વલસાડ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી! બેબી બોયનું કહી પરિવારને આપવામાં આવી દીકરી! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-08-13 19:04:24

જ્યારે કોઈ વ્યક્તિ બિમાર થાય ત્યારે તે સારવાર કરાવા હોસ્પિટલ જતો હોય છે. બાળકોની ડિલીવરી પણ હોસ્પિટલમાં થતી હોય છે. પરંતુ ઘણી વખત હોસ્પિટલ વાળાથી એવી ગંભીર બેદરકારી ગણો કે ભૂલ ગણો તે કરવામાં આવે છે જેને કારણે કોઈના શ્વાસ અધ્ધર થઈ જાય. અમે વાત કરી રહ્યા છીએ વલસાડ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી ગંભીર ભૂલની. હોસ્પિટલ દ્વારા નવજાત બાળકોની અદલા બદલી કરવામાં આવી છે તેવા આક્ષેપો પરિવારના સભ્યોએ લગાવ્યા છે.


અધૂરા માસનો હોવાને કારણે બાળકને રખાયો હતો કાચની પેટીમાં 

સમગ્ર ઘટનાની વાત કરીએ તો 10 દિવસ પહેલા ડિલિવરી માટે કપરાડાની એક યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી. હોસ્પિટલ ગયા બાદ થોડી જ મિનીટોની અંદર તેણે અધૂરા માસના બાળકને જન્મ આપ્યો. અધૂરા માસનો બાળક હોવાને કારણે કાચની પેટીમાં તેને રાખવામાં આવ્યો હતો. ડિલીવરી બાદ હોસ્પિટલના સ્ટાફે પરિવારને કહ્યું કે બેબી બોયનો જન્મ થયો છે. અધૂરા માસના બાળકની 10 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી પરંતુ જ્યારે સારવાર બાદ પરિવારને બાળક સોંપવામાં આવ્યો તે બેબી બોય નહીં પરંતુ બેબી ગલ હતી. પરિવારને નવજાત બાળકી આપવામાં આવી. છોકરાની જગ્યાએ છોકરી મળતા પરિવારજનોએ ભારે હોબાળો કર્યો હતો. પરિવારજનો વિફર્યા હતા. 


હોસ્પિટલના સ્ટાફે પરિવારને પુત્રની બદલીમાં પુત્રી પકડાવી દીધી 

સિવિલ હોસ્પિટલ દ્વારા બાળકની અદલીબદલી કરવામાં આવી છે તેવા આક્ષેપો પરિવારવાળાએ લગાવ્યા હતા. પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે બબાલ કરી હતી જેને કારણે માહોલ ગરમાયો હતો અને જ્યારે આ મામલે આગળ વાત કરવામાં આવી ત્યારે ગોળગોળ જવાબ આપવામાં આવ્યા હતા. 


આ મામલે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કરાશે કાર્યવાહી 

આ મામલે તપાસ કરવામાં આવશે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી અને ખાતરી આપવામાં આવી છે. આવી ગંભીર ભૂલ પાછળ જવાબદાર કોણ? છોકરાની બદલીમાં છોકરી કેમ પધરાવવામાં આવી તે એક મોટો પ્રશ્ન છે. બાળકોની અદલાબદલીનું શું કારણ હતું? હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી ગંભીર ભૂલ માટે જવાબદાર કોણ? અનેક સવાલો ઉઠી રહ્યા છે. હોસ્પિટલના સત્તાધીશો હાલ તપાસ કરી રહ્યા છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓએ તપાસની ખાતરી આપી છે પરંતુ હાલ બાળકોની અદલાબદલી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.