Mansukh Vasavaનાં ગંભીર આક્ષેપો! Chaitar Vasavaનાં નામ પર AAPનાં નેતા પૈસા ઉઘરાવે છે?


  • Published By :
  • Published Date : 2024-03-23 16:52:50

ભરૂચ લોકસભા બેઠક સામાન્ય દિવસો દરમિયાન પણ ચર્ચામાં રહેતી હોય છે. ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા તેમજ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા દ્વારા આપવામાં આવતી પ્રતિક્રિયાને કારણે તેમની ચર્ચા થતી રહેતી હોય છે. ઉપરાંત અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી અત્યારે સમાચારોની હેડલાઇનમાં અને સતત ચર્ચામાં છે અને હવે ગુજરાત આમ આદમીના નેતા ડરાવી ધમકાવીને અધિકારીઓ પાસેથી પૈસા ઉઘરાવે છે તેવા આક્ષેપ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યા છે. 

મનસુખ વસાવાના આક્ષેપ

ભાજપે ભરૂચ લોકસભા બેઠક માટે વર્તમાન સાંસદ મનસુખ વસાવાને રિપીટ કર્યા છે. એવું લાગતું હતું કે ભાજપ આ વખતે તેમનું પત્તું કાપી શકે છે. પરંતુ ભાજપે તેમને રિપીટ કર્યા. મનસુખ વસાવા દ્વારા આપવામાં આવતી પ્રતિક્રિયા હંમેશા ચર્ચાનો વિષય બનતી હોય છે. મનસુખ વસાવા આક્ષેપ લગાવે તો ચૈતર વસાવા પણ સામે પ્રતિક્રિયા આપે. ત્યારે આજે સવારે 9.44એ 3 ટ્વીટ કરી. મનસુખ વસાવાએ પોસ્ટમાં લખ્યું હતું કે "ડેડીયાપાડામાં અને સાગબારામાં હોળીના બહાને અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોને ડરાવી ધમકાવીને આપ ના નેતાઓ નાણાંની ઉઘરાણી કરે છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં તાલુકાના એક અધિકારીને ધારાસભ્યશ્રીનું નામ લઈને 2.5 લાખની માંગણી કરી છે." 


અધિકારીઓ પાસેથી માંગવામાં આવે છે નાણાં!

ત્યાર બાદ નીચે બીજી પોસ્ટમાં કહ્યું "આવી ઘટનાઓ તાલુકાના બધાજ વિભાગના અધિકારીઓ પાસે નાણાંની માંગણી કરાતી હોય છે અને વારંવાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે રાજકીય આગેવાનો ફંડની - રૂપિયાની માંગણી કરતા રહે છે. જેની સીધી અસર વિકાસના કામો પર પડશે તેથી મારી તાલુકા તથા જિલ્લાના અધિકારીઓ ને નમ્ર અપીલ છે" ત્રીજી પોસ્ટમાં કે તમે આવા ભ્રષ્ટ તત્વોને આવી ખોટી ટેવ પાડશો નહિ કામમાં ગુણવત્તા જાળવો આવા તત્વોથી તમારે ડરવાની કોઈ જરૂર નથી અમે તમારી પડખે રહીશું. એટલે સીધી રીતે મનસુખ વસાવા એવું કહેવા માંગે છે કે આપના નેતાઓ ખોટી રીતે પૈસા ઉઘરાવે છે. 

ચૈતર વસાવાએ આપી પ્રતિક્રિયા 

આ બાબતે વધારે જાણકારી મેળવવા માટે જમાવટની ટીમે મનસુખ વસાવાને ફોન પણ કર્યો હતો પણ તેમણે ફોન ન ઉપાડયો. ત્યારે આ ઘટના પર મનસુખ વસાવા મીડિયા સમક્ષ કંઈ ખુલાસો કરે ત્યારે જ સ્પષ્ટ થાય. મહત્વનું છે કે મનસુખ વસાવાના આક્ષેપ પર ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.