Mansukh Vasavaનાં ગંભીર આક્ષેપો! Chaitar Vasavaનાં નામ પર AAPનાં નેતા પૈસા ઉઘરાવે છે?


  • Published By :
  • Published Date : 2024-03-23 16:52:50

ભરૂચ લોકસભા બેઠક સામાન્ય દિવસો દરમિયાન પણ ચર્ચામાં રહેતી હોય છે. ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા તેમજ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા દ્વારા આપવામાં આવતી પ્રતિક્રિયાને કારણે તેમની ચર્ચા થતી રહેતી હોય છે. ઉપરાંત અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી અત્યારે સમાચારોની હેડલાઇનમાં અને સતત ચર્ચામાં છે અને હવે ગુજરાત આમ આદમીના નેતા ડરાવી ધમકાવીને અધિકારીઓ પાસેથી પૈસા ઉઘરાવે છે તેવા આક્ષેપ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યા છે. 

મનસુખ વસાવાના આક્ષેપ

ભાજપે ભરૂચ લોકસભા બેઠક માટે વર્તમાન સાંસદ મનસુખ વસાવાને રિપીટ કર્યા છે. એવું લાગતું હતું કે ભાજપ આ વખતે તેમનું પત્તું કાપી શકે છે. પરંતુ ભાજપે તેમને રિપીટ કર્યા. મનસુખ વસાવા દ્વારા આપવામાં આવતી પ્રતિક્રિયા હંમેશા ચર્ચાનો વિષય બનતી હોય છે. મનસુખ વસાવા આક્ષેપ લગાવે તો ચૈતર વસાવા પણ સામે પ્રતિક્રિયા આપે. ત્યારે આજે સવારે 9.44એ 3 ટ્વીટ કરી. મનસુખ વસાવાએ પોસ્ટમાં લખ્યું હતું કે "ડેડીયાપાડામાં અને સાગબારામાં હોળીના બહાને અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોને ડરાવી ધમકાવીને આપ ના નેતાઓ નાણાંની ઉઘરાણી કરે છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં તાલુકાના એક અધિકારીને ધારાસભ્યશ્રીનું નામ લઈને 2.5 લાખની માંગણી કરી છે." 


અધિકારીઓ પાસેથી માંગવામાં આવે છે નાણાં!

ત્યાર બાદ નીચે બીજી પોસ્ટમાં કહ્યું "આવી ઘટનાઓ તાલુકાના બધાજ વિભાગના અધિકારીઓ પાસે નાણાંની માંગણી કરાતી હોય છે અને વારંવાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે રાજકીય આગેવાનો ફંડની - રૂપિયાની માંગણી કરતા રહે છે. જેની સીધી અસર વિકાસના કામો પર પડશે તેથી મારી તાલુકા તથા જિલ્લાના અધિકારીઓ ને નમ્ર અપીલ છે" ત્રીજી પોસ્ટમાં કે તમે આવા ભ્રષ્ટ તત્વોને આવી ખોટી ટેવ પાડશો નહિ કામમાં ગુણવત્તા જાળવો આવા તત્વોથી તમારે ડરવાની કોઈ જરૂર નથી અમે તમારી પડખે રહીશું. એટલે સીધી રીતે મનસુખ વસાવા એવું કહેવા માંગે છે કે આપના નેતાઓ ખોટી રીતે પૈસા ઉઘરાવે છે. 

ચૈતર વસાવાએ આપી પ્રતિક્રિયા 

આ બાબતે વધારે જાણકારી મેળવવા માટે જમાવટની ટીમે મનસુખ વસાવાને ફોન પણ કર્યો હતો પણ તેમણે ફોન ન ઉપાડયો. ત્યારે આ ઘટના પર મનસુખ વસાવા મીડિયા સમક્ષ કંઈ ખુલાસો કરે ત્યારે જ સ્પષ્ટ થાય. મહત્વનું છે કે મનસુખ વસાવાના આક્ષેપ પર ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે.  



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .