વલસાડ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી! બેબી બોયનું કહી પરિવારને આપવામાં આવી દીકરી! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-08-13 19:04:24

જ્યારે કોઈ વ્યક્તિ બિમાર થાય ત્યારે તે સારવાર કરાવા હોસ્પિટલ જતો હોય છે. બાળકોની ડિલીવરી પણ હોસ્પિટલમાં થતી હોય છે. પરંતુ ઘણી વખત હોસ્પિટલ વાળાથી એવી ગંભીર બેદરકારી ગણો કે ભૂલ ગણો તે કરવામાં આવે છે જેને કારણે કોઈના શ્વાસ અધ્ધર થઈ જાય. અમે વાત કરી રહ્યા છીએ વલસાડ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી ગંભીર ભૂલની. હોસ્પિટલ દ્વારા નવજાત બાળકોની અદલા બદલી કરવામાં આવી છે તેવા આક્ષેપો પરિવારના સભ્યોએ લગાવ્યા છે.


અધૂરા માસનો હોવાને કારણે બાળકને રખાયો હતો કાચની પેટીમાં 

સમગ્ર ઘટનાની વાત કરીએ તો 10 દિવસ પહેલા ડિલિવરી માટે કપરાડાની એક યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી. હોસ્પિટલ ગયા બાદ થોડી જ મિનીટોની અંદર તેણે અધૂરા માસના બાળકને જન્મ આપ્યો. અધૂરા માસનો બાળક હોવાને કારણે કાચની પેટીમાં તેને રાખવામાં આવ્યો હતો. ડિલીવરી બાદ હોસ્પિટલના સ્ટાફે પરિવારને કહ્યું કે બેબી બોયનો જન્મ થયો છે. અધૂરા માસના બાળકની 10 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી પરંતુ જ્યારે સારવાર બાદ પરિવારને બાળક સોંપવામાં આવ્યો તે બેબી બોય નહીં પરંતુ બેબી ગલ હતી. પરિવારને નવજાત બાળકી આપવામાં આવી. છોકરાની જગ્યાએ છોકરી મળતા પરિવારજનોએ ભારે હોબાળો કર્યો હતો. પરિવારજનો વિફર્યા હતા. 


હોસ્પિટલના સ્ટાફે પરિવારને પુત્રની બદલીમાં પુત્રી પકડાવી દીધી 

સિવિલ હોસ્પિટલ દ્વારા બાળકની અદલીબદલી કરવામાં આવી છે તેવા આક્ષેપો પરિવારવાળાએ લગાવ્યા હતા. પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે બબાલ કરી હતી જેને કારણે માહોલ ગરમાયો હતો અને જ્યારે આ મામલે આગળ વાત કરવામાં આવી ત્યારે ગોળગોળ જવાબ આપવામાં આવ્યા હતા. 


આ મામલે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કરાશે કાર્યવાહી 

આ મામલે તપાસ કરવામાં આવશે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી અને ખાતરી આપવામાં આવી છે. આવી ગંભીર ભૂલ પાછળ જવાબદાર કોણ? છોકરાની બદલીમાં છોકરી કેમ પધરાવવામાં આવી તે એક મોટો પ્રશ્ન છે. બાળકોની અદલાબદલીનું શું કારણ હતું? હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી ગંભીર ભૂલ માટે જવાબદાર કોણ? અનેક સવાલો ઉઠી રહ્યા છે. હોસ્પિટલના સત્તાધીશો હાલ તપાસ કરી રહ્યા છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓએ તપાસની ખાતરી આપી છે પરંતુ હાલ બાળકોની અદલાબદલી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.