાન્ય રીતે ઉપયોગ થતો આવ્યો છે.


મહિલાના નિવદેન પર બન્યું ગીત!

આ વાત ત્યારે વધારે ચર્ચામાં આવી જ્યારે આ ડાયલોગ પર ગીત બનાવવામાં આવ્યું પ્રખ્યાત સંગીતકાર યશરાજ મુખાતેએ ‘લપ્પુ સચિન’ નામનું ગીત કમ્પોઝ કર્યું છે. તેણે પોતે ગિટાર વગાડતા ગીત ગાયું છે અને તેની વચ્ચે સચિનના પાડોશીનો ડાયલોગ પણ નાખ્યો છે અને પછી સીમા હૈદરે પાડોશી ભાભી સામે માનહાનીના કેસનું વિચાર્યું જોકે હવે સોશ્યલ મીડિયા પર આ એટલુ ટેન્ડ થઈ રહ્યું છે કે તેને રોકવું મુશ્કિલ છે! આ ડાયલોગ પર વિવિધ પ્રકારના મિમ્સ બની રહ્યા છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.