Varanasiમાં ગંભીર રોડ અકસ્માત, કાર અને ટ્રક વચ્ચે ટક્કર, ગયા આટલા લોકોના જીવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-04 14:54:37

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત એક્સિડન્ટને કારણે થયા છે. અનેક લોકો કાળનો કોળિયો બની રહ્યા છે. ત્યારે વારાણસીના ફૂલપુર પોલીસ સ્ટેશનના કરખિરાંવ પાસે કાર અને ટ્રક સાથે ગંભીર અકસ્માત સર્જાયો છે. કાર અનિયંત્રિત થઈ ગઈ અને ટ્રક સાથે તેની જોરદાર ટક્કર થઈ. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. એવી માહિતી સામે આવી છે કે મૃતકો પીલીભીતના રહેવાસી હોવાનું મનાઈ રહ્યું છે. આ દુર્ઘટના વહેલી સવારે બની છે અને આ અકસ્માતમાં એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. 

વારાણસીમાં ભીષણ અકસ્માત, અનિયંત્રિત કાર ટ્રક સાથે અથડાતા આઠ લોકોના  ઘટનાસ્થળે મોત - Fatal accident in Varanasi, eight people died on the spot  after an uncontrolled car collided with a truck

રોડ અકસ્માતમાં થયા 8 લોકોના મોત

વારાણસીમાં ભીષણ રોડ અકસ્માત સર્જાયો છે જેમાં કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ છે. બંને વાહનો વચ્ચે એટલી ભયંકર ટક્કર થઈ હતી કે આ ઘટનામાં 8 લોકોના મોત થયા હતા. આ અકસ્માતને લઈ મળતી માહિતી અનુસાર તમામ લોકો કાશી ગયા બાદ બનારસથી જૌનપુર જઈ રહ્યા હતા. તે વખતે તેઓ કાળનો કોળિયો બન્યા છે. વહેલી સવારે લગભગ 4.30 વાગ્યાની આસપાસ એક ઝડપી એર્ટીગા કાર એક ટ્રક સાથે ટક્કર થઈ હતી. તમે વિચારી શકો છો કે ટક્કર કેટલી ભીષણ હશે કે 8 લોકોના મોત થઈ ગયા છે. 


યોગી આદિત્યનાથે શોક કર્યો વ્યક્ત

ઉત્તરપ્રદેશમાં સર્જાયેલા અકસ્માતને પગલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના જીવને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી છે. જે લોકોના મોત થયા છે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘાયલો જલ્દી સાજા તેવી પ્રાર્થના કરવામાં આવી છે. 

વારાણસીમાં ભીષણ અકસ્માત: 8ના મોત ફકત એક બાળક જ બચ્યું - Sanj Samachar

અકસ્માતમાં અનેક પરિવારોએ ગુમાવ્યા છે સ્વજન 

અકસ્માત બાદ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી દેવામાં આવ્યા છે. એવી પણ માહિતી સામે આવી છે કે આ અકસ્માતમાં માત્ર એક જ બાળકીનો જીવ બચ્યો છે. ગમખ્વાર અકસ્માતને કારણે અરેરાટી વ્યાપી ઉઠી છે. મહત્વનું છે કે અનેક લોકોએ પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .