Mansukh Vasavaનાં ગંભીર આક્ષેપો! Chaitar Vasavaનાં નામ પર AAPનાં નેતા પૈસા ઉઘરાવે છે?


  • Published By :
  • Published Date : 2024-03-23 16:52:50

ભરૂચ લોકસભા બેઠક સામાન્ય દિવસો દરમિયાન પણ ચર્ચામાં રહેતી હોય છે. ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા તેમજ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા દ્વારા આપવામાં આવતી પ્રતિક્રિયાને કારણે તેમની ચર્ચા થતી રહેતી હોય છે. ઉપરાંત અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી અત્યારે સમાચારોની હેડલાઇનમાં અને સતત ચર્ચામાં છે અને હવે ગુજરાત આમ આદમીના નેતા ડરાવી ધમકાવીને અધિકારીઓ પાસેથી પૈસા ઉઘરાવે છે તેવા આક્ષેપ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યા છે. 

મનસુખ વસાવાના આક્ષેપ

ભાજપે ભરૂચ લોકસભા બેઠક માટે વર્તમાન સાંસદ મનસુખ વસાવાને રિપીટ કર્યા છે. એવું લાગતું હતું કે ભાજપ આ વખતે તેમનું પત્તું કાપી શકે છે. પરંતુ ભાજપે તેમને રિપીટ કર્યા. મનસુખ વસાવા દ્વારા આપવામાં આવતી પ્રતિક્રિયા હંમેશા ચર્ચાનો વિષય બનતી હોય છે. મનસુખ વસાવા આક્ષેપ લગાવે તો ચૈતર વસાવા પણ સામે પ્રતિક્રિયા આપે. ત્યારે આજે સવારે 9.44એ 3 ટ્વીટ કરી. મનસુખ વસાવાએ પોસ્ટમાં લખ્યું હતું કે "ડેડીયાપાડામાં અને સાગબારામાં હોળીના બહાને અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોને ડરાવી ધમકાવીને આપ ના નેતાઓ નાણાંની ઉઘરાણી કરે છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં તાલુકાના એક અધિકારીને ધારાસભ્યશ્રીનું નામ લઈને 2.5 લાખની માંગણી કરી છે." 


અધિકારીઓ પાસેથી માંગવામાં આવે છે નાણાં!

ત્યાર બાદ નીચે બીજી પોસ્ટમાં કહ્યું "આવી ઘટનાઓ તાલુકાના બધાજ વિભાગના અધિકારીઓ પાસે નાણાંની માંગણી કરાતી હોય છે અને વારંવાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે રાજકીય આગેવાનો ફંડની - રૂપિયાની માંગણી કરતા રહે છે. જેની સીધી અસર વિકાસના કામો પર પડશે તેથી મારી તાલુકા તથા જિલ્લાના અધિકારીઓ ને નમ્ર અપીલ છે" ત્રીજી પોસ્ટમાં કે તમે આવા ભ્રષ્ટ તત્વોને આવી ખોટી ટેવ પાડશો નહિ કામમાં ગુણવત્તા જાળવો આવા તત્વોથી તમારે ડરવાની કોઈ જરૂર નથી અમે તમારી પડખે રહીશું. એટલે સીધી રીતે મનસુખ વસાવા એવું કહેવા માંગે છે કે આપના નેતાઓ ખોટી રીતે પૈસા ઉઘરાવે છે. 

ચૈતર વસાવાએ આપી પ્રતિક્રિયા 

આ બાબતે વધારે જાણકારી મેળવવા માટે જમાવટની ટીમે મનસુખ વસાવાને ફોન પણ કર્યો હતો પણ તેમણે ફોન ન ઉપાડયો. ત્યારે આ ઘટના પર મનસુખ વસાવા મીડિયા સમક્ષ કંઈ ખુલાસો કરે ત્યારે જ સ્પષ્ટ થાય. મહત્વનું છે કે મનસુખ વસાવાના આક્ષેપ પર ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે.  



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.