રાજ્ય GST વિભાગનો સપાટો, રાજ્યભરમાં 52 સ્થળે SGST વિભાગની રેડ, રૂ.8.10 કરોડની કરચોરી ઝડપી


  • Published By :
  • Published Date : 2023-10-09 21:47:54

રાજ્ય GST વિભાગ દ્વારા રાજ્યના વિવિધા શહેરોમાં  52 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. વિવિધ સેક્ટરમાં ચાલતી કર ચોરી અટકાવવા જીએસટી એક્શનમાં આવી કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. આ તમામ જગ્યાઓ પરથી ઘણા બીનવારસી હિસાબોને લગતા દસ્તાવેજી પુરાવા પણ જપ્ત કરાયા છે. હિસાબી સાહિત્ય મુજબના સ્ટોકમાં અને ખરેખર હાજર સ્ટોકમાં તફાવત હોવાનું સામે આવ્યું છે.  આ વ્યવહારોની તપાસમાં અત્યાર સુધીમાં રૂપિયા 8.10 કરોડની કર ચોરી ધ્યાને આવી છે 52 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરતા વિભાગે રૂપિયા 8.10 કરોડની કર ચોરી ઝડપી પાડી છે. 


ક્યા દરોડા પાડવામાં આવ્યા?


રાજ્ય GST વિભાગે સુરત, વડોદરા, ડાંગ, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા તથા રાજકોટ જિલ્લામાં દરોડા પાડતા અહીંથી બિનહિસાબી વ્યવહારોને લગતા દસ્તાવેજો-પૂરાવા મળી આવ્યા હતા. સિરામીક, ભંગાર, મોબાઇલ ફોન, કોસ્મેટિક આઈટમ, ફરસાણ, હોટલ-રેસ્ટોરન્ટ, કોચિંગ ક્લાસીસ અને પ્રિન્ટિંગ સર્વિસ સાથે જોડાયેલા 23 વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. સુરતમાં ચૌટા બજાર અને ચોક બજારમાં 20 જગ્યા ઉપર દરોડાની કામગીરી ચાલી રહી છે. તેમજ વડોદરાની ડાંડીયા બજાર તેમજ કારેલીબાગમાં 15 જગ્યા પર દરોડાની કામગીરી હાથ ધરાઈ છે. ડાંગના સાપુતારામાં તેમજ ભાવનગરના ઘોઘા સર્કલ પાસે 5-5 જગ્યા પર દરોડાની કામગીરી હાથ ધરાઈ હતી. હિસાબી સાહિત્ય પ્રમાણે સ્ટોક તથા પર તફાવત તથા મળવાપાત્ર ન હોય તેવી વેરાશાખ પણ ભોગવવામાં આવેલ હોવાની માહિતી સામે આવી છે.વિભાગ દ્વારા આ પ્રકારના વ્યવહારોની તપાસ કરવામાં આવતા તેની કુલ રકમ રૂપિયા 8.10 કરોડ જેટલી કરચોરી હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગર સેક્ટર 21 તેમજ મહેસાણા - રાધનપુર રોડ પર ત્રણ જગ્યા પર દરોડાની કામગીરી કરવામાં આવી છે.  જ્યારે રાજકોટના જસદણમાં 1 જગ્યા પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તમામ જગ્યાઓ પરથી ઘણા બીન વારસી હિસાબોને લગતા દસ્તાવેજી પુરાવા પણ જપ્ત કરાયા છે. હિસાબી સાહિત્ય મુજબના સ્ટોકમાં અને ખરેખર હાજર સ્ટોકમાં તફાવત હોવાનું સામે આવ્યું છે.  આ વ્યવહારોની તપાસમાં અત્યાર સુધીમાં રૂપિયા 8.10 કરોડની કર ચોરી ધ્યાને આવી છે


શા માટે દરોડા પાડવામાં આવ્યા?


રાજ્ય GST વિભાગ દ્વારા માર્કેટમાં વિવિધ સેક્ટરમાં ચાલતી પ્રવર્તમાન વ્યાપાર કામગીરીનો અભ્યાસ કરવામાં આવે છે. તેના આધારે કરદાતા દ્વારા કરવેરાને લગતી પોતાની યુક્તિ-પ્રયુક્તિને શોધવામાં આવે છે તથા આ પ્રકારના કરદાતાઓની વ્યવસ્થા આધારિત પ્રોફાઈલીંગ કરવામાં આવે છે.મોટાભાગના વિવિધ સેક્ટર સાથે સંકળાયેલા કરવેરાદાતા દ્વારા મુખ્યત્વે ઉપભોક્તાઓને કરવામાં આવતા વેચાણો અને આપવામાં આવતી સર્વિસિસ અન્વયે બિલ આપવામાં આવતા નથી તથા વેરા ભરવાનો ન થાય કરે ઓછામાં ઓછા ભરવાપાત્ર થાય તે માટે મળવાપાત્ર ન હોય તેવી ખોટી વેરાશાખનો દાવો કરતા હોવાનું ધ્યાનમાં આવતા 52 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી