શાહરૂખ ખાને કતારમાં ભારતીય નેવીના અધિકારીઓની મુક્તિમાં કોઈ ભૂમિકા હોવાનો કર્યો ઇનકાર, શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2024-02-13 20:15:46

જાસુસીના આરોપ હેઠળ કતારમાં ધરપકડ કરાયેલા 8 પૂર્વ નેવી સૈનિકોને કતારથી ભારત પરત લાવવામાં આવ્યા બાદ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. ભારતીય નૌકાદળના આ પૂર્વ સૈનિકોને કતારમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી પરંતુ ભારત સરકારની કૂટનીતિ અને રાજદ્વારી સંબંધોના કારણે આપણા પૂર્વ 8 નેવી સૈનિકો તેમના દેશમાં પાછા ફરી શક્યા છે. કતારથી પરત ફરેલા સૈનિકોને જોઈને તેમનો આખો પરિવાર ખુશ છે અને મોદી સરકારના વખાણ કરી રહ્યા છે. જો કે ભારતીય જનતા પાર્ટીના જ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરી કતારથી 8 નેવી અધિકારીઓની વાપસીનો શ્રેય બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને આપ્યો હતો. જેના કારણે વિવાદ સર્જાયો હતો, જો કે હવે આ સમગ્ર મામલે શાહરૂખ ખાનની પ્રતિક્રિયા આવી છે.  


શાહરૂખ ખાનના નિવેદનમાં શું કહ્યું છે?


શાહરૂખ ખાન કતાર દ્વારા ભારતીય નૌકાદળના આઠ દિગ્ગજ સૈનિકોને છોડાવવામાં સામેલ હોવાના દાવાને નકારી કાઢ્યા છે. શાહરૂખ ખાને પોતાનું નિવેદન તેની મેનેજર પૂજા દાદલાની દ્વારા જારી કર્યું હતું. કતારમાંથી ભારતીય નૌકાદળના અધિકારીઓને છોડાવવામાં શાહરૂખ ખાનની કથિત ભૂમિકા સાથે જોડાયેલા અહેવાલો અંગે શાહરૂખ ખાનનું કહેવું છે કે આ દાવાઓ નિરાધાર છે. આવા સમાચારોને અફવા ગણાવતા શાહરૂખ ખાને તેને પાયાવિહોણા ગણાવ્યા હતા. શાહરૂખ ખાનની ઓફિસે એક નિવેદન જાહેર કરી તમામ અફવાઓ પર હવે વિરામ લગાવી દીધો છે. તેમાં લખ્યું છે કે, “કતારથી ભારતીય નૌકાદળના અધિકારીઓની મુક્તિમાં શાહરૂખ ખાનની કથિત ભૂમિકાને લગતા રિપોર્ટના સંદર્ભમાં,  શાહરૂખ ખાન જણાવે છે કે તેના હસ્તક્ષેપના આવા કોઈપણ દાવા પાયાવિહોણા છે,  ભારત સરકારના અધિકારીઓ અને આ બાબતમાં મિસ્ટર ખાન પણ તેમના હસ્તક્ષેપનો સ્પષ્ટપણે ઇનકાર કરે છે." તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, "તે ઉપરાંત રાજદ્વારી અને શાસનકળાને લગતી તમામ બાબતોને આપણા ખૂબ જ સક્ષમ નેતાઓ દ્વારા શ્રેષ્ઠ રીતે હાથ ધરવામાં આવે છે. મિસ્ટર ખાન, અન્ય ઘણા ભારતીયોની જેમ, નૌકાદળના અધિકારીઓ ઘરે સુરક્ષિત હોવાથી ખૂબ જ ખુશ છે અને તેઓને શુભેચ્છાઓ પાઠવે છે."



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.