Delhiમાં વિકટ બનતું જળસંકટ, પાણીની અછત એટલી સર્જાઈ કે ટેન્કર જોતા જ લોકો પાણી લેવા દોડી પડ્યા, દિલ્હી સરકારે બોલાવી બેઠક..


  • Published By :
  • Published Date : 2024-05-31 19:00:03

દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીની ભારે અછત જોવા મળી રહી છે. પાણીની તંગી છે અને લોકોને પીવા માટે ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યાંથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. ટેન્કર જોઈને લોકો તૂટી પડ્યા હતા.. ટેન્કર આવતાની સાથે જ લોકોએ દોટ મૂકી અને ટેન્કરના પાછળ ડોલ અને પાઈપ લઈને લોકો પાણી ભરી રહ્યા છે. પાણીની સમસ્યાને લઈ દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે..

દેશની રાજધાની દિલ્હીમાં પાણી માટે વલખા મારતા લોકો 

આ વખતે દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી વરસી.. દિલ્હીમાં તો તાપમાનનો પારો 50 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો.. એક તરફ આટલી ગરમી હોય તેવા સમયમાં પાણીની કેટલી જરૂર પડે તે આપણે જાણીએ છીએ. પરંતુ જો આપણને પાણી ના મળે તો? મર્યાદિત પાણી હોય અને આખો દિવસ કાઢવાનો હોય ત્યારે શું હાલત થાય તે આપણે વિચારીએ તો પણ કાંપી ઉઠીએ છીએ.. પાણીની તંગીને કારણે પાણીની કટોકટીનો સામનો દિલ્હીની પ્રજા કરી રહી છે.. રાજધાની દિલ્હીના લોકો ગરમીનો માર તો સહન કરી કહ્યા છે પરંતુ ભીષણ ગરમીની સાથે સાથે પાણીની સમસ્યાનો સામનો પણ  લોકો કરી રહ્યા છે. 

જળસંકટને લઈ દિલ્હી સરકારે બોલાવી છે ઈમરજન્સી બેઠક 

દિલ્હીના અનેક વિસ્તારો એવા છે જ્યાં પાણીની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે... પાણી પહોંચાડવા માટે ટેન્કરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે..  દિલ્હીથી અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં ટેન્કર જોતાની સાથે જ લોકો દોડી રહ્યા છે.. જે પણ વાસણ મળ્યું તેને લોકો લઈ જઈ રહ્યા છે પાણી ભરવા માટે.. પાણીની એટલી બધી તંગી સર્જાઈ છે કે પાણીની સમસ્યાને લઈ દિલ્હી સરકારે બેઠક બોલાવી છે.. ન્યુઝ એજન્સી એએનઆઈએ ગીતા કોલોનીનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં પાણી માટે લોકો કેવી પડાપડી કરી રહ્યા છે તે દેખાઈ જાય છે.  


શા માટે દિલ્હીમાં સર્જાઈ જળસંકટની સમસ્યા?

દિલ્હીમાં જળસંકટ કેમ સર્જાયું તેની વાત કરીએ તો એક કારણ છે ભીષણ ગરમી.. ભીષણ ગરમીને કારણે પાણીની માગ વધી છે.. વસ્તી પ્રમાણે પાણીની જેટલી આવક હોવી જોઈએ તેટલી આવક નથી.. બીજી કારણ એ પણ છે કે દિલ્હી પાસે પાણીનો કોઈ જળસ્ત્રોત નથી. પાડોશી રાજ્ય પર પાણી માટે દિલ્હીને નિર્ભર રહેવું પડે છે.. મહત્વનું છે કે બીજા રાજ્યમાં પણ ગરમીને કારણે પાણીની માગમાં વધારો આવ્યો છે. બીજા રાજ્યો પણ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જળસંકટને લઈ ભાજપ પાસેથી મદદ માગી છે..   



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.