Rajkotમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે લીધો મહત્વનો નિર્ણય! બાળકને શાળાએ મૂકવા આવતા વાલીઓએ કયા નિયમોનું કરવું પડશે પાલન?


  • Published By :
  • Published Date : 2023-08-30 10:36:42

આપણે ત્યાં એવું કહેવાય છે કે માતા પિતા દ્વારા કરવામાં આવતો વ્યવહાર બાળકના માનસ પર ઘણી અસર કરે છે. માતા પિતાને જોઈ બાળક ઘણું ખરૂં શીખી લે છે. ત્યારે આ વાતને રાજકોટની સ્વનિર્ભર શાળાઓએ ગંભીરતાથી લીધી છે. બાળકોને શાળામાં મૂકવા આવતા વાલીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. બાળકોને શાળા મૂકવા આવતા વાલીઓએ કેવા કપડાં પહેરીને સ્કૂલે આવવું જોઈએ તેની ગાઈડલાઈન જાહેર કરી છે. શાળા સંચાલકોનું કહેવું છે કે બાળકમાં સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

બાળકને શાળા મૂકવા આવતા વાલીઓ માટે જાહેર કરાઈ ગાઈડલાઈન 

રાજકોટની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા પર હાલ ઘણી ચર્ચાઓ થઇ રહી છે. જો તમે રાજકોટમાં રહો છો, તમારૂ બાળક કોઈ સ્વનિર્ભર શાળામાં અભ્યાસ કરે છે, અને તમે સવાર સવારમાં ઉઠી બાળકને શાળાએ મૂકવા જાઓ છો, તો શાળાએ બાળકને મૂકવા જતા પહેલા તમારે આ નિયમોનું પાલન કરવું પડશે.  રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે વાલીઓ માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. માર્ગદર્શિકામાં જણાવ્યા અનુસાર વાલીઓએ હવેથી ટુંકા કપડા પહેરી બાળકોને શાળાએ મુકવા નહિ આવવું, પાન-માવા ગુટખા નહિ ખાવા.


સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખે કહ્યું કે.... 

વાલીઓ એક સેલ્ફ ડિસિપ્લિન સાથે શાળાએ આવે તે માટે શાળા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અનેક વાલીઓને આ નિર્ણય ગમ્યો છે તો અનેક વાલીઓ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. શાળાએ વાલીઓ માટે નિર્દેશો બહાર પાડ્યા છે. જેમાં વાલીઓએ ટૂંકા કપડાં પહેરી બાળકને મુકવા કે પેરેન્સ મિટિંગમાં ન આવવું, આમ કરવા પાછળનું કારણ જણાવતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ DV મહેતાએ જણાવ્યું કે શિક્ષણ એ માત્ર કળા શીખવવાનું માધ્યમ નથી, પરંતુ શિક્ષણ એ જ જીવન છે. 


ટૂંકા વસ્ત્રો પહેરી વાલીઓ બાળકને શાળાએ મૂકવા આવે છે 

વધુમાં તેમણે કહ્યું કે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની બેઠક મળી હતી જેમાં અનેક મુદ્દાઓ મુદ્દે ચર્ચા કરવામાં આવી અને અનેક નિર્ણયો લેવામાં આવ્યા. બેઠકમાં એક એવો અગત્યનો મુદ્દો સામે આવ્યો હતો જેને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં આ અંગે જરૂરી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. આ મુદ્દો એ છે કે, શાળામાં વાલીઓ કે શિક્ષકોને ટૂંકા કે શિસ્તભંગ થાય તેવા કપડા ન પહેરવા આદેશ કરવામાં આવશે. કારણ કે ઘણી વખત ખાસ કરી વહેલી સવારના સમયે શાળાએ બાળકોને મુકવા આવતા કેટલાક વાલીઓ અમર્યાદિત વસ્ત્રો સાથે આવતા હોય છે. જેમાં તેઓ શોટ્સ, બરમુડા કે નાઈટ ડ્રેસ પહેરીને આવતા હોય છે.


જિલ્લા શિક્ષણ અધિકારીએ આપી પ્રતિક્રિયા  

તે ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ આ મામલે નિવેદન આપવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા અધિકારીએ જણાવ્યું કે જે રીતે મંદિર અને ઘર-કુટુંબનાં નિયમો છે, તેવી જ રીતે શાળાના નિયમો પાળવા જરૂરી છે. હાલમાં એક વાત ઉડીને આખે વળગે છે કે, કેટલાક વાલીઓ ઉચીત હોય નહીં તેવા કપડા પહેરે છે. ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના નિયમ બાબતે અમે પણ ચર્ચા કરીશું અને આવા નિર્ણયથી બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તેમ છે.

પાન ખાઈને બાળકને સ્કૂલે મૂકવા જતા વાલીઓએ શિક્ષિત થવાની જરૂર છે 

બાળકમાં સારા ગુણો આવે, બાળક સંસ્કારી થાય, આગળ જતા બાળક સારો માણસ બને તેવી આશા દરેક માતા પિતાને હોય છે. પરંતુ સારા સંસ્કાર આપવાની જવાબદારી માત્ર સ્કૂલની નથી હોતી. ઘરમાં થતા વ્યવહાર, ઘરમાં વપરાતી ભાષા, રહેવા કરવાની રીત પણ બાળકના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે.  સારા સંસ્કાર આપવાની આશા સાથે બાળકોને શાળાએ મુકવા જઈએ છીએ પણ ત્યારે આપણા વર્તનમાં સુધાર કરવો પણ એટલો જ જરૂરી છે, આ બધામાં સૌથી ઉચિત મુદ્દો એ જ છે કે  પાન-માવા ખાઈને બાળકોને શાળાએ મુકવા ન આવવુ. ટુંકમાં પાન-માવા ખાઈને જતા વાલીએ પહેલા પોતે શિક્ષિત થવાની જરૂર ખરી. 


શાળા દ્વારા લેવાયેલા નિર્ણયને કારણે સર્જાયા અનેક તર્ક-વિતર્ક 

આ જોયા બાદ એમ કહેશો કે કપડાં કેવા પહેરવા એ પોતાની અંગત પસંદગીનો સવાલ છે, કોઈકે શું પહેરવું એ કોઈ અન્ય જણાવી ન શકે-- પણ બીજી તરફ આપણે એ પણ વિચારવું પડશે કે કેમ મંદિર બહાર કે શાળા બહાર કપડાં પહેરવા જેવી બાબતે પણ પોસ્ટર લગાવવા પડે છે, માર્ગદર્શિકા જાહેર કરવી પડી રહી છે.


આપણને આપણા સિવાય બીજા કોઈ દેખાતા જ નથી!

શું આપણે એટલા સંકુચિત મગજના છે એ કોઈકના કપડાં પહેરવાથી આપણે અસર કરે છે, કે પછી આપણે એટલા સ્વચ્છંદી બની ગયા છે એ કે પોતાના સિવાય આસપાસની પરીબળોનું આપણને કોઈ લેવા દેવા નથી?



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.