Rajkotમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે લીધો મહત્વનો નિર્ણય! બાળકને શાળાએ મૂકવા આવતા વાલીઓએ કયા નિયમોનું કરવું પડશે પાલન?


  • Published By :
  • Published Date : 2023-08-30 10:36:42

આપણે ત્યાં એવું કહેવાય છે કે માતા પિતા દ્વારા કરવામાં આવતો વ્યવહાર બાળકના માનસ પર ઘણી અસર કરે છે. માતા પિતાને જોઈ બાળક ઘણું ખરૂં શીખી લે છે. ત્યારે આ વાતને રાજકોટની સ્વનિર્ભર શાળાઓએ ગંભીરતાથી લીધી છે. બાળકોને શાળામાં મૂકવા આવતા વાલીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. બાળકોને શાળા મૂકવા આવતા વાલીઓએ કેવા કપડાં પહેરીને સ્કૂલે આવવું જોઈએ તેની ગાઈડલાઈન જાહેર કરી છે. શાળા સંચાલકોનું કહેવું છે કે બાળકમાં સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

બાળકને શાળા મૂકવા આવતા વાલીઓ માટે જાહેર કરાઈ ગાઈડલાઈન 

રાજકોટની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા પર હાલ ઘણી ચર્ચાઓ થઇ રહી છે. જો તમે રાજકોટમાં રહો છો, તમારૂ બાળક કોઈ સ્વનિર્ભર શાળામાં અભ્યાસ કરે છે, અને તમે સવાર સવારમાં ઉઠી બાળકને શાળાએ મૂકવા જાઓ છો, તો શાળાએ બાળકને મૂકવા જતા પહેલા તમારે આ નિયમોનું પાલન કરવું પડશે.  રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે વાલીઓ માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. માર્ગદર્શિકામાં જણાવ્યા અનુસાર વાલીઓએ હવેથી ટુંકા કપડા પહેરી બાળકોને શાળાએ મુકવા નહિ આવવું, પાન-માવા ગુટખા નહિ ખાવા.


સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખે કહ્યું કે.... 

વાલીઓ એક સેલ્ફ ડિસિપ્લિન સાથે શાળાએ આવે તે માટે શાળા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અનેક વાલીઓને આ નિર્ણય ગમ્યો છે તો અનેક વાલીઓ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. શાળાએ વાલીઓ માટે નિર્દેશો બહાર પાડ્યા છે. જેમાં વાલીઓએ ટૂંકા કપડાં પહેરી બાળકને મુકવા કે પેરેન્સ મિટિંગમાં ન આવવું, આમ કરવા પાછળનું કારણ જણાવતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ DV મહેતાએ જણાવ્યું કે શિક્ષણ એ માત્ર કળા શીખવવાનું માધ્યમ નથી, પરંતુ શિક્ષણ એ જ જીવન છે. 


ટૂંકા વસ્ત્રો પહેરી વાલીઓ બાળકને શાળાએ મૂકવા આવે છે 

વધુમાં તેમણે કહ્યું કે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની બેઠક મળી હતી જેમાં અનેક મુદ્દાઓ મુદ્દે ચર્ચા કરવામાં આવી અને અનેક નિર્ણયો લેવામાં આવ્યા. બેઠકમાં એક એવો અગત્યનો મુદ્દો સામે આવ્યો હતો જેને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં આ અંગે જરૂરી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. આ મુદ્દો એ છે કે, શાળામાં વાલીઓ કે શિક્ષકોને ટૂંકા કે શિસ્તભંગ થાય તેવા કપડા ન પહેરવા આદેશ કરવામાં આવશે. કારણ કે ઘણી વખત ખાસ કરી વહેલી સવારના સમયે શાળાએ બાળકોને મુકવા આવતા કેટલાક વાલીઓ અમર્યાદિત વસ્ત્રો સાથે આવતા હોય છે. જેમાં તેઓ શોટ્સ, બરમુડા કે નાઈટ ડ્રેસ પહેરીને આવતા હોય છે.


જિલ્લા શિક્ષણ અધિકારીએ આપી પ્રતિક્રિયા  

તે ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ આ મામલે નિવેદન આપવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા અધિકારીએ જણાવ્યું કે જે રીતે મંદિર અને ઘર-કુટુંબનાં નિયમો છે, તેવી જ રીતે શાળાના નિયમો પાળવા જરૂરી છે. હાલમાં એક વાત ઉડીને આખે વળગે છે કે, કેટલાક વાલીઓ ઉચીત હોય નહીં તેવા કપડા પહેરે છે. ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના નિયમ બાબતે અમે પણ ચર્ચા કરીશું અને આવા નિર્ણયથી બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તેમ છે.

પાન ખાઈને બાળકને સ્કૂલે મૂકવા જતા વાલીઓએ શિક્ષિત થવાની જરૂર છે 

બાળકમાં સારા ગુણો આવે, બાળક સંસ્કારી થાય, આગળ જતા બાળક સારો માણસ બને તેવી આશા દરેક માતા પિતાને હોય છે. પરંતુ સારા સંસ્કાર આપવાની જવાબદારી માત્ર સ્કૂલની નથી હોતી. ઘરમાં થતા વ્યવહાર, ઘરમાં વપરાતી ભાષા, રહેવા કરવાની રીત પણ બાળકના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે.  સારા સંસ્કાર આપવાની આશા સાથે બાળકોને શાળાએ મુકવા જઈએ છીએ પણ ત્યારે આપણા વર્તનમાં સુધાર કરવો પણ એટલો જ જરૂરી છે, આ બધામાં સૌથી ઉચિત મુદ્દો એ જ છે કે  પાન-માવા ખાઈને બાળકોને શાળાએ મુકવા ન આવવુ. ટુંકમાં પાન-માવા ખાઈને જતા વાલીએ પહેલા પોતે શિક્ષિત થવાની જરૂર ખરી. 


શાળા દ્વારા લેવાયેલા નિર્ણયને કારણે સર્જાયા અનેક તર્ક-વિતર્ક 

આ જોયા બાદ એમ કહેશો કે કપડાં કેવા પહેરવા એ પોતાની અંગત પસંદગીનો સવાલ છે, કોઈકે શું પહેરવું એ કોઈ અન્ય જણાવી ન શકે-- પણ બીજી તરફ આપણે એ પણ વિચારવું પડશે કે કેમ મંદિર બહાર કે શાળા બહાર કપડાં પહેરવા જેવી બાબતે પણ પોસ્ટર લગાવવા પડે છે, માર્ગદર્શિકા જાહેર કરવી પડી રહી છે.


આપણને આપણા સિવાય બીજા કોઈ દેખાતા જ નથી!

શું આપણે એટલા સંકુચિત મગજના છે એ કોઈકના કપડાં પહેરવાથી આપણે અસર કરે છે, કે પછી આપણે એટલા સ્વચ્છંદી બની ગયા છે એ કે પોતાના સિવાય આસપાસની પરીબળોનું આપણને કોઈ લેવા દેવા નથી?



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.