બલુચિસ્તાન એક આઝાદ રાષ્ટ્ર બનવા ભણી, શું પાકિસ્તાનના થશે ફરી ભાગલા?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-12 18:41:34

પાકિસ્તાનના  બલુચિસ્તાન પ્રાંતમાં હાલમાં જ એક અલગાવવાદી સંગઠન બલોચ આર્મીએ જાફર એક્સપ્રેસ નામની ટ્રેન પર હુમલો કર્યો , આ આખી ટ્રેનનું અપહરણ કરી લીધું હતું જોકે હવે પાકિસ્તાની આર્મી આ બંધકોને છોડાવવામાં સફળ રહી છે. તો આજે આપણે જાણીશું પાકિસ્તાનના સૌથી મોટા પ્રાંત બલુચિસ્તાન વિશે અને કેમ બલુચિસ્તાનમાં ૧૯૪૮થી હિંસક આંદોલનો થઈ રહ્યા છે ? 

વાત આજે પાકિસ્તાનના એક એવા પ્રાંતની કરવી છે જે પાકિસ્તાનની આઝાદીથી જ હિંસક અલગાવવાદી આંદોલનનો સામનો કરી રહ્યું છે. જે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું છે ઉપરાંત ખનીજ અને પેટ્રોલિયમની દ્રષ્ટિએ પણ ખુબ સંપન્ન છે . આ રાજ્ય છે બલુચિસ્તાન . 

બલુચિસ્તાનની સરહદ અફઘાનિસ્તાન અને ઈરાન સાથે લાગે છે . તેની રાજધાનીનું નામ છે કવેટા. 

૧૯૪૮થી જ અહીં એક આઝાદ બલુચિસ્તાન રાષ્ટ્ર માટે રાષ્ટ્રવાદી હિંસક આંદોલન ચાલુ છે . 

તે વખતે બલુચિસ્તાનમાં ચાર મુખ્ય કબીલાઓ હતા તેમના નામ મકરાન , લાસ બેલા , ખારન અને કલાત. આ ચારે ચાર કબીલાઓ બ્રિટિશરોને વફાદાર હતા.   આ બધા જ કબીલાઓમાં કલાત સૌથી વધારે તાકાતવર હતું . બાકીના ત્રણ કબીલાઓ કલાતના મુખ્યા આગળ વફાદારી પણ બતાવતા હતા . 

જેવો જ બ્રિટિશરોના ભારતમાંથી વિદાય લેવાનો સમય આવ્યો , "અહેમદ યાર ખાન" કે જે કલાતના છેલ્લા ખાન હતા તેમણે આઝાદ બલુચિસ્તાન પ્રાંતની વકીલાત શરુ કરી . 

અહેમદ યાર ખાનને આશા હતી કે તેમની મોહમ્મદ અલી જિન્નાહ સાથે સારી મિત્રતા છે તેના લીધે તેમને એક અલગ આઝાદ બલુચિસ્તાન મળશે અને પાકિસ્તાન સાથે જોડાવું નઈ પડે. 

આ વસ્તુ સફળ થતી ત્યારે દેખાઈ જયારે પાકિસ્તાને તેમની સાથે ૧૧ ઓગસ્ટ , ૧૯૪૭ના રોજ એક સંધિ કરી . તે સમયે તેમની પર કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં ના આવ્યું . 

પણ વાંધો બ્રિટિશરોએ પડ્યો જયારે તેમને પાકિસ્તાનની પશ્ચિમી સરહદે સોવિયેત યુનિયનના આક્રમણનો ડર લાગ્યો અને માટે જ તેઓ  આઝાદ બલુચિસ્તાનના વિરોધી બન્યા . 

સ્થિતિ ત્યારે બગાડી  જયારે કલાત સિવાયના બાકીના ત્રણ કબીલા મકરાન , લાસ બેલા અને ખારને  પાકિસ્તાન સાથે બલૂચિસ્તાનને ભેળવી દેવાની વાત કરી .  આ પછી ઓક્ટોબર , ૧૯૪૭થી પાકિસ્તાને બલૂચિસ્તાનને પાકિસ્તાનમાં ભેળવી દેવા દબાણ શરુ કર્યું . 

ત્યારબાદ ૧૯૪૮ની માર્ચની ૧૭ તારીખથી પાકિસ્તાને બલુચિસ્તાનના આ ત્રણ કબીલાઓ મકરાન , લાસ બેલા અને ખારન સાથે ટ્રીટી ઓફ એકસેશન પર હસ્તાક્ષર કરીને બલૂચિસ્તાનનો પાકિસ્તાનમાં વિલય કર્યો . કલાત કબીલો એકલો પડી ગયો . 

તે સમયે ઓલ ઇન્ડિયા રેડીઓ પર અફવા ફેલાઈ કે કરાત કબીલાના અહેમદ યાર ખાન એ  બલૂચિસ્તાનને ભારત સાથે ભેળવી દેવા માંગે છે . આ અફ્વાના લીધે પાકિસ્તાની સેનાએ માર્ચ ૨૬ , ૧૯૪૮ના રોજ બલુચિસ્તાનમાં આર્મી મોકલી બળજબરી પૂર્વક બલૂચિસ્તાનનું પાકિસ્તાનમાં વિલીનીકરણ થયું. 

૧૯૪૮ના જુલાઈ મહિનામાં તો બલુચિસ્તાનમાં હિંસક દેખાવો શરુ થઇ ગયા . અહેમદ યાર ખાનના ભાઈ પ્રિન્સ અબ્દુલ કરીમે આ વિલીનીકરણના વિરુદ્ધમાં " આઝાદી માટેની લડાઈ" શરુ કરી દીધી . 

આવી રીતે આ આખી લડાઈ છેલ્લા ઘણા દાયકાઓથી ચાલી રહી છે . 

૧૯૪૮ , ૧૯૫૮-૫૯ , ૧૯૬૨-૬૩ , ૧૯૭૩-૭૭ અને હાલમાં ૨૦૦૩થી આ હિંસક આંદોલન હજી ચાલુ છે .  

પાકિસ્તાની સેનાએ આ લડાઈને દબાવવા હિંસક રીતે દમન કર્યું . પાકિસ્તાની સેના પર અપહરણ , ત્રાસ , ખોટી ધરપકડના અને જ્યુડિશિયલ ડેથના ઘણા આરોપો લાગ્યા છે . એક અંદાજ પ્રમાણે ૧૯૪૮થી હજારો લોકો આ આઝાદ બલૂચિસ્તાનની લડાઈમાં મોતને ભેટ્યા છે . 

હવે તો બલુચ લિબરેશન આર્મી અને બલુચ લિબરેશન ફ્રન્ટ એ તેહરીકે - તાલિબાન - પાકિસ્તાન (TTP ) અને ઇસ્લામિક સ્ટેટ સાથે સંપર્કમાં છે આ TTP હાલના સમયમાં પાકિસ્તાનમાં મોટાભાગના આતંકવાદી હુમલોઓ માટે જાણીતું છે . 


પાકિસ્તાની સરકાર અને સેના આ બલુચ આદિવાસીઓ સાથે ખુબ જ ભેદભાવ ભર્યો વ્યવહાર કરે છે કેમ કે , પાકિસ્તાનની બ્યુરોક્રેસી પર પંજાબી મુસ્લિમોનું મોટું પ્રભુત્વ છે . 

જ્યારથી આ બલુચિસ્તાનમાં ચાઇના દ્વારા ગ્વાદર બંદરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારથી આ બલુચ લોકો આર્થિક અન્યાયનો પણ સામનો કરી રહ્યા છે  . આ પ્રોજેક્ટ માટે પંજાબી અને સિંધી એન્જિન્યરોની મોટા પાયે ભરતી કરાય છે જયારે સ્થાનિક બલુચ લોકોને કોઈ પણ તક મળતી નથી . આ કારણે બલુચ લિબરેશન આર્મી એ ચાઈનીઝ અધિકારીઓને પણ ટાર્ગેટ કરતા રહે છે .

 એક વસ્તુ સાફ છે કે , જો અલગાવવાદ શાંત ના થયો તો , પૂર્વીય પાકિસ્તાનની જેમ બલુચિસ્તાન પણ આઝાદથી દૂર બઉ દૂર નથી . 

જો તમને બલુચિસ્તાન વિશે વધારે જાણવું હોય તો તમે ભારત સરકારના એક IAS અધિકારી તિલક દેવાશેરની બુક "પાકિસ્તાન ધ બલુચિસ્તાન કોનનડ્રમ" વાંચી શકો છો જેમાં તમને વધારે રોચક માહિતી  મળશે .  


  બલુચિસ્તાન વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો . 

જો તમે અમને યૂટ્યૂબ પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો , ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો .



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.