સેલવાસમાં અંધશ્રદ્ધાના કારણે માસુમનો ભોગ લેવાયો, 9 વર્ષીય ચૈતાની બલી ચઢાવાઈ


  • Published By :
  • Published Date : 2023-01-11 17:20:41

વાપીના કરવડ ગામ નજીક દમણગંગા નહેરમાંથી એક નાના બાળકનું ધડ મળી આવવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. બાળકનું ધડ મળી આવ્યા બાદ સેલવાસ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સંયુક્ત તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસ બાદ સત્ય બહાર આવ્યું છે, સેલવાસ પોલીસે બાળકના મોત અંગે ખુલાસો કરતા જણાવ્યું છે કે મૃતક બાળકનું નામ ચૈતા કોહલા છે અને તે બાળક દાદરા નગર હવેલીના સાયલી ગામનું છે. અંધશ્રધ્ધામાં ભાન ભૂલેલા 3 લોકોએ 9 વર્ષીય ચૈતાનું અપહરણ કર્યા બાદ તેની બલી ચઢાવી દીધી હતી. સેલવાસ પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. નર બલી ચઢાવવામાં આવી હોવાનો પર્દાફાશ થતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. 


અંધશ્રધ્ધામાં માસૂમનો ભોગ લેવાયો


બાળકનું ધડ મળી આવ્યા બાદ સેલવાસ અનેસંઘપ્રદેશ દાદરા નગર હવેલી મામલાની ઉંડી તપાસ હાથ ધરી હતી. પોલીસે હત્યાના કારણો અંગે તપાસ કરી તો પોલીસને પણ જબરદસ્ત આંચકો લાગ્યો હતો. નવ વર્ષના માસુમ ચૈતાનું પૈસાનો વરસાદ કરાવવા અને અસીમ શક્તિ મેળવવા માટે અપહરણ કરવામાં આવ્યું હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે. અંધશ્રધ્ધામાં અંધ બનેલા સગીર આરોપીને મેલી વિદ્યા કરાવવામાં રમેશ અને શૈલેષ નામના અન્ય બે આરોપીઓની મદદ મળી હતી. આરોપી રમેશને પૈસાદાર થવું હતું આથી તેણે પૈસાનો વરસાદ કરાવવાની મેલી વિદ્યા કરવા માટે તેના મિત્ર શૈલેષને વાત કરી હતી. આથી આરોપી શૈલેષએ સાયલીમાં એક ચિકન શોપમાં ખાટકીનું કામ કરતા સગીર આરોપીનો સંપર્ક કરી અને મેલી વિદ્યા કરવાનું પ્લાનિંગ કર્યું હતું. સગીર આરોપીએ સૌપ્રથમ 9 વર્ષીય ચૈતાનું અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેના પર મેલી વિદ્યા કરી તેની હત્યા કરી નર બલી ચડાવી હતી. આ મામલામાં સગીર આરોપીને આવી મેલી વિદ્યા કરી અને અસીમ શક્તિશાળી બનવું હતું. આથી તેણે માસુમ ચૈતાની નર બલી ચડાવી અને તેનો ભોગ લીધો હોવાનું બહાર આવ્યું છે. પોલીસને મળેલી વિગત પ્રમાણે મેલી વિદ્યા માટે બાળકની બલી ચઢાવનારા સગીરનો પરિવાર પણ આ પ્રકારની પ્રવૃતીઓમાં અગાઉ સામેલ રહ્યો છે. 


શું હતી સમગ્ર ઘટના?


વાપીના કરવડ નજીકથી પસાર થતી દમણ ગંગા નહેરમાંથી ગત 31 મી ડિસેમ્બર ના રોજ એક બાળકનો ક્ષત વિક્ષત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બાળકની હત્યા થઈ છે તે પ્રથમ દ્રષ્ટિએ ધ્યાને આવ્યુ હતું પરંતુ આ બાળક કોણ છે તે મામલે તપાસ હાથ ધરાઇ હતી. સેલવાસ પોલીસે ગુમ થયેલ બાળકોનો ડેટા ચકાસતા ખુલાસો થયો છે કે ગત 29 ડિસેમ્બર 2022ના રોજ દાદરા નગર હવેલીના સાયલી ગામે કોહલા પરિવારે પોતાના 9 વર્ષીય ચૈતાની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. આંગણામાં રમી રહેલ 9 વર્ષીય ચૈતા ગુમ થતા પરિવારે ગામ અને સીમમાં તપાસ કરતા ચૈતા મળ્યો ન હતો. જેથી પરિવાર ચિંતામાં મુકાયો હતો અને પરિવારે પોલીસ ફરિયાદ પણ કરી હતી.


ફરિયાદ નોંધાયા બાદ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની પોલીસ સક્રિય બની હતી, પોલીસે સાયલીના સ્મશાન નજીકથી પણ એક બાળકનું પગ અને માથું મળી આવ્યું હતું. જેથી સાયલીના કોહલા પરિવારે ડેડબોડીના હાથ પર બાંધવામાં આવેલ દોરાના આધારે તેમજ કદ કાઠી જોઈને પરિવારે વાપીમાંથી મળી આવેલ મૃતક બાળક ઓળખ કરી હતી. સમગ્ર મામલાની ઉંડી તપાસ બાદ પોલીસ એ નિષ્કર્ષ પર પહોંચી છે કે બાળકનું અપહરણ બલી ચઢાવવા માટે થયું હતું. આખી વિગત જાણ્યા બાદ બાળકના પરિવારની સાથે-સાથે પોલીસને પણ જબરદસ્ત આંચકો લાગ્યો હતો. 


ત્રણેય આરોપીઓનું શું થયું?


માસુમની બલી ચઢાવવાનો જઘન્ય અપરાધ કરાનારા ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. સગીર આરોપીને સુરતના બાળ સંરક્ષમ ગૃહમાં મોકલી આપવામાં આવ્યો છે. મેલી વિદ્યામાં સામેલ અન્ય બે આરોપીઓને સેલવાસ પોલીસે કસ્ટડીમાં લીધા છે. ત્રણ આરોપીઓની ધરપકડ કર્યા બાદ સેલવાસ પોલીસે તપાસનો દૌર લંબાવ્યો છે. આ મામલે હજુ વધુ સત્ય બહાર આવે તથા વધુ અન્ય લોકોની ધરપકડ થાય તેવી શક્યતા છે. 9 વર્ષીય ચૈતાના પરિવારે ચૈતાના હત્યારાઓને ફાંસી થાય તેવી માંગ કરી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.