'લપ્પુ સા સચિન હૈં' કહેવું મહિલાને પડ્યું ભારે! સીમાએ આ નિવેદન આપનાર પાડોસની મહિલાને મોકલાવી માનહાનીની નોટીસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-17 11:50:25

પાકિસ્તાનથી પ્રેમી સાથે રહેવા માટે જ્યારથી સીમા હૈદર ભારત આવી છે તેને લઇ કોઈને કોઈ સમાચાર આવતા રહે છે. સીમા હૈદર બાદ તો અનેક આવા કિસ્સાઓ સામે આવ્યા જેમાં સરહદને વટાવી પોતાના પ્રેમીને મળવા પ્રેમીઓ જતા હોય છે. સચિનને લઈ થોડા દિવસ પહેલા એક બહેનનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે કહી રહ્યા હતા કે લપ્પુ સા સચિન હૈં જીંગુર સા લડકા હૈં. આ બહેન તો તમને યાદ હશે ત્યારે હવે આ બેન પર માનહાનીનો કેસ કરવામાં આવ્યો છે. અને આ કેસ સીમા દ્વારા કરવામાં આવ્યો છે.  


સચિનને લઈ મહિલાએ આપેલા નિવેદનને લઈ સીમાએ કરી ફરિયાદ

સીમા હૈદરને લઈ આવતા સમાચારો પર અનેક લોકોનું ધ્યાન જતું હોય છે. તેમની પ્રેમ કહાની વિશે લગભગ જ કોઈ એવું હશે જે નહીં જાણતું હોય. ત્યારે સચિનને લઈ એક મહિલાએ નિવેદન આપ્યું હતું જેમાં તે કહી રહ્યા હતા કે લપ્પુ સા સચિન હૈં જીંગુર સા લડકા હે. ત્યારે આ વાક્ય બોલનાર મહિલા પર સીમા હૈદરે માનહાનિનો કેસ કર્યો છે. આવું બોલનાર મહિલા જે તેમના પડોસમાં રહે છે તેવા મિથિલેશ ભાટી સામે સીમા હૈદરે માનહાનિની નોટિસ મોકલવામાં આવી છે.



પાડોસમાં રહેતા મિથિલેશ ભાટીને આપવામાં આવી માનહાનીની નોટિસ 

સીમા હૈદરના વકીલ એપી સિંહ અને ગ્રેટર નોઈડાના રાબુપુરામાં સચિન મીનાના ઘરની પડોશમાં રહેતા ભાભી મિથિલેશ ભાટી સામસામે આવી ગયા હતા. આ દરમિયાન, એપી સિંહ દ્વારા આ કેસમાં કહેવામાં આવ્યું હતુ કે તેણે મિથિલેશ ભાટી વિરુદ્ધ માનહાનિની નોટિસ મોકલી છે.તો બીજી તરફ મિથિલેશ ભાટીએ સ્પષ્ટતા કરી કે, '''મારો ઈરાદો કોઈનું અપમાન કરવાનો નહોતો. મને ગુસ્સો આવ્યો અને મારા મોઢામાંથી એ શબ્દો નીકળી ગયા. આપણી બોલચાલની વાણીમાં આવી ભાષાનો સામાન્ય રીતે ઉપયોગ થતો આવ્યો છે.


મહિલાના નિવદેન પર બન્યું ગીત!

આ વાત ત્યારે વધારે ચર્ચામાં આવી જ્યારે આ ડાયલોગ પર ગીત બનાવવામાં આવ્યું પ્રખ્યાત સંગીતકાર યશરાજ મુખાતેએ ‘લપ્પુ સચિન’ નામનું ગીત કમ્પોઝ કર્યું છે. તેણે પોતે ગિટાર વગાડતા ગીત ગાયું છે અને તેની વચ્ચે સચિનના પાડોશીનો ડાયલોગ પણ નાખ્યો છે અને પછી સીમા હૈદરે પાડોશી ભાભી સામે માનહાનીના કેસનું વિચાર્યું જોકે હવે સોશ્યલ મીડિયા પર આ એટલુ ટેન્ડ થઈ રહ્યું છે કે તેને રોકવું મુશ્કિલ છે! આ ડાયલોગ પર વિવિધ પ્રકારના મિમ્સ બની રહ્યા છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.