શાહરૂખ ખાને કતારમાં ભારતીય નેવીના અધિકારીઓની મુક્તિમાં કોઈ ભૂમિકા હોવાનો કર્યો ઇનકાર, શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2024-02-13 20:15:46

જાસુસીના આરોપ હેઠળ કતારમાં ધરપકડ કરાયેલા 8 પૂર્વ નેવી સૈનિકોને કતારથી ભારત પરત લાવવામાં આવ્યા બાદ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. ભારતીય નૌકાદળના આ પૂર્વ સૈનિકોને કતારમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી પરંતુ ભારત સરકારની કૂટનીતિ અને રાજદ્વારી સંબંધોના કારણે આપણા પૂર્વ 8 નેવી સૈનિકો તેમના દેશમાં પાછા ફરી શક્યા છે. કતારથી પરત ફરેલા સૈનિકોને જોઈને તેમનો આખો પરિવાર ખુશ છે અને મોદી સરકારના વખાણ કરી રહ્યા છે. જો કે ભારતીય જનતા પાર્ટીના જ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરી કતારથી 8 નેવી અધિકારીઓની વાપસીનો શ્રેય બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને આપ્યો હતો. જેના કારણે વિવાદ સર્જાયો હતો, જો કે હવે આ સમગ્ર મામલે શાહરૂખ ખાનની પ્રતિક્રિયા આવી છે.  


શાહરૂખ ખાનના નિવેદનમાં શું કહ્યું છે?


શાહરૂખ ખાન કતાર દ્વારા ભારતીય નૌકાદળના આઠ દિગ્ગજ સૈનિકોને છોડાવવામાં સામેલ હોવાના દાવાને નકારી કાઢ્યા છે. શાહરૂખ ખાને પોતાનું નિવેદન તેની મેનેજર પૂજા દાદલાની દ્વારા જારી કર્યું હતું. કતારમાંથી ભારતીય નૌકાદળના અધિકારીઓને છોડાવવામાં શાહરૂખ ખાનની કથિત ભૂમિકા સાથે જોડાયેલા અહેવાલો અંગે શાહરૂખ ખાનનું કહેવું છે કે આ દાવાઓ નિરાધાર છે. આવા સમાચારોને અફવા ગણાવતા શાહરૂખ ખાને તેને પાયાવિહોણા ગણાવ્યા હતા. શાહરૂખ ખાનની ઓફિસે એક નિવેદન જાહેર કરી તમામ અફવાઓ પર હવે વિરામ લગાવી દીધો છે. તેમાં લખ્યું છે કે, “કતારથી ભારતીય નૌકાદળના અધિકારીઓની મુક્તિમાં શાહરૂખ ખાનની કથિત ભૂમિકાને લગતા રિપોર્ટના સંદર્ભમાં,  શાહરૂખ ખાન જણાવે છે કે તેના હસ્તક્ષેપના આવા કોઈપણ દાવા પાયાવિહોણા છે,  ભારત સરકારના અધિકારીઓ અને આ બાબતમાં મિસ્ટર ખાન પણ તેમના હસ્તક્ષેપનો સ્પષ્ટપણે ઇનકાર કરે છે." તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, "તે ઉપરાંત રાજદ્વારી અને શાસનકળાને લગતી તમામ બાબતોને આપણા ખૂબ જ સક્ષમ નેતાઓ દ્વારા શ્રેષ્ઠ રીતે હાથ ધરવામાં આવે છે. મિસ્ટર ખાન, અન્ય ઘણા ભારતીયોની જેમ, નૌકાદળના અધિકારીઓ ઘરે સુરક્ષિત હોવાથી ખૂબ જ ખુશ છે અને તેઓને શુભેચ્છાઓ પાઠવે છે."



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.