Rajkotમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે લીધો મહત્વનો નિર્ણય! બાળકને શાળાએ મૂકવા આવતા વાલીઓએ કયા નિયમોનું કરવું પડશે પાલન?


  • Published By :
  • Published Date : 2023-08-30 10:36:42

આપણે ત્યાં એવું કહેવાય છે કે માતા પિતા દ્વારા કરવામાં આવતો વ્યવહાર બાળકના માનસ પર ઘણી અસર કરે છે. માતા પિતાને જોઈ બાળક ઘણું ખરૂં શીખી લે છે. ત્યારે આ વાતને રાજકોટની સ્વનિર્ભર શાળાઓએ ગંભીરતાથી લીધી છે. બાળકોને શાળામાં મૂકવા આવતા વાલીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. બાળકોને શાળા મૂકવા આવતા વાલીઓએ કેવા કપડાં પહેરીને સ્કૂલે આવવું જોઈએ તેની ગાઈડલાઈન જાહેર કરી છે. શાળા સંચાલકોનું કહેવું છે કે બાળકમાં સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

બાળકને શાળા મૂકવા આવતા વાલીઓ માટે જાહેર કરાઈ ગાઈડલાઈન 

રાજકોટની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા પર હાલ ઘણી ચર્ચાઓ થઇ રહી છે. જો તમે રાજકોટમાં રહો છો, તમારૂ બાળક કોઈ સ્વનિર્ભર શાળામાં અભ્યાસ કરે છે, અને તમે સવાર સવારમાં ઉઠી બાળકને શાળાએ મૂકવા જાઓ છો, તો શાળાએ બાળકને મૂકવા જતા પહેલા તમારે આ નિયમોનું પાલન કરવું પડશે.  રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે વાલીઓ માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. માર્ગદર્શિકામાં જણાવ્યા અનુસાર વાલીઓએ હવેથી ટુંકા કપડા પહેરી બાળકોને શાળાએ મુકવા નહિ આવવું, પાન-માવા ગુટખા નહિ ખાવા.


સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખે કહ્યું કે.... 

વાલીઓ એક સેલ્ફ ડિસિપ્લિન સાથે શાળાએ આવે તે માટે શાળા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અનેક વાલીઓને આ નિર્ણય ગમ્યો છે તો અનેક વાલીઓ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. શાળાએ વાલીઓ માટે નિર્દેશો બહાર પાડ્યા છે. જેમાં વાલીઓએ ટૂંકા કપડાં પહેરી બાળકને મુકવા કે પેરેન્સ મિટિંગમાં ન આવવું, આમ કરવા પાછળનું કારણ જણાવતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ DV મહેતાએ જણાવ્યું કે શિક્ષણ એ માત્ર કળા શીખવવાનું માધ્યમ નથી, પરંતુ શિક્ષણ એ જ જીવન છે. 


ટૂંકા વસ્ત્રો પહેરી વાલીઓ બાળકને શાળાએ મૂકવા આવે છે 

વધુમાં તેમણે કહ્યું કે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની બેઠક મળી હતી જેમાં અનેક મુદ્દાઓ મુદ્દે ચર્ચા કરવામાં આવી અને અનેક નિર્ણયો લેવામાં આવ્યા. બેઠકમાં એક એવો અગત્યનો મુદ્દો સામે આવ્યો હતો જેને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં આ અંગે જરૂરી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. આ મુદ્દો એ છે કે, શાળામાં વાલીઓ કે શિક્ષકોને ટૂંકા કે શિસ્તભંગ થાય તેવા કપડા ન પહેરવા આદેશ કરવામાં આવશે. કારણ કે ઘણી વખત ખાસ કરી વહેલી સવારના સમયે શાળાએ બાળકોને મુકવા આવતા કેટલાક વાલીઓ અમર્યાદિત વસ્ત્રો સાથે આવતા હોય છે. જેમાં તેઓ શોટ્સ, બરમુડા કે નાઈટ ડ્રેસ પહેરીને આવતા હોય છે.


જિલ્લા શિક્ષણ અધિકારીએ આપી પ્રતિક્રિયા  

તે ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ આ મામલે નિવેદન આપવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા અધિકારીએ જણાવ્યું કે જે રીતે મંદિર અને ઘર-કુટુંબનાં નિયમો છે, તેવી જ રીતે શાળાના નિયમો પાળવા જરૂરી છે. હાલમાં એક વાત ઉડીને આખે વળગે છે કે, કેટલાક વાલીઓ ઉચીત હોય નહીં તેવા કપડા પહેરે છે. ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના નિયમ બાબતે અમે પણ ચર્ચા કરીશું અને આવા નિર્ણયથી બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તેમ છે.

પાન ખાઈને બાળકને સ્કૂલે મૂકવા જતા વાલીઓએ શિક્ષિત થવાની જરૂર છે 

બાળકમાં સારા ગુણો આવે, બાળક સંસ્કારી થાય, આગળ જતા બાળક સારો માણસ બને તેવી આશા દરેક માતા પિતાને હોય છે. પરંતુ સારા સંસ્કાર આપવાની જવાબદારી માત્ર સ્કૂલની નથી હોતી. ઘરમાં થતા વ્યવહાર, ઘરમાં વપરાતી ભાષા, રહેવા કરવાની રીત પણ બાળકના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે.  સારા સંસ્કાર આપવાની આશા સાથે બાળકોને શાળાએ મુકવા જઈએ છીએ પણ ત્યારે આપણા વર્તનમાં સુધાર કરવો પણ એટલો જ જરૂરી છે, આ બધામાં સૌથી ઉચિત મુદ્દો એ જ છે કે  પાન-માવા ખાઈને બાળકોને શાળાએ મુકવા ન આવવુ. ટુંકમાં પાન-માવા ખાઈને જતા વાલીએ પહેલા પોતે શિક્ષિત થવાની જરૂર ખરી. 


શાળા દ્વારા લેવાયેલા નિર્ણયને કારણે સર્જાયા અનેક તર્ક-વિતર્ક 

આ જોયા બાદ એમ કહેશો કે કપડાં કેવા પહેરવા એ પોતાની અંગત પસંદગીનો સવાલ છે, કોઈકે શું પહેરવું એ કોઈ અન્ય જણાવી ન શકે-- પણ બીજી તરફ આપણે એ પણ વિચારવું પડશે કે કેમ મંદિર બહાર કે શાળા બહાર કપડાં પહેરવા જેવી બાબતે પણ પોસ્ટર લગાવવા પડે છે, માર્ગદર્શિકા જાહેર કરવી પડી રહી છે.


આપણને આપણા સિવાય બીજા કોઈ દેખાતા જ નથી!

શું આપણે એટલા સંકુચિત મગજના છે એ કોઈકના કપડાં પહેરવાથી આપણે અસર કરે છે, કે પછી આપણે એટલા સ્વચ્છંદી બની ગયા છે એ કે પોતાના સિવાય આસપાસની પરીબળોનું આપણને કોઈ લેવા દેવા નથી?



લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.