Mansukh Vasavaનાં ગંભીર આક્ષેપો! Chaitar Vasavaનાં નામ પર AAPનાં નેતા પૈસા ઉઘરાવે છે?


  • Published By :
  • Published Date : 2024-03-23 16:52:50

ભરૂચ લોકસભા બેઠક સામાન્ય દિવસો દરમિયાન પણ ચર્ચામાં રહેતી હોય છે. ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા તેમજ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા દ્વારા આપવામાં આવતી પ્રતિક્રિયાને કારણે તેમની ચર્ચા થતી રહેતી હોય છે. ઉપરાંત અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી અત્યારે સમાચારોની હેડલાઇનમાં અને સતત ચર્ચામાં છે અને હવે ગુજરાત આમ આદમીના નેતા ડરાવી ધમકાવીને અધિકારીઓ પાસેથી પૈસા ઉઘરાવે છે તેવા આક્ષેપ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યા છે. 

મનસુખ વસાવાના આક્ષેપ

ભાજપે ભરૂચ લોકસભા બેઠક માટે વર્તમાન સાંસદ મનસુખ વસાવાને રિપીટ કર્યા છે. એવું લાગતું હતું કે ભાજપ આ વખતે તેમનું પત્તું કાપી શકે છે. પરંતુ ભાજપે તેમને રિપીટ કર્યા. મનસુખ વસાવા દ્વારા આપવામાં આવતી પ્રતિક્રિયા હંમેશા ચર્ચાનો વિષય બનતી હોય છે. મનસુખ વસાવા આક્ષેપ લગાવે તો ચૈતર વસાવા પણ સામે પ્રતિક્રિયા આપે. ત્યારે આજે સવારે 9.44એ 3 ટ્વીટ કરી. મનસુખ વસાવાએ પોસ્ટમાં લખ્યું હતું કે "ડેડીયાપાડામાં અને સાગબારામાં હોળીના બહાને અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોને ડરાવી ધમકાવીને આપ ના નેતાઓ નાણાંની ઉઘરાણી કરે છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં તાલુકાના એક અધિકારીને ધારાસભ્યશ્રીનું નામ લઈને 2.5 લાખની માંગણી કરી છે." 


અધિકારીઓ પાસેથી માંગવામાં આવે છે નાણાં!

ત્યાર બાદ નીચે બીજી પોસ્ટમાં કહ્યું "આવી ઘટનાઓ તાલુકાના બધાજ વિભાગના અધિકારીઓ પાસે નાણાંની માંગણી કરાતી હોય છે અને વારંવાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે રાજકીય આગેવાનો ફંડની - રૂપિયાની માંગણી કરતા રહે છે. જેની સીધી અસર વિકાસના કામો પર પડશે તેથી મારી તાલુકા તથા જિલ્લાના અધિકારીઓ ને નમ્ર અપીલ છે" ત્રીજી પોસ્ટમાં કે તમે આવા ભ્રષ્ટ તત્વોને આવી ખોટી ટેવ પાડશો નહિ કામમાં ગુણવત્તા જાળવો આવા તત્વોથી તમારે ડરવાની કોઈ જરૂર નથી અમે તમારી પડખે રહીશું. એટલે સીધી રીતે મનસુખ વસાવા એવું કહેવા માંગે છે કે આપના નેતાઓ ખોટી રીતે પૈસા ઉઘરાવે છે. 

ચૈતર વસાવાએ આપી પ્રતિક્રિયા 

આ બાબતે વધારે જાણકારી મેળવવા માટે જમાવટની ટીમે મનસુખ વસાવાને ફોન પણ કર્યો હતો પણ તેમણે ફોન ન ઉપાડયો. ત્યારે આ ઘટના પર મનસુખ વસાવા મીડિયા સમક્ષ કંઈ ખુલાસો કરે ત્યારે જ સ્પષ્ટ થાય. મહત્વનું છે કે મનસુખ વસાવાના આક્ષેપ પર ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.