શાહરૂખ ખાને કતારમાં ભારતીય નેવીના અધિકારીઓની મુક્તિમાં કોઈ ભૂમિકા હોવાનો કર્યો ઇનકાર, શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2024-02-13 20:15:46

જાસુસીના આરોપ હેઠળ કતારમાં ધરપકડ કરાયેલા 8 પૂર્વ નેવી સૈનિકોને કતારથી ભારત પરત લાવવામાં આવ્યા બાદ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. ભારતીય નૌકાદળના આ પૂર્વ સૈનિકોને કતારમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી પરંતુ ભારત સરકારની કૂટનીતિ અને રાજદ્વારી સંબંધોના કારણે આપણા પૂર્વ 8 નેવી સૈનિકો તેમના દેશમાં પાછા ફરી શક્યા છે. કતારથી પરત ફરેલા સૈનિકોને જોઈને તેમનો આખો પરિવાર ખુશ છે અને મોદી સરકારના વખાણ કરી રહ્યા છે. જો કે ભારતીય જનતા પાર્ટીના જ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરી કતારથી 8 નેવી અધિકારીઓની વાપસીનો શ્રેય બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને આપ્યો હતો. જેના કારણે વિવાદ સર્જાયો હતો, જો કે હવે આ સમગ્ર મામલે શાહરૂખ ખાનની પ્રતિક્રિયા આવી છે.  


શાહરૂખ ખાનના નિવેદનમાં શું કહ્યું છે?


શાહરૂખ ખાન કતાર દ્વારા ભારતીય નૌકાદળના આઠ દિગ્ગજ સૈનિકોને છોડાવવામાં સામેલ હોવાના દાવાને નકારી કાઢ્યા છે. શાહરૂખ ખાને પોતાનું નિવેદન તેની મેનેજર પૂજા દાદલાની દ્વારા જારી કર્યું હતું. કતારમાંથી ભારતીય નૌકાદળના અધિકારીઓને છોડાવવામાં શાહરૂખ ખાનની કથિત ભૂમિકા સાથે જોડાયેલા અહેવાલો અંગે શાહરૂખ ખાનનું કહેવું છે કે આ દાવાઓ નિરાધાર છે. આવા સમાચારોને અફવા ગણાવતા શાહરૂખ ખાને તેને પાયાવિહોણા ગણાવ્યા હતા. શાહરૂખ ખાનની ઓફિસે એક નિવેદન જાહેર કરી તમામ અફવાઓ પર હવે વિરામ લગાવી દીધો છે. તેમાં લખ્યું છે કે, “કતારથી ભારતીય નૌકાદળના અધિકારીઓની મુક્તિમાં શાહરૂખ ખાનની કથિત ભૂમિકાને લગતા રિપોર્ટના સંદર્ભમાં,  શાહરૂખ ખાન જણાવે છે કે તેના હસ્તક્ષેપના આવા કોઈપણ દાવા પાયાવિહોણા છે,  ભારત સરકારના અધિકારીઓ અને આ બાબતમાં મિસ્ટર ખાન પણ તેમના હસ્તક્ષેપનો સ્પષ્ટપણે ઇનકાર કરે છે." તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, "તે ઉપરાંત રાજદ્વારી અને શાસનકળાને લગતી તમામ બાબતોને આપણા ખૂબ જ સક્ષમ નેતાઓ દ્વારા શ્રેષ્ઠ રીતે હાથ ધરવામાં આવે છે. મિસ્ટર ખાન, અન્ય ઘણા ભારતીયોની જેમ, નૌકાદળના અધિકારીઓ ઘરે સુરક્ષિત હોવાથી ખૂબ જ ખુશ છે અને તેઓને શુભેચ્છાઓ પાઠવે છે."



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.