વલસાડ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી! બેબી બોયનું કહી પરિવારને આપવામાં આવી દીકરી! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-08-13 19:04:24

જ્યારે કોઈ વ્યક્તિ બિમાર થાય ત્યારે તે સારવાર કરાવા હોસ્પિટલ જતો હોય છે. બાળકોની ડિલીવરી પણ હોસ્પિટલમાં થતી હોય છે. પરંતુ ઘણી વખત હોસ્પિટલ વાળાથી એવી ગંભીર બેદરકારી ગણો કે ભૂલ ગણો તે કરવામાં આવે છે જેને કારણે કોઈના શ્વાસ અધ્ધર થઈ જાય. અમે વાત કરી રહ્યા છીએ વલસાડ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી ગંભીર ભૂલની. હોસ્પિટલ દ્વારા નવજાત બાળકોની અદલા બદલી કરવામાં આવી છે તેવા આક્ષેપો પરિવારના સભ્યોએ લગાવ્યા છે.


અધૂરા માસનો હોવાને કારણે બાળકને રખાયો હતો કાચની પેટીમાં 

સમગ્ર ઘટનાની વાત કરીએ તો 10 દિવસ પહેલા ડિલિવરી માટે કપરાડાની એક યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી. હોસ્પિટલ ગયા બાદ થોડી જ મિનીટોની અંદર તેણે અધૂરા માસના બાળકને જન્મ આપ્યો. અધૂરા માસનો બાળક હોવાને કારણે કાચની પેટીમાં તેને રાખવામાં આવ્યો હતો. ડિલીવરી બાદ હોસ્પિટલના સ્ટાફે પરિવારને કહ્યું કે બેબી બોયનો જન્મ થયો છે. અધૂરા માસના બાળકની 10 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી પરંતુ જ્યારે સારવાર બાદ પરિવારને બાળક સોંપવામાં આવ્યો તે બેબી બોય નહીં પરંતુ બેબી ગલ હતી. પરિવારને નવજાત બાળકી આપવામાં આવી. છોકરાની જગ્યાએ છોકરી મળતા પરિવારજનોએ ભારે હોબાળો કર્યો હતો. પરિવારજનો વિફર્યા હતા. 


હોસ્પિટલના સ્ટાફે પરિવારને પુત્રની બદલીમાં પુત્રી પકડાવી દીધી 

સિવિલ હોસ્પિટલ દ્વારા બાળકની અદલીબદલી કરવામાં આવી છે તેવા આક્ષેપો પરિવારવાળાએ લગાવ્યા હતા. પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે બબાલ કરી હતી જેને કારણે માહોલ ગરમાયો હતો અને જ્યારે આ મામલે આગળ વાત કરવામાં આવી ત્યારે ગોળગોળ જવાબ આપવામાં આવ્યા હતા. 


આ મામલે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કરાશે કાર્યવાહી 

આ મામલે તપાસ કરવામાં આવશે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી અને ખાતરી આપવામાં આવી છે. આવી ગંભીર ભૂલ પાછળ જવાબદાર કોણ? છોકરાની બદલીમાં છોકરી કેમ પધરાવવામાં આવી તે એક મોટો પ્રશ્ન છે. બાળકોની અદલાબદલીનું શું કારણ હતું? હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી ગંભીર ભૂલ માટે જવાબદાર કોણ? અનેક સવાલો ઉઠી રહ્યા છે. હોસ્પિટલના સત્તાધીશો હાલ તપાસ કરી રહ્યા છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓએ તપાસની ખાતરી આપી છે પરંતુ હાલ બાળકોની અદલાબદલી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.