Delhiમાં વિકટ બનતું જળસંકટ, પાણીની અછત એટલી સર્જાઈ કે ટેન્કર જોતા જ લોકો પાણી લેવા દોડી પડ્યા, દિલ્હી સરકારે બોલાવી બેઠક..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-31 19:00:03

દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીની ભારે અછત જોવા મળી રહી છે. પાણીની તંગી છે અને લોકોને પીવા માટે ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યાંથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. ટેન્કર જોઈને લોકો તૂટી પડ્યા હતા.. ટેન્કર આવતાની સાથે જ લોકોએ દોટ મૂકી અને ટેન્કરના પાછળ ડોલ અને પાઈપ લઈને લોકો પાણી ભરી રહ્યા છે. પાણીની સમસ્યાને લઈ દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે..

દેશની રાજધાની દિલ્હીમાં પાણી માટે વલખા મારતા લોકો 

આ વખતે દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી વરસી.. દિલ્હીમાં તો તાપમાનનો પારો 50 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો.. એક તરફ આટલી ગરમી હોય તેવા સમયમાં પાણીની કેટલી જરૂર પડે તે આપણે જાણીએ છીએ. પરંતુ જો આપણને પાણી ના મળે તો? મર્યાદિત પાણી હોય અને આખો દિવસ કાઢવાનો હોય ત્યારે શું હાલત થાય તે આપણે વિચારીએ તો પણ કાંપી ઉઠીએ છીએ.. પાણીની તંગીને કારણે પાણીની કટોકટીનો સામનો દિલ્હીની પ્રજા કરી રહી છે.. રાજધાની દિલ્હીના લોકો ગરમીનો માર તો સહન કરી કહ્યા છે પરંતુ ભીષણ ગરમીની સાથે સાથે પાણીની સમસ્યાનો સામનો પણ  લોકો કરી રહ્યા છે. 

જળસંકટને લઈ દિલ્હી સરકારે બોલાવી છે ઈમરજન્સી બેઠક 

દિલ્હીના અનેક વિસ્તારો એવા છે જ્યાં પાણીની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે... પાણી પહોંચાડવા માટે ટેન્કરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે..  દિલ્હીથી અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં ટેન્કર જોતાની સાથે જ લોકો દોડી રહ્યા છે.. જે પણ વાસણ મળ્યું તેને લોકો લઈ જઈ રહ્યા છે પાણી ભરવા માટે.. પાણીની એટલી બધી તંગી સર્જાઈ છે કે પાણીની સમસ્યાને લઈ દિલ્હી સરકારે બેઠક બોલાવી છે.. ન્યુઝ એજન્સી એએનઆઈએ ગીતા કોલોનીનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં પાણી માટે લોકો કેવી પડાપડી કરી રહ્યા છે તે દેખાઈ જાય છે.  


શા માટે દિલ્હીમાં સર્જાઈ જળસંકટની સમસ્યા?

દિલ્હીમાં જળસંકટ કેમ સર્જાયું તેની વાત કરીએ તો એક કારણ છે ભીષણ ગરમી.. ભીષણ ગરમીને કારણે પાણીની માગ વધી છે.. વસ્તી પ્રમાણે પાણીની જેટલી આવક હોવી જોઈએ તેટલી આવક નથી.. બીજી કારણ એ પણ છે કે દિલ્હી પાસે પાણીનો કોઈ જળસ્ત્રોત નથી. પાડોશી રાજ્ય પર પાણી માટે દિલ્હીને નિર્ભર રહેવું પડે છે.. મહત્વનું છે કે બીજા રાજ્યમાં પણ ગરમીને કારણે પાણીની માગમાં વધારો આવ્યો છે. બીજા રાજ્યો પણ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જળસંકટને લઈ ભાજપ પાસેથી મદદ માગી છે..   



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.