Delhiમાં વિકટ બનતું જળસંકટ, પાણીની અછત એટલી સર્જાઈ કે ટેન્કર જોતા જ લોકો પાણી લેવા દોડી પડ્યા, દિલ્હી સરકારે બોલાવી બેઠક..


  • Published By :
  • Published Date : 2024-05-31 19:00:03

દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીની ભારે અછત જોવા મળી રહી છે. પાણીની તંગી છે અને લોકોને પીવા માટે ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યાંથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. ટેન્કર જોઈને લોકો તૂટી પડ્યા હતા.. ટેન્કર આવતાની સાથે જ લોકોએ દોટ મૂકી અને ટેન્કરના પાછળ ડોલ અને પાઈપ લઈને લોકો પાણી ભરી રહ્યા છે. પાણીની સમસ્યાને લઈ દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે..

દેશની રાજધાની દિલ્હીમાં પાણી માટે વલખા મારતા લોકો 

આ વખતે દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી વરસી.. દિલ્હીમાં તો તાપમાનનો પારો 50 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો.. એક તરફ આટલી ગરમી હોય તેવા સમયમાં પાણીની કેટલી જરૂર પડે તે આપણે જાણીએ છીએ. પરંતુ જો આપણને પાણી ના મળે તો? મર્યાદિત પાણી હોય અને આખો દિવસ કાઢવાનો હોય ત્યારે શું હાલત થાય તે આપણે વિચારીએ તો પણ કાંપી ઉઠીએ છીએ.. પાણીની તંગીને કારણે પાણીની કટોકટીનો સામનો દિલ્હીની પ્રજા કરી રહી છે.. રાજધાની દિલ્હીના લોકો ગરમીનો માર તો સહન કરી કહ્યા છે પરંતુ ભીષણ ગરમીની સાથે સાથે પાણીની સમસ્યાનો સામનો પણ  લોકો કરી રહ્યા છે. 

જળસંકટને લઈ દિલ્હી સરકારે બોલાવી છે ઈમરજન્સી બેઠક 

દિલ્હીના અનેક વિસ્તારો એવા છે જ્યાં પાણીની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે... પાણી પહોંચાડવા માટે ટેન્કરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે..  દિલ્હીથી અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં ટેન્કર જોતાની સાથે જ લોકો દોડી રહ્યા છે.. જે પણ વાસણ મળ્યું તેને લોકો લઈ જઈ રહ્યા છે પાણી ભરવા માટે.. પાણીની એટલી બધી તંગી સર્જાઈ છે કે પાણીની સમસ્યાને લઈ દિલ્હી સરકારે બેઠક બોલાવી છે.. ન્યુઝ એજન્સી એએનઆઈએ ગીતા કોલોનીનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં પાણી માટે લોકો કેવી પડાપડી કરી રહ્યા છે તે દેખાઈ જાય છે.  


શા માટે દિલ્હીમાં સર્જાઈ જળસંકટની સમસ્યા?

દિલ્હીમાં જળસંકટ કેમ સર્જાયું તેની વાત કરીએ તો એક કારણ છે ભીષણ ગરમી.. ભીષણ ગરમીને કારણે પાણીની માગ વધી છે.. વસ્તી પ્રમાણે પાણીની જેટલી આવક હોવી જોઈએ તેટલી આવક નથી.. બીજી કારણ એ પણ છે કે દિલ્હી પાસે પાણીનો કોઈ જળસ્ત્રોત નથી. પાડોશી રાજ્ય પર પાણી માટે દિલ્હીને નિર્ભર રહેવું પડે છે.. મહત્વનું છે કે બીજા રાજ્યમાં પણ ગરમીને કારણે પાણીની માગમાં વધારો આવ્યો છે. બીજા રાજ્યો પણ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જળસંકટને લઈ ભાજપ પાસેથી મદદ માગી છે..   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.